નેતૃત્વ


-શૈલેષ રાઠોડ

નેતૃત્વ સફળતાનો પાયો છે.આવો તેને વિભાગીકરણ દ્વારા સમજીયે.

1. પ્રભાવી નેતૃત્વ ( Commanding Leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યકિત જૂથ પર પોતાનુ સંપૂર્ણ વર્ચસ્વ ધરાવે છે. તત્કાલ નિર્ણયો લઇ લાદે છે. આ પ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર “આજ્ઞાનુસાર કરો.” હોય છે. કટોકટીના સમયે કેતાત્કાલિક પરિણામ મેળવવાની દૃષ્ટિએ આ પ્રકારનું નેતૃત્વ સફળ હોય છે. આ નેતૃત્વની મુખ્ય વિશેષતાનેતાની પહેલવૃતિ અને સ્વનિયંત્રણ હોય છે. લાંબાગાળે આ પ્રકારનું નેતૃત્વ જૂથના સભ્યોમાંનકારાત્મકતા અને વૈફલ્યની ભાવના લાવે છે.

2. લોકશાહી નેતૃત્વ ( Democratic Leadership)

આ પ્રકારનુ નેતૃત્વ ધરાવતી વ્યકિત જૂથના સભ્યોની સહભાગીદારી અને સંમંતિ સાથે આગળવધે છે. સૌના મૂલ્યવાન અભિપ્રાયો મેળવીને નિર્ણયો લે છે. આ પ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર “આસમસ્યાના ઉકેલ સંદર્ભે આપ શુ માનો છો?” હોય છે. આ પ્રકારનું નેતૃત્વ લાંબાગાળાના ઉદેશ્યનીપ્રાપ્તિ માટે સફળ રહે છે. અલબત નિર્ણય અને પરિણામની પ્રક્રિયા ધીમી છતાં ચોકકસ હોય છે. આનેતૃત્વની મુખ્ય વિશેષતા સહભાગીદારીપણું, જૂથનેતૃત્વ અને અસરકારક પ્રત્યાયન છે.

૩. દૂરંદેશી નેતૃત્વ ( Visionary Leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યકિત ચોકકસ દિશા સાથે કામ કરે છે. ભાવિ લક્ષ્યાંકો તેનામગજમાં સ્પષ્ટ હોય છે અને જૂથને પણ તે સ્પષ્ટપણે સમજાવે છે. સ્પષ્ટ સમજણ સાથે જૂથ લક્ષપ્રાપ્તિમાટે ગતિશીલ બને તેવા પ્રયત્નો કરે છે. આ પ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર “ આવો સાથે મળીને કરીએ’’હોય છે. આ પ્રકારના નેતૃત્વની મુખ્ય વિશેષતા આત્મવિશ્વાસ, સમાનુભૂતિ અને પારદર્શકતા છે.પરિવર્તનશીલ સમાજમાં નવી સમજણ વિકસાવવી હોય ત્યારે આ પ્રકારનું નેતૃત્વ કારગત નીવડે છે.

4. જોડાણવાદી નેતૃત્વ (Affinitive Leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યક્તિ જૂથમાં સુસંવાદિતા ઊભી કરી સકારાત્મક ભાવાવરણનુંનિર્માણ કરે છે. જૂથના સભ્યોને સાથે રાખી અપેક્ષિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાનો સફળ પ્રયત્ન કરે છે.તેનોમુખ્ય મંત્ર જૂથના સભ્યો થકી લક્ષ્ય પ્રાપ્તિ કરવાનો હોય છે. આ પ્રકારના નેતૃત્વની મુખ્ય વિશેષતાઆંતરવૈયક્તિક સંબધો, સમાનુભૂતિ અને ટીમ બિલ્ડીંગ છે. અહીં જૂથના સભ્યો આગળ અને નેતા પાછળ
હોય છે. તનાવયુક્ત સ્થિતિમાં કામ કરતી વખતે કે જૂથને પુનર્ગઠીત કરતી વખતે આ પ્રકારનું નેતૃત્વસકારાત્મક પરિણામ આપે છે.

5. પ્રગતિશીલ નેતૃત્વ (Pacesetting leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યક્તિ કર્તૃત્વ માટેના ઊંચા ધોરણો પ્રસ્થાપિત કરે છે. આ પ્રકારનાનેતૃત્વની મુખ્ય વિશેષતા સભાનતાપૂર્વક ધીમી ગતિએ લક્ષ્ય પ્રાપ્તિ કરવાનો છે. નેતા અગ્રીમ હરોળથીકર્તૃત્વ નું ઉદાહરણ પૂરું પાડી, તે પ્રમાણે જૂથને કાર્ય કરવા પ્રેરિત કરે છે. આ પ્રકારના નેતાનો‘હું કરું છું’ તેમ કરવા પ્રેરે છે. જૂથ પાસેથી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા આ પ્રકારનું નેતૃત્વ સકારાત્મકમુખ્ય મંત્રપરિણામો મેળવે છે.

6. માર્ગદર્શક નેતૃત્વ (Coaching Leadership)

ભાવિ લક્ષ્યાંકો માટે જૂથના સભ્યોને તૈયાર કરવા આ પ્રકારની નેતૃત્વ શૈલી ઉપયોગમાં લેવાય છે.અહીં નેતા ભવિષ્યના લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે જૂથને કૌશલ્યપૂર્ણ રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે. આપ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર ‘પ્રયત્ન કરી જૂઓ’ કે ‘અજમાવી જૂઓ’ છે. કોર્પોરેટ જગતમાં લાંબાગાળામાટે ગુણવત્તાસભર કર્મચારીઓ તૈયાર કરવા આ પ્રકારનું નેતૃત્વ ઉપયોગી છે. અહીં નેતા મેન્ટરનીભૂમિકામાં હોય છે. નેતાના પ્રયત્નો થકી જૂથના સભ્યોનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સફળતાનીપ્રાપ્તિ માટે પ્રતિબદ્ધ બને છે.

ધર્મ એક જીવન જીવવાની કળા



-શૈલેષ રાઠોડ
ધર્મ એ અધ્યાત્મ (Spirituality) ની એક શાખા છે.ધર્મનો સાચો અર્થ છે માનવતા.
ધર્મ એક જીવન જીવવાની કળા છે. પોતે પણ સુખ મેળવવું અને બીજાને સુખ પણ આપવું તે ધર્મ છે.



ચિંતકો માને છે કે એ વાત નિઃસંદેહ છે કે દુનિયાના સર્વ મોટા મોટા ધર્મોએ આ પૃથ્વીના કરોડો મનુષ્યોને સેંકડો તથા હજારો વર્ષો સુધી સાચે રસ્તે વાળ્યા છે. આજ સુધી કરોડો માનવીઓમાં હૃદય તથા મનને, એમના આત્માને સુખ-શાન્તિ દેનાર ચીજ ધર્મ કરતાં બીજી કોઇ નથી.

આપણે પણ ખુશીથી અને જીવવું અને બીજાને પણ જીવવા દેવા તેને ધર્મ કહેવાય.જીવનમાં સાચી શાંતિ અને સાચુ સુખ તે જ ભોગવે છે જે નિર્મળ ચિત્તે જીવન જીવે છે.પ્રકૃતિનો એક નિયમ છે કે જે જેવું કામ કરશે તેને તેવું જ પરિણામ મળશે.

ભક્ત જાજલિ પોતાનો મોટાભાગનો સમય આરાધના તથા ચિંતન-મનનમાંલગાવતા હતા. તેમના હૃદયમાં એ જાણવાની ઉત્કંઠા હતી કે સાચો ધર્મ શું છે?તેમણે પોતાના ગુરુને કહ્યું, ‘મહારાજ, હું ધર્મની પરિભાષા જાણવા માંગું છું.મારું માર્ગદર્શન કરો.’ગુરુજીએ કહ્યું, ‘જનકપુરમાં તુલાધાર નામનો પરમ ભક્ત વેપારી છે.
એ જ તારી જિજ્ઞાસાનું સમાધાનકરી શકે છે. તું તેની પાસે જા.’જાજલિ જનકપુર પહોંચ્યો.તુલાધારની દુકાન પર પહોંચી તેણેજોયુંતો તે ગ્રાહકોને સામાન તોલીનેઆપી રહ્યો છે. જાજલિએવિનમ્રતાથી પૂછ્યું, ‘શેઠજી,તમારા ગુરુ કોણ છે? ધર્મ કોને કહે
છે?’
તુલાધારે જવાબ આપ્યો, ‘મારો વેપાર જ મારો ગુરુ છે. ગ્રાહકોનેબિલકુલ ઠીક તોલીને સામાન આપવો એજ મારો ધર્મ છે. હું પૂર્ણ ઈમાનદારીથી ક૨વામાં આવેલ વેપાર કાર્યથી નિવૃત્ત થયા બાદ ઘરમાં મારા વૃદ્ધ માતા-પિતાની સેવા કરું છું, આ મારી કર્તવ્ય ભાવના છે. સવારે પથારી છોડતાં જપરમાત્માનું સ્મરણ કરું છું. તેમની કૃપા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. દુકાન ખોલતાં પહેલાં મારી કમાણીનો એક અંશ ગરીબોમાં વહેંચું છું. તે ઉપરાંત હું કશું જ જાણતો નથી.’તુલાધારના આ થોડા શબ્દોએ જ જાજલિની જિજ્ઞાસાનું સમાધાન કરીદીધું.
ધર્મનો પાયો છે ઉદારતા અને સમદ્રષ્ટિ.ગાંધીજીના મતે,”ધર્મને માણસ પોતાની ભાષામાં પ્રગટ કરે છે તેનો અર્થ પણ મનુષ્ય જ કરે છે. ધર્મનું મૂળ એક જ છે. જેમ વૃક્ષનું, પરંતુ તેનાં પાંદડાં અસંખ્ય છે.”

વેકેશન:આનંદમય પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અનુબંધ-શૈલેષ રાઠોડ






બાળકો-યુવાનોને દિવાળી અને ઉનાળુ એમ બે મોટા વેકેશનો મળતાહોય છે.આ બધામાં સૌથી મોટું વેકેશન એટલે ઉનાળુ વેકેશન,જેમાં વિધાર્થીઓ નવા વર્ષ કે નવા ધોરણમાં જવાના હોય જુનું ખંખેરી નવા વર્ગ તરફ જવાનું હોય સાચા વેકેશનના મૂડમાં હોય છે.



વેકેશનમાં હવે મામાને ઘરે કોઇ જતું નથી, એ વાત ભૂતકાળ થઇ ગઇ છે.પહેલાના સમયમાં વેકેશન પડે એટલે “મામાનું ઘર કેટલે…દીવો બળે એટલે…!બિસ્તરા પોટલા લઇ તૈયાર.એની મઝા જ કઈ ન્યારી હતી. ધોમ ધખતા તાપમાં ઝાડ પર ચડીને કેરી હોય કે આંબલી-કોલને કાતર ખાવાની સાથે ફળિયામાં નિકળતો ગોલા, ગુલ્ફીવાળાની વાત જ ન્યારી હતી.બાળક આપોઆપ જીવન કૌશલ્યો શીખી જાય.



આજના સ્પર્ધાત્મક યુગમાં વેકેશન કેવું હોવું જોઈએ અને કઈ રીતે તેને માણી શકાય?આ પહેલા બાળકોને માતાપિતા કે શિક્ષક કેટલાક પ્રશ્નો પૂછી વેકેશનનો સાચો અર્થ સમજાવે તે જરૂરી છે.

દરેક શાળા વર્ષના અંતિમ દિવસે પરિણામ સમયે જરૂરી સુચના આપે તેની સાથે વેકેશનમાં શું કરી શકાય તેનું માર્ગદર્શન આપે તો ખુબ જ ઉપયોગી પુરવાર થઇ શકે.આ કાર્ય માતા પિતા પણ કરી શકે છે.



શું વેકેશન એટલે ટીવી-મોબાઈલ-ગેમ??

બાળક માટે વેકેશનનું શું મહત્ત્વ છે?
શું વેકેશનનો સમય માત્ર સ્વતંત્રતા માટે હોય છે?
શું વેકેશન આયોજન વગર નિષ્ક્રિયપણે પસાર કરવાનો હોય છે?
શું વેકેશન માત્ર હરવા-ફરવા અને મોજમજા માટે જ છે?

વેકેશનમાં એવું તે શું કરી શકાય જે જીવન ઉપયોગી હોય?



આ પ્રશ્નોના જવાબ બાળક પાસે હોય છે?જો ના હોય તો તે જણાવવાની ફરજ આપણા સહુની છે.



“હાશ!વેકેશન શરુ.જો કોઈએ મને રોકવાનો નહિ.હું જે કરું તે કરવા દેવાનું.પ્લ્ઝ,કોઈએ ડીસ્ટર્બ ન કરવો.”

આ સંવાદ લગભગ દરેક પરિવારના બાળકોના મુખે જોવા મળે.



એ સ્પષ્ટ છે કે,બાળકો બીબાઢાળ સિસ્ટમથી કંટાળે ત્યારે પોતીકા આનંદની આતુરતાથી રાહ જુએ.વેકેશન એટલે બાળકોની વસંત.બાળકો મ્હોરી ઉઠે.વેકેશનના પ્રથમ દિવસે બાળકના ચહેરાને નિરાંતે મન મૂકી જોજો.તેની રેખાઓમાં અદમ્ય ઉત્સાહ નજરે પડેશે.આ ઉત્ત્સાહ ટકી રહે છતાય કઈક નવું પ્રાપ્ત કર્યાનો આનદ બાળક કે યુવાનને મળે તો વેકેશન સાર્થક.

વેકેશનનો મૂળ હેતુ છે –હળવું થવું- તન અને મનને આરામ આપવો.વેકેશનનો સમય એટલે થોડા સમય માટે પોતાના કાર્યથી અળગા રહી સંપૂર્ણ તાજગી અને હર્ષોલ્લાસ સાથે પસાર કરવાનો સમય.બાળક વેકેશનના પ્રારંભમાં ટીવી-ફિલ્મો-ગેમ ની મસ્તીમાં સામેલ થાય….તો થવા દો….બે ત્રણ દિવસ તેને મન મૂકી મનમાં દબાયેલી ઈચ્છાઓ પૂર્ણ કરવા દો.ધીમે ધીમે તે નવું અને ક્રિયેટીવ કાર્ય શોધવા લાગશે.



સાચો શિક્ષક બાળકને દિશા આપી શકે અને પરિવાર વાતાવરણ.આવા સમયે માતાપિતા તરીકે આપણી જવાબદારી છે,સાચું અને સુંદર વાતાવરણ પૂરું પાડવું.આજના સ્પર્ધાત્મકયુગમાં વેકેશનને આનંદ સાથે ઘડતરનું માધ્યમ બનાવવું જોઈએ. ટેકનોલોજીના સમયમાં આજે કોઈ એક ફિલ્ડમાં જ માહિતગાર હોવું જરૂરી નથી.ખાસ કરીને આજના સમયમાં બાળકોને ઇતર પ્રવૃતિઓ સાથે જોડવા જરૂરી બને છે.મોબાઈલ બાળકને સઘળું મનોરજન પૂરું પડતો હોય બાળક ઘરની ચાર દીવાલમાં જ પોતાનું જીવન જીવવા લાગે તે ઘાતક સાબિત થઇ શકે છે.

એકવાર એક બાળકે પોતાની માને પૂછ્‌યું, મા ! વેકેશન એટલે શું? માએ જવાબ આપ્યો-મને શું ખબર બેટા? હું તો એક મા છું! અર્થાત્‌ મારા જીવનમાં ક્યારે વેકેશન આવ્યું નથી. ભારતમાં ૨૧ ટકા લોકો એવા છે કે જેમને ક્યારેય વેકેશન મળતું નથી કે કામમાંથી વેકેશન પાડતા નથી. એવા લોકોનો વિચાર કરીને વેકેશનનો સમય બરબાદ થતો અટકાવવો જોઈએ.



બાળકો-યુવાનો તેમજ જેમને વેકેશન છે તે સહુ કોઈ વેકેશનનો કઈ રીતે સદુપયોગ કરી શકે?



(1)  મોબાઈલ-ઈન્ટરનેટનો સદુપયોગ:

વેકેશનના સમયમાં મોબાઈલ અને ટીવીનો ઉપયોગ બાળકો ભરપૂર માત્રામાં કરતા હોય છે; પરંતુ એ જ સાધનોનો ઉપયોગ જો સારી બાબતો જોવા-જાણવામાં કરવામાં આવે તો વિદ્યાર્થીઓના જ્ઞાનમાં પણ વધારો થઈ શકે છે. મોબાઈલ,ટીવી અને કોમ્પ્યુટરનો સદુપયોગ કરો. ઇન્ટરનેટ પર યુ-ટ્યુબમાં સારા ગુણવત્તાસભર તમારા કરિયર અને ધ્યેય સંબંધિત વિડિયો જુઓ.વિડીયો-ફોટો એડીટીંગ,ન્યુઝ કે આર્ટીકલ રાઈટીંગ,બ્લોગ ક્રિયેશન શીખી શકાય. આજના AI ના જમાના ટેકનોલોજીના શોર્ટ કોર્ષ તમારામાં જોમ પૂરી શકે,આત્મવિશ્વાસ વધારી શકે.

(2)  સ્કીલ ડેવલોપમેન્ટ:

(3)  બાળકો-યુવાનોએ રસરૂચી અનુસાર વેકેશનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.જેમાં સ્પોર્ટ્સનો ર્શોટ કોચિંગ ક્લાસ,મ્યુઝીક કે ક્રિયેટીવ લેખન સહીત કોઇપણ શોર્ટ ટર્મ કોર્ષ કરી શકાય. યોગાસન-ધ્યાન શીખે અથવા મનગમતી કે જ્ઞાનવર્ધક કોઈ શિબિર યોજાય તો એમાં ભાગ લે તે જરૂરી છે.વેકેશનમાં શોર્ટ ટર્મ કોર્ષ કે સ્કીલ શીખી શકાય છે.નવી-નવી સ્કીલ્સ કે જે ખૂબ જરૂરી હોય જેમ કે પર્સનાલી ડેવલોપમેન્ટ,ક્રિકેટ.ફૂટબોલ, સ્વીમીંગ,ડાન્સિંગ,પેન્ટિંગ,સીંગીંગ,પબ્લીક સ્પીકીંગ વગેરે શીખવા માટે પણ વેકેશનનો સમય ખૂબ જ મહત્ત્વનો છે. એ સિવાય તેઓ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ રસ મુજબ એક્ટિવિટી કરી શકે છે.



(4)  કસરત-ખોરાક અને સ્વાસ્થ્ય:

વર્ષ દરમ્યાન ભાગદોડમાં બાળકો ખોરાક અને કસરત પરત્વે બેદરકાર ખોય છે.વેકેશનમાં હેલ્થ માટે વધુ સારી પ્રવૃત્તિ કરી શકાય.ઉત્તમ પૌષ્ટિક ખોરાકને પ્રાધાન્ય આપવું.સ્વાસ્થ્ય માટે  સવારે એક કલાક મેડિટેશન કે મોનિંગ વોક કે એક્સરસાઇઝ કરવી જોઈએ.જેથી રુટિન બ્રેક થાય, હેલ્થ ઇમ્પ્રૂવ થાય તેમજ થોટ પ્રોસેસ પર કન્ટ્રોલ આવે.શરીર તંદુરસ્ત હશે તો માન પણ તંદુરસ્ત બનશે.

(5)  વાંચન અને તરલતા:

વેકશનમાં પણ ચંચલ અને ચપળ રહો.આળસુ ન બનો.વેકેશનમાં સમયાન્તરે પુસ્તક વાંચન કરવું જરૂરી છે. સારી બાયોગ્રાફી કે ઓટોબાયોગ્રાફી કે પોઝિટિવ એટિટયૂટના વિચારો આપતાં સારાં પુસ્તકો વાંચવા જોઈએ.માતાપિતા સાથે ટ્રેડિશનલ ગેમ્સ રમી શકાય. વેકેશનમાં રુટિન કરતાં કંઈક અલગ જ કરવું.ક્રિએટિવ પ્રોજેક્ટ્સ કરી શકાય. ફેમિલી સાથે સમય પસાર કરો.વેકેશનમાં આળસુ ન બનો પણ દરરોજ સવારે વહેલા ઉઠવાનું રાખો.

(6)  કુદરત અને સમાજની ઓળખ:

બાળકોને ક્યારેક એકલા મૂકી વન અને જનનો પરિચય થવા દો.ખેતરની મુલાકાતે મોકલો.નેચર કેમ્પમાં જવાથી બાળકો ઇકોલોજીનું બેલેન્સ સમજી શકશે.પ્રકૃતિને સમજતો થાય. વર્ષ દરમ્યાન બાળકો સમાજ અને પરિવારજનોથી દુર રહેતા હોય છે એટલે બાળકોમાં સમાજિકતાનો અભાવ જોવા મળે.બાળકો સગા વ્હાલા કે અન્ય સારા લોકોને મળે, સેવા સંસ્થામાં જઈ સેવા કરે,પ્રવાસ થકી પ્રકૃતિની ગોદમાં થોડીવાર તેને માણે,ગ્રામ્ય પરિવેશથી વાકેફ બને તે જરૂરી છે.સારા વ્યક્તિઓ સાથે માનવીય-લાગણીશીલ સંબંધો વિકસાવો.

(7)  જવાબદારીનું ભાન:

બાળક વેકેશનમાં પિતાના વ્યવસાયને કે સ્નેહીઓના વ્યવસાયને સમજે તે જરૂરી છે.આ કાર્યમાં પણ થોડોક સમય ફાળવે તેવું આયોજન કરી શકાય.બાળકોને કારકિર્દી સાથે પરિવાર અને સ્વની ઓળખ થવા દો.સ્વને કેળવવાની અને પરિવારમાં જીવંત રહેવાની તક વેકેશન પૂરું પાડે.વિદ્યાર્થીઓ માતા-પિતાને મદદરૂપ બને એ વેકેશનનો સૌથી મોટો સદુપયોગ કર્યો કહેવાય.મમ્મીને ઘરકામમાં મદદ કરીને હળવાશ આપવી કે પછી પપ્પાની કોઈ નાની-મોટી જવાબદારી સંભાળીને પાર પાડવી તેમના અંતરના આશીર્વાદ મેળવવાની ઉત્તમ તક એટલે વેકેશન.

(8)  કારકિર્દી આયોજન-મૂલ્યાંકન:

સમગ્ર વેકેશનનું પ્લાનીંગ કરવું જરૂરી છે. આગલા ધોરણના પુસ્તકો વાંચવાને ન સમજાય તો શેરીના અન્ય મોટા બાળકો સાથે ચર્ચા પણ કરવી જોઇએ. ટ્રેસ વગરના આ દિવસોમાં ઘણીવાર બાળક આખુ વર્ષમાં ન શીખ્યો હોય તે આ એક માસમાં શીખી જાય છે.આગામી લક્ષ્ય શું છે તે બાળકની દ્રષ્ટિમાં હોવું જ જોઈએ.વેકેશનમાં બાળક મુક્ત મને આગામી આયોજન વિચારી શકે.બોર્ડની પરીક્ષા આપવાના હોય ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ વેકેશનમાં એ બાબતનો ખ્યાલ રાખવો કે આગળ કેવી રીતે જવું છે?કારકિર્દી માટે ઉપયોગી કયા ક્રેક કોર્ષ કરવા? તેના માટે કઈ વસ્તુ અગત્યની રહેશે? તેની પ્રક્રિયા શું હશે? પસંદગી-પ્રક્રિયા શું હશે? કઈ જગ્યાએ અને કેટલી કોલેજો છે? આ બધી બાબતોની માહિતી આ સમય દરમિયાન મેળવવી જ જોઈએ.વાંચન કે એક્સપર્ટના સંપર્કમાં રહી માહિતી એકત્રિત કરવી જોઈએ.



(9)  ધ્યેય નિર્ધારણ:

બાળકને પોતાના ભવિષ્યની ઓળખ હોવી જોઈએ.તેને પોતાનો ધ્યેય સ્પષ્ટ હોય તો સરળતાથી શિક્ષણ કાર્ય કરી શકે.દરેક બાળક વેકેશનમાં ધ્યેય નક્કી કરે અને ભવિષ્યમાં શું કરવા માંગે છે તેની ચર્ચ પરિવારજનો કે પરિચિતોમાં એક્સપર્ટ સાથે કરે.વિદ્યાર્થીઓએ વેકેશનના સમયમાં પણ થોડો અભ્યાસ શરૂ રાખવો જોઈએ.દિવસના અમુક કલાક અગાઉના ધોરણ કે કોલેજ અંગે શિક્ષણકાર્ય શરુ કરવું જોઈએ.



આમ, વેકેશનના સમયનો ઉપયોગ જો સ્વને ઓળખી સદ્‌પ્રવૃત્તિ, સ્વવિકાસ અને પરોપકારને માટે કરવામાં આવે તો વેકેશનનો સમય સાર્થક થયો ગણાય.આશા રાખીએ કે,આ લેખમાં આપેલ વિચારો થકી આપ વેકેશનનો સદુપયોગ કરી કારકિર્દીને નવો ઓપ આપશો.



-શૈલેષ રાઠોડ

ઈશ્વરની દયા



-શૈલેષ રાઠોડ
ઈશ્વરને મોટેભાગે અલૌકિક સર્જક અને બ્રહ્માંડના દૃષ્ટા તરીકે જોવામાં આવે છે.

આસ્તિકવાદ સામાન્યરીતે એમ માને છે કે ઈશ્વર વાસ્તવિકપણે, નિરપેક્ષપણે અને મનુષ્યના વિચારોથી સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે; ઈશ્વરે તમામ વસ્તુનું સર્જન કર્યું છે અને તેનો નિભાવ કરે છે; ઈશ્વર સર્વશકિતમાન અને શાશ્વત છે; વ્યકિતગત છે અને બ્રહ્માંડ સાથે આંતરક્રિયા કરે છે.ઈશ્વર યોજનાથી દુનિયા ચાલે છે.

જોકે નાસ્તિકવાદ ઈશ્વરને કાલ્પનિક સ્વરૂપે જૂએ છે.બીજી તરફ ધર્મવેત્તાઓ અને તત્ત્વચિંતકોએ ઈશ્વર અંગે સર્વજ્ઞ, સર્વશકિતમાન, સર્વવ્યાપી, સંપૂર્ણ દેવતા, દૈવી સરળતા, અને શાશ્વત તથા આવશ્યક અસ્તિત્વ સહિત સંખ્યાબંધ વર્ણનો કર્યા છે.
ઈશ્વરની યોજના અકળ હોય છે. તે જે કરે તે સારા માટે જ હોય છે.

એક વખતે એક અમીર શેઠને ત્યાં એક નોકર કામ કરતો હતો. અમીર શેઠ પોતાના નોકરથી તો બહુ ખુશ હતો, પરંતુ જ્યારે પણ કોઈ કડવો અનુભવ થતો તો તે ભગવાનને એલફેલ કહેતો અને બહુ ભાંડતો હતો.
એક દિવસે તે અમીર શેઠ કાકડી ખાઈ રહ્યો હતો, સંયોગથી તે કાકડી કાચી અનેકડવી હતી. શેઠે એ કાકડી પોતાના નોકરને આપી દીધી.નોકરે તેને બહુ ટેસથી ખાધી, જાણે તે બહુ સ્વાદિષ્ટ હોય. અમીર શેઠેપૂછ્યું, ‘કાકડી તો કડવી હતી, તું કઈ રીતે ખાઈ ગયો?’ નોકર બોલ્યો, ‘તમેમારા માલિક છો, રોજ સ્વાદિષ્ટ ભોજન મને આપો છો, એક દિવસ જો થોડીબેસ્વાદ કે કડવું પણ આપી દો તો તેને સ્વીકાર કરવામાં વાંધો શો છે?’

અમીર શેઠ પોતાની ભૂલ સમજી ગયા.જો ઈશ્વરે આટલી સુખ-સંપદા આપી હોય, અને ક્યારેક કોઈ કડવીવાત કે સામાન્ય મુસીબત આપી પણ દે તો તેની સદ્ભાવના પર શંકા કરવી ચોગ્ય નથી. અસલમાં આ સમજી જઈએ તો જીવનમાં જે પણ થાય છે,બધું ઈશ્વરની જ દયા છે.
ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.

આપણે માત્ર જીવનમાં સારા અને ઉજળા પક્ષને જ જોઇએ છીએ. આપણને સુખ, આરામપસંદ છે, પરંતુ દુઃખ અને કષ્ટની ક્ષણો આવતાં જ આપણું મન વિચલિતથવા લાગે છે. જીવનમાં સુખ અને દુઃખ બંને પળો હોવી જોઇએ.

“જેને ઉડવું છે, તેના માટે વિશાળ આકાશ છે.”:શિક્ષણવિદ શૈલેષ રાઠોડ


આણંદ ખાતે ઋષિ સાયન્સ ઝોન દ્વારા અનોખો માર્ગદર્શન સોમિનાર યોજવામાં આવ્યો.

આણંદ ખાતે આવેલ ઋષિ સાયન્સ ઝોન દ્વારા અનોખો માર્ગદર્શન સોમિનાર યોજવામાં આવ્યો.જેમાં “જેને ઉડવું છે, તેના માટે વિશાળ આકાશ છે.”તેમ જણાવી તજજ્ઞ વક્તાઓએ ધો.10 પરીક્ષા પૂર્ણ કર્યા પછી શું?સૌથી મોટો યક્ષ પ્રશ્ન.જેનું સમાધાન કરવું બાળક અને માતાપિતા માટે કઠિન હોય તેનું સમાધાન કરાયું હતું.

સંસ્થાના નિયામક ડૉ. એની અર્ચન, ફાઉન્ડર અર્ચન દિનેશ દ્વારા વક્તા તજજ્ઞ ડૉ. પ્રીતિ રાઠોડ અને શૈલેષ રાઠોડને આવકારી સન્માન કર્યું હતું.
સેમિનારમાં  બાળક અને વાલીને સાથે રાખી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા ની પાયાદાર સમજ, ભવિષ્યમાં સ્કોપ અને વિષય પસંદગી માટે ટ્રાયલ..આ ત્રયેય સમન્વય સાથેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં વક્તાઓએ
IIM,IIT, AIIMS, IAS સાથે તમારા કોર્ષનું અનુસંધાન તેમજ ધોરણ-૧૦ પછી કઈ શાખાઓમાં વધુ તક છે?બેસ્ટ  કૅરીયર  ઓપ્શન્સ  આફ્ટર 12th સાયન્સ, કોમર્સ, આર્ટ્સ  તેમજ વિધાર્થી પોતાનો અભ્યાસ સાત વર્ષ પછી પૂરો કરશે ત્યારે કઈ શાખામાં નોકરીની તકો વધારે હશે?ઉપરાંત  ધોરણ-૧૧ માં કઈ રીતે શાખા પસંદ કરાય?ની  વિષદ માહિતી આપી હતી.

સંસ્થાના નિયામક ડૉ. એની અર્ચન, ફાઉન્ડર અર્ચન દિનેશે પણ ભાવિ સ્કોપ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

વિદાઈ ભાષણ


ખંભાતના છેવાડે જ્ઞાનનું ઘર
ત્રણ વર્ષમાં બન્યું પોતીકું ઘર

ખટ મીઠાં સપનાં સહુનો સંગ
રીસામણા મનામણામાં હોળીનો રંગ

ખંભાતના છેવાડે મારું મનગમતું ઘર
હા, જ્ઞાનનું ઘર… પોતીકું ઘર

નમસ્તે પરિવારજનો,


એક સમય એવો હતો જયારે શાળામથી અહીં કોલેજમાં આવી ત્યારે મનના એક ખૂણામાં અજમ્પો-ડર હતો.
શું થશે? કોલેજમાં બધું જ નવું અને કલ્પનાથી અલગ.
પણ….. સમયે મને શાળાની જેમ જ કોલેજમાં પરિવારનો સભ્ય બનાવી દીધી.
આજે અમારું પાંખો આપનાર પોતીકું, પ્રેમાળ, વ્હાલું ઘર છોડી રહ્યા છે… ત્યારે અચૂક દુઃખ થાય.

સાચું કહું તો…ટૂંકાગળામાં અમે એક ઘરમાં, એક તાંતણે બંધાયા હોય તેમ આત્મીય બની ગયા.
આજે અમે જયારે કોલેજમાંથી વિદાઈ લઇ રહ્યા છે ત્યારે અનેક સ્મરણો લઈને જઈ રહ્યા છે. બહેનપણીઓ,અધ્યાપકો, અન્ય કર્મચારીઓ….. બધા સાથેની પ્રત્યક્ષ નાતો આજથી અપ્રત્યક્ષ બની જશે.
દુઃખ ઘણું છે પરંતુ સહજ છે. કાલની નવી સવાર માટે સાંજને છોડવી પડે. મને સાંજ પણ ગમે છે અને સવાર પણ…. પણ કોઈ એક સાથે કાર્યશીલ રહેવાનું છે.
કોલેજમાં જે જ્ઞાન અને આનંદ મળ્યો તેનો આનંદ છે. અધ્યાપકોએ અમને પૂરતો જ્ઞાનનો લાભ આપ્યો છે. અમારી મુશ્કેલીઓ સમજ્યા છે અને સરળતાથી વિષયને સમજાવતા જેથી ભણવામાં મઝા રહેતી.
મિત્રો સાથે ગોષ્ઠિ અને ગમ્મત કાયમ યાદ રહેશે.અહીં  દરેક અધ્યાપક યુનિક છે.દરેકની અલગ અલગ લક્ષણિકતાઓ…એ બધું યાદ રહેશે.
હું આને વિદાઈ ન ગણતા શુભેચ્છા સમારંભ કહીશ.
અમને સંસ્થાએ ઘણું આપ્યું આભાર માનીએ છે અને સંસ્થાની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવીએ છે.
સંસ્થાની શુભેચ્છાઓથી જ અમે વધુ ઉન્નત અને સફળ જીવન જીવી શકીયે…. બસ, આજના દિવસે અમે આપના આર્શીવાદ ઝંખીયે છે. આપ સહુના આશીર્વાદ, શુભેચ્છાઓ અને  માર્ગદર્શન સદૈવ મળતું રહે તેવી અભ્યર્થના.

-શૈલેષ રાઠોડ

અરવિંદ કેજરીવાલ


કેજરીવાલ, અરવિંદ (જ. 16 ઑગસ્ટ 1968, સિવાની, હરિયાણા) : દિલ્હીના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આવકવેરા વિભાગના પૂર્વજૉઇન્ટ કમિશનર, રેમન મેગ્સેસે ઍવૉર્ડ વિજેતા, સામાજિક કાર્યકર.

અરવિંદ કેજરીવાલના પિતા ઇલૅક્ટ્રિકલ એન્જિનિયર હતા. પિતાની નોકરીઓ બદલાતી હોવાથી અરવિંદ કેજરીવાલનો શાળાનો અભ્યાસ હિસાર, સોનિપત, ગાઝિયાબાદ જેવાં શહેરોમાં થયો હતો. 1985માં આઈઆઈટી-જેઈઈની પરીક્ષા પાસ કરીને તેમણે આઈઆઈટી કાનપુરમાં એડમિશન લીધું હતું. મિકૅનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે જમશેદપુરની ટાટા સ્ટીલમાં નોકરી શરૂ કરી હતી. સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા માટે 1992માં નોકરીમાંથી રાજીનામું આપી દીધું. 1995માં અરવિંદ કેજરીવાલ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે જોડાયા.

અરવિંદ કેજરીવાલ

હર્ષ મેસવાણીયા જણાવે છે કે,ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠકોમાં વિજય મેળવ્યો હતો. એ સાથે જ અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા અને બીજી સંપૂર્ણ ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા.

શિક્ષણ-સ્વાસ્થ્ય-પાણી-વીજળીના મુદ્દે તેમણે દિલ્હી મૉડલનો અન્ય રાજ્યોમાં પણ પ્રચાર કર્યો હતો. છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલૅન્ડ, ઓડિશા, રાજસ્થાન, તેલંગણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી ચૂક્યા છે, પણ ધારી સફળતા મળી ન હતી. ગોવાન વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો મળી હતી. અરવિંદ કેજરીવાલના દિલ્હી મૉડલને પંજાબમાં આવકાર મળ્યો છે. 2022માં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠકોમાં ઐતિહાસિક વિજય મળ્યો છે. દિલ્હી પછી પંજાબ બીજું એવું રાજ્ય છે, જ્યાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે.


કૅનેડામાં સ્થાયી થવા માટે ઉત્તમ ત્રણ શહેરો કયાં છે ?

હાલમાં કેનેડાનો ક્રેઝ વધ્યો છે.વાનકુવર, કૅલગરી અને ટોરોન્ટોને ‘ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ-2023’માં ટોચનાં 10 શહેરોમાં સ્થાન મળ્યું છે. આ શહેરોમાં એવું તે શું છે,જે અહીં રહેતા લોકોના જીવનને મધુર બનાવે છે?

યુરોપિયન અને સ્કેન્ડેનેવિયન સ્થળો વિશ્વનાં સૌથી આરોગ્યપ્રદ રાષ્ટ્રો અથવા નાનાં બાળકોના ઉછેર માટેના શ્રેષ્ઠ દેશો તરીકે વિશ્વના સૂચકાંકોમાં વારંવાર ટોચ પર જોવા મળે છે ત્યારે કૅનેડા તેમની સાથે સ્પર્ધા કરવા ચૂપચાપ આગળ વધી રહ્યું છે.

‘ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ’ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના રહેવા માટે સૌથી વધુ યોગ્ય શહેરોના સૂચકાંકમાં તે વધારે સ્પષ્ટ થયું છે. તેમાં કૅનેડાનાં ત્રણ શહેરોને વિશ્વના ટોચનાં 10 શહેરોમાં સ્થાન આપવામા આવ્યું છે.

આ યાદીમાં ટોચનાં ત્રણ શહેરોમાં વાનકુવર (પાંચમા ક્રમે), કૅલગરી (જિનીવા સાથે સાતમા ક્રમે) અને ટોરોન્ટો (નવમા ક્રમે)નો સમાવેશ થાય છે. આરોગ્યસંભાળ અને શિક્ષણની બાબતમાં આ શહેરોએ પરફેક્ટ ગુણાંક હાંસલ કર્યાં છે.

આ કારણો કૅનેડાના લોકોને આકર્ષિત કરે છે, જેઓ જીવનની ગુણવત્તામાં સુધારો કરતી સકારાત્મક સરકારી નીતિઓને વખાણે છે.

વાનકુવરમાં રહેતાં સામંથા ફોકે કહ્યું હતું, “અમારી પ્રગતિશીલ રાજનીતિ અને સાર્વભૌમિક સ્વાસ્થ્ય સેવા કૅનેડાને રહેવા માટે એક શાનદાર દેશ બનાવે છે. ડૉક્ટરની સલાહ લેવાનું કે બાળકને હૉસ્પિટલે લઈ જવાનું શક્ય ન હોય અથવા કૅન્સરને કારણે ખિસ્સાં ખાલી થઈ જાય તેવા દેશમાં રહેવાની કલ્પના પણ હું ન કરી શકું.”

સારસંભાળની આ ભાવના દેશમાં સર્વત્ર પ્રસરેલી છે. તેનાથી સમુદાયની ભાવના સર્જાય છે, જે ઘર તથા ઑફિસ બન્ને જગ્યાએ જીવવાની ક્ષમતા બહેતર બનાવે છે.

#shaileshrathod #શૈલેષરાઠોડ

વર્ષના મહત્વના દિવસો



જાન્યુઆરી
તારીખ દિવસો
9 પ્રવાસી ભારતીય દિવસ
10 વિશ્વ હાસ્ય દિવસ
11 લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
12 યુવા દિન, સ્વામી વિવેકાનંદ જયંતિ
15 સેવા દિન
23 સુભાષચંદ્ર બોઝ જયંતિ
25 રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
26 પ્રજાસત્તાક દિન, આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન.
28 લાલા લજપતરાય જન્મદિવસ
29 રાષ્ટ્રીય પ્રેસ દિવસ
30 શહીદ દિન, રક્તપિત નિવારણ દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ
ફેબ્રુઆરી
તારીખ દિવસો
1 તટરક્ષક દિવસ
12 સર્વોદય દિન, ઉત્પાદકતા દિવસ
14 વેલેન્ટાઈન દિન
18 રામકૃષ્ણ પરમહંસ જયંતિ
21 વિશ્વ માતૃભાષા દિવસ
22 કસ્તુરબા ગાંધી પુણ્યતિથિ
24 કેન્દ્રીય ઉત્પાદક શુક્લ દિવસ
28 રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
29 મોરારજીભાઈ દેસાઈ જન્મદિન
માર્ચ
તારીખ દિવસો
1 આર્મી પોસ્ટલ સર્વિસ દિન
2 વિશ્વ કીડની દિવસ, કોમનવેલ્થ દિવસ
3 રાષ્ટ્રીય સુરક્ષા દિન.
8 આંતરરાષ્ટ્રીય મહિલા દિન.
12 દાંડીકુચ દિન.
15 વિશ્વ ગ્રાહક દિન
19 વિશ્વ વિકલાંગ દિન.
21 વિશ્વ વન દિન.
22 વિશ્વ પાણી દિવસ.
23 વિશ્વ ઋતુ વિજ્ઞાન દિન, તથા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પુણ્યતિથિ.
24 વિશ્વ ક્ષય રોગ દિવસ, ભારતીય ડાક જીવન વીમા દિવસ
27 આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
28 રાષ્ટ્રીય નૌકા દિવસ
30 રાજસ્થાન દિવસ.
એપ્રિલ
તારીખ દિવસો
1 એપ્રિલ ફૂલ દિન, ઓરિસ્સા દિવસ, વાયુ સેના દિવસ
4 સાગર દિવસ
5 નેશનલ મેરી ટાઈમ ડે.
7 વિશ્વ આરોગ્ય દિવસ
10 વિશ્વ કેન્સર દિવસ
11 રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ (કસ્તુરબા ગાંધી જયંતિ)
12 વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ
13 જલિયાંવાલા બાગનો હત્યાકાંડ દિન
14 ડૉ. આંબેડકર જયંતિ, અગ્નિશમન દિન.
15 હિમાચલ દિવસ.
17 વિશ્વ હિમોફિલિયા દિવસ.
18 વિશ્વ વારસા દિન.
21 સિવિલ સર્વિસ દિવસ
22 પૃથ્વી દિવસ
23 વિશ્વ પુસ્તક દિવસ.
24 પંચાયત દિવસ.
26 ચેર્નોબિલ દિવસ.
30 બાળમજુરી વિરોધી દિવસ.
મે
તારીખ દિવસો
1 મજુર દિન, ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, વિશ્વ અસ્થમા દિવસ
3 પ્રેસ સ્વાતંત્ર્ય દિન, આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ.
5 આંતરરાષ્ટ્રીય સુર્ય દિવસ.
7 રવીન્દ્રનાથ ટાગોર જયંતિ
8 રેડક્રોસ દિવસ, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ.
9 ઇતિહાસ દિવસ, મધર્સ ડે, વિશ્વ થેલેસેમિયા દિવસ.
10 પ્રથમ સ્વાતંત્ર્ય દિન (1857)
11 રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ.
15 આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ.
16 રાષ્ટ્રીય ગૌરવ દિન.
17 વિશ્વ દુરસંચાર દિવસ.
18 વિશ્વ સંગ્રહાલય દિવસ.
21 સ્વ. રાજીવ ગાંધીની મૃત્યુ તિથિ (ત્રાસવાદ વિરોધી દિવસ)
24 કોમનવેલ્થ ડે.
27 જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ
31 તમાકુ વિરોધી દિવસ.
જુન
તારીખ દિવસો
1 ડૉક્ટર્સ ડે, આંતરરાષ્ટ્રીય બાળ દિવસ, વિશ્વ દૂધ દિવસ,
5 વિશ્વ પર્યાવરણ દિવસ.
10 વિશ્વ ભૂગર્ભ દિવસ.
12 વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ.
14 વિશ્વ રક્તદાતા દિવસ.
17 વિશ્વ રણવિસ્તાર અને રોકથામ દિવસ.
23 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ, વિશ્વ પ્રાર્થના દિવસ.
26 આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ.
27 વિશ્વ ડાયાબિટિશ દિવસ.
28 ફાધર્સ ડે.
જુલાઈ
તારીખ દિવસો
1 ડૉક્ટર્સ ડે
4 અમેરિકાનો સ્વતંત્રતા દિવસ, સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ.
11 વિશ્વ વસ્તી દિવસ.
19 બેન્ક રાષ્ટ્રીયકરણ દિન.
22 રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ.
23 લોકમાન્ય તિલક જન્મદિન.
25 પેરેન્ટ્સ ડે.
26 કારગીલ વિજય દિવસ.
31 પ્રેમચંદનો જન્મદિવસ.
ઓગસ્ટ
તારીખ દિવસો
1 લોકમાન્ય તિલકની પુણ્યતિથિ, વિશ્વ સ્તનપાન દિવસ.
3 હૃદય પ્રત્યારોપણ દિવસ.
4 આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ.
6 હિરોશીમા દિવસ, વિશ્વ શાંતિ દિવસ.
7 રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
8 વર્લ્ડ સિનિયર સિટિઝન દિવસ.
9 નાગાસાકી દિવસ, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, ભારત છોડો આંદોલન દિવસ (ઓગસ્ટ ક્રાંતિ દિવસ)
11 મચ્છુ દુર્ઘટના દિવસ.
12 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ.
14 પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ.
15 ભારતનો સ્વતંત્રતા દિવસ, મહર્ષિ અરવિંદ જયંતિ.
16 પોંડીચેરીનો ભારતમાં વિલય દિવસ.
19 અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ.
20 રાજીવ ગાંધીનો જન્મ દિવસ (સદભાવના દિવસ)
21 મધર ટેરેસા જન્મદિવસ.
26 યુથ હોસ્ટેલ દિવસ.
29 રાષ્ટ્રીય રમત દિવસ. (મેજર ઘ્યાનચંદનો જન્મદિવસ)
30 લઘુ ઉદ્યોગ દિવસ.
સપ્ટેમ્બર
તારીખ દિવસો
1 IOC સ્થાપના દિવસ, NAM દિવસ.
5 શિક્ષક દિવસ, સંસ્કૃત દિવસ.
8 વિશ્વ સાક્ષરતા દિવસ.
10 વિનોબા ભાવે જયંતિ
11 દેશભક્તિ દિવસ
14 હિન્દી દિવસ, અંધજન દિવસ.
15 ઈજનેર દિવસ
16 રાષ્ટ્રીય ઓઝોન દિવસ
21 સ્વાગત દિવસ
22 રોઝ ડે
24 આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વિશ્વ શાંતિ અને અહિંસા દિવસ.
25 સામાજિક ન્યાય દિવસ, વિશ્વ નૌકા દિન.
27 વિશ્વ પ્રવાસ દિવસ.
28 વિશ્વ હૃદય દિવસ.
ઓક્ટોમ્બર
તારીખ દિવસો
1 રક્તદાન દિવસ, વૃદ્ધ દિવસ.
2 મહાત્મા ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ.
3 વિશ્વ પશુ દિવસ.
4 રાષ્ટ્રીય પ્રાણી કલ્યાણ દિવસ.
5 વિશ્વ શિક્ષક દિવસ.
6 વિશ્વ આવાસ દિવસ.
8 જયપ્રકાશ નારાયણ પુણ્યતિથિ, ભારતીય વાયુસેના દિવસ.
9 વિશ્વ ટપાલ દિવસ.
10 રાષ્ટ્રીય ટપાલ દિન, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ.
11 વિશ્વ દ્રષ્ટી દિવસ, લોકનાયક જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ.
14 વિશ્વ માનવ દિવસ.
16 વિશ્વ ખાદ્ય દિવસ.
20 રાષ્ટ્રીય એકતા દિવસ.
21 પોલીસ સ્મૃતિ દિવસ
24 સંયુક્ત રાષ્ટ્ર દિવસ, ભારત-તિબેટ પોલીસ સ્થાપના દિવસ.
30 વિશ્વ બચત દિવસ.
31 સરદાર પટેલ જયંતિ, શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ, સંકલ્પ દિવસ.
નવેમ્બર
તારીખ દિવસો
1 આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાનો સ્થાપના દિવસ.
4 યુનેસ્કો દિવસ.
7 બાળ સુરક્ષા દિવસ, રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિવસ.
9 ઉત્તરાંચલનો સ્થાપના દિવસ, રાષ્ટ્રીય કાયદાકીય સેવા દિવસ.
11 ફોરેન સ્ટુડન્ટ ડે, મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ.
12 રાષ્ટ્રીય પક્ષી દિવસ, સલીમ અલીનો જન્મદિવસ.
14 બાળ દિવસ (ચાચા નહેરુનો જન્મદિવસ)
16 રાષ્ટ્રીય પત્રકારિતા દિન
18 પ્રાદેશિક સેના દિવસ
19 નાગરિક દિવસ, લક્ષ્મીબાઈનો જન્મદિવસ, ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ.
20 ઝંડા દિવસ, બાળ અધિકાર દિન.
21 વર્લ્ડ હેલો ડે.
23 રાષ્ટ્રીય ક્રેડેટ દિવસ
25 વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ.
26 કાયદા દિવસ.
ડિસેમ્બર
તારીખ દિવસો
1 વિશ્વ એઇડ્સ દિન, સીમા સુરક્ષા દળ (BSF) સ્થાપના દિવસ, સમાજ શિક્ષણ દિન.
2 પ્રદુષણ નિવારણ દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ.
3 આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટનાની વર્ષગાંઠ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જન્મજ્યંતિ.
4 નૌસેના દિવસ (નૌકાદળ દિન)
5 શ્રી અરવિંદ સમાધિ દિન.
6 ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ, નાગરિક સુરક્ષા દિન.
7 સશસ્ત્ર સેના ઝંડા દિવસ, પર્લહાર્બર પર હુમલાની વર્ષગાંઠ
8 મંદ બુદ્ધિ બાળક દિવસ.
10 માનવ અધિકાર દિવસ.
11 યુનિસેફ દિવસ.
14 રાષ્ટ્રીય ઊર્જા સંવર્ધન દિવસ.
15 સરદાર પટેલ પુણ્યતિથિ.
16 બાંગ્લાદેશ મુક્તિ દિવસ.
18 લઘુમતી અધિકાર દિવસ.
19 ગોવા મુક્તિ દિવસ.
23 ખેડૂત દિવસ (ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ)
25 નાતાલ (ક્રિસમસ )ઈસુભગવાનનો  જન્મદિવસ
28 કોંગ્રેસ સ્થાપના દિવસ.

કર્મશીલ સર્જક અનિલ વાઘેલા લિખિત”જબ ચીડિયા ચુગ ગઈ ખેત”નાટ્યસંગ્રહનું નડિયાદ ખાતે વિમોચન કરાયું.




સાહિત્ય ક્ષેત્રે 20 જેટલાં પુસ્તકોનું સર્જન કરનાર કર્મશીલ સર્જક અનિલ વાઘેલા લિખિત પુસ્તક “જબ ચીડિયા ચુગ ગઈ ખેત”નાટ્યસંગ્રહનું નડિયાદ મિશન રોડ ખાતે વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે સર્જક અનિલ રોંઝાએ સર્જક પરિચય અને પુસ્તક માહિતી આપતાં જણાવ્યું હતું કે, અનિલ વાઘેલા માત્ર લેખક જ નહીં કર્મશીલ સેવાકર્મી છે.તેઓના સર્જનમાં પીડિતોની વેદના, ગ્રામ્યજીવના ઉતાર ચડાવ વચ્ચે પાંગરતું જીવન,દલિત સંઘર્ષ અને ઉત્થાન, માનવમૂલ્યો અને આદર્શ સમાજ વ્યવસ્થા ડોકાય છે.તેમણે નવલકથા,નવલિકા સંગ્રહ,નિબંધ, ચિંતન, નાટ્યસંગ્રહ સહિતના પ્રકારોનાં પુસ્તકો લખ્યા છે.

ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના સૂત્રધાર હરીશ મંગલમે સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે,અનિલ વાઘેલા જેવા નમ્ર સર્જકની સમાજને જરૂર છે. તેમના સાહિત્યમાં દંભ નહીં પણ સચ્ચાઈ છે.તેમનાં જ્ઞાતિજંતુ પુસ્તકને રાજ્યનો શ્રેષ્ઠ ગીરાગુર્જરી એવોર્ડ એનાયત થયો છે. તેમને દલિત સાહિત્ય અકાદમી તરફથી સમાજભિમુખ સાહિત્ય સર્જન બદલ સમ્યક સાહિત્ય રત્નચંદ્રક,જ્ઞાતિજતું નવલકથાને ભારતનો શ્રેષ્ઠ ગીરાગુર્જરી એવોર્ડ સહિતના 8 જેટલાં પ્રતિષ્ઠિત એવોર્ડ-સન્માન એનાયત થયેલ છે.

આ પ્રસંગે વિમોચક ફાધર પરેશે સર્જક અનિલ વાઘેલાને પ્રથમ ઉત્તમ પરિવારસર્જક,આદર્શ લેખક અને સમાજ ઉત્થાનમાં યોગદાન આપનાર કર્મશીલ ગણાવ્યા હતા.સભાપુરોહિત ટોની,ફાધર પરેશ અને સ્થાનિક વડીલીઓએ”જબ ચીડિયા ચુગ ગઈ ખેતનું વિમોચન કરી સમાજ સમક્ષ મૂકી હતી તેમની ઉત્તમ સાહિત્ય યાત્રાને બિરદાવી હતી સન્માન કર્યું હતું.


સભાપુરોહિત ફાધર ટોનીએ જણાવ્યું હતું કે, લેખકો અને વક્તાઓ માત્ર લખે અને બોલે તેનાં કરતાં પહેલાં જીવન જીવે અને પછી લોકો સમક્ષ આવે તે જરૂરી છે.અનિલભાઈ વાઘેલા જે જીવન જીવ્યા તે લખ્યું છે. તેમણે માત્ર વાર્તાઓ નથી લખી પણ સચ્ચાઈ પ્રગટ કરી છે. લેખ લખવા સહેલા છેભાષણ આપવું સહેલું છે પણ તે પ્રમાણે જીવી સમાજ સમક્ષ પ્રગટ કરવું અઘરું છે.આવા લેખક મેં ક્યાંય જોયા નથી. તેમણે સસ્તી પ્રસિધ્ધિમાં નહીં કર્મમા રસ છે.

ગુરુનું સ્થાન



ગુરુ-શિષ્ય પરંપરા એ ભારતીય અધ્યાત્મની કરોડરજ્જુ છે.પ્રસિદ્ધ  બ્રિટિશ લેખક શ્રી પીટર બ્રેન્ટે ‘skeleton of Hinduism’ તરીકે આ ગુરુ-શિષ્ય પરંપરાનું અનોખું મહત્ત્વ આંક્યું છે. કરોડરજ્જુ કે અસ્થિ-પાંજર વિના શરીર કેવી રીતે સ્થિર અને સાબૂત રહી શકે?



બોર્ડ ઉપર કક્કો લખેલો હોય અને બાળકો બે નેત્રથી જુએ છતાં બાળકની કક્ષાએ પહોંચી કહેનાર-સમજાવનાર  ગુરુ ન હોય તો અક્ષરજ્ઞાન થાય નહીં અને રસપુર્વક સમજાય પણ નહીં.

તમે પીરસેલું જ્ઞાન ત્યારે જ સામે વાળી સાંભળનાર વ્યક્તિમાં સફળતાથી ઉતરે જયારે સાંભળનાર શિષ્યભાવે જ્ઞાન ગ્રહણ કરે. જોકે સામે પક્ષે જ્ઞાન પીરસનાર પણ જો જ્ઞાન મેળવનારની કક્ષાએ પહોંચી જ્ઞાન પીરસે તો અસરકારક રીતે સિંચન થાય.

એક રાજાને વાંચવા-લખવાનો બહુ શોખ હતો. એક વખત તેણે મંત્રીપરિષદના માધ્યમથી પોતાના માટે એક શિક્ષકની વ્યવસ્થા કરી. શિક્ષક રાજાનેભણાવવા આવવા લાગ્યા. ગુરુ તો રોજ ખૂબ મહેનત કરતા હતા, પરંતુરાજાને એ શિક્ષાનો કોઈ લાભ નહોતો થતો.

રાજા બહુ પરેશાન હતા. ગુરુની પ્રતિભા અને યોગ્યતા પર સવાલ ઉઠાવવાપણ ખોટું હતું, કારણ કે તેઓ બહુ જ પ્રસિદ્ધ અને યોગ્ય ગુરુ હતા. આખરેએક દિવસે રાણીએ રાજાને સલાહ આપી કે રાજન તમે આ સવાલનો જવાબગુરુજીને જ પૂછી જુઓ.રાજાએ એક દિવસે હિંમત કરીને ગુરુજી સામે પોતાની જિજ્ઞાસા રજૂકરી, ‘હે ગુરુવર, ક્ષમા કરો, હું કેટલાય મહિનાથી તમારી પાસે શિક્ષણગ્રહણ કરું છું, પરંતુ મને તેનો કોઈ લાભ નથી થઈ રહ્યો. એવું કેમ છે?’ગુરુજીએ બહુ શાંત સ્વરે જવાબ આપ્યો, ‘રાજન, તેનું કારણ બહુ સીધુંછે. વાત બહુ નાની છે પરંતુ તમે તમારા મોટા હોવાના અહંકારને કારણે તેનેસમજી નથી શકતા અને પરેશાન થાવ છો. માન્યું કે તમે એક બહુ મોટા રાજાછો. તમે દરેક દૃષ્ટિએ મારા કરતાં પદ-પ્રતિષ્ઠામાં મોટા છો, પરંતુ અહીંતમારો અને મારો સંબંધ એક ગુરુ અને શિષ્યનો છે. ગુરુ હોવાના નાતે મારુંસ્થાન તમારા કરતાં ઉચ્ચ હોવું જોઇએ, પરંતુ તમે ખુદ ઊંચા સિંહાસન પરબેસો છો અને મને નીચા આસન પર બેસાડો છો. બસ, આ જ એક કારણ છેજેનાથી ના તમને કોઈ શિક્ષા પ્રાપ્ત થઈ રહી છે કે ના કોઈ જ્ઞાન મળી રહ્યું છે.તમે રાજા હોવાને કારણે જ હું તમને આ વાત નહોતો કહી શકતો.’રાજાએ તરત જ રાજા હોવાનો અહંકાર છોડી દીધો અને બીજા દિવસથીતેમણે ગુરુને ઊંચા આસને બેસાડ્યા અને પોતે નીચે બેસીને શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા.
ગુરુ ધીરજપૂર્વક જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી શકે.સાચા ગુરુ ભલભલાના  જ્ઞાનનું નેત્ર ખોલી આપે છે.જોકે આંખો પણ હોય, સૂર્યપ્રકાશ પણ હોય છતાં નેત્રની જ્યોતિ ન હોય તો કંઈ દેખાતું નથી.




શિક્ષણવિદ શૈલેષ રાઠોડ

તહેવાર કે લગ્નમાં દારૂખાનું ફોડવાનું બંધ કરીએ તો…?


દિવ્ય વિચાર :

શું ફટાકડા એ લગ્ન કે તહેવારોની વધામણીનું સુરીલું ગીત છે. શું ફટાકડાના કાનફાડી નાંખે તેવા અવાજથી ઉંમરને ઉંબરે ઉભેલ બીમારીથી પીડાતો વૃદ્ધ,ઘોડિયામાંથી નવી દુનિયાને જોવા થનગનતો બાળક, દુઃખમાં ગરકાવ પરિવાર ધન્યતા અનુભવી નાંચી ઉઠે છે.

ફટાકડા વગર હું ખુશ છું.

આજે જન્મદિવસ હોય કે તહેવાર પ્રસંગ તે યુવાનો માટે ઘોંઘાટની હરીફાઈ અને આંખ બાળે તેવા ભડકાની હરીફાઈ !આનંદની ક્ષણોમાં ફટાકડા ફોડવાની પરંપરા આમ તો જુની છે પરંતુ કેમિકલ્સના વધતા જતા પ્રયોગો પછી જોખમ વધતા જાય છે.પ્રસંગ અને તહેવારો ચોક્કસ આનંદ અને પ્રેમ લઈને આવે છે.પણ, કેટલાક તહેવારો દર્દ અને વેદના પણ લાવે છે.

દારૂગોળા અને ફટાકડાની શોધનો જશ આમ તો ચીનને ફાળે જાય છે પરંતુ ઇસ 1270માં સિરીયાના રસાયણશાસ્ત્રી હસન અલ રમ્માહના પુસ્તકમાં પ્રથમ વાર ઉલ્લેખ થયો હતો.જેમાં બારૂદને ગરમ પાણીમાં શુદ્ધ કરીને વધુ વિસ્ફોટ બનાવવાની વાત કહી હતી.

તહેવારોમાં દારૂખાનું અનેક સ્થળોએ માતમનું કારણ બન્યું છે.ઉત્તરાયણ પક્ષીઓ જ નહીં મનુષ્ય માટે ઘાતક અને એમાંય દારૂખાનું ઉમેરાયું.અસ્થામાના દર્દીઓ દિવાળી આવતા જ મોતની ભીંસ અનુભવે છે.

ઉજવણીનો ઉત્સાહ આજે દેખાડો કરવામાં ફેરવાય ગયો છે જેનો ભોગ જાણે અજાણે અનેક લોકો બની રહ્યા છે.ફાટકડાના ખર્ચનો અડધો હિસ્સો ગરીબ -જરૂરિયાતમંદ પાછળ ખર્ચીએ તો આપણા મનમાં પ્રકાશ પથરાશે.પ્રયોગ કરી જોજો!

નાના બાળકોમાં જાણીતી સાપની ટીકડીમાંથી નિકળતો ધૂમાડો 462 સિગારેટ પીવા બરાબર થાય છે.તેની આસપાસ 2580 આંક જેટલું પ્રદૂષણ ફેલાય છે. દારૂખાનાના કારણે નિકળતો ધૂમાડો,ધ્વની માત્ર મનુષ્ય જ નહીં પણ પ્રકૃતિ,જીવ જંતુ અને માલ મિલકતને પણ અસર કરે છે.

ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ મુજબ એક તારામંડળ સળગાવવાથી થતું નુકસાન 74 સિગારેટ પીવા બરાબર છે. જયારે હજાર ટેટા ધરાવતી એક લૂમ ફોડવાથી 464 સિગારેટ ફૂંકવા જેટલું વાયુ પ્રદૂષણ ફેલાય છે. દર વર્ષે ફટાકડાની ફેકટરીમાં કામ કરતા 20 થી 25 લોકોના અક્સ્માતથી મોત થાય છે.

જાણીતા પલ્મોલોજીસ્ટ ડૉ. રાહુલ પ્રજાપતિ જણાવે છે કે,નાઇટ્રોજન ડાયોકસાઇડ,સલ્ફર ડાયોકસાઇડ અને કાર્બન ડાયોકસાઇડ જેવા હાનીકારક પ્રદૂષકોથી દમ અને બ્રોન્કાઇટિંસ જેવી શ્વાસ સંબંધી બીમારી થાય છે.તેમાં તાંબા, કેડેનિયમ, સીસા, મેગ્નેશિયમ,જસત અને સોડિયમ જેવા ઘટકોના કારણે ફટાકડા ફોડવાથી ઝેરી વાયુઓ હવામાં ઉમેરાય છે.તહેવારો સમયે અસ્થમાના દર્દીઓની સ્થિતિ કફોડી બને છે.આ સમયે દર્દીઓની સંખ્યામાં નોંધાપત્ર વધારો થાય છે.

વિદેશમાં તહેવારોમાં દારૂખાનાની જગ્યાએ આકાશમાં લેસર લાઈટ વપરાય છે.શાંત તેજ સાથે મનભાવન પ્રસન્નતા.

ઉજવણીમાં શોભા-સંયમ હોવો જોઈએ. દારૂખાનું અને ઘોંઘાટ કરતું ડી.જે સુંદરતા શોભા હણી લે છે.દિવસમાં અવાજના પ્રદૂષણનું માપ 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ હોય તે જરૂરી છે.માણસો તથા પ્રાણી 70 ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે.એક નાની લવિંગ્યા ટેટાની લૂમનું પ્રદૂષણ 34 સિગારેટ પીવા જેટલું થાય છે.

પ્રસંગમાં દારૂખાનું ફોડતા અકસ્માતની ઘટનાઓની નવાઈ નથી.ઘરમાં શ્વાસની બીમારીથી પીડાતા સ્નેહી હોય તો દારૂખાનાની ગંભીરતા સમજાય!રોડ ઉપર,ચર્ચ બહાર દારૂખાનાની લપેટમાં CNG કાર ચાલકનો પરિવાર આવ્યો તેમાં તેમનો શું વાંક?

વૃદ્ધ, બીમારને બેદરકાર બની આપણે કેમ વેદના આપીએ છે? આપણો ધર્મ પ્રેમ, શાંતિ અને ક્ષમાનો ધર્મ છે. વિદેશમાં દારૂખાનાનું સ્થાન ફૂલો અને લેસર લાઈટે લીધું છે.થોડી સમજદારીથી આપણે તહેવારોને પ્રેમાળ ઉત્સવ કેમ ન બનાવીએ!

અન્ય ધર્મના તહેવારોને આડંબર ગણીયે છીએ ત્યારે આપણે આપણા પ્રસંગ કે ઉજવણીમાં દારૂખાનાને તિલાંજલિ આપી સાચો સંદેશ ન આપી શકીયે? હજારોનો ખર્ચ કોઈ જરૂરિયાતમંદને ઉજવણીની ખુશીમાં ભેટ આપવા માટે વાપરીએ તો?

ચાલો,દારૂખાનું બંધ કરી અન્યના જીવનમાં ખુશી પ્રગટાવીએ.
-શૈલેષ રાઠોડ

હાસ્ય જોક્સ


પતિ સવાર પડી,જલ્દી ઉઠો, હું ભાખરી કરું છું.

પતિ- હું ક્યાં તાવડી ઉપરસૂતો છુંતું ભાખરી કરને…



————
ટીચર વિધ્યાર્થીને પક્ષીના પગ જોઈનેપક્ષીને ઓળખવાનું કહ્યું“કયું પક્ષી છે બોલ?”વિધ્યાર્થી: નથી ખબર,ટીચર: તું નાપાસ, તારું નામ બોલ,વિધ્યાર્થી: પગ જોઈને લખી લો…



———
ભુરો મંદિરે ગયો.ભુરો : હે ભગવાન, મને ફટાફટ સરકારીનોકરી અપાવી દો!

ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજનકંઈ લાવ્યો નથી.ખાલી હાથે જ આવ્યો છે?

સંતા : ભગવાન, તમતમારે કર્મ કરો,ફળની ચિંતા છોડો
———-
પત્નીને તાવ આવ્યો હતોએટલે પતિ ડોક્ટર બોલાવી લાવ્યો,

તાવ માપવા ડોક્ટરે થરમોમીટર મોમાં મૂક્યું અનેમો થોડિક વાર બંધ રાખવા કહ્યુ,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેલી જોઇએટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇડોક્ટરને હળવેકથી પુછ્યુ,“આ ડાંડલી કેટલાની આવે ?


——–
છગનની છત્રીમાં કાણું હતું,છગનના છોકરાએ પૂછ્યું,

પપ્પા, છત્રીમાં કાણું કેમ છે?છગન- અરે ગધેડા,વરસાદ બંધ થઈ જાયતો ખબર કેવી રીતે પડશે?


————
પોલીસ- યુ આર અંડર અરેસ્ટ,ચાર હાથ ઉંચા કર….કમો- સાહેબ, પહેલા પ્રોમિશ કરો,ગલી ગલી નહીં કરો…..


———
પતિ- આલું પરોઠામાં ક્યાંયઆલું તો છે નહીં….

પત્ની- ચુપચાપ ખાઈ લો….કાશ્મીરી પુલાવમાં ક્યાંય કાશ્મીરદેખાય છે?


———-
પતિ સવાર પડી,જલ્દી ઉઠો, હું ભાખરી કરું છું.

પતિ- હું ક્યાં તાવડી ઉપરસૂતો છુંતું ભાખરી કરને…

ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત હાડગુડ પ્રાથમિક શાળમાં “ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ”સેમિનાર યોજાયો



PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ‘ઉજાશ ભણી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન વિષય ઉપર તા.14/02/24 ના રોજ તજજ્ઞ શિક્ષણવિદ શૈલેષ રાઠોડે ઈન્ટરનેટની શોધ થી લઈ ભારત અને ગુજરાતમાં પ્રસાર તેમજ તેના ફાયદા, ગેરફાયદા અને સ્કેમની વિસ્તૃત માહિતી આપી હતી.
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તરુણ અને તરુણીઓ માટે જ ૧૧ જેટલા જરુરી તાલીમ વિષયો આયુષ્યમાન ભારતના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેને ‘ ઉજાશ ભણી’ નામ આપવામાં આવેલ છે.જે અંતર્ગત PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ‘ઉજાશ ભણી’ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શૈલેષ રાઠોડnu શાળાના મુખ્ય શિક્ષક શ્રી હિરેનભાઈ મેકવાને ઉજાશ ભણી કાર્યક્રમનું મહત્વ સમજાવીને તજજ્ઞનું ફૂલ અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે શૈલેષ રાઠોડે ઇન્ટરનેટની તમામ માહિતી સાથે સોસીયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના સારા નરસા પાસાની સમજૂતી આપી હતી. બાળકો સાથે સંવાદ કરી તેમની સોશિયલ મીડિયામાં સક્રિયતા ચકાસી સાચો માર્ગ ચિંધ્યો હતો અને તેમને ઉદાહરણો દ્વારા ગંભીરતા સમજાવી હતી. સાથે સદુપયોગ અંગે સમજૂતી આપી હતી.
શાળાના આચાર્ય હિરેન મેકવાને તજજ્ઞનો આભાર માની બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યથાર્થ ઉપયોગની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મહાનુભવનો પરિચય શ્રી જયોતિકાબેન મહીડા આપ્યો હતો. વિદ્યાર્થીઓને વિવિધ મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરીને શૈલેષ રાઠોડે માર્ગદર્શન આપ્યું હતું.

#ઉજાસભણી #શૈલેષરાઠોડ

Shailesh Rathod પ્રવચન

સ્ટડી ટેક્નિક્સ અને વૈજ્ઞાનિક ટિપ્સ


સ્ટડી ટેક્નિક્સ અને વૈજ્ઞાનિક ટિપ્સ સાથે સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ નડિયાદ ખાતે દીક્ષાંત સમારંભ યોજાયો

સેમિનાર

નડિયાદની અગ્રેસર શાળા સેન્ટ મેરીઝ ખાતે ધો.10 બોર્ડના વિધાર્થીઓ મહિનાપૂર્વે બોર્ડ પરીક્ષા માટે આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાંચન કરી ઉત્તમ પરિણામ મેળવી શકે તેવા હેતુસર તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ દીક્ષાંત સમારંભ યોજાઈ ગયો.આ પ્રસંગે મુખ્યમહેમાન પદે શિક્ષણવિદ શૈલેષ રાઠોડ અને ડૉ. પ્રીતિ રાઠોડ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે મેનેજર ફાધર આમ્બ્રોસ ડાભી, આચાર્ય ફાધર વિન્સેન્ટ પોલ, ફાધર માર્ટિન ઉપસ્થિત રહ્યા હતા.

Shailesh Rathod

ડૉ. પ્રીતિ રાઠોડે એકગ્રતા, નિયમિતતા અને ધૈર્ય રાખી બોર્ડ પૂર્વે દરેક વિષયને ન્યાય આપવા અને સમજદારીપૂર્વક વાંચન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
શૈલેષ રાઠોડે છેલ્લા એક મહિનાનું પ્લાનિંગ અને ટાઈમટેબલની વિષદ માહિતી આપી હતી.ઉપરાંત વાંચનની પદ્ધતિ,યાદ રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અને બોર્ડ પરીક્ષાપૂર્વેની ટિપ્સ આપી હતી.

શાળાની વિધાર્થીનીઓએ પ્રાર્થનાનૃત્ય અને ગરબો રજૂ કર્યો હતો.ડૉ.કલ્પેશ મેકવાને વિધાર્થીઓને પરીક્ષાલક્ષી રચનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિધાર્થીઓ તરફથી ધો.9 ની વિધાર્થીની યશ્વી અને ધો.10 ની વિધાર્થીની જેનાલીએ શુભેચ્છાઓ સાથે અનુભવો અને સ્મરણો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે મેનેજર ફાધર આમ્બ્રોસ ડાભી અને આચાર્ય ફાધર વિન્સેન્ટ પોલે આશીર્વાદ આપી ઉત્તમ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક ડૉ.કલ્પેશ મેકવાને કર્યું હતું.

Dr.Priti rathod

મેં હું આપકા દોસ્ત અમીન સયાની…’,વધુ એકઅવાજના જાદૂગરે દુનિયામાંથી લીધી વિદાય..!


-શૈલેષ રાઠોડ

અમીન સયાનીના નિધનથી તેમના પુત્ર રઝીલ સયાનીને ઘેરોશોક લાગ્યો છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાંતેમણે તેમના પિતા અમીન સયાનીના મૃત્યુની માહિતી આપીહતી. તેમણે જણાવ્યું કે, અમીન સાયનીને પાછલા દિવસે હાર્ટએટેક આવ્યો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક HNરિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુરસ્તામાં જ અમીન સયાનીનું મોત થયું હતું.

અમીન સયાની તેમના શો ગીતમાલા માટે જાણીતા હતાઅમીન સયાનીએ 1951 થી અત્યાર સુધીમાં 54,000 થીવધુ રેડિયો પ્રોગ્રામ્સ અને 19,000 સ્પોટ/જિંગલ્સનું નિર્માણ,સંકલન (અથવા બોલવામાં) કર્યું છે. સયાની ભૂત બંગલા,ટીન દેવિયન, બોક્સર અને કાતલ જેવી વિવિધ ફિલ્મોનોપણ એક ભાગ હતો. આ બધી ફિલ્મોમાં તે કેટલીકઈવેન્ટ્સમાં એનાઉન્સરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયોને લોકપ્રિય બનાવવામાં મદદકરનાર અમીન સયાની માટે સોશિયલ મીડિયા પરશ્રદ્ધાંજલિઓ વરસી રહી છે. “બિનાકા ગીતમાલા હંમેશાશાશ્વત રહેશે. સંગીત અને યાદો માટે આભાર. RIP, આમીનસયાની સાબ,” એક ચાહકએ ટ્વિટ કર્યું. બીજાએ લખ્યું,”મારાબાળપણમાં બિનાચા ગીતમાલાની ખૂબ જ ગમતી યાદો છે…અમીન સયાની તે સમયે દંતકથા હતા… Rest in peacesir.”

વાલીમિટિંગ!તમારા બાળકના શિક્ષણમાં સહભાગી બનોશિક્ષણપ્રણાલીઓ અને વ્યવહારોવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો





વાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો

-શૈલેષ રાઠોડ

જો તમે ઈચ્છતાં હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે.

આજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૃપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તે પિતા જાણતા નહિ. અને માતા પર પણ ક્યારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા મળતું નહિ.

પરંતુ આજે તો પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. મા-બાપ બાળકના ભણતરની બાબતે સતત ચિંતીત રહે છે અને તે માટે જાતજાતના પ્રયાસો કરતાં જોવા મળે છે.

આજની શિક્ષણ વ્યવસૃથા પણ બદલાઈ ચૂકી છે. એટલે સંતાનની ઉજ્જવળ કારકિર્દીનું ધ્યેય ધરાવતાં પ્રત્યેક વાલી બાળકોના ભણતરમાં રસ લે છે. તે જ પ્રમાણે એક કે બે સંતાનો હોવાથી માતા-પિતા તેમને પૂરતો સમય પણ ફાળવી શકે છે.

જો તમે ઈચ્છતાં હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે. શાળાના સંચાલકો પણ આ પ્રકારના એક્ટીવ પેરેન્ટ્સને આવકારે છે.

આથી વાલીઓએ શાળાના સમય દરમિયાન બાળક શું કરે છે તેની માહિતી સંતાનોને હળવાશથી પ્રશ્નો પૂછીને મેળવવી જોઈએ. સંતાનોના અભ્યાસક્રમ તથા શાળામાં ચાલતી ઈતર પ્રવૃત્તિ વિશે મા-બાપે પણ માહિતી રાખવી જોઈએ. બાળકના ભણતરમાં રસ ધરાવતાં વાલીઓ સાથે શિક્ષકો પણ આત્મીયતાથી વાત કરે છે તેઓ જાણે છે કે બાળકોની સંભાળ રાખતાં અને તેમની પ્રત્યેક બાબત પ્રત્યે જાગૃત રહેતા વાલીઓ જ તેના ભણતર પ્રત્યે ગંભીર વલણ ધરાવે છે.

હવે ઘણી શાળાઓમાં વાલી અને શિક્ષકો મળી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે. આ સમયે મા-બાપ પોતાના બાળકોની શાળાકીય પ્રવૃતિ બાબતે જાણી શકે છે અને તે સંબંધિત કોઈ સમસ્યા હોય તો શિક્ષક સાથે છૂટથી ચર્ચા પણ કરી શકે છે.

સંતાનના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યા નજરે ચડે તો તરત જ તેના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. ક્યારેક ઘરના વાતાવરણ કે સંજોગોની પણ બાળમાનસ પર વિપરીત અસર પડતી હોય છે એટલે જો એવી કોઈ તકલીફ હોય તો તે બદ્લ પણ શિક્ષક સાથે છૂટથી વાતચીત કરવી.

જેમ કે – સંયુક્ત કુટુંબ હોય કે નોેકરિયાત માતા હોય, ઘરમાં બીજા સંતાનના જન્મને કારણે બાળક ઓછપ અનુભવતું હોય કે મા-બાપ તેને પૂરતો સમય ફાળવી ન શકતા હોય વગેરે.

ઘણી વખત એવું બને કે માતા-પિતા વચ્ચે ખટરાગ હોય ત્યારે તેની અવળી અસર બાળકોના મન પર પડે છે. તે જ પ્રમાણે ઘરમાં તેનાથી નાના ભાઈ કે બહેનના જન્મ બાદ તેના પ્રત્યે સહુનું ધ્યાન ઓછું થઈ જતાં પણ તે આંતરિક રીતે મુંઝાયેલું રહે છે એટલે આવી કોઈ તકલીફ હોય તો તે અંગે શાળાના શિક્ષક સાથે છૂટથી વાત કરો જેથી શિક્ષક શાળાના સમય દરમિયાન તેના પર વધારે ધ્યાન આપે.

તે જ પ્રમાણે અચાનક જ બાળક ભણવામાં નબળું થતું જાય તો પણ તાત્કાલિક તેના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. જેથી શાળામાં કોઈ તકલીફ હોય તો તેનું નિવારણ થઈ શકે.

જો બાળક શિક્ષકનો સંદેશ તમને ન પહોંચાડતું હોય તો શિક્ષકને કહો કે કેલેન્ડરમાં આૃથવા પેન્સિલ બોક્સમાં નોટ લખીને મોકલે. શિક્ષકને મળવા સમયસર પહોંચવું જોઈએ. તથા જે પણ વાતચીત કરવાની હોય તે મુદ્દા લખીને જવા. જેથી ભૂલી ન જવાય.

બાળકે કોઈ તોફાન-મસ્તી કર્યા હોય અને ફરિયાદ સાથે શાળામાં મળવા બોલાવ્યા હોય તો પણ આત્મવિશ્વાસપૂર્વક જવું જોઈએ. કારણ કે આ પ્રકારે મળવા જવાથી પણ બાળકમાં રહેલી કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ મળી શકે છે. ઘણી વખત એવું બને છે કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી શિક્ષક બધાને સંભાળી ન શકતા હોવાથી પણ ફરિયાદ કરે છે. એટલે શિક્ષકની ફરિયાદનું મૂળ કારણ જાણ્યા વગર બાળક પર ગુસ્સો કરવો નહિ. પહેલાં સાચી હકીકત જાણવી જોઈએ.

શાળાની પીટીએ મિટિંગમાં હાજરી આપવી જોઈએ જેથી શિક્ષકો સાથે મુક્તમને ચર્ચા કરી શકાય. બાળકોની નોટબુકોને રોજેરોજ તપાસવી જેથી શિક્ષકે કોઈ ચિઠ્ઠી મોકલી હોય તો તેની જાણ થઈ જાય. અને આ દ્વારા સંતાનના શિક્ષણ વિશેની પણ માહિતી મળી શકે છે. શાળાના કલાકો બાદ શિક્ષકોનું પણ અંગતજીવન હોય છે. એટલે કટોકટીભર્યા સંજોગો ન હોય તો શાળા પૂરી થયા બાદ શિક્ષકનો સંપર્ક ન કરવો. અહીં એક મહત્વની વાત યાદ રાખો કે જો તમે તમારા સંતાનના શિક્ષકને માન આપશો તો તમારા બાળકો પણ તેને સમ્માન આપશે.

બને ત્યાં સુધી શિક્ષક સાથે વાતચીત કરીને સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવા. બાદમાં નાછૂટકે શાળાના પ્રિન્સિપાલનો સંપર્ક કરવો.

સંતાનો શાળામાં શું ભણે છે તથા જે ભણે છે તેને સમજાય છે કે નહિ તે પણ જાણવું જરૃરી છે. એવું નથી કે માત્ર સરકારી શાળાઓમાં જ ભણતરને નામે મીંડુ હોય છે કેટલીક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ પણ માત્ર મોટી મોટી વાતો કરતી હોય છે અને તેમાં શૈક્ષણિક સ્તર નીચું હોવાનું જાણવા મળે છે. શિક્ષકો શાળામાં કેવું ભણાવે છે અને તે બાળક સમજી શકે છે કે નહિ તે બાબત જાણવી પણ જરૃરી છે.

ઘણી વખત આપણી ધારણા કરતાં સંતાનો ખૂબ ઓછું ભણતાં હોય એવું પણ જોવા મળે છે. એટલે જો તે કોઈ વિષયમાં નબળું હોય તો તે શોધી કાઢવું જોઈએ. આ માટે આપણે ત્યાં ઘણી ટેસ્ટ પણ છે. જેમાં વિવિધ વિષયમાં બાળકની હોશિયારી ચકાસવામાં આવે છે. બાળકના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તે સંબંધિત તસવીરો, ફિલ્મો કે વેબસાઈટ શોધીને બાળકને તે બતાવો.

શાળામાં તેને જે કંઈ ભણાવવામાં આવ્યું હોય તે તેના જ શબ્દોમાં સમજાવવાનું કહો જેથી તેને શું સમજાયું છે કે શું નથી સમજાયું તેની જાણ થશે. પાઠયપુસ્તકના જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ થશે તે પણ બાળકને સમજાવવું જોઈએ.

માતા-પિતા બંને નોકરિયાત કે પ્રોફેશનલ હોય તો તેમણે બાળકના ઉછેર અને શિક્ષણ માટે જરૃરી સમય ફાળવી ધ્યાન આપવું જોઈએ. પૈસા ખર્ચી મોંઘુ ટયુશન રખાવી દેવાથી બાળકની ભણતર સંબંધિત સમસ્યાઓ દૂર થતી નથી. વાલીઓએ કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું જોઈએ. નોકરિયાત માતાઓએ સમયમાં થોડી છૂટછાટ મળે તેવી નોકરી પસંદ કરવી જોઈએ જેથી તે બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકે.

બને તો ઑફિસમાં ઓછો સમય રહી ઘરે બેસીને કામ પૂરું કરો જેથી બાળકને પણ તમારી કંપની મળી રહે અને ઓફિસનું કામ પણ ન બગડે. આ બાબતે તમારા ઉપરી સાથે ખુલ્લા મનથી વાત કરો અને કામમાં વિલંબ ન થાય તેની ખાતરી આપો તથા તેવું કરીને બતાવો.

બાળક શાળાએથી પરત આવે ત્યારે ઘરમાં માતા આૃથવા પિતાની હાજરી હોવી જરૃરી છે. તેને પ્રેમથી જમાડો, તેની સાથે વાતો કરતાં કરતાં કામ કરો તથા રાતના સુતી વખતે તેને વાર્તા સંભળાવો અને વ્હાલ વરસાવતાં સુવડાવો. બાળકને પૈસા કરતાં તમારી મમતાની વધુ જરૃર હોય છે તે વાત યાદ રાખો.

સૌથી મહત્વની વાત એ છે કે, સંતાનના શાળાકીય કાર્યક્રમોમાં અચૂક હાજર રહો. સ્પોર્ટ્સ ડે, એન્યુઅલ ડે જેવા કાર્યક્રમો સમયે જો મા-બાપ ગેરહાજર રહે તો બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે. છેવટે, તમે ખીલવેલા માસુમ પુષ્પના માળી તમે જ છો તે વાત કદાપિ ન વીસરવી જોઈએ.

ગુજરાતની પરંપરા કેનેડામાં અકબઁધકેનેડાના ટોરોન્ટો શહેરમા ઇટોબિકો ખાતે છેલ્લા ૨૦ વર્ષથી શેરી ગરબા ઉજવણી


ગુજરાતની પરંપરા કેનેડામાં અકબઁધ

કેનેડાના ટોરોન્ટો શહેરમા ઇટોબિકો ખાતે છેલ્લા ૨૦ વર્ષથી શેરી ગરબા ઉજવણી


ગુજરાતની પરંપરા અકબઁધ સાચવીને કેનેડાનું ઈટોબિકા બેઠું છે. શરદોત્સવ, નવરાત્રી, દિવાળી કે ગણેશોત્સવ હોય અહીંની વાત ન્યારી હોય છે. વિશેષ કેનેડાના ટોરોન્ટો શહેરમા ઇટોબિકો ખાતે છેલ્લાં ૨૦ વર્ષોથી પરંપરાગત શેરી ગરબાનું આયોજન થાય છે.ભારતીય પરંપરા મુજબ અહીં આરતી, હવન તેમજ પ્રાચીન અર્વાચીન ગરબાની એનોખી ઉજવણીમાં હજજારો ગુજરાતીઓ જોડાઈ છે. નડિયાદ, આણંદ સહીત ચરોતર અને ગુજરાતનાં લોકો અહીં નવરાત્રી પછી દિવાળીને આવકારવા અવનવા આયોજન હાથ ધરી રહ્યા છે.



આ આયોજન અંગે જય અંબે ગ્રુપના આગેવાન શિરીષભાઈ પટેલ તેમજ આશિષ કવિએ જણાવ્યું હતું કે,આવા કાર્યક્રમો દ્વારા અમે સંસ્કૃતિ જીવન્ત રાખીયે છે. નવરાત્રીમાં
મા જગદંબાની ભક્તિ અને આસ્થા વધુ દૃઢ બને ,કેનેડામાં ઉછરી રહેલા યુવાધન માટે આપણા સંસ્કારોનું સિંચન થાય,ગુજરાતી અને ભારતીય લોકોને એક કરી એકબીજાને મદદરૂપ થઈ શકાય, આપણી સંસ્કૃતિનું જતન થાય અને વિદ્યાર્થી મિત્રો માટે મોંઘી ટિકિટ લઈ ગરબા રમવા ન જવું પડે તેવા ઉદ્દેશ્ય સાથે અમો સૌ આ ભવ્ય ગરબાનું આયોજન કરીએ છીએ.

ખંભાતના આશિષ કવિ જણાવે છે કે,દરેક તહેવાર મૂલ્ય આધારે ઉજવાય છે તેથી લોકો શ્રદ્ધાપૂર્વક જોડાય છે.૨૦ વર્ષ પહેલાં એકજ સ્ટ્રીટ પર વસતા ચાર પાંચ ગુજરાતી પરિવારો દ્વારા અમે આ ગરબાની શરૂઆત કરી હતી, ત્યારબાદ આયોજકોને પણ ખબર ન પડી કે ક્યારે આ સંખ્યા ૩૦૦૦ થી ૪૦૦૦ ની આસપાસ પંહોચી ગઈ.શુક્રવારે ૬૫૦૦ લોકો ગરબામાં ઉપસ્થિત હતા જે એક વિક્રમ છે.આ શેરી ગરબાની ખ્યાતિ દિવસ અને રાત જેમ કસ્તુરી સુવાસ ફેલાય તેમ આ ગરબાની સુવાસ પ્રસરવા માંડી છે અને આજે તો હજારોની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ જોડાવા લાગ્યા. મોટાભાગે નોર્થ અમેરિકામાં કોઈપણ પ્રસંગ માત્ર વિકેન્ડમા જ યોજાય અને જો વિકડેસમા કોઈપણ આયોજન હોય તો હાજરી પાંખી રહે પણ આ ગરબાએ તો સૌ માન્યતાઓને ધરમૂળથી ખોટી પાડી કારણ કે આ વખતે સોમ થી શુક્ર ના દિવસોમાં પણ સંપૂર્ણ હાજરી વર્તાય અને ચાલવાની પણ જગ્યા ન મળે તેટલા લોકો જોડાય.ગુજરાતની પરંપરાના દ્રશ્યો જીવંત લાગ્યા.

દરેક તહેવારમાં સહુનો સાથ મળે છે.ખાસ આ પ્રસંગે આખી ટીમને માર્ગદર્શન કરવા તથા સુચારુ સંચાલન કરવા બદલ તથા આખા કાર્યક્રમને જીવંત રાખવા માટે શ્રી શિરીષભાઈ પટેલનો સવિશેષ નો સહુએ આભાર માન્યો હતો.

સવિશેષ આ પ્રસંગે અષ્ટમીના દિવસે ૨૦૦૦ માણસો માટે જમણના યજમાન ફ્રેશ ચોઇસ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરના માલિક મિતેષ પટેલ ,દશેરા પર ફાફડા અને જલેબીના યજમાન ગુજરાતી ફુડસના જયશીલ પટેલ અને GPAC ના હોદ્દેદાર મિલિન્દ દવે અને સામાજિક અને રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા આનંદ શાહને સહુએ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે વિદેશની ધરતી પર સુંદર આયોજન કરનાર શિરીષભાઈ પટેલ,ડાહ્યાભાઈ પટેલ,જતીનભાઈ પટેલ,અનંતભાઇ ગાંધી,કિરણ પટેલ
અનિલ જેસાણી, યોગેશ પટેલ
ભાવિન પટેલ, મુકેશ જેસવાણી,
આનંદ શાહનો ગુજરાતી સમુદાયે આભાર માન્યો હતો.

પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો


-શૈલેષ રાઠોડ



*( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : -*

🌹( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ ,
( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી )
( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે .
*🌹(2)જોઈન્ટ ખાતું ખોલવા બાબત*
પેન્શન માટે પતિ – પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું
*ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી*
( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨
( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી
ઓળખપત્રની નકલ

*🌹(3) ઉંમર પ્રમાણે મળતું પેન્શન*
( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા
( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા
( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા
( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા
( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા
*🌹(4) કુટુંબ પેન્શન માટે જરૂરી માહિતી*
(1) કુટુંબ પેન્શનરના જોઈન્ટ ફોટો ઓળખપત્ર સાથે.
(2) નોમીનેશન કરેલ ફોર્મ.
(3) બેન્કની પાસ બુક , (4 ) કુટુંબ પેન્શનની ઉંમરના આધાર પુરાવા (5) જન્મના આધાર પુરાવા જરૂરી છે .
*નાણાં ખાતાના ઠરાવ નં . પી . જી . આર . ૧૦૦૯ / ૪ / પે સેલ તારીખ :13-04-2009 આધારે છઠ્ઠા પગાર પંચે લાભ કરી આપેલ છે પેન્શનર / કટુંબ પેન્શનર બંને લાભ મળશે*
*🌹(5)કુટુંબ પેન્શનરની ઉંમર માટે સ્વીકારવા પાત્ર દસ્તાવેજ*
( 1 ) સક્ષમ અધિકારીનો જન્મનો દાખલો
( 2 ) ડ્રાઈવિંગ લાયસન્સ
( 3 ) એલ.સી. ની નકલ ( 4 ) પાનકાર્ડ
( 5 ) ચૂંટણી કાર્ડ
( 6 ) કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપેલ ઓળખપત્ર
( 7 ) ઉંમર સાથેનો પાસપોર્ટ ફોટો
( 8 ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર નાણાં વિભાગનો ઠરાવ તા.27-09-2009 આધારે .m
*🌹( 6 ) મેડીક્લ ભથ્થાનો વિકલ્પ આપવા બાબત –*
પેન્શનરે મેડીકલ વિકલ્પ આપવાનો હોય તો ફેબ્રુઆરી માસમાં બદલી શકાય છે . તા.10 મી માર્ચ સુધી નિયત નમૂનાનું ફોર્મ ભરીને રજૂ કરવું . *પેન્શનરે બેન્કની પાસબુક ભરવા બાબત :*
પેન્શનરે બેન્કની પાસબુક નિયમિત બેન્કમાં ભરાવી લેવી મહિલા અને અભણ પેન્શનરે એ.ટી.એમ. નો મોહ રાખવો નહી .
*પુનઃ લગ્નનો દાખલો આપવામાં મુક્તિ બાબત*
મહિલા પેન્શનરની ઉંમર 50 વર્ષની પુરૂષ માટે 70 વર્ષ પુરા થાય તો પુનઃ લગ્નનો દાખલો આપવામાં આવેલ છે . નાણા વિભાગના ઠરાવ 02-09-2009 થી.

*🌹(7) હયાતિની ખરાઈ કરવા બાબત : –*
પેન્શનર – કુટુંબ પેન્શનરે હયાતિની ખરાઈ મે – જૂન માસમાં કરવાની હોય છે હયાતિ માટે અધિકૃત અધિકારીરશ્રી : ( 1 ) તિજોરી અધિકારી ( 2 ) કલેક્ટર
( 3 ) નાયબ કલેક્ટર ( 4 ) મામલતદાર
( 5 ) તાલુકા વિકાસ અધિકારી
( 6 ) સંસદ સભ્ય
( 7 ) ધારાસભ્ય
( 8 ) જિલ્લા વિકાસ અધિકારી
( 9 ) બેન્કના મેનેજર વગેરેનું પ્રમાણપત્ર માન્ય છે .
( 10 ) વિધવા પેન્શનરે પુનઃ લગ્ન કરવા બાબત : સંતાન વગરની મહિલા પેન્શનર પુનઃ લગ્ન કરી શકે છે લગ્ન કરનાર પુરૂષની આવક રૂપીયા 3500 થી વધવી જોઈએ નહી . નાણાં વિભાગનો ઠરાવ તા.13-04-2000 પેરા 6
*🌹 (8) મુજબ ચાલુ નોકરીએ મરણ થાય તો કટુંબ પેન્શન મળવા બાબત*
(1) ચાલુ નોકરીએ મૃત્યું થાય તો કટુંબ પેન્શન 10 વર્ષ સુધી પુરૂ પેન્શન મળે છે .
*🌹(9) રહેમરાહે નોકરીના બદલે ઉચ્ચક રકમ મળવા બાબત*
ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો રહેમરાહે નોકરી આપવાનું સરકારે બંધ કરેલ છે . ચાલુ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં અપિલ દાખલ કરેલ છે . નોકરીના સમયે ધ્યાનમાં રાખી ઉચ્ચક રકમ રૂ.8,00,000/- ચુકવાય છે . જે મેળવી લેવી .
*🌹(10) સિનિયર સિટીજનના દાખલા બાબત*
સિનિયર સિટીજનનો દાખલો રૂપિયા 20 ભરી મામલતદાર કચેરીએથી ફોટા સાથે મેળવી લેવો ઉંમરનો દાખલો સાથે આવી જાય છે .
( 1 ) ઈન્કમટેક્ષમાં રાહત મળે છે .
( 2 ) રેલ્વે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે છે .
( 3 ) બેન્ક અને એન.એસ.એસી . રોકાણ ૧ ટકા વ્યાજ મળે છે . ( 4 ) મુસાફરીમાં ઉપયોગી થાય છે .
*🌹(11) સરકારી ગેસ્ટ હાઉસમાં લાભ મળવા બાબત :* નિવૃત્તિ કર્મચારી / અધિકારીને તેના કુટુંબ સાથે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં બીન ફરજ પરના કર્મચારી અધિકારી સમકક્ષ ગણી રહેવા જમવાની સગવડ *છ દિવસ* સુધીના સમયગાળા માટે આપવાનું ઠરાવેલ છે . ઓળખપત્ર ખાસ રજૂ કરવું.મકાન અને માર્ગ વિભાગના ઠરાવ નં . એવીએ / ૧૦૮૩ / સીએમ / ૧૮૯૬ ( ૧ ) , તા . 13-03-1997
*🌹(12) ઓળખપત્ર રાખવા બાબત*
ઓળખ પેન્શનર / કુટુંબ પેન્શનરે પોતાની પાસે હંમેશા સાથે રાખવું પેન્શનર ટ્રેઝરી ઓફીસરનું અને બીજા પણ સાથે રાખવાં .
*🌹(13) બે પેન્શનરમાં મોંઘવારી ભથ્થુ મેળવવા બાબત : –*
પેન્શનર જુદી જુદી બે નોકરીમાં બે પેન્શન મેળવતાં હોય તેમને બંને પેન્શન ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે . નાણાં વિભાગના તા.20-01-1998 ના ઠરાવ તથા કેન્દ્ર સરકારનો સરક્યુલર તા . 04-12-1997 પેન્શન તા . 16-06-1999 ની સ્પષ્ટતા મુજબ .
*🌹(14) તાત્કાલિક સારવાર ccc બાબત*
પેન્શનરને તાત્કાલિક સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલના બદલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો પણ કુલ રીએમ્બેસમેન્ટ મેળવવા હક્કદાર છે .
*🌹(15) લઘુત્તમ પેન્શન બાબત*
લઘુત્તમ પેન્શનર રૂપિયા 9000 નક્કી કરેલ છે . તેના ઉપર મોંઘવારી ભથ્થું મેડીકલ વગેરે નીયમો મુજબ મળે છે . નાણાં વિભાગ ઠરાવ તા.13-04-2009

*🌹(16) મકાન પેશગી માંડવાળ કરવા બાબત :*
પેન્શનરના મૃત્યુના કિસ્સામાં મકાન પેશની મુદ્દત વ્યાજ સાથે માંડવાળ કરવા બાબત નાણાં વિભાગના ઠરાવ નં . ડીપીપી / ૧૦૯૨ – ૧૪૭૮/૯૬ ઝેટ -૧ , તા . 03-08-1996 માંડવાળ કરવા ઠરાવેલ છે .
*🌹 (17) માતા – પિતાને પેન્શન મળવા બાબત*
– પેન્શનરના મૃત્યુના સંજોગોમાં પતિ / પત્ની બાળકો ન હોય તો પેન્શનર આધારિત હોય તેવા માતા , પિતાને પેન્શન મળવાપાત્ર છે . નાણાં વિભાગના પત્ર નં . એન . વીટી / ૨૦૦૧ / ડી / ૪૯૭ / ૨ / પી , તા . 19/08/2002 ( 21 ) પેન્શન પાત્ર નોકરી બાબત : – ઓછામાં ઓછા પેન્શન પાત્ર નોકરીના વર્ષ 10 વર્ષ ગણાય છે . જી.સી.આર. 2002 પેન્શન , નિયમ –37 ( 1 ) મુજબ પેન્શનપાત્ર નોકરીના જરૂરી વર્ષ રોજમદાર કારીગર માટેના ઠરાવ તા.17-10-1988
*🌹(18) હોસ્પિટલમાં સિનિયર સીટીજન જુદી લાઈન રાખવા બાબત :* હોસ્પિટલમાં કેશ કઢાવવા ડોક્ટરને બતાવવા અને દાવા કરાવવા અલગ લાઈન કરવા સામાજિક ન્યાય અને અધિકારીત કેન્દ્ર સરકારના હુકમો થયેલ છે . ઈન્કમટેક્ષની મર્યાદા વધુ – વ્યાજદર ૧ ટકા રેલ્વે , હવાઈ મુસાફરી 50% રાહત વગેરે .
*🌹(19) મા – બાપ અને વરિષ્ઠ નાગરિક બાબત : –*
મા – બાપ અને વરિષ્ઠ નાગરિક નિભાવ અને કલ્યાણ કેન્દ્રીય અધિનિયમ 56 , 2007 ના નિયમો અને ટ્રિબ્યુનલો 2009 જાણવા જોગ જુઓ .
*🌹(20) માહિતી અધિકાર બાબત : જરૂર પડે માહિતી અધિકાર હેઠળ માહિતી* અધિનિયમ , 2005 નિયમ નમૂનામાં ફોર્મ ભરી રૂપિયા 20 ના સ્ટેમ્પ લગાવી માહિતી મેળવવાની જોગવાઈ છે .
*🌹(21) પેન્શન જગતમાં પ્રશ્ન પૂછી માહિતી મેળવવા બાબત*
– પેન્શનર મુંજવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે પેન્શન જગતના ગ્રાહકના પ્રશ્ન પૂછી તેનો જવાબ મેળવી પ્રશ્નની ચોખવટ મેળવી શકે . અંકમાં પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . પેન્શન જગતના ગ્રાહકને જ જવાબ આપવામાં આવે છે . જેથી ગ્રાહક નંબર અચુક લખવો .
*🌹(22) નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે*
નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે . રહેઠાણના પુરાવા સાથે ઓળખ આપવાની જોગવાઈ કરેલ છે . સામાન્ય વહીવટી વિભાગના તા.12-01-2012 ના ઠરાવ નં . યું.આઈ.ડી .102009 યુ.ઓ. આર . – 45 એસ પાર્ટ ( ટુ ) થી જોગવાઈ કરેલ છે .
*🌹(23) પેન્શન ઘટાડવા સ્થાગિત કરવા બાબત –*
રાષ્ટ્ર વિરોધિ પ્રવૃિત્તિ તથા નિયમ ભંગની અત્યંત ગંભીર કાર્યવાહી કરે તો પેનશન ઘટાડવા સ્થગિત કરવાનો અધિકાર રાજ્ય કરી શકે છે . ગુજરાત સરકારના ૨૦૦૨ ના પેન્શન નિયમોના નિયમો – ૨૩ ( ૩ ) મુજબ
*🌹(24) નિવૃત્તિ બાદ પુનઃ લગ્ન કરવા બાબત :*
– નિવૃત્તિ બાદ કરેલ પુનઃ લગ્ન રાજ્ય સરકારે માન્ય રાખેલ છે નાણાં ખાતાનાં ઠરાવ નં . ન . વ.તા.એફ. 1390 જી.ઓ. –૧–૩૦ – પી.આઈ એફ . 1390 –જી.ઓ. –130 – પી.આઈ. , તા . 15/09/2091 આ અંગે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે . જે ખાતામાંથી નિવૃત્તિ થયા હોય તે ખાતા મારફતે દરખાસ્ત મંજૂર કરાવી પીપીઓ બુકમાં નામ દખલ કરાવવું જરૂરી છે .
*🌹(25) ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર એમ્બ્યુલન્સ સેવા બાબત*
ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 1988 ની મહત્ત્વની ઉપયોગી જોગવાઈ કરવામાં આવી . દર્દીને ચાલવાનું અશક્ય હોય તો હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘર સુધી બંને તરફ આવવા – જવા માટે એમ્બ્યુલન્સ સેવા તરીકે સ્વીકારેલ છે નિયમ – ૨ ( ૭ ) છ મુજબ .
*🌹(26) પેન્શનરને આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : – નાણાં ખાતાના ઠરાવ –* ડીપીપ – 1098-49696-8 – પી . , તા .24 / 04 / 2000 થી તિજોરી અધિકારીએ 30 જૂન સુધી મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે , ઈન્કટેક્સ રીટર્ન વગેરે માટે ઉપયોગી છે .

*🌹(27) 80 વર્ષ થી વધુ ઉંમરના પુરાવા માટે પ્રમાણ રજુ કરવા બાબત*
– 80 વર્ષ પૂરા થયેથી પેન્શનર – કટુંબ પેન્શનરને 20 ટકા , 30 ટકા , 40 ટકા , 50 ટકા પૂરા 100 ટકા મેળવવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ઉંમરના પુરાવા કુટુંબ પેન્શનરને રજૂ કરવાના થાય છે . અભણ કટુંબ પેન્શનરે તબીબી પ્રમાણપત્ર માન્ય રાખવા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી સેવાઓ ) ગુજરાત રાજ્ય ના જા.જ.6-1 -80 ના પ્રમાણપત્ર 11 તા . 27/12/2011 થી સિવિલ સર્જનની સહી થયેલ પ્રમાણપત્ર માન્ય રહે છે . ( 32 ) કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરણિત પુત્રીને આજીવન પેન્શન બાબત ઃ કેન્દ્ર સરકાર વિધવા ત્યકતા અપરણિત પુત્રી આજીવન પેન્શન આપવા કેન્દ્ર સરકાર ના ઠરાવ નં.1-19-03 પી – એન્ડ –પી . ડબલ્યુ.ડી– ( સી ) તા.06-09-2007 થી ઠરાવેલ છે આ અંગે ગુજરાત સરકાર પાસે પેન્શનરોની માંગણી ચાલુ છે .
*🌹 (28) પેન્શનરે* – કુટુંબ પેન્શનરે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં આજીવન સભ્ય ફી ભરી આપણા હક્કોની લડત અને સંગઠનમાં સહભાગી થવું .
*🌹(29) વર્ષ 2021 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા અંગે*
જીવન પ્રમાણ પોર્ટલ પર પણ ઓનલાઈન કરાવી શકાય છે . ( http://www.jeevanpramaan.gov.in ) નાણાં વિભાગના પત્ર તા .27 / 05 / 2021
*🌹 (30)કુટુંબપેન્શન* શરૂ કરવા અંગેની માહીતીનું પત્રક પેન્શન ચૂકવણા પત્ર તા .27 / 05 / 2021
*🌹 (31) અવસાન પામેલ નિવૃત્ત સરકારી કર્મચારીના મુક – બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે .* નાણા વિભાગના તા .21 / 12 / 2018 ના પત્ર અન્વયે .
*🌹 (32) પેન્શન અદાલત યોજના અંગે .*
( હિસાબ અને તિજોરી નિયામકના તા .03 / 08 / 2019 ના પત્ર અન્વયે . )
*🌹(33) વારસાઈ પ્રમાણપત્ર મેળવવા અંગે .*
( નાણાવિભાગના તા .28 / 07 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (34) પેન્શનરના કુટુંબ પેન્શન કેસમાં* નિવૃતિ / અવસાન સમયે પેન્શનર જે હોદા પર હોય તે હોદાને અનુરૂપ 50 % પેન્શન / 30 % કુટુંબ અંગે . ( નાણાવિભાગના તા .01 / 05 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (35) પેન્શન રીવીઝન સમયે* કર્મચારી એ નિવૃતી સમયે મેળવેલી પગાર ધોરણ ઘ્યાનમાં લેવા અંગે . ( નાણાવિભાગના તા .12 / 03 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (36) પરવરીશ પેન્શન ,* જીવાયપેન્શન અને વિધવા આર્થિક સહાયમાં વધારો કરવા અંગે . ( નાણાવિભાગના તા .07 / 04 / 2015 ના પત્ર અન્વયે . )
*🌹 (37)* તા.01-01-2006 થી તા.13-04-2009 દરમીયાન નોશનલ ઈજાફા સાથે સ્વૈચ્છિક નિવૃત થયેલ . ( નાણાવિભાગના તા .10 / 10 / 2013 ના પત્ર અન્વયે . )
*🌹(38) પેન્શનના રૂપાંતર કરાયેલા ભાગનું 15 – વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા અંગે .* ( નાણાવિભાગના તા .21 / 11 / 2010 ના પત્ર અન્વયે . )
*🌹(39) પોસ્ટલ મનિઓર્ડર દ્વારા પેન્શનનું ચુકવણું કરવા અંગે . ઓક્ટોબર- 2009 થી શરૂઆત .* ( નાણાવિભાગના તા .22 / 03 / 2010 ના પત્ર અન્વયે . )
*🌹(40)* 50 વર્ષથી મોટી ઉમરના મહિલા કુટુંબ પેન્શનરોને લગ્ન અથવા પુનઃ લગ્ન કરવા અંગેના પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવા અંગે . ( નાણાવિભાગના તા .02 / 09 / 2009 ના અન્વયે . )
*🌹 (41) અવસાન પામેલા સરકારી કર્મચારી* અધિકારી પેન્શનરનાં શારીરિક અથવા માનસિક અશક્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . ( નાણાવિભાગના તા .08 / 04 / 2009 ના પત્ર અન્વયે . )
*🌹(42) કુટુંબની વ્યાખ્યામાં* માતા – પિતાનો સમાવેશ કરવા અને આવક મર્યાદા નક્કિ કરવા અંગે . ( નાણાવિભાગના તા .09 / 11 / 2004 ના પત્ર અન્વયે . )
*🌹(43) રાજ્ય ફેડરેશનનું મુખપત્ર “* પેન્શનર જગત ” નું નીચેના સરનામે લવાજમ ભરી તેના સભ્ય બની અદ્યતન કાર્યવાહીથી વાકેફ રહેવા વિનંતી છે . મંડળનું મુખ્ય અને પેન્શનર જગત કાર્યાલય : સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન , જી / 1-2 ” પોલોવ્યુ ” પોલો ગ્રાઉન્ડ સામે , વડોદરા -1 ફોન : ( 0265 ) 241847 મો .9099946294 શાખા કાર્યાલય : ગુજરાત સ્ટેટ પેન્સનર્સ ફેડરેશન : 304 સ્વસ્તિક કોમ્પલેક્ષ , એસ -૧ , બીજો માળ , 17/22 , ના બસસ્ટેન્ડ પાસે , સેક્ટર – 22 , ગાંધીનગર ફોન : 3820222 ફોન . ( 079 ) 23246865

ઓળખપત્ર બાબત નાણા વિભાગે પેન્શનરોને ઓળખપત્ર અંગે પત્ર ક્રમાંકઃ પરચ / 5691 / પી -2 /તા.15-09-92 થી નિર્ણય કરેલ છે . પેન્શનર્સ ફેડરેશન તથા મંડળો મારફત આવા ઓળખપત્ર અપાય છે . ઓળખપત્રો ઉપર સંબંધિત તિજોરી પેટા તિજોરીના સહી સિક્કાથી અધિકૃત કરી આપવામાં આવે છે . ઓળખપત્ર ધરાવતા પેન્શનરને ઘણી બધી સવલતા મળતી હોય છે . નિવૃત્તિ સમયે સરકારી રેકર્ડમાં ચાલતા નામ પ્રમાણે જ બેંકમાં ખાતુ ખોલાવવું . હવે ઇ – પેમેન્ટ પ્રથા અમલમાં હોવાથી નામમાં ફેરફારથી પેન્શનર જમાં થવામાં મુશ્કેલી પડે છે . આથી બેંક ખાતામાં સ ૨ કા ૨ી રેકર્ડમાં દર્શાવ્યા મુજબના જ આખા નામ , અટક સાથે ખાતું ખોલાવવું તે પ્રમાણે આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મેચ થાય તે પ્રમાણે કરાવવા .
*🌹(44) કુટુંબ પેન્શન મેળવવા શું કાર્યવાહી કરવી : –*
પેન્શનરના અવસાન પ્રસંગે – વારસદારે તિજોરી અધિકારીશ્રીને સાદા કાગળનાં પી.પી.ઓ. નંબર મરણના દાખલા સાથે અરજી કરવાની હોય છે . નિયુક્ત પત્રમાં જણાવેલ નિયુક્ત અવસાન તારીખ એક વર્ષમાં અરજી કરે અને રૂ .30,000 સુધીની બાકીના પેન્શનની રકમ મામલતદાશ્રીના સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર બને છે . 1 લાખ સુધીની કરમ કલેક્ટરની અને ત્યાર પછી વધુ રકમ માટે ડી . મેજીસ્ટ્રેટશ્રીને પાવર હોય છે .
*🌹(45) ઉતરક્રિયાનાં નાણાં મેળવવા શું કાર્યવાહી કરવી ? :* પેન્શનરના અવસાન પ્રસંગે પેન્શનરે નિયુક્ત કરેલ વારસદાર એક માસના પેન્શન વત્તા મોંઘવારીની રકમ ઉત્તરક્રિયાના ખર્ચ તરીકે ચૂકવવામાં આવે છે . આ અંગે પેન્શનરે તેમની હયાતી દરમ્યાન તિજોરી અધિકારીશ્રીને નમૂના – 11 અને 12 ના ફોર્મ ભરી આપવાના રહે છે . જેથી પેન્શનરના મરણ પછી આવા હક્કદાવા મેળવવામાં નિયુક્તાને મુશ્કેલી પડે નહી . આ લાભ કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરને લાગુ પડશે નહિં . પેન્શન ટ્રાન્સફર કરવા બાબત : એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક તાલુકામાંથી બીજા તાલુકામાં પેન્શન ટ્રાન્સફર કરવા તિજોરી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે . નમુના – 14 મુજબ કરવાથી ટ્રેઝરી ઓફીસર તબદીલી કરી શકે છે . એક રાજયમાંથી બીજા રાજયમાં પેન્શન ટ્રન્સફર કરવા આવી જ કાર્યવાહી કરવાની હોય છે . પેન્શન પ્રો . કચેરી દ્વારા એ.જી. ઓફીસેથી,,, તબદીલીથી કાર્યવાહી કરવાની રહે છે .
*🌹(46) વિકલાંગ પુત્ર – પુત્રીને કટુંબ પેન્શન ઃ* ( 1 ) શારીરિક રીતે પુત્ર – પુત્રીને જીવન પર્યત કુટુંબ પેન્શન મળે છે . નાણા વિભાગના ઠરાવ નં . નવત / 1387 / જી.ઓ.આઈ પી.જે. તા.06-06-89 પેન્શનરે હયાતીમાં અરજી કરી લાભાર્થીનું નામ પી.પી. ઓ . માં લખાવવું . બે પત્નીના કિસ્સામાં કુટુંબ પેન્શન –
( 2 ) કુટુંબ પેન્શનની રકમ બે પત્નીના કિસ્સામાં એકના અવસાન પછી પેન્શન બંધ થવાને બદલે બીજી પત્નીને કુટુંબ પેન્શનની પહેલી પત્નીને મળતી રકમ પ્રમાણે ચુકવાશે . નાણા ખાતાના ઠરાવ નં . નવત / 1091 જી.ઓ.આઈ.એફ. એફ . / એમ- 01-03-92
( 3 ) નિવૃત્તિ બાદ લગ્નથી પ્રાપ્ત સંતાનોને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે . સરકારી ઠરાવ તા.18-03-97 થી તા.01-01-2006 ધારણ કરેલ હોદ્દાના મિનિમમ પગાર બેન્ક + ગ્રેડ પે ના 50 ટકા પેન્શન તથા 30 ટકા મુજબ કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઈ કરેલ છે .
*મને મળ્યું એ મેં આપ સહુ ને મોકલ્યું છે*
RSM – VADODARA

પેન્શનર માટે ઉપયોગી

કાર્યક્રમનું સંચાલન


કાર્યક્રમનું સંચાલન

મિત્રો,
કોઈપણ કાર્યક્રમનું સંચાલન પદ્ધતિસર, યોગ્ય શબ્દો, પંક્તિઓ અને ભાવ સાથે થાય તો જ કાર્યક્રમ સફળ થયો કહેવાય.



સફળ સંચાલન માટે આટલું અચૂક યાદ રાખશો:

-એનાઉન્સર એટલે કે સંચાલક સમયમર્યાદાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સંભાળે તે પ્રથમ પ્રાથમિકતા છે.
-સંચાલક સ્ક્રીપ્ટ તૈયાર રાખે તો જ સરળતાથી સુંદર સંચાલન થાય.
-સંચાલક મૌલીક શબ્દો બોલે તે ખૂબ જ જરૂરી છે.
-કાર્યક્રમમાં બિનજરૂરી લાંબાણ કરતાં સંચાલક નફરત પામે છે તે ખ્યાલ રાખશો.
-સંચાલકે કાર્યક્રમના વક્તા કરતાં મોટા થવા પ્રયાસ ન કરવો.
-બેજવાબદાર ભાષા પ્રયોગ ન કરશો.
-સ્ટેજના મહેમાનો, કૃતિઓ અને દર્શકો દેખાય તે રીતે, યોગ્ય ઊંચાઈએ સ્ટેજની ડાબી બાજુએ સંચાલકે પોતાનું સ્થાન રાખવું જોઈએ.
-સંચાલકે સભ્ય પોશાક પહેરવો જોઈએ.
-સંચાલન દરમ્યાન યોગ્ય ધીમું સંગીત ઉપયોગમાં લેવાય તો વધુ સારુ.
-દિપ્રાગટ્ય માટેની એક્સ્ટ્રા માચીસ, મીણબતી સંચાલક પાસે હોવી જોઈએ. પંખાની સ્વીચ જોઈ લેવી જોઈએ.
-સાઉન્ડ ઓપરેટર અને આયોજક સાથે નજરથી સતત સંપર્ક માં રહેવું જોઈએ.
-સાથે એક સહાયક હોય તો વધુ ઉચિત.
-સંચાલન દરમ્યાન જગ્યા છોડવી નહીં.
પુરા વિશ્વાસ સાથે સંચાલન કરશો તો જરૂર મઝા આવશે.
-શૈલેષ રાઠોડ
9825442991

કાર્યક્રમના આરંભે બોલવા…

નમસ્કાર સાથે…
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાનું નામ, આયોજનનો હેતુ સ્પષ્ટ કરી પ્રારંભ કરો.

ઉપસ્થિત તમે છો તો,લાગે છે ઉપવન
કલાકારનું ચિત્ર,સંપૂર્ણ જાણે.
જો ન તમે હો તો,બધા કહી ઊઠે કે;
વિધાતાની કોઈ કસર રહી ગઈ છે.
-સ્વ.કવિ ‘ગની’દહીંવાલા.

અવસર છે રૂડો આજ આંગણે,
ને હૈયે હરખ ઘણોયે વરતાય છે!(૨)
આપ તણી અહીં હાજરી નિરખી,
અમ આંખલડી આજ ઉભરાય છે.

મહેમાનોના આગમન ટાણે…

-તમારા અહીં આજ પગલાં થવાના,
ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
આ ફૂલોનીયે નીચી નજર થઈ ગઈ છે.
આપ આયે તો લઞા જિન્દઞી અપની તો નિહાલ હૂઈ,

મન જૈસે કશ્મીર હૂઆ ઓર આંખે નૈનિતાલ હૂઇ,
આસમય પણ કેટલો સધ્ધર થઈ ઞયો,આપના આઞમન થતા અવસર થઈ ઞયો,

શાબ્દિક સ્વાગત વેળાએ…..

(જેમને શાબ્દિક આવકાર માટે…આવકારો છો, તેમનું નામ અંતમાં બોલવું )

-છે રસમ અહીંની જુદી,
ને છે રિવાજોયે નોંખા…(૨)
અમારે મન તો કેવળ,
શબ્દો જ કંકુ ને ચોખા.-સ્વ.કવિ.મનોજ ખંડેરિયા.
કોયલ ને કુંજ વિના ન ચાલે ભમરા ને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા એવા સ્નેહીજનો અમને તમારા સ્વાગત વિના ન ચાલે.
તમારા અહી પગલા થવાના ચમન માં બધાને ખબર થઇ ગઇ છે઼ ઝુકાવી ગરદન બધી ડાળીઓએ ફુલોની નીચી નજર થઇ ગઇ છે઼

હું વિનંતી કરીશ કે………. તેઓ શબ્દો દ્વારા સહુને આવકારશે.


પુષ્પ ગુચ્છ અર્પતી વેળા….

(પુષગુચ્છ તૈયાર રાખવા )
શબ્દો પછી…. ચાલો ફૂલોથી આવકારીયે…

અમે હૈયાના હરખથી,એ ફૂલો ધર્યાં છે.
એ ફૂલો મહીં લાખ,ઉમંગોને ભર્યા છે.
એને લેજો સ્વીકારી,તમે પણ મનથી;
એને ખિલવવા અમે પણ,કૈં જતન જો કર્યાં છે.-એચ.ડી.”અનામી”🌹🌹

દીપ પ્રાગટ્ય

આજની સુંદર ક્ષણોને દીપપ્રાગટ્ય દ્વારા પ્રજવવલિત કરીએ.. પ્રકાશની તેજોમય કિરણો નવી દિશા અને આશા જન્માવે છે.

શુભં કરોતુ કલ્યાણં, આરોગ્યં ધનસંપદા,
શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જયોતિ નમોસ્તુતે…!

વક્રતુંડ મહાકાય,સૂર્ય કોટી સમપ્રભ.
નિર્વિઘ્નં કુરુમે દેવ,સર્વ કાર્યેશું સર્વદા.


અતિથિના સ્વાગત માટે..

આજે આપણને મહેમાનોને પોંખવાની તક મળી છે.
આવો, મહેમનોને સસ્નેહ આવકારીયે…

➡️ કોયલ ને કુંજ વિના ન ચાલે ભમરા ને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા એવા સ્નેહીજનો અમને તમારા સ્વાગત વિના ન ચાલે.

➡️ દરિયાકિનારે બેસી હું મોજાને સાંભરું,
પર્વત પર ચડી હું પથ્થરને સાંભરું,
એવો તો મોકો મળયો છે મને,
મારી જાતને ભુલી મહાનુભવોને સાંભળું.

➡️ તમારા અહીં પગલા થવાના
ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફુલોની નીચી નજર થઇ ગઇ છે.

➡️ ઉપસ્થિત તમે છો તો, લાગે છે ઉપવન
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે.
જો ન તમે હો તો,બધા કહી ઊઠે કે;
વિધાતાની કોઈ કસર રહી ગઈ છે.

➡️ અવસર છે રૂડો આજ આંગણે,
ને હૈયે હરખ ઘણોયે વરતાય છે !
આપ તણી અહીં હાજરી નિરખી,
અમ આંખલડી આજ ઉભરાય છે.

➡️ આપ આયે તો લગા જિંદગી અપની તો નિહાલ હૂઈ,
મન જૈસે કશ્મીર હૂઆ ઓર આંખે નૈનિતાલ હૂઇ.

➡️ છે રસમ અહીંની જુદી,
ને છે રિવાજોયે નોંખા…!
અમારે મન તો કેવળ,
શબ્દો જ કંકુ ને ચોખા.

➡️ અમે હૈયાના હરખથી, એ ફૂલો ધર્યાં છે.
એ ફૂલો મહીં લાખ, ઉમંગોને ભર્યા છે.
એને લેજો સ્વીકારી, તમે પણ મનથી;
એને ખીલવવા અમે પણ, કૈં જતન જો કર્યાં છે.

કાર્યક્રમ માટે…..

➡️ એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે;
આતો પવનની લહેર હતી, હજી તુફાન બાકી છે.

➡️ ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે.
ને ફૂલોએ એમાં સુગંધને પાથરી છે.
આ સભાને છોડીને, ના જતા ઓ મિત્રો !
આ સભાની રોનક તો, આપની હાજરી છે.

વિદાય માટે ◆


➡️ કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ…!

➡️ જિંદગીની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્રમા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાઇ એ બે પ્રસંગ છે જિંદગીના,
જેમાં આંસુની કઈ કિંમત સરખી નથી હોતી…!

➡️ રાત સવારની રાહ નથી જોતી ,
ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મળે છે દુનિયામાં ,
એને શાનથી સ્વીકાર જો કેમ કે ,
જિંદગી સમયની રાહ નથી જોતી.

➡️ મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે ,
તારી આ દ્રષ્ટિને મુજ પ્રત્યેની નફરત કહેજે.
પરંતુ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય
યાદ આવીને રડાવે તો તેને તું મારી લાગણી કહેજે.

➡️ ગુનાહ વગરનો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત,
પછી નહિ મળે આ ક્ષણો !

➡️ સમયના વહેણમાં સમાઈ ન જતા,
દિલના દરિયામાં ડૂબી ન જતા,
આપની મૈત્રી છે જિંદગીથી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા.

➡️ સમયના બંધનના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,
કહે છે દુનિયા બીજો દોસ્ત શોધી લે,
પણ કોણ સમજાવે એમને
કે સાચા દોસ્તના કદી “પુર્ણવિરામ” નથી હોતા…!


ઈનામ વિતરણ વેળાએ…

-ઈ નામને જરૂર યાદ રાખજો ઓ દોસ્તો!
જેહના કર-કમળથી,લો છો ઈનામ દોસ્તો!


દાતાશ્રીઓ માટે…

દાતા વિના ધરમ સૂનો,દાતા વિણ ઘર,ગામ.(૨) દાતા વિણ આ જગે કોઈ,ના થઈ શકે શુભ કામ..હો વિરલા
દાતાની દિલાવરી જુઓ,છૂટ્ટે હાથે કરે દાન.(૨) દાતા થકી હર કાજમાં,ફૂકાય છે ભ’ઈ પ્રાણ…હો..વીરલા.

દાતા-માતા જગમાં જુઓ,નિ:સ્વાર્થ છે બેઉનાં કામ….(૨) ‘દાતા’ તો આ જગતમાં,પૂણ્ય તણું ભૈ ધામ..હો..


આભાર વિધિ ◆

➡️ મોકો મળ્યો છે મુજને ત્યારે
આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં,
સૌ પ્રથમ કુદરતનો પછી
આપ સહુનો આભાર હુ મની લઉં,
ઋણ તો ચુકાવી શકતો નથી આપ સૌનું,
પણ આભાર માની આપ સૌને વધાવી લઉં.

➡️ આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે અનુભવી માર્ગદર્શન હેઠળ અથાક મહેનત કરીને સુચારુ આયોજન, અસરકારક સંકલન, અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલ જવાબદારી સુપેરે નિભાવી તે બદલ હું સંબંધીત તમામનો હ્યદયપૂર્વક આભાર માનું છું.

આપના આગમન બદલ શાળા પરિવાર આપ સર્વેનો આભાર વ્યક્ત કરવા ઉત્સુક છે. વાલીગણ એવા સર્વેના અમે ખૂબ ખૂબ આભારી છીએ.
એવા સુકાની સાહેબશ્રી…………. શિક્ષણ પ્રત્યે ખૂબ જ નાવિન્યતા, વૈવિધ્યતા દાખવનાર તથા ચિંતન કરનાર એવા અમને ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન પૂંરુ પાડનાર એવા કહેવાય છે કે ધ્યેય હંમેશા ઉંચા રાખો…અને આપણે નક્કી કરેલ ધ્યેય ચોક્કસ પણે સફળતા દ્વ્રારા સિધ્ધ થશે…હંમેશા કંઇક નવા વિચારને, નવી દિશાને વેગ આપનાર એવા …. શાળાનાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરૂં પાડનાર મારા મિત્ર એવા….આપના આ માર્ગદર્શન દ્વારા જ આ શક્ય બન્યું છે…તો ફરીથી ખૂબ ખૂબ આભાર….અને ભવિષ્યમાં પણ અમારા પથદર્શક રહેશો…એવી આશા…..THANKS A LOT ONCE AGAIN…

કાર્યક્રમની અધવચ્ચે…બોલવા લાયક…

ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે.
ને ફૂલોએ એમાં સુગંધને પાથરી છે.
આ સભાને છોડીને,ના જતા ઓ મિત્રો!આ સભાની રોનક તો,આપની હાજરી છે.આ સભાની….


🌹મંચ સંચાલન શાયરી ગુજરાતી…

જ્યો આસમાં મેં નજર આતે હૈ સિતારે ,
સબ અતિથિયો કે આને સે વારે હો ગયે ન્યારે ,
સભી યહાઁ પર પધારે તો હમેં લગા એસે જેસે સુદામા કે ઘર પર શ્રી કૃષ્ણ પધારે

આઇયે કુચ કામ વિશેષ કરતે હૈ (2) ,
પડોશન , ગાવ , ગલી , મહોલ્લા ઓર દેશ કરતે હૈ ,
ગણપતિ ગજાનંદ મહારાજ કે ચરણો મેં વંદન કરતે હુએ આજ કે ઇસ પ્રોગ્રામ કી શરૂઆત કરતે હૈ (૨) !

આંખો સે બહને વાલે આંશુ બડે અલબેલે હૈ ,
જિંદગી મેં બહુત સે ઝમેલે હૈ ,
મગર સાથ મિલે આપકા તો ,
હમ કહા અકેલે હૈ !!

જો મુસ્કુરા રહા હૈ , ઉસે દર્દ ને પાલા હોગા ,
જો ચલ રહા હૈ ઉસકે પાંવ મેં જરૂર છાલ હોગા,
બીના સંઘર્ષ કે ચમક નહિ મિલતી , જો ચલ રહા હૈ ,
ઉસી દીયે મેં ઉજાલા હોગા !!

બાગ મેં ફૂલ ખીલતે રહેંગે (2) ,
હવા કે આને પર પતે હિલતે રહેંગે ,
રહી અગર ઉપર વાલેકિ મહેરબાની યા મેરે દોસ્તો ,
તો આગે ભી એસા પ્રોગ્રામ કરતે રહેંગે !!

” આવતાંની સાથે જ આપની યાદ એવી છવાઇ ગઇ,
જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ….! “

” શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કુવો ખોદો તો આખી સરિતા નીકળે.

સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે…”

મહેનતના આધારે મંજિલ મેળવી કોઈ કારણ નથી
આ યુગ આપણો છે અમે પ્રાચીન સમયથી નથી.

પાંખો છે અને ઉડાન છે
આત્માઓમાં જીવન છે
આ લહેરાતા હાથોમાં
આકાશને સ્પર્શવાની પણ ઈચ્છા છે.

તે કયો ખજાનો છે જેમાં તાળી નથી
તે ગુલશન શું છે જેનો માળી નથી
અને તે વાર્ષિક કાર્ય શું છે
જેમાં તારી પ્રશંસાની કોઈ તાળી નથી.

ઉદારતાથી આપો
તમારો સ્વભાવ છે
અમે તમારા જેવા દાતાઓ શોધીએ છીએ
આ આપણો સ્વભાવ છે.


મંદિરમાં દાન કરો ભગવાન ખુશ છે
અનાથાશ્રમમાં દાન કરો અનાથના પિતા ખુશ છે
અને વિદ્યા મંદિરમાં દાન કરો તમે પોતે પણ ખુશ બનો.

લોકો અમારા મેળાવડામાં બિનઆમંત્રિત આવે છે,
કારણ કે અહીં સ્વાગતમાં પાંપણ ફેલાયેલી છે, ફૂલો નહીં.

શબ્દોનું વજન આપણી બોલવાની રીતથી જાણી શકાય છે.
બાય ધ વે, દિવાલો પર પણ “સ્વાગત” લખેલું છે.

તમે આવ્યા ત્યારે વસંત ખીલ્યું
ફૂલો તો ફૂલ હતા, કાંટામાંથી પણ સુગંધ આવી

ફૂલો રંગ ભર્યા પછી, ચાલો નવ વસંત પછી
ચાલો જેથી ગુલશનનો ધંધો ચાલે

ચંદ્રને પણ આઘાત લાગ્યો છે, નદી પણ મુશ્કેલીમાં છે
જેનું પ્રતિબિંબ છે કે પાણીમાં આટલો બધો પ્રકાશ છે

આ બીજી વાત છે કે રસ્તાઓ પણ ચમકદાર બની ગયા છે
અમે તેને તમારા માટે પ્રગટાવ્યો હતો

કાર્યક્રમનું સંચાલન, શૈલેષ રાઠોડ, એનાઉન્સમેન્ટ, કાર્યક્રમ સ્ક્રીપ્ટ,
કાર્યક્રમનું સંચાલન :શૈલેષ રાઠોડ

નેલ્સન મંડેલા એક પ્રેરણા


-શૈલેષ રાઠોડ

આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી,નેલશન મંડેલા એકવખત જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા.

તેઓ સુરક્ષાકર્મીઓથી ધેરાયેલા હતા અને ત્યાં હાજર દરેક વ્યક્તિ પોતાના મનપસંદ ભોજન ની રાહ જોતું હતું.

એજ વખતે તેમનાથી થોડે દૂર એક બીજી વ્યકિત પણ તેના ભોજનની રાહ જોતી હતી.

મંડેલા એ તેના સુરક્ષાકર્મી થી પેલી વ્યક્તિને તેમની પાસે બોલાવ્યો.

ભોજન પીરસાઈ ગયું અને દરેક જણે જમવાનું શરૂ કરી દીધું.

વ્યકિત જેને મંડેલાએ પોતાની પાસે બોલાવ્યો હતો એણે પોતાનું ભોજન જેટલું જલ્દી બને એટલું પૂરું કરી હાથ ધોઈ અને નિકળી ગયો.

ત્યારે સુરક્ષાકર્મી એ મંડેલા ને કહ્યું એ વ્યક્તિ મને બીમાર લાગ્યો કારણકે જમતી વખતે તેના હાથ ધ્રુજતા હતા.

ત્યારે મંડેલાએ કહ્યું,”ના, એ વાત ન હતી હું જે જેલમાં કેદી હતો એ પણ એજ જેલમાં કેદી હતો.તે મને ખૂબ ટોર્ચર (હેરાન,અનહદ હેરાનગતિ)કરતો.એક દિવસ જ્યારે તેણે ખૂબ જ ટોર્ચર કર્યું અને પીવા માટે પાણી માંગ્યું તો એ મારા પર પેશાબ કરવાની અણી પર હતો.

“આજે જ્યારે હું રાષ્ટ્રપતિ છું,તો તેણે વિચાર્યું હશે કે કદાચ હું તેને પણ એવીજ સજા આપીશ જેવું એણે મારી સાથે જેલમાં કર્યું હતું.એટલા માટે જમતી વખતે તેના હાથ ધ્રુજતા હતા.પણ હું બદલો લેવામાં નથી માનતો મારો એ સ્વભાવ કે સંસ્કાર નથી.”

“બદલો લેવાની ભાવના વ્યક્તિની અંદર રહેલા માણસને મારી નાખે છે પણ ધિરજતા અને સહનશકિત માનવીને મહાન બનાવે છે”- નેલ્શન મંડેલા(એક મહાન સુધારક)

15મી ઓગષ્ટ વક્તવ્ય સ્પીચ


-શૈલેષ રાઠોડ

ખાલી બે દિવસ નહીં,હરપળ દેશ દિલમાં ધબકવો જોઈએ,
દેશભક્તિ નો સુર, રગ રગ માં ઉતરવો જોઈએ,
જ્યારે સ્તંભ પર નહીં,હૃદય માં તિરંગો લહેરાય,
ત્યારે એક નાગરિક ની સાચી દેશભક્તિ કહેવાય

વતન મને વહાલું લાગે, રહેવું એમાં મધુરું લાગે.
મળ્યો છે જન્મ આ ધરતી પર, સન્માન એ સોહામણું લાગે.

-Shailesh Rathod

આઝાદી મળી તેનું ગર્વ હોવું જોઈએ, કારણ કે ભારત આઝાદી બાદ દુનિયાનો સૌથી મોટી લોકશાહી દેશ બન્યો.દેશમાં સંઘર્ષ અને વિષમ સ્થિતિ આવે પરંતુ જે મૂલ્યો દ્વારા જીવન જીવે તે સાચું જીવન, સાચી આઝાદી.લોકશાહી ટકાવી રાખવા મૂલ્યોને ટકાવી રાખવી જરૂરી છે.

-આ પર્વ ઉપર સર્વ પ્રથમ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

-સાચું કહું તો દર વર્ષે માત્ર તિરંગાના રંગોમાંથી જીવન શીખ મેળવીયે તો જીવન સફળ અને ધન્ય બની જાય.

આપણે જે ત્રિરંગાની છાયામાં ઉભા છીએ તે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે.

-કેસરી રંગ દેશની તાકાત અને સાહસનું પ્રતિક છે.મધ્યમાં સફેદ રંગ શાંતિ, સંવાદિતા અને તમામ ધર્મોનું સમ્માન કરવાનું શીખવે છે. ત્રિરંગાની સૌથી નીચેનો લીલો રંગ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે. ધ્વજની મધ્યમાં બનેલું અશોક ચક્ર આપણને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે.

તમે આવતીકાલનું ભવિષ્ય છો.. ત્યારે આ રંગોએ અર્પેલ મૂલ્યો ક્યારેય ન ભૂલશો.

ધર્મ જાતિના ભેદભાવ ભૂલી… માનવ બનવા આપણે પ્રયત્ન કરીયે તો તે સાચી આઝાદી.

કોઈના આંસુ લૂછી શકીયે તો તે સાચી આઝાદી.

આઝાદીને જીવન્ત રાખવા આપણે પરસ્પર પ્રેમ અને લાગણીઓને જીવન્ત રાખીશું.

-કોઈને પીડા ન પહોંચાડીયે,કોઈનું ન છીનવી લઈએ, કોઈને અન્યાય ન કરીએ…. તો દેશ સાચા અર્થમાં સ્વતંત્ર થયો ગણાય.

-આ શુભ અવસર પર આપણે રાષ્ટ્ર નિર્માણ,દેશનો વિકાસ અને તેનું સન્માન જાળવી રાખવાનો સંકલ્પ લઈએ.

એક વિધાર્થીઓ તરીકે તમે સાચા મૂલ્યો દ્વારા સત્ય, ન્યાય અને પ્રમાણિકતાને માર્ગે ચાલો તો તે સાચી આઝાદી.

સ્વતંત્રતા દિવસના આ શુભ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 

હિંદ છોડો આંદોલનમાં શહીદ થનાર અડાસના 5 શહીદવીરોને શ્રદ્ધાંજલિ


-શૈલેષ રાઠોડ

જલીયાવાલા બાગની મીની આવૃતિ સમાન આણંદ તાલુકાના અડાસ ગામે આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે દિલ્હી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરત આવી રહેલ ગુજરાતના પાંચ યુવાઓએ અંગ્રેજોની ગોળીએ શહાદત વ્હોરી હતી. અડાસ ગામે હિંદ છોડો આંદોલનમાં શહાદત વહોરનાર શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ દર વર્ષે ૧૮મી ઓગષ્ટના રોજ યોજવામાં આવે છે. બુધવારના રોજ અડાસ ખાતેના શહીદ સ્મારક ખાતે શહીદોને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
પૂ.ગાંધી બાપુ દ્વારા અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે શરૂ કરાયેલ હિંદ છોડો આંદોલનમાં ૩૪ યુવાનોની ટીમ દિલ્હીમાં ધ્વજ ફરકાવી પરત ફરી રહી હતી. જેમાં સામેલ ગુજરાતના પાંચ યુવાનોને અંગ્રેજ શાસનના પોલીસ અધિકારીઓ શોધી રહ્યા હતા. દિલ્હીથી મુંબઈ થઈ વડોદરા આવેલ આ પાંચ યુવાનો વડોદરાથી પગદંડી મારફતે આણંદ આવ્યા હતા. દરમ્યાન અડાસ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ટ્રેનમાં અંગ્રેજ શાસનના પોલીસ અધિકારીઓની નજર આ યુવાનો ઉપર પડતા પોલીસની નજરથી ભાગવા જતા પોલીસ ગોળીબારમાં આ પાંચેય યુવાનો ઘવાયા હતા.

જેમાં ચાર યુવાનો સ્થળ ઉપર જ ઢળી પડયા હતા. જ્યારે એકને પગમાં ગોળી વાગતા ગ્રામજનોએ તેઓને આણંદ ખાતે હોસ્પિટલમાં ખસેડયા હતા.

સ્મારક સ્થળ

અડાસ ખાતેના આ ગોળીબારમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભાદરણના રતિલાલ ગોરધનભાઈ પટેલ, ધર્મજના રમણભાઈ પુરસોત્તમભાઈ પટેલ, બાલાસિનોરના તુલસીદાસ સાકળચંદ મોદી, ચાણસ્માના મણીલાલ પુરસોત્તમદાસ પટેલ અને દહેગામના મોહનલાલ મગનલાલ પટેલને આજે તેમની પુણ્યતિથિએ અડાસ ખાતે આવેલ શહીદ સ્મૃતિ ખાતે ત્રિરંગો લહેરાવી ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.


શહીદી વહોરનારા ચરોતરના વીર

મહાત્મા ગાંધીજીના કરેંગે યા મરેંગે, અંગ્રેજો ચાલ્યા જાવ, નો સંદેશો ગામે ગામ પહોંચાડવા વડોદરાથી નિકળેલ ૩૪ નવયુવાનો પૈકી અડાસ ખાતે ભાદરણના રતિલાલ ગોરધનભાઈ પટેલ (ઉં.વ.૨૩ વર્ષ), ધર્મજના રમણભાઈ પુરસોત્તમદાસ પટેલ (ઉં.વ.૨૦ વર્ષ) અને દહેગામના મોહનલાલ મગનલાલ પટેલ (ઉં.વ.૨૦)ને પોલીસની ગોળીએ વીંધી નાખ્યા હતા અને આ ત્રણ યુવાઓએ અડાસ રેલ્વે સ્ટેશન ખાતે શહીદી વહોરી હતી અને ઘાયલ થયેલ અન્ય બાલાસિનોરના તુલસીદાસ સાંકળચંદ મોદી (ઉં.૨૧ વર્ષ) અને ચાણસ્માના મણીલાલ પુરૂષોત્તમદાસ (ઉં.વર્ષ ૨૦) બીજા દિવસે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય ૨૯ નવયુવાઓ ઘાયલ થયા હતા.

-શૈલેષ રાઠોડ

તમિલનાડુએ દલિત ખ્રિસ્તીઓને લાભ આપવા માટે બંધારણીય સુધારાનો ઠરાવ અપનાવ્યો


તમિલનાડુએ દલિત ખ્રિસ્તીઓને લાભ આપવા માટે બંધારણીય સુધારાનો ઠરાવ અપનાવ્યો
વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ વિરોધમાં વોકઆઉટ કરી ગયા.
તમિલનાડુ એસેમ્બલીએ બુધવારે એક ઠરાવ પસાર કરીને કેન્દ્રને બંધારણમાં સુધારો કરવા અને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા અનુસૂચિત જાતિના લોકોને સમાન અધિકારો, સંરક્ષણ, છૂટછાટો અને અનામતનો વિસ્તાર કરવા હાકલ કરી હતી.
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન બુધવારે ચેન્નાઈમાં રાજ્ય વિધાનસભામાં બોલે છે. રાજ્ય સરકારે એસેમ્બલીમાં એક ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા આદિ દ્રવિડિયનોને અનામત આપવા માટે કાયદામાં સુધારા લાવવા વિનંતી કરી.


ઠરાવમાં “ભારત સરકાર દ્વારા ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા અનુસૂચિત જાતિઓને અનામત સહિત વૈધાનિક સંરક્ષણ, અધિકારો અને છૂટછાટો આપવા માટે બંધારણમાં સુધારો કરવા” કહેવામાં આવ્યું હતું, જેથી તેઓ તમામ પાસાઓમાં સામાજિક ન્યાયનો લાભ મેળવી શકે.
વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ વિરોધમાં વોકઆઉટ કરી ગયા.

મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને, જેમણે ઠરાવ રજૂ કર્યો, જણાવ્યું હતું કે દલિત ખ્રિસ્તીઓને ધાર્મિક પરિવર્તનના આધારે આદિ દ્રવિદાર (દલિત) સમુદાયના અન્ય સભ્યો દ્વારા પ્રાપ્ત અધિકારોને નકારવા તે અયોગ્ય છે.

“લોકોને તેમની પસંદના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે, પરંતુ તેમની જાતિ બદલાતી નથી. આદિ દ્રવિડર લોકો અન્ય ધર્મો અપનાવ્યા પછી પણ અસ્પૃશ્યતા જેવા જાતિય અત્યાચારો સહન કરે છે,” સ્ટાલિને કહ્યું.
“અમારું વલણ એ છે કે તેઓ (દલિત ખ્રિસ્તીઓને) માત્ર એટલા માટે અધિકારોથી વંચિત ન કરવા જોઈએ કારણ કે તેઓ અન્ય ધર્મમાં પરિવર્તિત થયા છે. જાતિ એ સામાજિક રોગ છે.

સ્ટાલિને વિનંતી કરી ન્યાયાધીશ (નિવૃત્ત) કે.જી. બાલકૃષ્ણન કમિશન, ઓક્ટોબર 2022 માં કેન્દ્ર સરકાર દ્વારા નીમવામાં આવ્યું હતું કે શું આરક્ષણ દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સુધી લંબાવી શકાય કે કેમ તે અભ્યાસ માટે રાજ્ય સરકારોના મંતવ્યો એકત્રિત કર્યા પછી જ તેનો અહેવાલ રજૂ કરે છે.

હાલમાં, SC તરીકે નોકરીઓ અને શિક્ષણમાં અનામતનો બંધારણીય અધિકાર બંધારણ (અનુસૂચિત જાતિ) ઓર્ડર, 1950 અનુસાર માત્ર હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મના લોકોને જ વિસ્તર્યો છે. પરંતુ કાર્યકરો દાયકાઓથી દલીલ કરે છે કે SCની છત્રછાયા ખ્રિસ્તી અથવા ઇસ્લામ ધર્મ અપનાવનાર દલિત લોકોને અનામત આપવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ હાલમાં એવી અરજીઓ પર સુનાવણી કરી રહી છે જેમાં દલીલ કરવામાં આવી છે કે અનુસૂચિત જાતિના ક્વોટાને દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સુધી લંબાવવો જોઈએ. ડિસેમ્બર 2022 માં, કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે જસ્ટિસ રંગનાથ મિશ્રા કમિશનનો અહેવાલ, જેમાં ખ્રિસ્તી અને ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરનારા દલિતોને એસસી ક્વોટા પ્રદાન કરવાની ભલામણ કરવામાં આવી હતી તે ખામીયુક્ત છે.

ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોઈમ્બતુર (દક્ષિણ)ના ધારાસભ્ય વનથી શ્રીનિવાસને પાર્ટીના વોકઆઉટનું નેતૃત્વ કર્યું હતું.

શ્રીનિવાસને કહ્યું, “કેન્દ્ર સરકાર પહેલાથી જ બાલકૃષ્ણન કમિશન દ્વારા આ મુદ્દાની તપાસ કરી રહી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. ગયા અઠવાડિયે પણ આ બાબત સુપ્રીમ કોર્ટમાં આવી હતી અને કેસની સુનાવણી જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે. તેથી, જ્યારે તે કોર્ટમાં છે, અને કેન્દ્ર સરકાર તેની તપાસ કરી રહી છે, ત્યારે હવે આ ઠરાવ લાવવાની જરૂર કેમ છે?
સ્ટાલિને બંધારણીય સુધારા દ્વારા 1956માં શીખો અને 1990માં બૌદ્ધોના સમાવેશને ટાંક્યો અને કહ્યું કે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા આદિ દ્રવિડરો (દલિતો) પણ આવા જ સુધારાની અપેક્ષા રાખતા હતા. “તામિલનાડુમાં, દલિત ખ્રિસ્તી વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનો ઘણી શિષ્યવૃત્તિઓ મેળવે છે, અને તે માત્ર વાજબી છે કે તેઓને અનામતનો લાભ પણ મળે,” તેમણે કહ્યું.

(ANI ફોટો) (ANI)

ખંભાતની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર પ્રાચીન તસવીરો


◼️ખંભાત ની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર ….
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશ ના આણંદ જિલ્લામાં આવેલ મારી જન્મ ભૂમિ ખંભાત ની અનોખી ઐતિહાસિક ગાથા ની ઝલક કરાવું.
◼️એક સમયે ખંભાતના બંદરની જાહોજલાલીથી વિશ્વના દેશો અંજાયા હતા, એ ખંભાતની ઐતિહાસિક ઈમારતોના વિખેરાઈને પડેલા કાળમીંઢ પથ્થરો મુક બની ને જાણે મારી સામે એમને વીતાવેલા સુવર્ણ વર્ષોના ઈતિહાસની સાક્ષી પુરી રહ્યા હોય એવું મને લાગે છે.

◼️અહીં અનેક ઇમારતો આજેય ઈતિહાસની યાદોને વાગોળતી કણસતી જોવા મળી રહી છે.

◼️હું તમારી સાથે ખંભાત નો આ મહામૂલો અમૂલ્ય વારસો share કરવા માગું છે. જે કદાચ તમને ભાગ્યે જ જોવા મળશે.
પુસ્તકો ના પાનાં માં સચવાયેલો મારા ખંભાત ની આ શાન છે.

-શૈલેષ રાઠોડ

કર્મશીલ વિનુભાઈ દેસાઈભાઈ પટેલ આવજો..નડિયાદ શહેરે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવ્યા




નડિયાદના વરિષ્ઠ આગેવાન તેમજ એક દીર્ઘદ્રષ્ટા,ગાંધીમૂલ્યો સાથે જીવન જીવનાર વિનુભાઈ દેસાઈભાઈ પટેલનું 83 વર્ષની વયે અવસાન થતાં શહેર સહિત જિલ્લાએ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવ્યા.




નડિયાદના વરિષ્ઠ આગેવાન તેમજ એક દીર્ઘદ્રષ્ટા,ગાંધીમૂલ્યો સાથે જીવન પસાર કરનાર, સ્પષ્ટ વક્તા, ઉત્તમ ફોટોગ્રાફર, વિચારક, કર્મશીલ, કોઈ કામમાં નાનમ ન અનુભવે તેવા વિનુભાઈ દેસાઈભાઈ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા. આજે 83 વર્ષની વયે તેમનું અવસાન થતાં શહેર સહિત જિલ્લાએ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવ્યા છે.




વિઠ્ઠલકન્યા વિદ્યાલયના પ્રથમ આચાર્ય દેસાઈભાઈના પુત્ર, દિનશા પટેલના સાળા એવા વિનુભાઈના અક્ષરો મરોળદાર હતા



83 વર્ષના વિનુભાઈ દેસાઈભાઈ પટેલ તેઓ એક દીર્ઘદ્રષ્ટા,ગાંધીમૂલ્યો સાથે જીવનાર સ્પષ્ટ વક્તા,ઉત્તમ ફોટોગ્રાફર,વિચારક, કર્મશીલ,કોઈ કામમાં નાનમ નહીં.
વિઠ્ઠલકન્યા વિદ્યાલયના પ્રથમ આચાર્ય દેસાઈભાઈના પુત્ર, દિનશા પટેલના સાળા એવા વિનુભાઈના અક્ષરો મરોળદાર હતા. એક સમયે દિનશા પટેલના તમામ પત્રોના ઉત્તર તેમના અક્ષરે લખાતા. વિનુભાઇ પટેલ એક ઉત્તમ ફોટોગ્રાફર પણ‌ હતા. કોઈપણ કાર્યક્રમમાં તે ગળે કેમેરો લટકાવેલ જોવા મળે. વિનુભાઇ પટેલ સહુને પ્રેમપૂર્વક મળતાં. સહુની કાળજી લેતાં.પીડિતો,દુઃખીને સાંભળવા તેમને ગમે, તેઓ સહુને હૂંફ આપતાં હતા.



એક પ્રેમાળ કલાકાર કે જેમણે સાદગીમાં જીવી પ્રકૃતિનો આનંદ લૂંટ્યો છે




તેઓની ફોટોગ્રાફર તરીકેની કળા આજે પણ નડિયાદ સહિત અનેક ફોટોગ્રાફર પ્રેમીઓનુ કાયમી સંભારણું બની ગયું છે. એટલુ પુરતુ નહી તેઓ જે તસ્વીર પોતાના કેમેરામાં કંડારતા તે દરેક તસ્વીરની નીચે વિગતવાર અનુરૂપ પંક્તિ લખતા. એક પ્રેમાળ કલાકાર કે જેમણે સાદગીમાં જીવી પ્રકૃતિનો આનંદ લૂંટ્યો છે. આજે તેમનું અવસાન થતાં નગરજનો સહિત જિલ્લાભરમાં ભારે શોકનું મોજું પ્રવર્તિ ગયું છે.

વિનુભાઈ દેસાઈભાઈ પટેલ

વિનુભાઈ દેસાઈભાઈ પટેલ…આપણી વચ્ચે નથી રહ્યા.


વિનુભાઈ દેસાઈભાઈ પટેલ…
આપણી વચ્ચે નથી રહ્યા.
તેઓ એક દીર્ઘદ્રષ્ટા,ગાંધીમૂલ્યો સાથે જીવનાર સ્પષ્ટ વક્તા,ઉત્તમ ફોટોગ્રાફર,વિચારક, કર્મશીલ,કોઈ કામમાં નાનમ નહીં.

વિનુભાઈ દેસાઈભાઈ પટેલ


વિઠ્ઠલકન્યા વિદ્યાલયના પ્રથમ આચાર્ય દેસાઈભાઈનાં પુત્ર, દિનશા પટેલના સાળા એવા વિનુભાઈના અક્ષરો મારોળદાર.એક સમયે દિનશા પટેલના તમામ પત્રોના ઉત્તર તેમના અક્ષરે લખાય.
દિનશા પટેલના જીવન અંગે પુસ્તક લેખન વખતે અનેક વાર તેમને મળવાનું થતું. એમપણ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળના કેમ્પસમાં અમે જયારે રહેતા ત્યારે વારંવાર મુલાકાત થાય.
તેઓ એક ઉત્તમ ફોટોગ્રાફર. કોઈપણ કાર્યક્રમમાં તે ગળે કેમેરો લટકાવેલ જોવા મળે. તેઓ સહુને પ્રેમપૂર્વક મળતાં.સહુની કાળજી લેતાં.પીડિતો,દુઃખીને સાંભળવા તેમને ગમે.તેઓ સહુને હૂંફ આપતાં.
તેઓ,
સમયાંતરે બાળકોને સફાઈમાં ઉભું ઝાડુ કેમનું મારવું તે નિયમિત શીખવતા.
અમે ભેગા મળીયે એટલે ખૂબ વાતો કરતા.તેઓ મારા ઘરે વર્ષો જુના આલ્બમ લઈને આવતા.તેઓ વર્ષો જૂની પોતે પાડેલી તસવીરોના આલ્બમ લઈને આવે અને દરેક તસ્વીરની વિગતે વાત કરે.દરેક તસ્વીર નીચે સરસ મઝાની તસ્વીરને અનુરૂપ પંક્તિ લખતા.
એક પ્રેમાળ કલાકાર કે જેમણે સાદગીમાં જીવી પ્રકૃતિનો આનંદ લૂંટ્યો, અનેકોના આંસુ લુછ્યા અને… સહુને મૂકી ઈશ્વરને શરણે થયા.


અહીં પ્રથમ તસ્વીર વિનુભાઈની અને અન્ય તસવીરો તેમના કેમેરામાં કંડારાયેલી.
તા.05/04/2023

નડિયાદ ખાતે ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રા યોજાઈ




તપઋતુના 45 દિવસના સમયગાળા દરમિયાન માનવ મુક્તિ ખાતર પ્રભુ ઈસુએ બેઠેલી યાતનાઓનું સ્મરણ કરીને કૅથલિક શ્રદ્ધાળુઓ દ્વારા, પ્રાર્થના અને પ્રાયશ્ચિત માટે પ્રતિ સપ્તાહ ક્રૂસના માર્ગની ભક્તિ; વિવિધ સોસાયટીઓમાં અને ચર્ચમાં યોજવામાં આવે છે.
નડિયાદ ખાતે ડુમરાલ રોડ પર આવેલા કેથોલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે આજે તા: ૩૦-૦૩-૨૦૨૩ના રોજ ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કૅથલિક શ્રદ્ધાળુઓએ ભાગ લઈને પ્રાર્થના કરી હતી. ચૌદ સ્થાનમાં વહેંચાયેલી આ ભક્તિ યાત્રા દરમિયાન પ્રભુ ઈસુના અંતિમ સમયના વેદના-પ્રસંગોનું સ્મરણ કરીને; મનન-ચિંતન અને પ્રાર્થના કરવામાં આવે છે. એક નિર્દોષ પયગંબર અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુએ માનવ મુક્તિ ખાતર પોતાના પ્રાણ પાથર્યા એનું સ્મરણ કરીને સારું જીવન જીવવા માટે પ્રેરણા મેળવવામાં આવે છે. સાથે સાથે ત્રીજા દિવસે પ્રભુ ઈસુ પુનઃ સજીવન થયા એ યાદ કરીને ખ્રિસ્તી શ્રદ્ધાનો પાયો મજબૂત કરવામાં આવે છે.
આ પ્રસંગે આદરણીય ધર્મગુરુઓ પૂ. ફા કુમાર, પૂ. ફા. જીગ્નેશ, પૂ. ફા. જોસ્ટન, પૂ. ફા.ફ્રાન્સિસ ઉપસ્થિત રહ્યા હતા. આલફોન્સ ભાઈ, પૉલ ભાઈ, મયંકભાઇ અને તેમની ટીમે ક્વાયર (ભજન મંડળ) સંભાળ્યું હતું. ભક્તિ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શ્રી કાંતિભાઈ પી. પરમાર અને મિશન રોડ પ્રેયરગૃપે કર્યું હતું.

SARKARIYOJNAવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2023


વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 ની હાઇલાઇટ્સ સંસ્થા નુ નામ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી – VNSGU પોસ્ટનું નામ આસિસ્ટન્ટ પ્રોફેસ૨ અરજી કરવાની છેલ્લી તારીખ 24/03/2023 અરજી મોડ ઓનલાઇન સત્તાવાર વેબસાઇટ https://vnsgu.ac.in

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 ની હાઇલાઇટ્સ
સંસ્થા નુ નામ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી – VNSGU
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ પ્રોફેસ૨
અરજી કરવાની છેલ્લી તારીખ 24/03/2023
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ https://vnsgu.ac.in

કેન્યાની રિફ્ટ વેલી:તિરાડ નહીં જોડાણ



નરોબી(કેન્યા)થી મસાઈમારા માર્ગ ઉપર આવે સુંદર રિફ્ટ વેલી.આ વેલી એટ્લે પ્રચલિત છે કારણ કે તે કેન્યાને બે ભાગમાં વહેચે છે.ઉત્તરથી દક્ષિણમાં વિસ્તરેલી આ વેલીને કારણે કેન્યા બે ભાગમાં વહેચાઈ જાય છે.એટલું જ નહીં તે ગ્રેટ રિફ્ટ વેલીનો હિસ્સો છે.એટ્લે કે તાન્ઝાંનીયા થી ઇથોપિયા સુધી ફેલાયેલી ખીણ નો ભાગ.8000 ફિટ ઊંચાઈ ઉપર આવેલી આ વેલી વહેલી સવારે કુદરતનો રોમચક અનુભવ કરાવે.વાદળો આપણને સ્પર્શ કરે અને ઠંડા પવનો ધ્રુજાવિ દે.ધુમ્મસ પછી તડકો આહલાદક લાગે.અહી દૂર ધુમાડા નજરે પડે.છતાય અહી લોકો રહે છે અને લાકડાની વસ્તુઓનું નિર્માણ કરે છે તેમજ ખેતી પણ કરે છે.

રિફ્ટ એટલે બે વ્યક્તિ કે બે ગ્રૂપની તિરાડ, ઝઘડો કે તેઓ વ્યક્તિગત – સામાજિક રીતે અલગ થાય એ.પણ કેન્યાના નૈરોબીમાં પ્રવેશ પછી હું અને નાનો ભાઈ લાલુ ઉર્ફે વિપુલ કે જે નૈરોબીમાં રેડિંગ્ટન કંપનીમાં કન્ટ્રી મેનેજર છે તેની સાથે રિફ્ટ વેલી પહોચ્યો.અમે બંને ઘણા વર્ષો પછી એકદમ નજીક રહ્યા અને ઓતપ્રોત પણ.

૧૯મી સદીના અંગ્રેજ અન્વેષક જહોન ગ્રેગરીએ એશિયાના સિરિયાથી શરૂ કરીને આફ્રિકાના મોઝામ્બિક સુધીની ૩૫૦૦ માઇલ લાંબી ખીણને ‘ધ ગ્રેટ રિફ્ટ વેલી’ નામ આપ્યું. આ ખીણ કેન્યાને બે ભાગમાં વહેંચતા પ્રાંતનું નામ છે રિફ્ટ વેલી પ્રોવિન્સ.કુદરતી સૌંદર્યથી ભરપુરઆ સ્થળે પહોચવાનો આનંદ હતો.

રિફ્ટ એટ્લે બે ભાગ-સંબંધમાં તિરાડ પડે એટ્લે “રીફ્ટ’.‘રિફ્ટ’ શીર્ષકની પસંદગીમાં શબ્દના બંને અર્થ છે. ઉત્તર અમેરિકાની ભૂસ્તરીય રિફ્ટની પણ વાત છે કે જેના કારણે ભયંકર ભૂકંપ આવે છે. તો એની સાથે કાળા ગોરાના વંશીય રિફ્ટની, તેઓના સામાજિક ભાગલાની વાત પણ વણી લેવાઇ છે.પરેશ વ્યાસે નોધ્યું છે તેમ-નોર્વે અને ડેન્માર્કમાં રિફ્ટ એટલે વહેંચાયેલું અથવા વિભાજીત. પૃથ્વીના પોપડામાં કે શિલાવરણમાં ભાગલા પડતા જાય તેને રિફ્ટ કહેવાય, જેનાથી ધરતીકંપ કે ત્સુનામી પણ આવી શકે. પતિ-પત્ની વચ્ચેના દાંપત્યજીવનમાં રિફ્ટ પડે તો છુટાછેડાય થાય.

અમેરિકન લેખક વોલ્ટેર વિલિયમ્સે ૧૯૯૯માં ‘ધ રિફ્ટ’ નામની નવલકથામાં ધરતીકંપ થશે ત્યારે કેટલી તબાહી થશે તેનું ભવિષ્ય ભાખ્યું છે. ‘રિફ્ટ’ શીર્ષકની પસંદગીમાં શબ્દના બંને અર્થ છે. ઉત્તર અમેરિકાની ભૂસ્તરીય રિફ્ટની પણ વાત છે કે જેના કારણે ભયંકર ભૂકંપ આવે છે. તો એની સાથે કાળા ગોરાના વંશીય રિફ્ટની, તેઓના સામાજિક ભાગલાની વાત પણ વણી લેવાઇ છે.

કુદરતી સૌંદર્યથી ભરપુર આ પ્રાંતમાં અહીથી જીવતા જ્વાળામુખી નજરે પડે.રિફ્ટ ના અર્થ મુજબ અમે બે પ્રદેશને વહેચાયેલો જોયો પણ હું અને વિપુલ લીન હતા પરિવારને વધુ મજબૂત બાનવવાની વાતોમાં.તિરાડ, ઝઘડો કે તેઓ વ્યક્તિગત – સામાજિક રીતે અલગ થાય એ પણ અહી અમે બે ભાઈઓનુ મિલન થયું.મે અને વિપુલે આ ભૌગોલિક પ્રસિધ્ધ જગ્યાએ ભેગા થઈ અસીમ આનંદ લૂંટયો.ભારત અને કેન્યાના સંબધોની વાત કરી.પરિવારને જોડતી બાબતોની ચર્ચા કરી.અમે બે પ્રદેશને જોડતી રેખા ઉપર એકાકાર થઈ ગયા.ગાડીમાં જ થરમોસમાં ભરી લાવેલ ચા ની ચુસ્કી મારવાનો લાહવો લીધો.ગરમ ચા ની વરાળ અને જ્વાળામુખીના ધુમાડા ને નિરખાતા નિરખાતા કેન્યાને માણ્યો-જાણ્યો.

ધો.10 આદર્શ ઉત્તરવહીઓ


નીચેની લિંક ઉપર ક્લિક કરો..

બોર્ડની પરીક્ષામાં કેવી રીતે ઉત્તર લખવા તેની સમજ કેળવાશે. આ રીતે ઉત્તર લખી વધુ ગુણ મેળવો

https://drive.google.com/file/d/13XrieYxbZaDaJiFrmEIgWbqtVqrHc2Va/view?usp=drivesdk

બીજમાંથી વટવૃક્ષ નડિયાદનું શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ


“અમારી બંને વચ્ચે એક વસ્તુ સામાન્ય હતી, દેશને સારું જીવવાની અને મરવાની ધગશ.”

આ શબ્દોથી પૂજ્ય ગાંધીજીએ જેમને નવાજ્યા તે દેશભક્ત વીર વિઠ્ઠલભાઈનું 1933 માં પરદેશમાં અવસાન થયું.ખેડા જિલ્લાની પ્રજાએ તેમના સ્મારકમાં અનેક વિઠ્ઠલભાઈ પેદા કરી શકે એવી માતાઓ તૈયાર કરવા એક નમૂનેદાર કન્યા વિદ્યાલય સ્થાપવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે એક સમિતિ રચાઈ,જેની સભામાં તારીખ 18/11/1934 ના રોજ વિઠ્ઠલ કેળવણી મંડળ નામનું મંડળ સ્થપાયું.

લીમડાનું વૃક્ષ જ્યાં મહાત્મા ગાંધીએ સહુને સંબોધ્યા

આપણા દેશની આઝાદીની લડત દરમિયાન ગઈ સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીએ મેકોલેએ આપેલી કેળવણીના તરાહના વિકલ્પ તરીકે શિક્ષણની એક નવી જ તરાહ આપણને આપી. 1919 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. તેના પગલે ગુજરાતમાં જે બીજી રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ઊભી થઈ તેમાં કન્યા કેળવણી માટે નડિયાદમાં શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય મોખરાના સ્થાને છે. જેમાં સ્વાતંત્ર સેનાનીઓના ઘણા સંતાનો એ તાલીમ લીધી છે.

વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક

શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ 1934 માં સ્થપાયું અને 1935 માં શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નું ગાંધીજીએ સંતરામ મંદિરમાં ઉદ્ઘાટન કર્યું.

1935 માં વિશ્વવિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વાવેલું કન્યા કેળવણીનું બીજ વટ વૃક્ષ થઈ ઊભું છે. તેની શાખા પ્રશાખાઓ અને વડવાઈઓ આજે કેટલાય પથિકોને શિતળ છાય આપતી રહી છે. સંસ્થાની ચોક્કસ ધ્યેયલક્ષી ગતિશીલતાએ અનેક દીકરીઓને સ્પષ્ટ ધ્યેય સાથેનું ઉન્નત જીવન આપ્યું છે.

“વૃક્ષોના પારખા ફળ ઉપરથી”એ ન્યાયે આજે આ સંસ્થાની દીકરીઓ વિસ્તરી છે, વિક્સી છે.

તારીખ 30/10/36 ના રોજ સ્વ.શેઠ જમનાલાલ બજાજ ના શુભ હસ્તે કન્યા છાત્રાલય શરૂ કરાયું.

તારીખ 10/03/42 ના રોજ સરદાર સાહેબના હસ્તે કન્યા વિદ્યાભવનનું ઉદ્ઘાટન કરાયું

તારીખ 13/06/1956ના રોજ સ્વ.મોરારજીભાઈ દેસાઈના વરદ હસ્તે અધ્યાપન મંદિર નું ઉદ્ઘાટન કરાયું

-શૈલેષ રાઠોડ

આનંદના પાંચ માર્ગ


List five things you do for fun.
આનંદ માટેના પાંચ માર્ગ


આનંદના માર્ગ ઘરમાં જ

-પ્રવાસ અને તેમાંય લોન્ગ ડ્રાઈવ… આનંદ માટેનો સરળ માર્ગ. જેમાં દુનિયાને વિસરી પોતાનામાં મસ્ત થવાનું મળે.
-લેખ લખવો… મારા આનંદનો બીજો માર્ગ
-ત્રીજો માર્ગ બાળકો સાથે રમવું, ઓતપ્રોત થવું.
-ચોથો માર્ગ મિત્રોને કે સ્નેહીઓની મુલાકાત
-મનપસંદ વિડીયો જોવો

રાજ્યભરના યુવાનો માટે યુવા અહિંસક નેતૃત્વ શીબીર


રાજ્યભરના યુવાનો માટે યુવા અહિંસક નેતૃત્વ શીબીર
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રીષ્મ શિબિરના ભાગરૂપે ગ્રામ સેવા કેન્દ્ર, દેથલી મુકામે યુવા અહિંસક નેતૃત્વ શીબીર આયોજિત કરવામાં આવેલ. આ શિબિર સાચે જ અનોખી એટલા માટે હતી, કેમકે ગાંધી મૂલ્યો સાથે ઉત્તમ સમાજ ઘડતર માટે અહીં ગુજરાતનાં ખૂણે ખૂણેથી આવેલા પ્રગતિશીલ અને પ્રવૃતિશીલ યુવક યુવતીઓ આવ્યા હતા.



જેમાં ગુજરાતની અલગ અલગ ગ્રામ વિદ્યાપીઠ, કોલેજના કુલ ૩૬ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા.આ શિબિરમાં અહિંસક યુવા નેતૃત્વ વિશે અનેક ચર્ચાઓ, રમત દ્રારા જ્ઞાન, જૂથ ચર્ચા, રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રભાતફેરી,સફાઈ, એશિયાનાની સૌથી મોટી અમૂલ ડેરીની મુલાકાત, ત્વરીત નિર્ણય શક્તિ અંગેની રમતો અને આ શિવાય અનેક આ વિષયને ન્યાય આપવા માટે તજજ્ઞો પણ આવ્યા. આ શિબિર આજે જ્યારે ચારેય બાજુ પ્રત્યક્ષ અને પરોક્ષ હિંસા વ્યાપી રહી છે ત્યારે આ શિબિરમાં આવેલ ૩૬ વિદ્યાર્થીઓએ આવનાર સમયમાં કેવી રીતે કામ કરવું તેનું મનોમંથન કર્યું. અંતે એજ કે આવી શિબિરો દ્રારા જ જીવનઘડતર અને સમાજ ઘડતર થાય છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠ નો આભાર માનવો જ રહ્યો. જે સમાજનાં છેવાડાનાં જનને સાથે રાખીને આવી ઉત્તમ પ્રકારની શિબિરનું આયોજન કરે છે.

રાજ્યભરના યુવાનો માટે યુવા અહિંસક નેતૃત્વ શીબીરમાં શૈલેષ રાઠોડ

વિઠ્ઠલભાઈ પટેલ


વિઠ્ઠલભાઈ પટેલ

વિઠ્ઠલભાઈ પટેલ નો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ પાંચ ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા અને વલ્લભભાઈ કરતાં ૪ વર્ષ મોટા હતા. તેમનું બાળપણ કરમસદમાં વીત્યું હતું. ગોરધનભાઈ પટેલ અનુસાર ઘણાં આધુનિક દસ્તાવેજોમાં વિઠ્ઠલભાઈ પટેલની ખોટી જન્મ તારીખ દાખલ થઈ ગઈ છે. તેમના પાસપોર્ટ પર તેમની જન્મ તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ લખાયેલી છે. પરંતુ તેમના મૃત્યુ બાદ છ્પાયેલી જાહેરાતમાં તેમની ખોટી જન્મ તીથિ ૧૮ ફેબ્રુઆરી ૧૮૭૧ છપાતાં, અને તે પ્રચલિત થતાં ઘણી ગૂંચવણો જન્મી છે. આ તારીખને આધારે તેઓ વલ્લભભાઈ કરતાં માત્ર બે વર્ષ જ મોટા ગણાય.


તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તેમના માતા પિતા વૈષ્ણવ હિંદુ સંપ્રદાયના સ્વામીનારાયણ પંથના ભક્ત હતા. આ પંથ ભક્તિમય જીવન માટે નિજી જીવનની શુદ્ધિ પર ઘણો ભાર મુકે છે. તેમના માતા પિતાના આદર્શમય જીવનનો વિઠ્ઠલભાઈ અને તેમના ભાઈ વલ્લભભાઈના જીવન પર ઘણો પ્રભાવ પડેલો જોવા મળે છે. વિઠ્ઠલભાઈનો અભ્યાસ નડિયાદ અનેમુંબઈ માં થયો. ત્યાર બાદ તેમણે કર્મનિષ્ઠ વકીલ (પ્લીડર) તરીકે ગોધરા અને બોરસદના ન્યાયાલયોમાં કાર્ય કર્યું. ખૂબ નાની ઉંમરે તેમના લગ્ન દીવાળીબા નામની કન્યા સાથે થયા હતા.

તેમના નાનાભાઈ પણ તેમની જેમ જ પ્લીડર તરીકે ન્યાયાલયમાં વ્યવસાય કરતા હતા. બંને ભાઈઓને ઈંગ્લેંડમાં અભ્યાસ કરવાનું સપનું હતું. વલ્લભભાઈ પટેલે પાસપોર્ટ, ટિકિટ આદિ માટે જોઈતા પૈસા બચાવી, પાસપોર્ટ અને ટિકિટ કઢાવ્યા હતા. જ્યારે ટપાલી તે પરબિડિયું લઈ આવ્યો ત્યારે તેના પર મિ. વી. જે. પટેલ, પ્લીડર એમ લખ્યું હતું અને તે વિઠ્ઠલભાઈ ને મળ્યો. તે દસ્તાવેજ ઉપર વિઠ્ઠલભાઈએ પોતે પ્રવાસ કરવાનો આગ્રહ કર્યો, કેમકે જો મોટા ભાઈને મૂકીને નાનો ભાઈ વિદેશ જાય તો એ સમાજમાં વસમું લાગશે. મોટા ભાઈની લાગણીને માન આપીને વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈને ઈંગ્લેંડ જવાની રજા આપી અને તેમને ત્યાં રહેવાની સગવડ માટેનું ધન પણ આપ્યું. વિઠ્ઠલભાઈએ લંડન જઈ મિડલ ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને ૩૬ મહિનાનો અભ્યાસ ૩૦ મહિનામાં વર્ગમાં પ્રથમ ક્રમાંકે પૂર્ણ કર્યો. તેઓ ૧૯૧૩માં ગુજરાત પાછા ફર્યા અને ત્યાર બાદ તેઓ અમદાવાદ અને મુંબઈના ન્યાયાલયમાં જાણીતા બેરિસ્ટર બન્યા. તેમના પત્ની ૧૯૧૫માં અવસાન પામ્યા ત્યારબાદ તેઓ વિધુર જ રહ્યા.
તેઓ ક્યારેય પૂર્ણ રીતે ગાંધીજીની નેતાગીરી કે વિચારધારાના સમર્થક ન હતા. તેમ છતાં તેઓ કૉંગ્રેસની સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાયા. તેમને કોઈ ક્ષેત્રીય જનાધાર નહતો તેમ છતાં પણ ઉગ્ર ભાષણો અને જ્ય્વલંત લેખનો થકી તેઓ એક વગ ધરાવતા નેતા બન્યા હતા. ૧૯૨૨માં ચૌરી ચૌરા કાંડ પછી જ્યાંરે ગંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ પડતી મૂકી ત્યારે પટેલે કૉંગ્રેસ છોડી અને ચિત્તરંજનદાસ અને મોતીલાલ નહેરૂ સાથે મળી સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટીનો ઉદ્દેશ ધારાસભાઓમાં બહુમતી મળવી ધારાસભા થકી સત્તા ઉથલાવી પાડવાનો હતો. અલબત્ આ પાર્ટી માત્ર કૉંગ્રેસમાં ભાગલા પાડવા પૂરતી જ સફળ રહી અને છેવટે તેમાં પણ ભાગલા પડ્યા. તેમ છતાં અસહકારની ચળવળ બંધ પડ્યા પછી રાષ્ટ્રમાં વ્યાપેલા ગાંધીજીના વિરોધીઓમાં વિઠ્ઠલભાઈ પટેલ એક પ્રમુખ અવાજ બની રહ્યા.

વિઠ્ઠલભાઈ બોમ્બે લેજીસ્લેટેવ કાઉન્સીલની બેઠક જીત્યા હતા, જોકે આ કાઉન્સીલ પાસે કોઈ વિશેષ કાર્ય હતું જ નહિ. રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડત, સ્વરાજ્ય કે લોકહિતના કાર્યો આદિમાં વિઠ્ઠલભાઈ કશી મહત્વપૂર્ણ ઉપલબ્ધી ન મેળવી શક્યા પરંતુ તેમની વિનોદી અને બુદ્ધિમાન વકૃત્વ કળા, બ્રિટિશ રાજના અધિકારીઓની ઝાટકણી આદિને કારણે તેમને નામના મળી. ૧૯૧૪ના મુંબઈના “ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનીસીપાલિટી એક્ટ અમેન્ડમેંટ બિલ” અને ” ધ ટાઉન પ્લાનીંગ બિલ”માં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો.
પ્રાથમિક શિક્ષણના મુંબઈ શહેરની બહાર સમગ્ર બોમ્બે પ્રેસીડેંસીમાં લાગુ કરવાના તેમના ૧૯૧૭ના પ્રસ્તાવે તેમને ઘણી નામના મેળવી આપી. ઘણી લાંબી લડત પછી, અમુક સુધારા વધારા સાથે તે બિલ છેવટે પસાર થયું. તેમના ધારા સભ્ય તરીકેના સમગ્ર કાળ દરમ્યાન તેમણે વૈદકીય બાબતને લાગતા ઘણાં ખરડાઓ માટે લડ્યા. ૧૯૧૨માં બોમ્બે મેડિકલ એક્ટમાં ચૂક કરનાર ડૉક્ટરો માટે સજાની જોગવાઈ તેમણે ઉમેરાવી હતી. આ સુધારામાં આયુર્વેદિક ચિકિત્સકો શામેલ ન હતા. ૧૯૨૩માં તેઓ સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં ચુંટાઈ આવ્યા અને ૧૯૨૫માં તેઓ એ એસેમ્બ્લીના પ્રમુખ કે સ્પીકર બન્યા.

એસેમ્બેલીના પ્રમુખ તરીકે તેમણે કાર્ય કરવાની પદ્ધતિઓ અને રીતો પ્રસ્થાપિત કરી. ૧૯૨૮માં તેમણે ભારત સરકારના વ્યવસ્થાપનથી બહાર એસેમ્બેલીની પોતાનું કાર્યાલય સ્થાપ્યું. તેમણે સ્ટેટસ ક્યૂઓ માટેના કાસ્ટિંગ વોટ સિવાયના મુદ્દાઓ પરની ચર્ચા પર પ્રમુખની નિષ્પક્ષતાની નીતિ દાખલ કરી.
૧૯૨૯માં ભારત સરકારના સમર્થકોએ વિઠ્ઠલઞાઈ પટેલને ઈમ્પિરીયલ લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રમુખ પદેથી દૂર કરવા પ્રયત્નો કર્યા. પણ આમૂલ પરિવર્તનશાળી રાષ્ટ્રવાદીઓને ખુશ રાખવા મથતા તે સમયના વાઈસરૉય લૉર્ડ ઈરવીને તે પ્રયત્ન સફળ થવા દીધો નહી. ઈરવીનના આ પ્રયત્નો સફળ રહ્યા નહી. ઈ.સ.૧૯૩૦માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરી અને આ ચળવળ સાથે સહાનુભૂતિ ધરાવતા વિઠ્ઠલભાઈ પટેલે લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. પૂર્ણ સ્વરાજ ના ઠરાવ પછી તેઓ ફરી કૉંગ્રેસમાં જોડાયા અને તેમને જેલ થઈ. ત્યાં તેમની તબિયત ખરાબ થતાં ૧૯૩૧માં એમને છોડી મૂકવામાં આવ્યા અને તેઓ ઈલાજ માટે યુરોપ ગયા. મીઠાના સત્યાગ્રહ પછી તેઓ ગાંધીજીના આક્રમક આલોચક સુભાષચંદ્ર બોઝના સમર્થક બન્યા. ૧૯૩૩માં બોઝને ઉત્તરપ્રદેશની ભોવાલી સેનેટોરિયમમાંથી ઈલાજ માટે યુરોપના વિયેના જવા મુક્તિ મળી. વિઠ્ઠલભાઈ પણ તે સમયે ઈલાજ માટે વિયેના ગયા હતા. આ બંને નેતાઓની વિચારધારા સમાન હોવાને કારણે બન્ને નેતાઓ એકબીજાની નજીક આવ્યા. તેમને સંયુક્ત નિવેદનમાં જણવ્યું હતું કે, “….રાજનૈતિક નેતા તરીકે ગાંધીજી નિષ્ફળ રહ્યા છે…. અને નેતાગીરિમાં બદલાવની જરૂર છે….” બોઝ અને પટેલ સમગ્ર યુરોપમાં ભંડોળ અને રાજનૈતિક ટેકા માટે સાથે ફર્યા. અન્ય નેતાઓ સહિત તેઓ આયર્લેંડના પ્રમુખ ઈમૉન ડી વલેરા ને મળ્યા. યુરોપમાં બોઝની તબિયત સુધરી પણ વિઠ્ઠલભાઈને તબિયત વધુ ખરાબ બની. તેઓ સુભાષબાબુના નિસ્વાર્થથી પ્રભાવિત થયા હતા અને તેઓ જાણતા હતા કે સુભાષબાબુને કૉંગ્રેસ તરફથી તેમના કાર્યો માટે એક પાઈ પણ મળશે નહિ. આથી તેમણે તેમને ૧,૨૦,૦૦૦ રૂપિયાની મિલકત સુભાષબાબુને તેમના રાજનૈતિક કાર્યો માટે આપી અને ૨ ઑક્ટોબર ૧૯૩૩ના દિવસે સ્વિત્ઝરલૅન્ડના જીનીવામાં અવસાન પામ્યા.
તેમની અંત્યેષ્ટી ૧૦ નવેમ્બરના દિવસે મુંબઈમાં કરવામાં આવી, જેમાં ૩ લાખ લોકો હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, તે ધન સુભાષબાબુ કોંગ્રેસની રાજનૈતિક કાર્યોમાં ખર્ચે એવી ઈચ્છા હતી. સુભાષબાબુએ તેમ કરવાની ના પાડી અને તેથી મુંબઈની હાઈ કોર્ટમાં દાવો મંડાયો. અંગ્રેજ ન્યાયાધીશો અનુસાર “ભારતના રાજનૈતિક ઉત્થાન” એ ઘણી અસ્પષ્ટ વ્યાખ્યા હતી, અને સુભાષબાબુને તે ધન મળી શક્યું નહિ. આ સમગ્ર કામ ચાલ્યું તે દરમ્યાન સરદાર પટેલ તટસ્થ રહ્યા. પરંતુ નવજીવન પ્રેસ, અમદાવાદ દ્વારા છપાયેલ તેમની જીવન કથામાં તે વીલની અધિકૃતતા પર પ્રશ્ન ઉઠાવાયો છે.

સરદાર સાહેબ સાથે વિઠ્ઠલભાઈ પટેલ

સેન્ટ અર્સલા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ,ડભાણ નડિયાદ ખાતે કેરિયર ગાઈડન્સ અને વ્યક્તિત્વ વિકાસ અંગે સેમિનાર યોજાયો




નડિયાદના ડભાણ સ્થિત પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળા સેન્ટ અર્સલા ખાતે માધ્યમિક અને ઉ. માધ્યમિક ના બાળકો માટે કેરિયર ગાઈડન્સ અને વ્યક્તિત્વ વિકાસ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં લેખક અને રાજ્ય રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક શૈલેષ રાઠોડ તેમજ સેન્ટ આંન્ના હાઈ.ના શિક્ષક અનિલ ક્રિષ્ટીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


આ સેમિનારમાં વક્તા શૈલેષ રાઠોડે જણાવ્યું હતું કે, આપણે મહત્તમ કિસ્સાઓમાં પ્રવાહની સાથે દોડતા હોઈએ છે. જ્યાં કેરિયર માટે સ્પર્ધા વધુ અને તકો ઓછી હોય છે. લાખોની ફી ભરી કોચિંગ ક્લાસમાં ભણતા બાળકોમાં સફળતાનો રેશીયો 20 ટકા હોય છે ત્યારે 80ટકા બાળકો માર્ગદર્શનને અભાવે કોચિંગ સેન્ટરોને તગડી કમાણી કરાવે છે અને પરિવારના પૈસાનો વ્યય કરે છે. વિધાર્થીએ દોરવાયા દોરવાવાનું નથી પરંતુ સ્વયં મૂલ્યાંકન કરવાનું છે કે હું કેટલે અંશે ક્યા કોર્ષ માટે યોગ્ય છું.
સફળ કારકિર્દીનો આધાર મહેનત કરતાં યોગ્ય દિશા સાથે અને સહાયક પરિબળોની સમજણ સાથે રહેલો છે. “આ પ્રસંગે શૈલેષ રાઠોડે ધો 10 અને ધો.12 પછીના અભ્યાસક્રમોની માહિતી ઉપરાંત વર્ષ 2022 માં ક્યા પ્રકારના કોર્ષ અને કેરિયરની માંગ રહી અને આવનાર દિવસોના કયો ટ્રેન્ડ રહેશે તેની માહિતી આપી હતી.
આ પ્રસંગે અનિલ ક્રિષ્ટીએ જણાવ્યું હતું કે, કોઈપણ સફળતાનો પાયો પ્રામાણિક સ્વ વિકાસથી શરુ થાય છે. સ્વયં જાગૃત બની વ્યસન, નિંદા, વ્યભિચાર, અપશબ્દોથી દૂર રહી કારકિર્દી તરફ પગલું ભરવું પડશે.કોઈપણ સંસ્થા કે વ્યવસાયમાં સફળતા ત્યારે જ મળે જયારે આપણે સ્વયં શુદ્ધ અને અજ્ઞાકિત હોઈએ.
આ પ્રસંગે શાળાના આચાર્ય સિસ્ટર રજનીએ બન્ને વક્તાઓનો પરિચય આપી આવકાર્યા હતા.શાળાના વિધાર્થીઓએ પુષ્પ ગુચ્છથી સન્માન કર્યું હતું. શાળાના મદદનીશ શિક્ષિકા મિસ કપિલા મેડમ અને વિધાર્થીની પ્રતિનિધિએ આભાર વિધિ કરી હતી.

સેન્ટ અર્સલા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ,ડભાણ નડિયાદ ખાતે કેરિયર ગાઈડન્સ અને વ્યક્તિત્વ વિકાસ અંગે સેમિનાર યોજાયો

“છેલ્લો શો”


“છેલ્લો શો”અને ઓસ્કાર નોમિનેશન ગૌરવપૂર્ણ ઘટના છે, પણ તેનું સત્વ સમજીશું તો છેવટે બાળકોની વેદના પ્રગટ થશે, શિક્ષણની અધૂરપ વર્તાશે…..જોકે… પછી પ્રગટશે પ્રકાશ.


ફિલ્મમાં સૌરાષ્ટ્રના ચલાણા ગામનો બાળક કેવી રીતે ફિલ્મના પ્રેમમાં પડે છે તે વાત રજુ કરાઈ છે.બાળકો પોતાની જિજ્ઞાસા સંતોષવા કેવા પ્રયત્નો કરે છે તે સાચે જ પ્રેરક છે.
શિક્ષણમાં ઇનોવેશનની મોટી મોટી વાતો ભલે થતી હોય,NCERT લાખો રૂપિયા ખર્ચે છે પરંતુ જેનામાં સંશોધન અને કૈક કરી છૂટવાની તમન્ના પડી છે તેવા છેવાડાના બાળકોની ઈચ્છાઓ, ઇનોવેશન આજે માળખાગત સુવિધાના અભાવે મરણ પામી છે.
આ સંજોગોમાં “છેલ્લો શો “ના કલાકાર ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોળી, વિકાસ બાટા જે રીતે અભાવ વચ્ચે ઇનોવેશન કરે છે… તે ફિલ્મનું હાર્દ છે.
“મારે પ્રકાશ શીખવો છે.”સંવાદ સાચે જ શિક્ષણની નવી દિશાનો સંકેત કરે છે.
21મી સદીમાં ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો ” શિક્ષણ અને બાળકોની વાસ્તવિકતા રજુ કરે છે… એટલે જ ફિલ્મ ઓસ્કાર માટે શોર્ટ લિસ્ટ થઇ છે.
સાચે જ ફિલ્મ અદ્ભૂત છે… શિક્ષણજગતનું ધ્યાન જાય તો ભાવિ બાળકોનું ભવિષ્ય સુધારનારી છે.

Niagara Falls as viewed from the Canadian side of the river. The three individual falls from left to right are American Falls, Bridal Veil Falls, and Horseshoe Falls.Niagara Falls as viewed from the Canadian side of the river. The three individual falls from left to right are American Falls, Bridal Veil Falls, and Horseshoe Falls.


ન્યાયતંત્ર માત્ર બંધારણ પ્રત્યે જવાબદેહ રાજકારણને નહીં


ભારત દેશની જનતા એક માત્ર જેને ભારોષામંદ માને છે તે છે સુપ્રીમ કોર્ટ.સરકારો બદલાતી રહે અને મનસ્વી નિર્ણયો કરે,અધિકારીઓ નિયમો નેવે મૂકી જુલમ કરે…ગુંડાઓનો પ્રકોપ વધે વગેરે સંજોગોમાં સુપ્રીમ કોર્ટ એક માત્ર આશાનું કિરણ દેખાય.હાલ જયારે ન્યાયતંત્ર અને સરકાર સામસામે છે ત્યારે ભારતના ચીફ જસ્ટિસ એન વી રમનાએ ન્યાયતંત્ર મુદ્દે નિવેદન આપ્યુ છે તે પ્રેરક છે.


તેમણે કહ્યું કે, શાસક પક્ષો માને છે કે સરકારી કાર્યવાહી ન્યાયિક સમર્થનને પાત્ર છે અને વિરોધ પક્ષોને આશા છે કે તે તેમના કારણને સમર્થન આપશે. પરંતુ એ સમજવુ જરૂરી છે કે ન્યાયતંત્ર માત્ર બંધારણ પ્રત્યે જવાબદેહ છે. દેશે હજુ પણ બંધારણ દ્વારા પ્રત્યેક સંસ્થાને સોંપેલી ભૂમિકાઓને પૂર્ણરીતે નિભાવવાનું શીખ્યા નથી. શનિવારે સાન ફ્રાન્સિસ્કોમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ દ્વારા આયોજિત એક સન્માન સમારોહને સંબોધતા સીજેઆઈ એન વી રમનાએ કહ્યું, આપણે આ વર્ષે સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આપણુ ગણતંત્ર 72 વર્ષનું થઈ ગયું છે.

સીજેઆઈએ કહ્યુ, આ સામાન્ય જનતા વચ્ચે મોટી અજ્ઞાનતા છે જે એવી તાકાતોની સહાયતા કરે છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ ન્યાયતંત્રને નષ્ટ કરવાનો છે. હુ આને સ્પષ્ટ કરી દઉં, અમે માત્ર અને માત્ર બંધારણ પ્રત્યે જવાબદેહ છીએ. બંધારણમાં પરિકલ્પિત નિયંત્રણ અને સંતુલનને લાગુ કરવા માટે આપણે ભારતમાં બંધારણીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આપણે વ્યક્તિઓ અને સંસ્થાઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે જાગૃતતા ફેલાવવાની જરૂર છે. લોકતંત્ર તમામની ભાગીદારી વિશે છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાનુ ઉદાહરણ આપતા સીજેઆઈએ ભારત સહિત દુનિયામાં દરેક જગ્યાએ સમાવેશને સન્માનિત કરવાની જરૂરિયાત પર જોર આપ્યુ અને અવગત કર્યા કે બિન-સમાવેશક અભિગમ એ આપત્તિને આમંત્રણ છે.

ભારતીય સમુદાયની સિદ્ધિઓના વખાણ કરતા સીજેઆઈએ કહ્યુ, આ અમેરિકી સમાજની સહનશીલતા અને સમાવેશી પ્રકૃતિ છે જે દુનિયામાંથી સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષિત કરવામાં સક્ષમ છે, જે બદલામાં આના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. વ્યવસ્થામાં સમાજના તમામ વર્ગોના વિશ્વાસને જાળવી રાખવા માટે વિવિધ પૃષ્ઠભૂમિથી યોગ્ય પ્રતિભાઓને સન્માનિત કરવા પણ જરૂરી છે.

વાત ખુબ જ વિચારવા યોગ્ય છે.પ્રજાની અંતિમ આશા સમાન ન્યાય વ્યવસ્થાને ખલેલ ન પહોચે તે જરૂરી છે.લાંબા ગાળાના વિકાસ માટે બનેલા આવા પાયાને ક્યારેય ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. સમગ્ર દુનિયામાં સરકાર બદલવાની સાથે નીતિઓ બદલાય છે પરંતુ કોઈ પણ સમજદાર, પરિપક્વ અને દેશભક્ત સરકાર નીતિઓમાં એ પ્રકારના પરિવર્તન કરશે નહીં જે તેમના પોતાના ક્ષેત્રના વિકાસને ધીમો કે રોકી દે. તેમણે ખેદ વ્યક્ત કરતા કહ્યુ કે દુર્ભાગ્યવશ, જ્યારે પણ સરકારમાં કોઈ પરિવર્તન થાય છે ત્યારે આપણે ભારતમાં એવી સંવેદનશીલતા અને પરિપક્વતાને જોતા નથી.

-શૈલેષ રાઠોડ

ખંભાતની આર.શી. મિશન શાળા ખાતે બી.આર.સી દ્વારા બાળ વૈજ્ઞાનિકોનો મેળો યોજાયો


ખંભાતની આર.શી. મિશન શાળા ખાતે બી.આર.સી દ્વારા બાળ વૈજ્ઞાનિકોનો મેળો યોજાયો હતો. જેમાં નવનિયુક્ત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મેળાનું ઉદ્ઘાટન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે.ભાવિ ભારતના ઘડવૈયા અને બાળ વૈજ્ઞાનિકોએ ઉત્તમ કૃતિઓ બનાવી છે. જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવી શુભેચ્છાઓ.

ખંભાત તાલુકાની શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન ઉત્કૃષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પ્રાંત અધિકારી-નિરૂપમા ગઢવી, બી.આર.સી.મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સહુએ  બાળકો ધ્વારા બનાવેલ પ્રોજેક્ટ નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા.

-શૈલેષ રાઠોડ

ખંભાત વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે જંગી રેલી યોજી ફોર્મ ભર્યું


ચિરાગ પટેલને મળ્યું અભૂતપૂર્વ સમર્થન

ભાજપના ગઢ ગણાતા ખંભાત વિધાનસભા બેઠક ઉપર ત્રિકોણીય જંગ ખેલાનાર છે.ભાજપના સીટીંગ ધારાસભ્ય મયુર રાવલ સામે કોંગ્રેસે યુવાન અને પ્રમાણિક સામજિક કાર્યકર ચિરાગ પટેલને ટીકીટ ફાળવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.આ બેઠક ઉપર મહિપતસિંહ ચૌહાણે પણ ફોર્મ ભર્યું હોય ચૂંટણી રસપ્રદ બની છે.ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પટેલે ૧૨:૩૯ કલાકે નામાંકનપત્ર ભર્યું હતું.જેમાં અભૂતપૂર્વ જનમેદની એકત્રિત થઇ હોય ખંભાતમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો.

લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાયા

ભવ્ય આતિશબાજી અને ડીજેના તાલે નીકળી યાત્રા

ખંભાતના ઐતિહાસિક પાણિયારી મેદાન ખાતેના અંબાજી માતાજીના મંદિરે દર્શન કરી ચિરાગ પટેલે નામાંકન માટે આગેકૂચ કરી હતી.પરિવર્તન નેમ  સાથે પાણીયારીથી શરૂ થયેલી રેલીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જોકે મોદી સાંજે ટીકીટની જાહેરાત થતા જ ખંભાત સહીત વાસણા ગામમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.ખંભાતના  સરદાર ટાવર પાસે ભવ્ય આતશબાજી થઈ હતી.

 હું જીત માટે અને સંઘર્ષ માટે મક્કમ :ચિરાગ પટેલ

આ અંગે ચિરાગ પટેલે જણાવ્નાયું હતું કે,પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મુક્યો છે તે સિદ્ધ કરીને બતાવીશ.હું જાણું છું કે રાજનીતિ માર્ગ કઠીન છે.આવનાર દિવસોમાં મારે મુશ્કેલીઓ વેઠવી પડશે પરંતુ હું મક્કમ છું.હું સત્ય અને ન્યાયના માર્ગે ચાલનાર વ્યક્તિ છું.કાંટાઓથી ડરતો નથી.

પરિવર્તનની લહેર પ્રસરાઈ

નામાંકનપત્ર ભરવા જતા મોટી સંખ્સ્વયામાં લોકો સ્વયંભુ લોકો જોડાયા છે તે મારો વિજય છે.મને તિક્લોત મળતા લોકોમાં  ભારે ઉત્સાહ છે.ખંભાતમાં પરિવર્તનની લહેર પ્રસરાઈ હોય હું પ્રજાની પડખે રહી જરૂર વિજયી બનીશ.

 ખંભાતમાં ચિરાગ પટેલને વિજયી બનાવવા ઠેર ઠેરવિવિધ  સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રામાં ખુશમનભાઈ પટેલ,ચિરાગ મકવાણા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. 

અદ્ભૂત સફળતા :નડિયાદના ડૉ. સુપ્રીત પ્રભુએ 8 વર્ષના બાળકનો જીવ બચાવ્યો


નડિયાદ ખાતે એક 8 વર્ષનું બાળક ધારદાર વસ્તુ ગળી જતાં તેને આંખ, નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ ઈ.એન.ટી સર્જન ડૉ. સુપ્રીત પ્રભુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ભારે મહેનત બાદ સફળતમ રીતે તિક્ષ્ણ વસ્તુ કરતાં બાળકને જીવતદાન મળતા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

ડૉ. સુપ્રીત પ્રભુએ પ્રભુનો આભાર માન્યો

આ અંગે ડૉ.ડૉ. સુપ્રીત પ્રભુએ જણાવ્યું હતું કે,મને એક 8 વર્ષના બાળકનો જીવ બચાવવાની તક મળી.જે બદલ ઈશ્વરનો આભાર માનું છું.બાળક ભૂલથી દાંત વડે તીક્ષ્ણ ધાતુના પદાર્થને ગળી ગયો હતો. જેની અસર થોરાસિક એસોફેગસ (અન્ન નળી)માં થઈ હતી. દોષરહિત એનેસ્થેસિયા માટે સુધીર સક્સેના અને સ્ટાફ પરિવારની જહેમથી અમને સફળતા મળી હતી.


ઉલ્લેખનીય છે કે, ડૉ.સુપ્રીત પ્રભુ ગોલ્ડમેડાલિસ્ટ ઈ એન ટી સર્જન છે. ઉત્તરાયણ સમયે દોરીથી ગળાની નસ કપાઈ જતી હોય છે, ત્યારે તેઓ દ્વારા સફળતમ રીતે ઑપરેશન કરી જીવતદાન આપવાના અનેક કિસ્સા છે.બાળકોની સર્જરી તેમજ અનેક ગાંઠોને લગતી સર્જરી, સાયનસ જેવા કિસ્સાઓનો સફળ ઈલાજ કરતા હોય ચરોતરવાસીઓ માટે તેઓ આશીર્વાદરૂપ છે.

બે વર્ષમાં 55,575 કરોડની જીએસટી ચોરી


જીએસટી સંબંધે ચોકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે.ભારતમાં છ વર્ષ અગાઉ લાગુ કરવામાં આવેલ જીએસટી ટેક્સ પ્રણાલીમાં કલેક્શન તાજેતરના મહિનામાં નવા રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યું છે તેવામાં જીએસટી આવકની સાથે છેતરપિંડીના આંકડા વધી રહ્યા છે.

બે વર્ષમાં 55,575 કરોડની જીએસટી ચોરી પકડાઈ હોવાનું જીએસટી અધિકારીઓ એ જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જીએસટી સંબંધે સરકારને નુકસાન પહોંચાડવા બદલ 700 થી વધુ લોકોની આ કેસોમાં ધરપકડ કરવામાં આવી છે.

“અંતિમ વિસામો” કૅથલિક કબ્રસ્તાન નડિયાદ ખાતે સદગત શ્રદ્ધાળુઓના આત્માની શાંતિ માટે ભવ્ય પરમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું


નડિયાદ સ્થિત “અંતિમ વિસામો” કૅથલિક કબ્રસ્તાન ખાતે સદગત શ્રદ્ધાળુઓના આત્માની શાંતિ માટે ભવ્ય પરમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ધર્મજનોએ ભાગ લઈ સ્વજનોની કબરોએ પ્રાર્થના કરી હતી.

આ તહેવાર અવસરે ફાધર અવિનાશ, ફાધર રમેશ મેકવાન, ફાધર ટોની, ફાધર જોસ્ટન, ફાધર અશોક વાઘેલા, ફાધર અંતોન અપ્પાઉ, ફાધર ફ્રાન્સિસ તથા ફાધર જીગ્નેશ ઉપસ્થિત રહ્યા હતા.

ફાધર અવિનાશે જણાવ્યું હતું કે, ઈસુપંથી ધર્મ મૂલ્યો પ્રમાણે પુનરુત્થાનની આશાએ આપણી મુખ્ય ધાર્મિક શ્રદ્ધા છે.જેનું આજે સ્મરણ કરી સદ્દગત mate પ્રાર્થના કરવામાં આવે છે, કબરને આશીર્વાદ આપવામાં આવે છે. લોકસમુદાયને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૃત્યુના પ્રસંગને માત્ર દુઃખદ ન ગણતા ઈશ્વર તરફથી મળેલી પુનરુત્થાનની આશા માટે મૃત્યુને પ્રવેશદ્વાર તરીકે ગણીને ઈશ્વરનો આભાર માનીએ અને સદગતો માટે સતત પ્રાર્થના કરતા રહીએ.

પરમ પૂજા બાદ ઉપસ્થિત ફાધરોનુ સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સદગત સ્વજનોની કબરોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

નડિયાદના ત્રણેય પેરિસના ધર્મજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.કાંતિભાઈ પરમારે તમામ ધર્મગુરુઓ,ધર્મજનો અને સ્વયં સેવકોનો આભાર માન્યો હતો.

મહાત્મા ગાંધીના હૈયે સરદાર અને નહેરુ


(ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડની મુલાકાત)

રાજમોહન ગાંધી મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીના પુત્ર છે.તેમનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૩૫ના રોજ થયો હતો.જાણીતા ઇતિહાસકાર, ચરિત્રલેખક, ટીકાકાર અને રાજ્યસભાના પૂર્વસભ્ય.તેમને તેમના અંગ્રેજી ચરિત્રગ્રંથ ‘રાજાજી : એ લાઇફ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.તેમની સાથેનો ઈન્ટરવ્યું અહી રજુ કરીએ છે.

દાદા મહાત્મા ગાંધી પાસેથી કયો ગુણ શીખવા મળ્યો?

મને મારા દાદા મહાત્મા ગાંધી પાસેથી સૌથી મહત્વનો કોઇ ગુણ શીખવા મળ્યો હોય તો એ છે કે કોઇ પણ પરિસ્થિતિમાં મગજને શાંત રાખો. દુશ્મન સાથે પણ સંવાદ સાધવાથી તેની સાથેના મતભેદ દૂર કરી શકાય છે.’

મહાત્મમા ગાંધી ભારત પાકિસ્તાનના સંબધ અંગે શું વિચારતા?

કોઈ આયોજન?

મેં ‘ધ ગુડ બોટમૅન : એ પોર્ટ્રેટ ઑફ ગાંધી ઍન્ડ અંડરસ્ટેન્ડિંગ ધ મુસ્લિમ માઇન્ડ’માં પણ નોધ્યું છે કે, ‘ઑગસ્ટ 1947થી જ ગાંધી પાકિસ્તાનની યાત્રા કરવા માગતા હતા. 23 સપ્ટેમ્બરના રોજ તેમણે કહ્યું કે હું લાહોર જવા માગું છું, હું રાવલપિંડી જવા માગું છું.’તેમણે આ ઇચ્છા વિશે ઝીણાને પણ લખ્યું હતું.27 જાન્યુઆરીના રોજ એ નક્કી થયું કે ગાંધી 8 કે 9 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન પહોંચશે.જો ગાંધી 40ના દાયકાના અંત અને 50ના દાયકાની શરૂઆતમાં હયાત હોત તો ભારત અને પાકિસ્તાનના સંબંધને સુધારી શક્યા હોત.

ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડ, વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળના મંત્રી અરવિંદભાઈ પટેલ સાથેની મુલાકાત

ડેમોક્રેસી બાબતે આપનો મત શું છે?

આઝાદી બાદ નહેરુ વડપ્રધાન બન્યા પછી તેમની ડોમેસ્ટિક અને ફોરેન પોલીસીએ દેશને ઉંચાઈ પર પહોંચાડ્યો.આજે જે ડેમોક્રેસીની ચર્ચા થઇ રહી છે અને ડેમોક્રેસી સામે ખતરો વર્તાઈ રહ્યો છે.ડેમોક્રેસી જે અનુભવ દેશને થયો તે જવાહરલાલ નહેરુના ઉત્તમ શાશન ને કારણે થયો.તેમણે ૧૭ વર્ષ પ્રધાનમંત્રી તરીકે રહી જે ડેમોક્રેસી બનાવી અને નિભાવી તે દેશ માટે બેમિસાલ હતી.

દેશની એકતા અને અખંડીતતા બાબત મહાત્મા ગાંધીની ભૂમિકા શું હતી?ગાંધીજી નહેરુને જ કેમ પ્રાધાન્ય આપતા?

મારા મતે ગાંધીજી સમજી ગયા હતા કે નહેરુની પર્શનાલીટી એવી હતી કે જે અન્યોને આકર્ષિત કરતી હતી.તેનાથી અધિક વિશેષ કહું તો ગાંધીજી જાણતા હતા જવાહરલાલ નહેરુ ભારતની આઝાદી માટે કોઇપણ કિંમત ચુકવવા તૈયાર હતા.અને બીજો પ્રભાવ એ હતો કે ગાંધીજી સમજી ચૂક્યા હતા કે જ્યાં સુધી હિંદુ-મુસ્લિમનો પ્રશ્ન છે તેમાં જવાહરલાલ કઈ પણ કરવા તૈયાર હતા. મારો જે અભ્યાસ છે એ મુજબ જયારે ૧૯૨૪ માં હિદુ મુસ્લિમ માટે ગાંધીજીએ દિલ્હીમાં ઉપવાસ કર્યા હતા ત્યારે જવાહરલાલ તો યુવાન હતા.લગભગ ૩૫ વર્ષની ઉમર હશે.તે વખતે તેઓ ગાંધીજીને મળવા આવ્યા.તે વખતે બંને વચ્ચેના સંબધો ખુબ ઘનિષ્ઠ બની ગયા.

ગાંધીજી સમજી ગયા હતા કે જવાહરલાલ નહેરુ કે જેમનું વ્યક્તિત્વ પ્રભાવી હોય અને જે રાજનીતિમાં આવ્યા પછી હિંદુ-મુસ્લિમ એકતાને વધુ મજબુત કરવા કંઈપણ કરવા તૈયાર હતા.મહાત્મા ગાંધીજીએ ૧૯૨૮ માં યંગ ઇન્ડીયામાં લેખ લખ્યો હતો કે,જવાહરલાલ નહેરુના હાથમાં દેહ સલામત રહેશે.એજ સમયે “કીર્તિ મેગેજીનમાં ભગતસિંગ લખે છે કે,યુવાનોએ નહેરુને ફોલો કરવા જોઈએ.ભગતસિંહ,ટાગોર અને સરદાર સાહેબ પણ કહેતા કે દેશને આંતરરાષ્ટ્રીય લેવલે જો કોઈ ભારતને રજુ કરી શકે તો તે જવાહરલાલ નહેરુ છે.

આઝાદી પૂર્વે શા માટે સહુ નહેરુને ભાવી વડાપ્રધાન તરીકે ઈચ્છતા હતા?તેમનામાં એવી કઈ વિશેષતા હતી?

દરેકની વિચારસરણી અલગ અલગ હોઈ શકે છે પરંતુ મારા માટે સ્પષ્ટ છે કે તેઓ દેશ માટે કોઇપણ પ્રકારની કુરબાની આપવા તૈયાર હતા.જેમાં જેલ હોય કે મારવાનો વારે તે માટે પણ તૈયાર રહેતા.ઉપરાંત તેઓ ખુબ જ મહેનતુ હતા.સવારથી મોદી રાત સુંધી સખત મહેનત કરતા હતા.તેમની પાસે દેશની આઝાદી સિવાઈ બીજો કોઈ ઉદેશ નહોતો.ઉપરાંત સહુ જાણતા હતા કે દેશની જાણતા હતા કે દેશની જનતા તેમને ખુબ જ ચાહતી હતી.દેશની જનતા સમજી ગઈ હતી કે તેઓ નેતૃત્વ માટે કામ નથી કરતા પણ દેશની જનતા માટે કામ કરી રહ્યા છે.બીજા બધા નેતા દેશ માટે વિચારતા હતા જયારે નહેરુ દેશ અને દુનિયા વિષે વિચારતા હતા.સહુ કોઈ જાણે છે કે જેલમાંથી તેઓ પોતાની બેટીને ચિઠ્ઠી લખતા હતા ત્યારે તેમાં તેઓ દુનિયાની ચિતા પણ કરતા હતા.દુનિયાની સમસ્યા દેશની જનતાને બતાવવી અને સમજાવવામાં તેમની મોટી ભૂમિકા રહી હતી. સમાજમાં જયારે ચર્ચાનો વિષય બન્યો છે કે,જવાહરલાલ નહેરુને બળજબરીપૂર્વક વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

સરદાર પટેલ વડાપ્રધાન પદના હક્કદાર હતા.આ અંગે આપનો મત શું છે.?કારણ કે આપે સરદાર પટેલના જીવન અંગે પુસ્તક લખ્યું છે.

આ પ્રશ્ન સંદર્ભે મેં ઘણો જ અભ્યાસ કર્યો છે.બન્યું એવું કે ૧૯૪૬ ના એપ્રિલ મહિનામાં “કવિટ ઇન્ડિયા” અંદોલનમાં ઘણા લોકો જેલમાં ગયા.તેઓ જુન-જુલાઈ ૧૯૪૫માં છૂટ્યા તે વખતે મૌલાના આઝાદ ૧૯૪૦ થી કે બિહારના રામગઢમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું ત્યારથી કોંગ્રેસના પ્રમુખ હતા.૧૯૪૯ થી ૧૯૪૬ સુંધી તેઓ પ્રમુખ રહ્યા.આ સમયે નવા કોંગ્રેસ પ્રમુખની પસંદગી નક્કી કરવાની હતી.તે વખતે આઝાદી મળશે કે નહિ તે નક્કી નહોતું.હા આઝાદી નજીક છે તેમ લાગતું હતું.જોકે વડાપ્રધન બનવા માટે કોઈ ચર્ચા નહોતી.માત્ર નવા પ્રમુખ બનાવવા અંગે ચર્ચા ચાલી હતી.એ સમયે કોંગ્રેસમાં એવી પ્રણાલી હતી કે વિવધ પ્રદેશમાંથી પ્રમુખ માટે નામની ભલામણ થતી.જે ચારપાંચ નામ આવતા તે પ્રણાલી મુજબ સહુ ગાંધીજી સમક્ષ રજુ કરતા હતા.તે સમયે ગાંધીજી પોતાનો મત મુકતા.જેને લગભગ બધા સર્વસંમતીથી સ્વીકારી લેતા હતા.હું એમ નથી કહેતો કે આ પદ્ધતિ સાચી હતી પંરતુ તે સમયે આવી પદ્ધતિ અમલમાં હતી.૧૯૪૬ માં કેટલાક લોકોએ સરદાર પટેલનું નામ અધ્યક્ષ માટે રજુ કર્યું હતું.

જવાહરલાલ નહેરનું નામ કોઈ એ ન મુક્યું.એક દ્વારકાપ્રસાદ મિશ્રા કે જે મહાકૌશાલના પ્રસિદ્ધ નેતા હતા.(જેમના દીકરા બ્રિજેશ મિશ્રાના સહુ કોઈ જાણે છે કે જે અટલજીના વિશેષ સલાહકાર હતા.)દ્વારકાપ્રસાદ મિશ્રાએ પણ તેમના પુસ્તકમાં લખ્યું છે કે,તે સમયે વડપ્રધાન માટે કોઈ ચર્ચા નહોતી.જવાહરલાલ નહેરુ ૩ વખત અધ્યક્ષ બની ચુક્યા હતા.જયારે સરદાર પટેલ માત્ર ૧૯૩૦ માં એક જ વખત અધ્યક્ષ બન્યા હતા.તેમને આદર આપવા સરદાર પટેલ સાહેબની અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.આજે લોકો ચર્ચા કરે છે કે સરદાર પટેલ સાહેબને વડપ્રધાન બનવવા સહુ ઈચ્છતા હતા.

જોકે તે વખતે વડાપ્રધાન બનવા કે બનાવવા કોઈ ચર્ચા થઇ નહતી. માત્ર અધ્યક્ષ પસંદગીની જ ચર્ચા થઇ હતી.ટૂંકમાં,1946માં કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટવાના હતા. નહેરુ, સરદાર, રાજેન્દ્રપ્રસાદ અને મૌલાના આઝાદ ઉમેદવારો હતા,જેમાંથી સરદાર ઉંમરમાં સહુથી મોટા હતા.તેમની તબિયત લથડેલી. બધાની રાય હતી સરદાર અધ્યક્ષ બને, પણ સરદારે ગાંધીની વાત માન્ય રાખી અને નહેરુ અધ્યક્ષ બન્યા. કોઈને પટેલ વડાપ્રધાન બને તેવી ધારણા નહોતી. કોઈ વર્તમાનપત્રો કે રિપોર્ટ એ પ્રસ્તાવને બહાલી આપતા નહોતા. અરે, પટેલે પોતે મૃત્યુના એક મહિના પહેલાં કહેલું, ગાંધીજીનો નહેરુ વડાપ્રધાન બને એ વિચાર સાચો જ હતો. ગાંધી, જનતા અને પટેલ વગેરે બધા ખોટા હતા, તેમ કહી જરૂર શકાય પણ એ હકીકત સત્યથી વેગળી સાબિત થશે.તે સમયે સમગ્ર દેશ ખુશ હતો.

ખુદ સરદાર પટેલ પણ જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બને તેમ ઈચ્છતા હતા. આઝાદી મળ્યા પછી અધ્યક્ષ હોવાને નાતે મંત્રીમંડળ અને પસંદગીની સત્તા નહેરુના હાથમાં આવી.નહેરુના વડાપ્રધાન બનાવવાને પગલે કોઈને કોઈ જ મનદુઃખ નહોતું થયું જો થયું હોત તો અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થાત. કદાચ લોકો એ વાત નથી જાણતા કે સરદાર સાહેબનું નિધન ૧૯૫૦ માં ઇન્દોર ખાતે થયું તેના ૧૦ દિવસ પહેલા સરદાર પટેલે કહ્યું હતું કે,”આ દેશનું સદભાગ્ય છે કે દેશને જવાહરલાલ નહેરુ જેવા વડાપ્રધાન મળ્યા.”આ ભાષણ દરેક અખબારમાં પણ છપાયું હતું.

મહાત્મા ગાંધી અને સરદાર-નહેરુના સંબધો વિષે શું કહેશો?

જવાહરલાલ નહેરુ અને ગાંધીજી ૧૯૧૬ માં પ્રથમ વખત મળ્યા હતા.સરદાર પટેલ સહીત અનેક લોકો કહેતા હતા કે,નહેરુ અને ગાંધીજી વચ્ચે ખુબ જ પ્રેમનો ઘનિષ્ટ સંબધ હતો.આજે લોકો ભૂલી ગયા છે તેવા મશહુર લેખક કિશોરલાલ મશરુવાલા કે જે મહાત્મા ગાંધીના “હરીજન”અખબારના તંત્રી હતા.કિશોરલાલ મશરુવાલા કહેતા હતા કે ગાંધી અને પટેલનો નાતો ભાઈ જેવો હતો અને ગાંધી તેમજ જવાહરલાલનો સંબધ એક બાપ બેટા જેવો સંબધ હતો. પટેલના અંતિમ સંસ્કાર સમયના નહેરુના શબ્દો વાંચવા યોગ્ય છે. સરદાર ગાંધીની હત્યા માટે પોતાને કદી માફ ન કરી શક્યા. એમને હાર્ટ એટેક આવી ગયો. સ્મરણ રહે કે ગાંધી અને પટેલ ખૂબ નિકટ હતા. પટેલ ગાંધીની ખૂબ મજાક કરતા, એટલું જ નહીં, ગાંધી ઇચ્છતા કૈં પટેલ તેમની હાજરીમાં ગાંધીની મજાક કરે! આવી નિકટતમ વ્યક્તિના જવાથી બંને નહેરુ અને સરદાર અત્યંત વ્યથિત હતા એ સમજવું અનિવાર્ય છે.

સરદાર અને ઉદ્યોગપતિના સંબધો કેવા હતા?

સરદારે ઉદ્યોગપતિઓ સાથેના પોતાના મીઠા સબંધો ક્યારેય છુપાવ્યા નથી પણ તેના થકી સંપત્તિ બિલકુલ અર્જિત ન કરી. મૃત્યુ સમયે તેઓ સાવ અકિંચન હતા. તેમના પુત્રી મણિબહેન તદ્દન સાધારણ સ્થિતિમાં લગભગ નિર્ધન અવસ્થામાં જીવ્યાં. એટલી તો તેમની પ્રામાણિકતા. આજે એવું વિશુદ્ધ ચારિત્ર્ય ધરાવનાર રાજકારણી કે સમાજસેવી મળવા દુર્લભ. જેમને સરદારના જીવનનું આ પાસું જ્ઞાત હોય તે તેમના વિરોધ માટે કઇં પણ કહેવા લલચાય નહીં. ખરેખર તો સરદાર વિશેની આ બધી વિગતોનો સંચય કરીને પ્રજા માટે ઉપલબ્ધ કરવી જોઈએ.

-શૈલેષ રાઠોડ

મલ્ટીપર્પઝ ચણીયાચોળીનો ટ્રેન્ડ:દેશ -વિદેશમાં પાથરે છે રૂપ


-શૈલેષ રાઠોડ

કોરોનાકાળ બાદ પહેલી વાર હસ્તકલાની હાથકડી ખુલી હોય એમ ઠેર ઠેર ચણીયા ચોળી અને ઓર્નામેન્ટના સ્ટોલ અને બાઝાર ભરાયા હતા.કોરોનાકાળનાતમામ બંધનો દુર થતા ખુલ્લા આકાશ નીચે મન મૂકી ગરબે ગુમવા યુવાધન થનગની રહ્યું છે.ગરબાનું મુખ્ય આકર્ષણ અને સ્ત્રીઓનો નીખાર એટલે ચણીયા ચોળી.ચાલુ વર્ષે મનમૂકી ચણીયા ચોળીની ખરીદી થઇ હોય નવરાત્રીનો રંગ દેશ વિદેશમાં સર્વત્ર છવાઈ રહ્યો છે.

જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણાની ડિઝાઇન કરેલ ચણીયા ચોળી વિશ્વ સ્તરે વિસ્તરી

જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણાની ડિઝાઇન કરેલ ચણીયા ચોળીમાં કલાત્મક ભરત ગુંથન તેમજ આધુનિક વસ્ત્ર નિરૂપણ સહુમાં આકર્ષણ જમાવે છે.

કારીગર કલાત્મક વર્ક કરી સુંદરતા આપી શકે છે પંરતુ યુવાનોનો ટેસ્ટ એક ડીઝાઇનર જ સમજી શકે.ચાલુ વર્ષે રામલીલા થી લઇ શીબોરી ચણિયાચોળીની અવનવી ફેશન ટ્રેન્ડિંગમાં છે. ચાલુ વર્ષે “આઉટ ઓફ ફેશન” ન થાય તેવા અને “મલ્ટીપર્પઝ” ચણીયા ચોળીનું ધૂમ વેચાણ આણંદ, નડિયાદ,વડોદરા,રાજકોટ,અમદાવાદ,વિદ્યાનગર,સુરત સહિતના શહેરોમાં થયું છે.નડિયાદ સહીત ચરોતરમાં ૨૮ કરોડથી વધુનો ચણીયા ચોળીનો વ્યવસાય થયો હોય નવરાત્રીમાં અનેરી રંગત જોવા મળી રહી છે.

તસ્વીર:જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા

વડોદરાના જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેન્ડ સેટર ચણિયા ચોળી ડિઝાઇન કરે છે.તેમની ડિઝાઇન કરેલી ચણીયા ચોળી માત્ર ગુજરાત જ નહિ અમેરિકા,ઓસ્ટ્રેલીયા,દુબઈ અને યુ.કેમાં જાણીતી બની છે.તેઓ જણાવે છે કે,મેં ચાલુ વર્ષે એવી ચણીયા ચોળીની ડીઝાઇન તૈયાર કરી છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન થશે જ નહીં.ઉપરાંત આ ચણીયા ચોળી નવરાત્રી કે ગરબા સિવાય અન્ય કાર્યક્રમો,પ્રસંગોમાં પણ પહેરી શકાશે.જેને કારણે ઉંચી કીમતે પણ તેની ખરીદી થઇ રહી છે.

પેસ્ટલ કલેક્શન

અર્ચના મકવાણા જણાવે છે કે,વિદેશમાં વસતા ચરોતરવાસીઓ તેમજ ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ચણીયાચોળી આયાત કરે છે.ચાલુ વર્ષે અમેરિકા,યુ.કે,કેનેડા,ઓસ્ટ્રેલીયા,દુબઈ,ન્યુજીલેન્ડ સહિતના ૧૨ જેટલા દેશોમાં મોટા પ્રમાણમાં ચણીયા ચોળીની નિકાસ થઇ છે.બહુ નાની ઉંમરે ફેશન ડિઝાઇનિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.સંઘર્ષો પછી અનુભવે જોયું કે ખેલૈયાઓના કપડાનો ટેસ્ટ સમયાન્તરે બદલાતો રહે છે.મેં ગુજરાતની સર્વ પ્રથમ “રામલીલા “ચણીયા ચોળી ડીઝાઇન કરી હતી.જેને અપ્રિતમ સફળતા સાંપડી હતી.આ ચણીયા ચોળી એવેર ગ્રીન ગણાય છે.આ એક સત્ય છે કે,કચ્છ,પાટણ કે કારીગર કલાત્મક વર્ક કરી સુંદરતા આપી શકે છે પંરતુ યુવાનોનો ટેસ્ટ એક ડીઝાઇનર જ સમજી શકે.

શિબોરી ચણિયાચોળી
અર્ચના મકવાણા જણાવે છે કે,વિદેશમાં વસતા ચરોતરવાસીઓ તેમજ ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ચણીયાચોળી આયાત કરે છે.ચાલુ વર્ષે અમેરિકા,યુ.કે,કેનેડા,ઓસ્ટ્રેલીયા,દુબઈ,ન્યુજીલેન્ડ સહિતના ૧૨ જેટલા દેશોમાં મોટા પ્રમાણમાં ચણીયા ચોળીની નિકાસ થઇ છે.

શીબોરી કલેક્શન ચાલુ વર્ષે ટ્રેન્ડમાં છે.જેમાં કાપડને ફોલ્ડ કરીને પ્લિટ કરીને પછી સ્ટીચ કરીને તેને ડાયમાં નાખવામાં આવે છે એટલે તેની કોસ્ટ વધુ હોય છે.તેની ડાયીંગ ટેકનીક ખુબ જ અઘરી છે.જે દેખાવમાં ખુબ જ સુંદર છે જેને કારણે જેટલું ઉત્ત્પાદન થયું તે વેચાઈ ગયું છે.જેની કીમત ૧૫ હજારથી લઈને ૨૦ હાજર સુંધી ની હોય છે.જેનો મલ્ટીપર્પઝ ઉપયોગ થાય છે.પેસ્ટલ કલર,સેડીંગવાળા ગ્રેડેડ ચાનીયાચોળી એટલે કે ડોટેડ મશરૂ પાટણનું એની ઉપર પેસ્ટલ શેડ્સના ઓમ્બ્રે કલરવાળા ચણીયા ચોળી ની માંગ વધી છે.જે બહુ હિટ્સ છે.તે પેસ્ટલ કલરમાં ઉપલબ્ધ છે.જેની ઉપર લેસીસ અને મિરર વર્કની લેસીસ બહુ ચાલે છે.આ ચણીયા ચોળી લગ્નપ્રસંગ કે કોઈ તહેવારમાં-પાર્ટીમાં પણ પહેરી શકો છો.

અર્ચના મકવાણાએ રામલીલા થી લઈ પેસ્ટલ, શિબોરી જેવા વિશ્વ વિખ્યાત કલેક્શન તૈયાર કર્યા છે.

સંપર્ક :અર્ચના મકવાણા

Archana’s Fashion House & House Of Archana

01 Monalisa Apartment, 48, Nutan Bharat Society, Alkapuri, Vadodara, Gujarat 390007

Mo:08469077744

એક રીતે કહીએ તો આ મલ્ટીપર્પઝ ચણીયા ચોળી છે.મિક્સ મેચ કરી તેની ઉપર કુર્તી પહેરી શકો છો.તમે જાતે પણ અવનવા મેચિંગ કરી શકો છો.અમુક લોકોને ટ્રેડીશનલ ગમતા હોય છે.હેન્ડવર્ક વાળા કે જેમાં ચણીયા અઢી મિટર હોય છે જેમાં કાપડ ઉમેરી વધુ ઘેર વાળા ચણીયા ચોળીની ડીમાંડ છે.જેનો ફ્યુજન લુક લાગે છે.લુધિયાણા(પંજાબની)ની ફુલકારી હેન્ડ એમ્રોયાડરી ડીઝાઇન સાથે ટ્રેડીશનલ વર્ક વાળા ચણીયાચોળીને મર્જ કરી દીધું છે.જેના બ્લાઉઝ મશરૂથી બન્યા છે અને તેની સ્લીવ્સ છે તે કચ્છી ભરતની બનાવી છે.

બાંધણી પેટર્નના ચણીયા કોળી જે જેના ઘેર ૧૦ થી ૧૨ મિત્રના હોય છે.જેની કીમત ૬,૫૦૦ થી લઇ ૧૨૦૦૦ સુંધીની હોય છે.જેમાં મિરર વર્ક અને લમ્પી લેસનો ઉપયોગ કરી હાફ બાંધણી અને હાફ પ્લેન મટીરીયલ ઉપયોગમાં લઈને બનેલા ચણીયા ચોળી બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.ગુજરાતની નવરાત્રીની વિશ્વમાં એક આગવી ઓળખ છે.

વડોદરાના અર્ચના મકવાણા જેમણે રામલીલા થી લઈ શિબોરી સુંધીના અદ્ભૂત ચણિયાચોળી ડિઝાઇન કરી ખેલૈયાઓના મન મોહી લીધા છે.

વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ પણ નવરાત્રીને કહેવામાં આવે છે.નવ દિવસ નિત નવા શણગારને કારણે પણ ચણીયા ચોળીની માંગ વધી જાય છે.એંકલ લેંથ અને ડિજીટલ પ્રિન્ટની ડિઝાઇનર ચણિયાચોળી,ડિઝાનર બ્લાઉઝ,શોર્ટ બેકલેસ બ્લાઉઝનો પણ ટ્રેન્ડ છે.બીજી તરફ કુર્તા અને કોટી પણ ભારે ડિમાન્ડમાં છે.

આ કુર્તા પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે. છોકરામાં હાથના લટકણ, વર્ક વાળી ટોપી કે વિવિધ હાથ પગના લટકણ અને વર્કવાળી કોટી ટેન્ડમાં છે. અને હેવી દુપટ્ટા પણ ડિમાન્ડમાં છે. જ્યારે આ વર્ષે નાના લાઇટ ધરેણાની સાથે લાંબા અને હેવી જ્વેલરીનો પણ ટ્રેન્ડ છે. તો ગળાબંધ ચોકર વધારે ડિમાન્ડમાં છે. નાના બાળકો માટેની પણ ચણિયાચોળી અને કેડીયા ડિમાન્ડમાં છે. સાથે ટ્રેડિશનલ પર્સ અને મોજડીની પણ ખરીદી લોકો કરી રહ્યા છે. ચણીયા ચોળી સુંદર અને કલાત્મક જોઈએ તો તેની કોસ્ટ વધી જાય છે.આ સંજોગોમાં મલ્ટીપર્પઝ ચણીયા ચોળીની ખરીદી વધી છે.

એક રીતે કહીએ તો આ મલ્ટીપર્પઝ ચણીયા ચોળીમાં મિક્સ મેચ કરી તેની ઉપર કુર્તી પહેરી શકો છો.તમે જાતે પણ અવનવા મેચિંગ કરી શકો છો.:અર્ચના મકવાણા

નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં આનંદ લેવાની મજા કંઇક અલગ જ આવે છે. નવરાત્રીમાં ફેશન જ્વેલરીની વાત કરીએ તો આ વખતે નવરાત્રીમાં મિરર ગ્લાસીસ,સિલ્વર અને ઓક્સોડાઇઝ જ્વેલરી ટ્રેન્ડમાં રહે છે.જોકે ચાલુ વર્ષે માથા ઉપર હેડ જ્વેલરીની ડીમાંડ છે.જે ખુબ જ સુંદર લાગે છે અને ટ્રેન્ડીંગમાં છે.

કચ્છી ભરત વર્ક સાથે કચ્છી અજરખબાટી તથા બાંધણીના વસ્ત્રોની માંગ સદૈવ રહી છે.ફેશનની વાત કરીએ તો ઇન્ડિગો બ્લુ સિલ્ક ફિનિશ ઘાઘરો, મલ્ટી કલર ફૂલકારી દુપટ્ટો અને ભરત ભરેલા પૅચ મુકેલું લાંબી બાંયનું બ્લાઉઝ બહુ ગ્રેસફુલ લાગે છે. પ્રિન્ટેડ ચણીયા ચોળી,બાંધણી,બાટીક,અજરખ પ્રિન્ટ,મશરૂ,મિરર વર્ક,આહિર વર્ક ચણીયા ચોળીની માંગ નિયમિત જોવા મળી રહી છે.

Archana’s Fashion House & House Of Archana, Vadodara

Archana’s Fashion House & House Of Archana

01 Monalisa Apartment, 48, Nutan Bharat Society, Alkapuri, Vadodara, Gujarat 390007

Mo :08469077744

આલેખન :શૈલેષ રાઠોડ

અર્ચના મકવાણાએ તૈયાર કરેલ વિશ્વ વિખ્યાત પેસ્ટલ મશરૂ ફેબ્રિક્સ ચણિયા ચોળી

તસ્વીર સૌજન્ય :અર્ચના મકવાણા

આલેખન :શૈલેષ રાઠોડ

ગુજરાતના રાજકુમાર : ગોપાળદાસ દેસાઈ


મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી સાથેની એક અદ્ભુત મુલાકાત નડિયાદ પાસેના વસો ગામના ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈ સુંધી લઇ ગઈ.રાજમોહન ગાંધીએ અંગ્રેજીમાં નોંધપાત્ર જીવનચરિત્રો આપ્યાં છે.

તેમણે વાત વાતમાં જ પોતે લખેલ એક પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું.શીર્ષક:Prince of Gujarat – The Extraordinary story of Prince.આ ગુજરાતના પ્રિન્સ એટલે ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈ.

આ પુસ્તક એમનાં બીજાં જીવનચરિત્રોથી જૂદું એટલે પડી આવે છે કે એમાં રાષ્ટ્રીય સ્તરે લગભગ અજાણ્યા એવા એક વ્યક્તિત્વની વાત છે. ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈ એમના સમયમાં ગુજરાતમાં અને સ્વતંત્ર્ય સંગ્રામની નેતાગીરીમાં તો ઘણા જાણીતા હતા, પણ વિવિધ કારણોસર ભારતને સ્વતંત્રતા મળ્યા પછીના ઇતિહાસમાં એમનું નામ લગભગ નહીં જેવું જોવા મળે છે.

હું આ સંદર્ભે લેખ વિષે વિચારું ત્યાં થોડા જ દિવસમાં ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈના ચોથા નંબરના પુત્ર જે વિદેશમાં રહે છે તે બારીનભાઈ દેસાઈ સાથે મુલાકાત છે.આ બંને મુલાકાતોની વાત તંત્રીશ્રી નરેશભાઈને કરી અને તેમણે અભિયાન માટે લેખ તૈયાર કરાવ્યો.

(નોધ:તસ્વીરમાં રાજમોહન ગાંધી અને બારીનભાઈ દેસાઈ અને પુસ્તક )

મહાત્મા ગાંધીના પુત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડ

ગુજરાતના રાજકુમાર : ગોપાળદાસ દેસાઈ

પ્રિન્સ દરબારની સંતાયેલી પ્રેરક કથા

દીઠા રાજા ઘણા,

આપની હેડી નહીં જડે!

-શૈલેષ રાઠોડ

ગુજરાતમાં કેળવણીનો પાયો નાંખનાર પ્રથમ રાજવી,૧૦૦ વર્ષ પૂર્વે અસ્પૃશ્યતા હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર, ગણોતનિયંત્રણ,ખેડે તેની જમીન,વેઠનાબૂદી સુધારણા કરનાર, સમાજસુધારક, ક્રાંતિકારી નેતા, ત્યાગમૂર્તિ તેમજ પ્રજાસેવક,ભારતના રજાઓમાં સર્વ પ્રથમ ગાદી છોડનાર અને આઝાદીના મહત્વના આંદોલનોમાં સરદાર-ગાંધી સાથે ખભે ખભા મિલાવનાર પાયાના સત્યાગ્રહી,આઝાદી અપાવવામાં અને સમાજને નવી દિશા અપાવવામાં પહેલ કરનાર ગોપાળદાસ દેસાઈને શત શત નમન.

જ્યારે ગુલામીના ચીન્હો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન બળવાખોર દરબાર સાહેબના મગજમાં તરતો હતો.અને પોતાની ગાદીને લાત મારવી પણ પોતાના આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત દરબારશ્રીને લાગતા શ્રી ભક્તિબાની સહર્ષ અનુમતિ મળતા તરત જ ગાદી છોડી દીધી. અને એ બનાવે હિંદ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રિયતાના પગલાને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતો. ધન્ય છે દરબાર સાહેબને ! ધન્ય છે ભક્તિબાને ! ગાદીથી મળતા લાભ, ગાદીથી મળતા સુખ,ગાદીથી મળતા એશઆરામ,ગાદીથી મળતી પ્રતિષ્ઠા એ સૌને તેમણે તિલાંજલી આપી અને સામાન્ય માણસ તે બની ગયાં,રાજારાણી મટી ગયાં,પણ માન્ય સેવક અને સેવિકા થઈ ગયાં. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના પ્રેરક મિત્ર-રાજા-આઝાદીના આંદોલનના નાયક પ્રિન્સ દરબારની સંતાયેલી પ્રેરક કથા સાચે જ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ટાણે યુવક-યુવતીઓ માટે “રોલ મોડેલ” સમાન છે.

અસ્પૃશ્યતા નિવારણ માટે આજથી સૌ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં એક એવા રાજવી થયા જેમણે અસ્પૃશ્યોને (અનુસૂચિત જાતિ)પોતાના ગણ્યા.ગુજરાતમાં ભદ્ર વર્ગ તરફથી દલિતો અને મહિલાઓને સન્માન આપવાની જો કોઈએ શરૂઆત કરી હોય તો તે દરબાર ગોપાળદાસ દેસાઈ હતા. તેમણે ગણોતનિયંત્રણ, ખેડે તેની જમીન, વેઠનાબૂદી વગેરે સુધારાઓનું અમલીકરણ કર્યું હતું, ખેડૂતોનાં દેવાં માફ કર્યાં હતાં; પોતાના નાનકડા તાલુકામાં મફત પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. 1915માં વસોમાં મૉન્ટેસોરી પદ્ધતિનું બાલમંદિર શરૂ કરવામાં દરબારસાહેબે અગત્યની ભૂમિકા ભજવી હતી. નડિયાદમાં વિઠ્ઠલ કન્યાવિદ્યાલય તથા રાજકોટમાં વલ્લભ કન્યાવિદ્યાલયની સ્થાપનામાં પણ તેમણે પહેલ કરી હતી.

સૌરાષ્ટ્રના ઢસા અને રાય-સાંકળીના રાજા દરબાર ગોપાળદાસ દેસાઈએ તેમના છેલ્લા સંતાનના જ્ન્મ પહેલા જાહેર કર્યું હતું કે, ‘જો દીકરી જન્મશે તો તેને હરિજન દિકરા સાથે પરણાવશે’. જાણીતા લેખક રાજમોહન ગાંધીએ ગોપાળદાસ દેસાઈનું જીવન-ચરિત્ર આલેખતું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું નામ છે : ‘પ્રિન્સ ઓફ ગુજરાત, ધ એક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરી ઓફ પ્રિન્સ દરબાર ગોપાળદાસ દેસાઇ : 1887-1951’.

દરબાર ગોપાલદાસ દેસાઈના પુત્સાર બારીનભાઈ દેસાઈ સાથે લેખક શૈલેષ રાઠોડ

લેખક રાજમોહન ગાંધી કે જે મહાત્મા ગાંધીના પૌત્ર છે.દરબાર ગોપાળદાસ દેસાઈએ સ્થાપેલ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સહીત વસો સ્થિત નિવાસ સ્થાનની મુલાકાત દરમ્યાન દરબાર સાહેબની અનેક ઇતિહાસમાં ધરબાયેલી વાતો રજુ કરી.તેમણે પુસ્તક અંગે જણાવ્યું કે,”આ પુસ્તક દરેક વ્યક્તિએ વાંચવા-વંચાવવા જેવું છે અને વર્તમાન ગુજરાતમાં મજબૂત થઇ રહેલી જ્ઞાતીવાદી જડતા વચ્ચે માણસાઇને ઢંઢોળવામાં કદાચ મદદરૂપ થઇ શકે.આઝાદી પૂર્વે સમાનતાના સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર દરબાર ગોપાળદાસ દેસાઈનું જીવન પ્રેરક અને ઘટનાપ્રધાન રહ્યું છે.તેમનો જન્મ ૧૮૮૭માં થયો હતો. ગોપાળદાસ દેસાઈનું મૂળ વતન નડિયાદ પાસે આવેલું વસો.”

રાજમોહન ગાંધીએ રાજેન્દ્ર પ્રસાદ, સુભાષ બોઝ કે એવાં બીજાં જાણીતાં નામો છોડીને આવી લગભગ અજાણ વ્યક્તિ વિષે લખવાનું અને એ પણ આટલાં વર્ષો પછી, કેમ પસંદ કર્યું? આ સવાલનો જવાબ લેખક પુસ્તકની ઓળખાણ આપતા ‘Why Darbar Gopaldas Now?’ (દરબાર ગોપાલદાસ અત્યારે શા માટે?) નામના પ્રકરણમાં આપે છે. એમના જવાબનો સાર એ છે કે આજના 21મી સદીના ભારતને નેતાઓમાં જે જે યોગ્યતાની જરૂર છે – સાદાઈ, નિખાલસતા, નૈતિક હિંમત,વિચારોની દૃઢતા, શાંત આત્મવિશ્વાસ અને સંબંધોની શુદ્ધતા – એ બધી ગોપાલદાસમાં મોટા પ્રમાણમાં હતી.

તેઓ સમાજસુધારક, ક્રાંતિકારી નેતા, ત્યાગમૂર્તિ તેમજ પ્રજાસેવક હતા. 1910થી 1922 સુધીમાં મોતીભાઈ અમીનના પ્રયાસોથી વસોમાં તેમણે કરેલાં કાર્યો બીજાં રાજ્યો માટે આદર્શરૂપ હતાં.

અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીની ઝુંબેશને તેમણે સ્વીકારી હતી. તે વખતે એજન્સીમાં શિક્ષણવિભાગના વડા કવિ શ્રી ન્હાનાલાલના પ્રમુખપદે, એમણે 1920માં અંત્યજ પરિષદ ભરી હતી. આ પરિષદમાં હાજરી આપવા ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકર, નરહરિભાઈ પરીખ અને મગનલાલ ગાંધીને મોકલ્યા હતા. પાટીદાર કોમમાં ગોળપદ્ધતિ, પૈઠણ, પડદાપદ્ધતિ, બાળલગ્ન, વૈધવ્ય જેવા કુરિવાજોને દૂર કરવા માટે પણ તેમણે ઝુંબેશ ચલાવેલી. ગોપાળદાસને આદર્શ રાજવી બનાવવામાં અને ઉમદા સંસ્કાર આપવામાં જાણીતા કેળવણીકાર તથા સમાજસુધારક મોતીભાઈ અમીનનો ફાળો મહત્ત્વનો હતો.

વડોદરા કૉલેજમાં અભ્યાસ કરતા હતા (1907–1911) ત્યારે શ્રી અરવિંદના પરિચયમાં આવેલા. તેઓ ‘ફ્રીમેસન’ નામની સંસ્થાના સભ્ય પણ હતા, છતાં તેમણે ભારતીય સંસ્કાર અને ખમીર છોડ્યાં ન હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન બ્રિટિશ સરકારે ભારતના દરેક રાજવી પાસેથી યુદ્ધ માટેનો ફાળો ફરજિયાત ધોરણે ઉઘરાવ્યો હતો જે આપવાની ગોપાળદાસે ના પાડી હતી. 1919માં રોલેટ ઍક્ટ સામે તેમની જાગીરમાં હડતાળ પડી હતી.

અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીની ઝુંબેશને તેમણે સ્વીકારી હતી. તે વખતે એજન્સીમાં શિક્ષણવિભાગના વડા કવિ શ્રી ન્હાનાલાલના પ્રમુખપદે, એમણે 1920માં અંત્યજ પરિષદ ભરી હતી. આ પરિષદમાં હાજરી આપવા ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકર, નરહરિભાઈ પરીખ અને મગનલાલ ગાંધીને મોકલ્યા હતા. પાટીદાર કોમમાં ગોળપદ્ધતિ, પૈઠણ, પડદાપદ્ધતિ, બાળલગ્ન, વૈધવ્ય જેવા કુરિવાજોને દૂર કરવા માટે પણ તેમણે ઝુંબેશ ચલાવેલી.

લેખકે આ જીવનચરિત્રની શરૂઆત ઐતિહાસિક સંદર્ભ આપીને કરી છે.હરપ્પાની સંસ્કૃતિના સમયથી માંડીને ગુજરાત પરના મોગલ, મરાઠા અને અંગ્રેજ શાસનની તવારીખની અસર ગુજરાત-સૌરાષ્ટ્રના રાજકીય વાતાવરણ પર કેવી હતી એનો ખ્યાલ આપવા એમણે પ્રયત્ન કર્યો છે. ગોપાલદાસના ચરોતરવાસી પૂર્વજ અને વડોદરાના ગાયકવાડના લશ્કરી અમલદાર દેસાઈભાઈએ સૌરાષ્ટ્રમાં દૂર રાય-સાંકળી અને ઢસામાં પોતાનું નાનકડું રજવાડું કેવી રીતે સ્થાપ્યું એનો વિગતવાર ઇતિહાસ લેખક આપે છે.

વસોના દરબાર અંબાઈદાસને કોઈ સંતાન નહીં એટલે તેમણે તેમની બહેન સમજુબાના દીકરા એટલે કે ભાણેજ ગોરધનને દત્તક લીધો અને પોતાનો વારસ જાહેર કરી એને નવું નામ આપ્યું ગોપાળદાસ. અંબાઈદાસના અવસાન પછી ૧૯૧૧માં ગોપાળદાસે વિધિવત રીતે રાજ-કારભાર સંભાળ્યો હતો. સૌરાષ્ટ્રનું ઢસા અને રાય-સાંકળી દરબાર ગોપાળદાસ દેસાઇનાં તાબામાં, દેખરેખ હેઠળ આવ્યું.

૧૯૧૧માં જ્યારે ગોપાળદાસે ઢસા અને રાય-સાંકળીના રાજવી તરીકે સુકાન સંભાળ્યુ ત્યારે એ રાજ્યનો વિસ્તાર બાર ચોરસ માઇલનો હતો અને વસતી માત્ર ૧૫૦૦ની હતી. રાજા બનતાની સાથે જે તેમણે જાહેર કર્યું કે ‘રાજ્યમાં દરેક વ્યકિત વિના સંકોચે તેમનો સીધો સંપર્ક કરી શકે છે’.

1910માં ગોપાલદાસનાં પત્ની ચંચળબા એમને પ્રથમ પુત્રની ભેટ આપે છે. પણ,એ પુત્ર સૂર્યકાન્ત બે વરસનો થાય એ પહેલાં ચંચળબા ક્ષય રોગનો ભોગ બની દુનિયા છોડે છે, પણ મરણપથારીએ ગોપાલદાસ પાસેથી બે વચન લે છે: એક, પુત્ર સૂર્યકાન્તની સંભાળ સચવાય તે માટે એમણે ફરી લગ્ન કરવાં;બે, એ કન્યા છ ગામના ગોળની ન હોય. ગોપાલદાસ બંને વચન પાળે છે અને કુટુંબની સલાહ અવગણીને છ ગામથી બહારના ગામ વિરસદની કન્યા ભક્તિલક્ષ્મીને પરણે છે.

ગોપાલદાસે એમના નાનકડા રાજ્યમાં દાખલ કરેલા જવાબદાર લોકશાહી શાસનના અમુક અંશો સમગ્ર ભારતના નાનામોટા રાજાશાહી શાસનોના ઇતિહાસમાં તો વિરલ જ હશે.તેમના રાજ્યમાં ઢસામાં અંત્યજો (હરિજનો અથવા દલિતો) માટે પીવાના પાણીનો પોતાનો આગવો કોઈ કૂવો નહોતો.ગામ લોકો જાહેર કૂવામાંથી તેમને પાણી ભરવા દેતા નહીં. એટલે જે તળાવમાં પશુઓ પાણી પીતા હતા તેમાંથી જ દલિતોએ પાણી પીવું પડતું હતું.

દરબાર ગોપાળદાસને ખબર પડી એટલે ગામ લોકોની એક સભા બોલાવી અને કહ્યું કે, ‘જાહેર કૂવો બધા માટે છે. જો તેઓએ અંત્યજોને પાણી ભરવા ન દેવું હોય તો ગામ લોકોએ બીજો કૂવો બનાવી આપવો પડે.’ ગામ લોકોએ વળતો જવાબ આપ્યો કે ‘જો એમ હોય તો એનો ખર્ચ અંત્યજો પોતે જ ઉપાડી લે અથવા તો તે ખર્ચ રાજા આપે.’ ગામલોકોની આ વાત સાંભળતા જ ગોપાળદાસે અંત્યજોને કહ્યું, ‘આજથી તમે મારા દરબારગઢના કૂવામાંથી પાણી ભરજો.’

દરબારની આ વાત ગામ લોકોને ગમી નહીં અને (અસ્પૃશ્યોને) અંત્યજોને કરિયાણાની દુકાનેથી સીધુ-સામાન વેચાણથી આપવાનું બંધ કર્યું. ગામ લોકોએ અંત્યજોનો બહિષ્કાર કરતા રાજાએ અંત્યજો માટે એક વિશેષ દુકાન ખોલી અને સસ્તા દરથી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું.આ ઉપાય કામ કરી ગયો. ગામ લોકો રાજા પાસે આવ્યા અને કહ્યું કે ‘તેઓ બીજો કુવાના નિર્માણ માટે થનાર ખર્ચના પચાસ ટકા રકમનો ફાળો આપવા તૈયાર છે. બાકીની રકમ રાજા આપે’. એ સમયે અંત્યજો માટે અલગ કુવો બન્યો. એ વખતે અંત્યજો માટે અલગ કુવો કરવો એ પણ એક ઐતિહાસિક પગલું હતું.

દરબાર ગોપાળદાસે તેમના નાનકડા રાજ્યમાં કેળવણીને વેગ આપવા ઢસામાં ચાર શાળાઓ શરૂ કરી.તેમાં એક શાળા દીકરીઓ માટે અને એક શાળા અંત્યજો માટે પણ હતી. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીનની પ્રેરણાથી ઢસામાં એક જાહેર પુસ્તકાલય પણ શરૂ કર્યું.

મહત્વની વાત એ છે કે, દરબાર ગોપાળદાસના આ કામોની વાત જાણીને બહારવટીયો અભલ પટગીર પ્રભાવિત થયો અને તેણે પોતાના સાથીદારોને એવી સુચના આપી હતી કે ‘રાય – સાંકળીના લોકોને લુંટવા નહીં!’ દરબાદ ગોપાળદાસ દેસાઇનાં જીવનની આવી તો કેટલીએ વાતો તેમના ચરિત્રકાર રાજમોહન ગાંધીએ તેમના પુસ્તકમાં નોંધી છે. પોતાના રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા ગોપાળદાસે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું અને દુષ્કાળના સમયમાં રાજાએ પોતાની અંગત તિજોરીમાંથી ખેડૂતોનું દેવું ભરી તેમને લેણદારોની ચુંગાલમાંથી મુક્ત કર્યા હતા.

૧૯૩૬માં દરબાર ગોપાળદાસ દેસાઈએ ‘અસ્પૃશ્ય’ ગણાતી જ્ઞાતિમાંથી આવતા ભીજીભાઈ વાઘેલા નામના વ્યક્તિને બિનહરીફ ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા હતા. તે સમયે પૂરા ભારતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો હતો એમ જાણવા મળે છે.

૧૯૨૨ના અરસામાં નવજીવનનાં ‘કાઠીયાવાડ’ વિશેષાંકમાં રાજાઓને ઉદ્દેશીને ગોપાળદાસે એક માર્મિક પત્ર લખ્યો હતો ‘આપણે રાજાઓ અને તાલુકદારો, એવો દાવો કરીએ છીએ કે, આપણે પ્રજાના રક્ષક છીએ. પણ ખરેખર આપણા રાજ્યોમાં લોકલાગણી જેવું કાંઈ છે? આપણા મંત્રીઓ પ્રજાનું કઈ રીતે શોષણ કરાય એ યોજનાઓ જ ઘડ્યા કરે છે.’ મિત્રો અને માનવંતા વડીલો, ‘હિંમતવાન બનો અને લોકહિતના કામમાં જોડાવ. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો. સ્વદેશી અપનાવો. મહાત્મા ગાંધીમાં તમારી શ્રધ્ધા જાગે તેવી પ્રાર્થના.”.

દરબાર ગોપાળદાસ રાજા હોવા છતાં ગાંધીજીની આઝાદીની લડતમાં સામેલ થયા અને અંગ્રેજો સામે ઝંપલાવ્યું. ગાંધીજી સાથે લડતમાં જોડાતા અંગ્રેજ સરકારે ૧૯૨૨માં દરબાર ગોપાળદાસનું રાજ્ય ઢસા અને રાય – સાંકળીને ટાંચમાં લીધું. અંગ્રેજોએ તેમનું રાજ્ય ટાંચમાં લેતા સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું , ‘ભાઇશ્રી ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.’ દરબાર ગોપાળદાસ અને તેમના પત્ની ભક્તિલક્ષ્મી આઝાદીની ગાંધી બાપૂ સાથે લડતમાં રંગાઈ ગયા. તેમણે ખાદી અપનાવી અને સ્વદેશીની લડતને વેગ આપવા હાકલ કરી.

રાજમોહન ગાંધી જણાવે છે કે, ગોપાળદાસ અને તેમના ધર્મપત્ની ભક્તિબાએ વૈભવ-વિલાસનું જીવન ત્યજી કઠીન અને પરીશ્રમ વાળું જીવન પસંદ કર્યું. શ્રીમંતાઈ છોડી સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી. ૧૯૯૨માં સરદાર પટેલના દીકરી મણીબહેન પાસેથી પ્રાપ્ત ડાયરીમાં એવો ઉલ્લેખ મળે છે કે દરબાર ગોપાળદાસ દેસાઈ તેમના યુગના રાજા હરિશ્ચન્દ્ર હતા.

દરબાર સાહેબના પરિવારજનોમાં પુત્ર બારીન દેસાઈ કે જે લંડન રહે છે.તેઓ પૌત્રી વિશાખાબેન પટેલ,સાધનાબેન પટેલ સાથે નડિયાદ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓની મુલાકાત કરી ત્યારે સ્નાસ્થાની બાળાઓએ દરબાર સહેની અનોખી રંગોળી બનાવી હતી.આ પ્રસંગે બારીન દેસાઈએ જાન્વ્યું કે,

પરદેશી શાસનને ધિક્કારતા અને સામાજિક સુધારાની જરૂર સમજતા ગોપાલદાસ 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા ગાંધીજીની અસર નીચે આવ્યા અને,ખાદીધારી બની ઉઘાડેછોગ અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો.

સ્વાતંત્ર્યસંગ્રામમાં ઉત્તરોત્તર ઊંડા ઊતરતા અને પોલિટિકલ એજન્ટના હુકમોને સીધા પડકારતા ગોપાલદાસ સમજે છે કે પોતાની રિયાસત ગમે ત્યારે જઈ શકે, પણ સરકારની માફી માગવાની એ સ્પષ્ટ ના કહે છે.ન બનવાનું બને તો રિયાસત પરનું એક લાખ રૂપિયાનું દેવું સરકાર ઢસા અને રાય-સાંકળીના પ્રજાજનો પાસેથી વસૂલ ન કરે એટલા માટે કુટુંબનાં ઘરેણાં વેચીને એ દેવું ભરપાઈ કરે છે. અંતે 1922ના જુલાઈમાં સરકાર એમનું રાજ જપ્ત કરે છે. મારા પિતા ગોપાલદાસ અને માતા ભક્તિબા,વસોની પોતાની હવેલીમાં રહેવા ન જતાં, આણંદ અને પછી બોરસદમાં રહીને પોતાની તમામ શક્તિથી સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવે છે.

અહી રહી તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એમણે પ્રાણ પૂર્યા હતા. તેઓ બોરસદ નગરપાલિકા અને ખેડા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ હતા. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય પણ હતા. વડોદરા રાજ્ય પ્રજામંડળ તથા કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખપદ તેમણે શોભાવ્યાં હતાં.

અસહકારના આંદોલનની ગુજરાતમાં થતી બધી જ પ્રવૃત્તિમાં સક્રિય ગોપાલદાસ વલ્લભભાઈ પટેલની સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. વલ્લભભાઈ ગોપાલદાસને પાટીદાર કોમના ‘રત્ન’ તરીકે વર્ણવે છે. ગોપાલદાસ સૌરાષ્ટ્રની પ્રજાના લાડકા ‘દરબાર’ બને છે. એમને છ મહિનાની સખત કેદની સજા મળે છે. 1928નો બારડોલી સત્યાગ્રહ ગોપાલદાસની નેતૃત્વશક્તિ અને ધગશની ઝાંખી કરાવે છે. 1930માં દાંડી તરફની કૂચ દરમ્યાન ગાંધીજી જાહેરમાં કહે છે કે ‘સરદાર અને દરબાર’ને જન્મ આપનાર ખેડા જિલ્લાને એમણે વધુ કાંઈ કહેવાનું રહેતું નથી. એ મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે બે વર્ષની જેલની સજા ગોપાલદાસ પોતાના જ્યેષ્ઠ પુત્રનાં લગ્ન અને પાંચમા પુત્રના જન્મ પછી ત્રણ જ દિવસે હસતે મોઢે સ્વીકારે છે. થોડા મહિના પછી ભક્તિલક્ષ્મી પણ કાનૂનભંગ માટે સજા પામીને સાત-આઠ મહિનાના બાળક બારિંદ્ર સાથે એ જ સાબરમતી જેલમાં પહોંચે છે. ગોપાલદાસ 1942માં હિંદ છોડો ચળવળ માટે ફરી જેલમાં જાય છે. સ્વાતંત્ર્ય જ્યારે નક્કી જ હતું ત્યારે સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે સ્થપાયેલી Constituent Assembly (બંધારણસભા)માં ગોપાલદાસ વડોદરા રાજ્યના પ્રજાજનોના પ્રતિનિધિ નિમાય છે.

દરબારસાહેબે સ્વરાજસંગ્રામનાં બધાં આંદોલનોમાં તથા ગાંધીજી અને સરદાર પટેલની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 1923નો નાગપુર ઝંડા સત્યાગ્રહ, 1924નો બોરસદ સત્યાગ્રહ, 1927નું ગુજરાતનું રેલસંકટ, 1928નો બારડોલી સત્યાગ્રહ, 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ, 1934માં પ્લેગ-ઉપદ્રવ, 1940નો વ્યક્તિગત સત્યાગ્રહ, 1942ની ‘હિંદ છોડો’ લડત – આ બધાંમાં દરબારશ્રી અને ભક્તિબા મોખરે રહ્યાં હતાં.

અંગ્રેજો ગયા પછીનું સ્વતંત્ર ભારત એક સંગઠિત રાષ્ટ્ર બને એ માટે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં રાજ્યો-રજવાડાંને ભારતના એકમમાં ભેળવી દેવાના સરદાર પટેલના પ્રયાસોમાં ગોપાલદાસ દિવસ-રાત ભાગ લે છે. 1946માં એમને પાછું મળેલું એમનું નાનકડું રાજ્ય ઢસા-રાય-સાંકળીનું રજવાડું એ જ દિવસે એ ભારતીય એકમમાં આપી દે છે; ભારતનાં બધાં જ રજવાડાંમાં એમનું આ પગલું સર્વપ્રથમ બને છે.

ગુજરાત-સૌરાષ્ટ્રના ચાર મુખ્ય પ્રધાનો ઉ. ન. ઢેબર, બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા અને બાબુભાઈ જશભાઈ પટેલ પોતાને દરબાર ગોપાલદાસના હાથ નીચે તૈયાર થયેલા ગણાવવામાં ગર્વ લેતા હતા.

અંતે, ગોપાલદાસે જો 1951માં 64વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય લીધી ન હોત તો એ શું બન્યા હોત અને શું કરી શક્યા હોત એની તો, લેખક કહે છે તેમ, હવે કલ્પના જ કરવાની… અને એ (કે એમના જેવા કોઈ) પાછા આવે એની વાટ જોવાની.

આઝાદી મળ્યા પછી પણ આ ઓજસ્વી દંપત્તિએ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસલક્ષી ઘણા કાર્યો કર્યા આજે જ્યારે આપણા કિશોરો યુવાનો તેમના માટે જીવનમાં આદર્શ બની શકે તેવા રોલ મોડલની શોધમાં છે ત્યારે આપણા ઇતિહાસના આવા ઉજળા પાત્રો જરૂર પ્રેરણા રૂપ બની શકે.

દર્શક દાદાએ પોતાના શબ્દોથી અલગ અંદાજમાં દરબાર સાહેબને બિરદાવ્યા છે.

દીઠા રાજા ઘણા,

આપની હેડી નહીં જડે!

બીજાએ કાળ સેવ્યો,

આપે કાળ ઉઠાપિયો.

કાળના કિંકર બીજા,

આપ તો કાળના પિતા!

શિક્ષક દિન 


-શૈલેષ રાઠોડ

‘મારી ડાળ ડાળમાં ફૂટે છે આનંદની ટશરો, 

મને  ઉદાસીભરેલી કોઈ સવાર ન આપો’,

મારે તો ચાંદ સૂરજ ઉગાડવા છે વર્ગખંડમાં, 

સાવ મને મશીનનો આકાર ન આપો…!!

  ઉપરોક્ત શૈલેશ પંડ્યાના શબ્દોમાં શાળા જીવંત સૃષ્ટી છે. ‘શાળા, બાળક, શબ્દો અને પ્રેમ ચાર ધામ છે.શિક્ષક એટલે કોરી આંખોમાં સ્વપ્નાં વાવે તે.શિક્ષક એટલે જેને બાળકની આંખોમાં ઈશ્વરનો વાસ દેખાય.

બાળકોમાં ક્યારેય ખામી નથી હોતી પરંતુ બાળકોની આદતો ખામીયુક્ત હોય છે.શિક્ષકે આદતો બદલવાની જરુરુ છે.

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. 

 ડૉકટર સર્વેપલ્લી રાધાકૃષ્ણન….આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ  માનતા હતા કે દેશમાં શ્રેષ્ઠ વિચાર ધરાવતા લોકો જ શિક્ષક બનવા જોઈએ. 1962 થી દર વર્ષે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ડૉ.રાધાકૃષ્ણન એક વિદ્વાન, ચિંતક અને અત્યંત આદરણીય શિક્ષક હતા.


આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે. શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો દિવસ.

શિક્ષક દિનની ઉજવણી કરવામાં ચીનથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, બ્રાઝીલ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જોકે આ દિવસની ઉજવણીની તારીખ દરેક દેશમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે, શિક્ષક દિવસ ચીનમાં 10 સપ્ટેમ્બર, અમેરિકામાં 6 મે, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરનો છેલ્લો શુક્રવાર, બ્રાઝિલમાં 15 ઓક્ટોબર અને પાકિસ્તાનમાં 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે. આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે.  આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિદ્ધી મેળવનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે.

” શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ .” 

ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન , કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આપણો આત્મવિશ્વાસ વધારીને , આપણો આત્મવિશ્વાસ બનીને આપણને સફળતાના શિખરો સર કરાવે છે. એકડે એક ઘુંટાવવાથી લઈને જીવનમાં અનેક સંસ્કારોનું સિંચન કરે છે. માત્ર અક્ષરજ્ઞાન જ નહી પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક હમેશાં ચિંતિત હોય છે. એક ડૉક્ટર , એક વકીલ , એક પ્રોફેસર , એક અધકારી કે એક સફળ ઉધોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. એક શિક્ષક જ છે જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ થી ખુશ થાય છે. એક એક સફળ વિદ્યાર્થી એમના માટે એક વિશેષ પુરસ્કાર હોય છે. બીજાની સફળતા પર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે.

સર્વેપલ્લી ડો.રાધાકૃષ્ણને કહ્યું કે શિક્ષક એ નથી કે જે વિદ્યાર્થીના મનમાં હકીકતોને દબાણ કરે, પરંતુ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને આવતીકાલના પડકારો માટે તૈયાર કરે છે. તેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 1994 માં, યુનેસ્કોએ શિક્ષકોના કાર્યની પ્રશંસા કરવા માટે 5 ઓક્ટોબરની ઉજવણીને વિશ્વ શિક્ષક દિવસ તરીકે માન્યતા આપી. સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલે દેશના પ્રથમ મહિલા શિક્ષક તરીકે જાણીતા છે. તેમણે છોકરીઓના શિક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

આવો આજના પવિત્ર દિને આપના સહુ શિક્ષકોને વંદન કરી આનંદપૂર્વક પવિત્ર શિક્ષણ મેળવવા કટિબદ્ધ બનીએ. એક આદર્શ વિદ્યાર્થી તરીકે આપણે પણ આપણા શિક્ષકનો આદર કરવો જોઈએ. વર્ગખંડમાં હમેશા શાંતિ જાળવવી જોઈએ. શિક્ષકોની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને એમણે આપેલા સંસ્કારોને જીવનમાં ઉતારવા જોઈએ. સર્વે ગુરૂજનો ને પ્રણામ.

આઝાદી કા અમૃત મહોત્સવ:સફર અને પડકારો 


 શૈલેષ રાઠોડ

સ્વતંત્રતા એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અમૂલ્ય ભેટ છે.આ સ્વતંત્રતા માટે દેશના અનેક  બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓએ બલિદાન આપ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ છે.આઝાદીના 75 માં વર્ષમાં પહોંચતા, આપણે હવે વાસ્તવિક આઝાદીનો સ્વાદ ચાખી રહ્યા છીએ ખરા?21 મી સદીનું ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તેની સામે અનેક પડકારો છે.

આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે.આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે . મતલબ કે ક્રાંતિકારીઓ , સ્વાતંત્ર્ય સેનાનીઓ , દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે . આપણા મનમાં નવા વિચારો , નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે .

વહેલી સવારે અખબારો લૂંટ,બળાત્કાર ચોરી,હત્યા જેવા સમાચારોથી ભરાયેલા જોવા મળે છે જે આડકતરી રીતે પ્રજાની આઝાદી સામેના પડકારનો નિર્દેશ કરે છે.સામજિક અસમાનતા યક્ષ પ્રશ્ન છે.કોમી રમખાણો દેશની છબીને હાની પહોંચાડી રહ્યા છે.અખબારમાં જોવા મળતા સમાચારોની હેડ લાઈન જોઈએ તો-“જામીન પર છૂટેલા દુષ્કર્મના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી”,સરકારના મંત્રી સામે યૌન શોષણનો આરોપ,દલિત યુવક લગ્નમાં ઘોડા ઉપર સવાર થતાં વરઘોડા ઉપર હુમલો,માતાએ પ્રેમમાં અંધ બની ૫ વર્ષના પુત્રની હત્યા કરી,પુત્રએ માતાની હત્યા કરી સહીત ધાર્મિક જૂથ અથડામણ,જીવતા સળગાવી દેવા,કોમી હુલ્લડ,નેતાઓની ખરીદી જેવા સમાચારોની જાને પ્રજાને આદત પડી ગઈ છે.

રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બને જ્યારે તે તેના ભૂતકાળના અનુભવો અને વારસાના ગૌરવ સાથે ક્ષણે ક્ષણે જોડાયેલ રહે.સ્વતંત્રતાનું અમૃત તે લોકોનો આભાર માનવાનો પ્રયાસ છે જેના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.શું આઝાદીના ૭૫ વર્ષમાં આપણે મહાત્મા ગાંધીની વિચારધારા ફેલાવવામાં અને બાળકો-યુવાનોના માનસપટ અંકિત કરી શક્યા છે?આજનું ભારત અનેક પ્રશ્નો સાચવીને બેઠું છે.

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે.દેશની અઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્યભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે.આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કચેરીઓમાં રમતગમત,ગીતો,સાંસ્કૃતિક કાર્યક્રમો,પોસ્ટરો,બેનરો જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.આ સુંદર પ્રયાસ સાથે ઉજવણી જરૂર થશે પરંતુ સાથે સાથે વર્તમાન સમયમાં પ્રેમનું આત્મિક સિંચન ખુબ જ જરૂરી છે.શહીદવીરોની ગાથા સાથે તેમના સમાનતા,પ્રેમ અને ભાઈચારોના સંદેશ પહોંચાડવાની જરૂર છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે.આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા,ભારત તેના લોકો,સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજિક , સાંસ્કૃતિક , રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે.આ સ્વરૂપ ઉજવણીમાં જરૂર દેખાશે પરંતુ વાસ્તવિક સુધાર હજુ બાકી છે.જે માટે સરકારે લાંબાગાળાના આયોજન કરી દેશને ખુશહાલ બનાવવો પડશે.

“ આઝાદી કા અમૃત મહોત્સવ ” ની સત્તાવાર યાત્રા 12 માર્ચ , 2021 ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી , જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલી ઝંડી આપી હતી . આઝાદીનો આ અમૃત ઉત્સવ 15 મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.

મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દેશની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનની જાગૃતિ માટે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ દિવસે 2021 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરી હતી જે આપણા આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતિક છે .

દેશ સામે પડકારો પડકારો:

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ટાણે દેશ સામેના પડકારો પણ વધ્યા છે.વધતી જતી વસ્તી એક મોટો અવરોધ બની ગયો છે. કારણ કે, વર્ષ 1947માં ભારતની વસ્તી આશરે 37.6 કરોડ હતી, જે હવે વધીને 139.3 કરોડ થઇ ગઇ છે.

કોવિડ-19એ ભારતમાં ગરીબી વધી છે.વર્લ્ડ બેન્કના અહેવાલ પ્રમાણે, 2019માં દેશમાં ગરીબોની સંખ્યા લગભગ 36 કરોડ છે. “ આઝાદી કા અમૃત મહોત્સવ “એ આપણા માટે સંપતિ અને આવકની અસમાન વિતરણ દેશ માટે મોટી સમસ્યા અને પડકારો બન્ને છે. દેશ માટે વિકાસ અને આત્મનિર્ભરતામાં સંતુલન બનાવવું ઘણું મહત્વપૂર્ણ છે અને તેના પર ઘણાં કામ કરવાના બાકી છે.

ગરીબી પણ દેશ માટે એક પડકાર છે. ઉદાહરણ તરીકે આઝાદી સમયે દેશની 80 ટકા વસ્તી એટલે કે, લગભગ 250 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. જ્યારે 2011-12ના આંકડાઓના આધારે દેશમાં 269 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. જે સંબંધિત સમયની વસ્તીના લગભગ 22 ટકા છે. એટલે કે તુલનાત્મક રીતે આંકડામાં સુધારો થયો છે, પરંતુ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરનારા દેશ માટે આ ચોક્કસપણે ચિંતાજનક બાબત છે.

ક્લાયમેટ ચેન્જ (Climate Change) પણ એક નવી મુશ્કેલી બનીને બહાર આવ્યું છે તેની સામે લડવા માટે આપણે ન્યૂ એનર્જીની જરૂર છે. 

સેક્સ રેસિયોમાં ભારતની સ્થિતિ સુધરી નથી, પણ વધુ ખરાબ થઈ છે. 1951ની વસ્તી ગણતરી મુજબ, દેશની વસ્તીમાં 1000 પુરુષોની સામે 946 મહિલાઓ હતી, જે હવે ઘટીને 934 થઈ ગઈ છે.

સામાજિક વિવિધતા અને હિતોમાં ટકરાવ દેશ માટે મોટી સમસ્યા અને પડકાર છે. ચૂંટણી અને સામાન્ય પ્રશાસનમાં સમય પ્રમાણે ફેરફારની જરૂર છે. દેશમાં પાર્ટી લોકશાહીમાં ઘણી આંતરિક ભૂલો છે, જેનો ઉકેલ એક મોટો પડકાર છે.

બેજવાબદાર લોકોને કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો થઇ રહ્યા છે.દેશમાં લોકશાહી ચુંટણીશાહી બની ગઈ છે.

આઝાદી મળી અને તેની ઉજવણી પણ અનિવાર્ય છે.પરંતુ તે ઉજવણી ત્યારે જ શોભી ઉઠે જયારે દેશ સોને કી ચીડિયા બને.

ઉજવણીમાં રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની ભૂમિકાનો ખ્યાલ રજુ કરી સમાનતાનો ખ્યાલ ભારતીઓના હૈયે કાયમી અંકિત કરવાની જરૂર છે.ધાર્મિક કટ્ટરતા દુર થાય અને શાંતિ એખલાસનું વાતાવરણ જીવંત બને તે વર્તમાન ઉજવણીની માંગ છે.

 ગાંધીજી,લાલા લાજપત રાય,લોકમાન્ય તિલક અને લાલ – બાલ – પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનની સાથે સાથે અન્ય ક્રાંતિકારીઓ-જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ , મંગલ પાંડે , રાજા રામમોહન રાય , સ્વામી દયાનંદ , સ્વામી વિવેકાનંદ , ખુદીરામ બોઝ , વીર સાવરકર , કરતાર સિંહજી , ભીખાઇજી કામા અને એની બેસન્ટના માત્ર ફોટોગ્રાફ્સ નહિ પણ તેમના યોગદાન અને વિચારધારાને લોક સમુદાય સમક્ષ મુકવામાં આવે તે જરૂરી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ‘ ઉત્સવ એ છેલ્લા 75 વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતીની અનુભૂતિનો તહેવાર છે.આ તહેવાર નવા પ્રેમાળ અને આનંદિત ભારતની ઓળખ બને તો દેશ સોને કી ચીડિયા ઉક્તિને સાર્થક કરતો જણાય.પ્રત્યેક નેતા,અધિકારી,કર્મચારી,નાગરિક જો દિલથી ઈચ્છે તો  પ્રામાણિક અને ક્રિયાત્મક પગલાં થકી સ્વત્રંતાની સાચી ઉજવણી કરી શકે છે.

-શૈલેષ રાઠોડ “અભિધેય”

સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ 15 લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે.


-શૈલેષ રાઠોડ

સુર્યપુર  નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બન્યું હતું.૧૬મી સદી દરમ્યાન જ્યારે મુઘલકાળમાં  લુટમારી છતા ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયુ હતું. ઇ.સ.૧૯૮૦નાં દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગનાં વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ, પરંતુ ભારતનું પણ સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર બની ગયું.

પ્રચલિત કહેવત મુંબઈમાં રોટલો મળી રહે છે, પણ ઓટલો મળતો નથી, પણ સુરતમાં રોટલો અને ઓટલો બંને આસાનીથી મળી રહે છે.રોજેરોજ સુરતમાં રોજગારી માટે અસંખ્ય લોકો આવતા હોય છે.

અહી કોઇપણ પ્રાંતનો  સ્કીલ્ડ અથવા અનસ્કીલ્ડ કારીગર પગ મૂકે એટલે તેને રોજગારી અચૂક મળે જ.અહી ભારતભરના નાગરિકો રહેતા હોય તેને મીની ભારત પણ કહેવામાં આવે છે. રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે.સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે,જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે.ડાયમંડ અને ટેક્ષટાઈલ્સ ઉદ્યોગને કારણે અહી યુવાનોમાં રોજગારીની વિપુલ તકો હોય ભારતભરમાંથી યુવાનો અહી આવે છે.સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.

છેલ્લા બે દાયકામાં સુરતનો કાપડ ઉદ્યોગ રોકેટ ગતિએ વિસ્તર્યો છે.આજે ૧૫ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે રોજગારી આપી રહ્યો છે.અહીં વર્ષે દહાડે અંદાજિત ૧૪,૬૦૦ મિલિયન મીટર કાપડ અને ૧૦.૫૦ લાખ મેટ્રિક ટન યાર્નનું ઉત્પાદન થાય છે.સુરત હીરાપોલિશિંગ અને જરીના ઉદ્યોગ સાથે કાપડ ઉત્પાદનમાં પણ  અવ્વલ સ્થાન મેળવી રહ્યું છે.સુરતના ઉદ્યોગકારો બદલાતી સ્થિતિને અનુરૂપ ઉત્પાદન પદ્ધતિમાં બદલાવ કરે છે. યુરોપ અને ચીનમાં સારી ટેકનોલોજી ધરાવતી ટેક્ષટાઈલ મશીનરીને આયાત કરવામાં આવે છે.

ભારતના 65 ટકા મેનમેડ ફાઈબરનું ઉત્પાદન એકલું સુરત કરે છે. સુરતમાં વર્ષ 1960 થી પોલિયેસ્ટર ઉદ્યોગમાં સુરતે કાઠું કાઢ્યું અને ધીરે ધીરે ડાઈંગ, પ્રિન્ટીંગ, યાર્ન મેન્યુફેક્ચરીંગ, એમ્બ્રોયડરી ડિઝાઈનિંગ, નેટ ફેબ્રિકસ, ટેકનિકલ ટેક્ષટાઈલમાં સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગે નામના મેળવી છે.

સુરતનું વિશાળ ટેક્ષ્ટાઈલ માર્કેટ એશિયાભરમાં કાપડ ઉદ્યોગ માટે વિખ્યાવત છે.સુરતનો કાપડ ઉદ્યોગ હવે ગારમેન્ટ અને ટેકનિકલ ટેક્ષટાઈલ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉદ્યોગસાહસિકો પણ જરૂરિયાત મુજબ અપગ્રેડ થઈ રહ્યા છે. કેટલાક લોકો જે કાપડ ઉદ્યોગમાં આવવા માંગે છે, અને કેટલાક જેમનો પારિવારિક વ્યવસાય કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત છે, તેઓ હવે અભ્યાસ બાદ કાપડઉદ્યોગને લગતા અભ્યાસક્રમોમાં એડમિશન લઈને આ ક્ષેત્રમાં કંઈક નવું કરવાના માર્ગે આગળ વધ્યા છે. ઉપરાંત, ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાનો પણ તેમાં જોડાઈ રહ્યા છે.

સુરતના કાપડ ઉદ્યોગની વિશેષતા એ છે કે દિનપ્રતિદિન બદલાઈ રહેલી ફેશનના આધારે સુરતના કાપડ ઉદ્યોગકારોએ પણ તેમની ઉત્પાદન પદ્ધતિમાં ફેરફારો કર્યા છે, અને આજે નવી-નવી વેરાયટીનાં કાપડ બનાવી રહ્યાં છે. માત્ર સાડી અને ડ્રેસ સિવાય હવે ડેનિમ અને ગારમેન્ટ તરફ પણ સુરતનો કાપડ ઉદ્યોગ વળી રહ્યો છે. હાલ દેશભરમાં નેટના કાપડની ડિમાન્ડ વધતાં મોટા પાયે ઉદ્યોગકારો નિટિંગ ફેબ્રિક્સના ઉત્પાદન માટે રોકાણ કરી રહ્યા છે.અનેક  ઉદ્યોગકારોએ વિદેશોથી મશીનો પણ મોટી સંખ્યામાં આયાત કરી ઉત્પાદનમાં વધારો કર્યો છે.જે દર્શાવે છે કે,આવનાર દિવસોમાં સુરતની તોલે કોઈ નહી આવી શકે.

સુરત શહેરમાં 7.15 લાખ જેટલા શટલ, વોટરજેટ, રેપિયર, એરજેટ જેવા લુમ્સ મશીનો થકી ફેબ્રિકસ પ્રોડક્શનમાં 81,228 કરોડનું વાર્ષિક ટર્નઓવર થાય છે. હાલ સુરતમાં 6 ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત છે, જ્યારે આગામી દિવસોમાં વધુ ચાર નવા ટેક્ષટાઈલ પાર્કના નિર્માણ થકી લાખો રોજગારીનું સર્જન થશે. કાપડ ઉદ્યોગમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશાના કારીગરો વધુ જોવા મળે છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી જણાવે છે કે,વિશ્વમાં ફેશનનું ઉદ્દગમસ્થાન ગણાતા ફ્રાન્સના ‘પેરિસ’ શહેરમાં સુરતનું કાપડ વપરાય છે. ઝારા જેવી પ્રખ્યાત બ્રાન્ડેડ કંપનીઓ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનતું ફેબ્રિક્સ ખરીદવા સુરત આવે છે. સુરતના છેલ્લાં પાંચ વર્ષમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડનો લાભ ઉઠાવી 70,000 થી વધુ આધુનિક મશીનરી માત્ર સુરતમાં વસાવવામાં આવી છે. જે ઉત્તર અને દક્ષિણ ભારતની ટેક્ષટાઈલ ડિમાન્ડ પૂરી કરી રહી છે. સુરતમાં તૈયાર કરવામાં આવતા નેટ ફેબ્રિક્સની બાંગ્લાદેશ અને ગલ્ફના દેશોમાં ભારે ડિમાન્ડ છે. બાંગ્લાદેશમાં રેડિમેડ ગારમેન્ટમાં ઉપયોગ માટે મોટાપાયે ત્યાંના ઉદ્યોગકારો તરફથી ઓર્ડર મળે છે. જ્યારે ગલ્ફના દેશોમાં પણ ફેશનેબલ બુરખા,સ્કાર્ફ અને ડ્રેસિસ માટે ત્યાંના ઉદ્યોગકારો ઓર્ડર આપી રહ્યા છે.

વધુમાં આશિષ ગુજરાતી સુરતમાં જણાવે છે કે, સુરતમાં કાપડની અદ્ભુત વેરાયટીનું ઉત્પાદન થાય છે જેમાં શિફોન, જ્યોર્જેટ, ક્રેવ, કોટન. લિનન જેવી કાપડની મુખ્ય છે.ભારતનું 65 ટકા યાર્ન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બને છે.સુરતમાં 1.50 લાખ એમ્બ્રોઈડરી મશીન, ૨૦ હજાર રેપિયર મશીન તેમજ 7.15 લાખ પાવરલુમ્સ યુનિટ છે. માત્ર પાવરલૂમ ઈન્ડસ્ટ્રીમાં જ ચાર લાખ કારીગરો કામ કરી રહ્યાં છે. સુરતની 2.50 લાખ મહિલાઓ ઘરેબેઠા ટીકી- સ્ટોન વર્ક, ભરતકામ, લેસ કટિંગ અને મેકિંગ, સિલાઈકામ જેવા વિવિધ પ્રકારના જોબવર્ક કરી રોજગારી મેળવી રહી છે અને પરિવારને આર્થિક ટેકો આપી રહી છે.સુરત આસપાસના 45 કિલોમીટરની ત્રિજ્યામાં યાર્ન ઉત્પાદન, ડાઈંગ, પ્રિન્ટીંગ, એમ્બ્રોઈડરી સહિત મેનપાવરનું સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું છે. સુરત વેલ્યુ એડિશનમાં પ્રખ્યાત છે. જે કાપડ લક્ઝરી લાગતું હતું એને સુરતે વેલ્યુ એડિશન થકી અફોર્ડેબલ બનાવ્યું છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જૂન-૨૦૨૨ માસમાં યુએસએના ન્યુ જર્સી ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્‌ઘાટન ન્યુ જર્સીના મેયર સેમ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું.બાયર – સેલર મીટમાં પણ સુરતના ઉદ્યોગકારોને સ્થાનિક બાયર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ મીટમાં સ્થાનિક ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવ્યા હતા. દિવસ દરમ્યાન પ૪૭ જેટલા વિઝીટર્સે મુલાકાત લીધી હતી અને એકઝીબીટર્સને આશરે ૧ લાખ યુએસ ડોલરનો બિઝનેસ મળ્યો હતો. સાથે જ અન્ય ઓર્ડર્સ તથા ઘણી ઇન્કવાયરી પણ જનરેટ થઇ હતી. આવનાર દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ મળશે.

હાલમાં સુરતમાં 60 હજાર વોટરજેટ યુનિટ પર વાર્ષિક 1.80 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે વાર્ષિક રૂ.22,995 કરોડનું કાપડ માત્ર વોટરજેટ યુનિટ પર બને છે. જ્યારે 6,15,000 પાવરલૂમ મશીનો પર વાર્ષિક 50,000 કરોડનું 2.60 કરોડ મીટર કાપડ ઉત્પાદિત કરવામાં આવે છે. સુરતમાં આવેલા 1 હજાર એરજેટ મશીન પર વાર્ષિક રૂ.2,737 કરોડનું 18 કરોડ મીટર ડેનિમ કાપડ અને રૂ.700 કરોડનું લીનન કાપડ બનાવવામાં આવે છે.

-શૈલેષ રાઠોડ “અભિધેય”

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ચરોતર અવ્વલ


-શૈલેષ રાઠોડ

ચરોતરના સારસા અને ખંભોળજ વચ્ચે એક ઊંડી નળી એટલે કે ઊંડો કાચો માર્ગ હતો.ત્યાં મુખી ગરબડદાસ અને તેમના સાથીદારો માલાજી,બાપુજી વગેરેનો અંગ્રેજ સૈન્ય સાથે સંઘર્ષ થયો હતો.મીંઢડ બંધા મુખી ગરબડદાસને પકડવા આવેલ અંગ્રેજ સૈનિકો સાથેની ગોળીઓની રમઝટમાં મુખીની ગોળીથી એક ગોળો સૈનિક વિદાય ગયો હતો અને અંગ્રેજોની ગોળીઓથી વિંધાયેલો મુલજી ગાડાનો આધાર લઈ ગોળીઓ છોડતો હતો,ત્યારે આવી સ્થિતિમાં મૂળજીને ટેકો આપવા આવેલા મુખી ગરબડદાસને અંગ્રેજ સૈનિકોએ પકડી લીધા અને મૂળજી જોશી સદા ને માટે ત્યાં જ ઢળી પડ્યા.મુખીને જીવનભર આંદોબાર ટાપુ પર મોકલવામાં આવ્યા. તેમને દેશ નિકાલની સજા કરવામાં આવી હતી.જ્યાં પાછળથી તેઓ અવસાન પામ્યા હતા.

આવા અનેક પડકારો અને પરાક્રમો ચરોતરની ભૂમિ ઉપર આઝાદીના આંદોલન દરમ્યાન થયા છે. દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપનાર,ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચરોતરના કરમસદના પનોતા પુત્ર છે.તેમનો જન્મ નડિયાદમાં મામાને ઘરે થયો હતો.ચરોતરમાં મહત્વના બે સંગ્રામ ખેડા અને બોરસદ સત્યાગ્રહ થયા.સરદારની આગેવાનીને કારણે અન્યાય દુર થયા,ગામના ખેડૂતોને સંગઠિત બન્યા,અંગ્રેજોના અત્યાચાર નો અંત આવ્યો.૧૯૨૩માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું. વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન આયોજ્યું. તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી.

ઇતિહાસના જાણકાર અને ભારતીય વિદ્યાભવન નડિયાદના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ જણાવે છે કે,ભારતીય સંગ્રામ રાષ્ટ્રવ્યાપી બન્યો હતો.જેમાં ચરોતરમાં પણ ઐતિહાસિક ઘટનાઓ બની હતી. ચરોતરના આણંદ ખેરડા પ્રતાપપુરા ખાનપુર કરમસદ ખોરવાડ સામરખા સારસા ખાળગોર નડિયાદ ડાકોર ઉમેટા, સાયમાં વગેરે ગામોમાં 1857માં નોંધપાત્ર બનાવો બન્યા હતા.

 આણંદનામુખી ગરબડદાસ હરિદાસ અને ખાનપુરના ઠાકોર જીવાભાઈએ 1857 ના સંગ્રામમાં નેતૃત્વ કર્યું હતું. ગરબડદાસ મૂકી તેજસ્વી અને બહાદુર હતા મોટી મૂછો લીંબુની ફાળ જેવી ચમકતી આંખો ઊંચું ખડતલ કદાવર શરીફ માથે ચરોતરી પાઘડી કાનમાં સોનાની મરચી પહેરતા ગરબડદાસ મુખીની ચરોતર પણ થાકમાં માથાભારે અને બહારવટુ ખેડતા લોકોમાં ભારે ધાક હતી 

 તેમણે ભીલ કોળી નાયક વગેરે મળી આશરે 2000 જેટલા સશસ્ત્ર લોકો એકઠા કર્યા અને કેળા નળિયા આણંદ પ્રદેશમાં આવેલા બ્રિટિશાણા ઉપર હુમલા કર્યા આથી બ્રિટિશ લશ્કરે વડોદરા થી તાબડતો આણંદ પહોંચી માર્ગમાં ગામડાઓ લૂંટ્યા અને લોકોને ફાંકે લટકાવ્યા તો ઘણાને જેલમાં પૂરી આ સંગ્રામને કચડી નાખ્યો.

 મૂકી ગરબડદાસે માલાજી જોશી બાપુજી પટેલ કૃષ્ણરામ દવે દાદાભાઈ પટેલ હાજી પગી તથા બીજા પટેલો અને ગોસાઈઓ મળીને એક ગૃહ રક્ષક દળ ની સ્થાપના કરી અને અંગ્રેજ લશ્કરને હેરાન પરેશાન કરી મૂક્યું આથી ગોરા સૈનિકો નાસી ગયા હતા. આમ પોતાનો રોષ તથા પોતાની ખુમારી અને માત્ર ભૂમિ નો પ્રેમ દર્શાવ્યો હતો. સારસા અને ખંભોળજ વચ્ચે મૂકી ગરડદાસ અને તેમના સાથીદારો બાલાજી બાપુજી વગેરે સાથે સંઘર્ષ થયો હતો જેમાં મૂકી ગરબડદાસ સિવાયના તેમના સાથીઓને ત્યાં વડ ઉપર ફાંસીએ લટકાવીને મારી નાખ્યા હતા.

ડોક્ટર મૌલેશ પંડ્યા ઇતિહાસકાર જણાવે છે કે,આધુનિક વિશ્વના ઇતિહાસમાં ભારતીય સ્વાતંત્ર સંગ્રામ એક મહત્વની ઘટના ગણવામાં આવે છે.ભારત પર અધિકાર ભોગવતી અંગ્રેજ પ્રજાની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે થયેલા સ્વાતંત્ર સંગ્રામમાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરના બે 30 સ્વાતંત્ર સેનાની કપિલાબેન દલાલ અને લીલાવતીબેન પટેલનું પણ વિશિષ્ટ યોગદાન રહેલું છે.

બંનેએ ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની લડત વ્યક્તિગત સત્યાગ્રહ અને હિંદ છોડો લડતમાં રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મહત્વનું યોગદાન આપ્યું હતું.દારૂના પીઠા અને વિદેશી કાપડની દુકાનો પર પીકેટીગ,ખાદી પ્રચાર,પ્રભાત ફેરી,સરઘસો વગેરે જેવા કાર્યક્રમો દ્વારા સરકારની નીતિઓ સામે શાંતિથી વિરોધ પ્રદર્શન દર્શાવતા કાર્યક્રમ આવ્યા હતા.પોતાના કુટુંબની જવાબદારી સાથે સાથે દેશના આ કાર્યમાં આ બંને બહેનોએ આપેલા યોગદાનને સલામ.

 વડોદરામાં જન્મેલા કપિલાબેન દલાલના લગ્ન નડિયાદના ચંદુલાલ અમૃતલાલ દલાલ સાથે થયા હતા.તેમના પિતાએ વડોદરામાં કેળવણી ક્ષેત્રે સુંદર કામગીરી કરી હતી.ઈસવીસન 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ સમયે નડિયાદમાં શ્રી અંબાલાલ હીરાલાલ મોદીએ નડિયાદ શહેરમાં શરૂ કરેલ દેશે સેવિકા સંઘમાં કપિલાબેન જોડાયા હતા.સંઘના અગ્રણી બની તેમણે સંઘ તરફથી દારૂના પીઠા પર પીકેટીગ, સભા સરઘસો અને કાંતણ પીંજણના કાર્યો કર્યા હતા. નડિયાદ તાલુકા સમિતિની સહાય વગર ઉત્તરસંડા,ગુલાલ,વડતાલ,ભૂમેલ,પીપલગ જેવા ગામોમાં આ બહેનોએ પરદેશી કાપડની દુકાનો પર દારૂ ના પીઠા પર ચોકી પહેરો કરતી હતી. અનેક પ્રકારના અપમાન તથા જેલના દુઃખ વેઠીને આ બહેનોએ વિદેશી કાપડ તથા દારૂ વેચતા વેપારીઓના દિલ પલટાવી નાખ્યા હતા.

તારીખ 06/03/1931ના રોજ ખેડાના કલેકટર ખેડામાં દારૂ હરાજી કરવાના હતા.તે સમાચાર જાણી કપિલાબેન તેમની  ટુકડી સાથે ખેડા પહોંચી ગયા હતા અને કલેકટરે કરાવેલ હરાજીનો વિરોધ કર્યો હતો. સત્યાગ્રહ કરતી બહેનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. જેમાં કપિલાબેન ઘવાયા હતા. જેમાં કપિલાબેનની ધરપકડ થઈ અને બે અઠવાડિયાની જેલની સજા થઈ હતી.

 ઈસવીસન 1942 ની હિંદ છોડો લડતમાં કપિલાબેને નડિયાદની વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની બહેનોની જુદી જુદી ટુકડીઓ બનાવી હતી. આ ટુકડીઓ રોજ સવારે આખા શહેરમાં પ્રભાતફેરી કાઢતી. સરકારે કપિલાબેન અને તેમના પતિ ચંદુલાલ દલાલની કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય પણે ભાગ લીધેલ હોવાથી ધરપકડ કરી હતી. જ્યાં તેમને ત્રણ માસની સજા અને પતિને નવ માસની જેલની સજા થઈ હતી. તેઓ નડિયાદ નગરપાલિકામાં સભ્ય પદે રહી ચૂક્યા છે. નડિયાદમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં પણ તેઓ નિસ્વાર્થ સેવાઓ આપતા હતા.તેઓ 1971 માં અવસાન પામ્યા.

આઝાદીના અંદોલનમાં મહત્વના કેન્દ્ર સ્થળ એવા વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળના પ્રમુખ દિનશા પટેલ જણાવે છે કે, લીલાબેન બાબુભાઈ પટેલનો જન્મ ઈ.સ.1912 માં કરમસદમાં થયો હતો.તેમના લગ્ન ઈ.સ.1929 માં બાબુભાઈ જસભાઈ પટેલ સાથે થયા હતા.તેઓ નડિયાદ શહેરના અગ્રણીઓ સ્વાતંત્ર સેનાની હતા.બાબુભાઈ પર મહાત્મા ગાંધીજીની ઊંડી અસર હોવાથી તેઓ સ્વાતંત્ર લડતમાં જોડાયા હતા.બાબુભાઈના કારણે જ લીલાવતીબહેન મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ પટેલ,રવિશંકર મહારાજના સંપર્કમાં આવ્યા હતા.પરિણામે તેઓ પણ આઝાદીની લડતના સક્રિય કાર્યકર બન્યા હતા.

 નડિયાદમાં આઝાદીની લડતમાં કામ કરતા ગંગાબહેન અને કપિલાબેન સાથે લીલાવતીબહેન જોડાયા હતા.લીલાવતી બહેને બહેનોની ટુકડી બનાવી નડિયાદની આસપાસ આવેલા ગામોમાં જઈ ગ્રામસભા,ખાદી પ્રચાર,સ્વદેશી પ્રચાર,અસ્પૃશ્યતા નિવારણ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી.ઈ.સ.1930 ની સવિનય કાનૂનભંગની લડત સમયે ગાંધીજીની ધરપકડ થઈ.આ ઘટનાને કારણે નડિયાદની બહેનોએ ગાંધીદિન ઉજવવાનું નક્કી કર્યુ. જેની જવાબદારી લીલાવતીબેનને સોંપવામાં આવી હતી.તારીખ 26/12/1930ના રોજ નડિયાદમાં લીલાવતી બહેનની આગેવાની હેઠળ પ્રભાતફેરી કાઢવામાં આવી હતી.

 રાત્રી સભા દરમિયાન લીલાવતી બહેને સ્વદેશી વસ્તુઓ વાપરવા તથા ગાંધીજીના માર્ગે આઝાદી મેળવવા લોકોને સમજાવ્યા.લીલાવતી બહેને નડિયાદમાં ગાંધીજી આપેલા બહિષ્કારના શસ્ત્રને લઈ બહેનોનું પીકેટીગ મંડળ બનાવ્યું. આ મંડળ નડિયાદ તથા આસપાસના ગામોની બહેનોનું હતું વિદેશી કાપડની દુકાનો પર લીલાવતી બહેનને લોકોને વિદેશી કાપડ ચીજ વસ્તુ ન ખરીદવા સમજાવતા હતા.તેમની સમજાવટને કારણે નડિયાદના વેપારીઓએ વિદેશી કાપડ તેમજ ચીજ વસ્તુઓ વેચવાનું બંધ કર્યું હતું. લોકો સુતરકાંતા થાય ખાદી પહેરે તે હેતુથી નડિયાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખાદીરંજન કાર્યાલય શરૂ કર્યું જેની જવાબદારી લીલાબેને સ્વીકારી હતી.

ઈસવીસન 1940માં વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રારંભ થયો.ગાંધીજીની મંજૂરી સાથે ખેડા જિલ્લા સમિતિ દ્વારા વ્યક્તિગત સત્યાગ્રહ કરનારાઓની યાદી બહાર પાડવામાં આવી.કોણ ક્યારે અને ક્યાંથી સત્યાગ્રહ કરશે તેની જાહેરાતો થઈ.ખેડાના કલેકટરે 29 /11/40 ના રોજ હોમ ડિપાર્ટમેન્ટને લખેલા પત્ર પરથી જાણવા મળે છે કે 28 /11/40 ના રોજ સરકાર સામે યુદ્ધ વિરોધી સૂત્રો પોકારતા લીલાવતીબેનની ધરપકડ અને એક દિવસ જેલની સજા અને રૂપિયા બસોનો દંડ અને દંડ ન ભરે તો ત્રણ માસની સજા સરકાર દ્વારા કરવામાં આવી.લીલાવતીબહેને પોતાના બે વર્ષના બાળકની ચિંતા છોડી દંડ ભરવાને બદલે જેલમાં નક્કી કરવામાં આવ્યું.

 20/03 /1941ના રોજ લીલાવતી બહેને ફરી વાર દબાણ ખાતેથી સરકાર સામે યુદ્ધ વિરોધી સૂત્રોપોકારી ધરપકડ સ્વીકારી લીલાવતીબહેને કલમ નંબર 38(1)(4) પ્રમાણે બે મહિનાની સજા અને બસો રૂપિયા દંડ કરવામાં આવ્યો.આ આંદોલનમાં તેમને વારંવાર સજા થઈ છતાં પણ  અડગ રહ્યા.તેમને યરવાડા જેલમાં છ મહિના રાખવામાં આવ્યા. 1942માં હિન્દ છોડો લડતમાં પણ પ્રથમ રાઉન્ડમાં જ બાબુભાઈ સાથે લીલાવતીબેનની ધરપકડ થઈ અને ત્રણ માસની જેલ થઈ. 1973 માં તેમનું અવસાન થયું.

 “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

 કલેજા ચીરતી, કંપાવતી  ભયકથાઓ,

મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ” 

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ખેડા સત્યાગ્રહ મહત્વનો પુરવાર થયો હતો.ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા,તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જુગલજોડીની શરૂઆત થઈ.પટેલે તેમની ધીખતી બૅરિસ્ટરી છોડી જ ગાંધીજી અને ખેડા આંદોલન સાથે જોડાવા માટે.

વકીલાત છોડીને સત્યાગ્રહમાં જોડાવાના સરદારના નિર્ણય અંગે ગાંધીજી કહ્યું હતું, “વલ્લભભાઈએ મને કહ્યું કે-મારી પ્રૅકટિસ ધમધોકાર ચાલી રહી છે તેમાં કોઈ શંકા નથી. મ્યુનિસિપાલટીમાં પણ હું મોટું કામ કરી રહ્યો છું, પરંતુ ખેડામાં ખેડૂતોનો સંઘર્ષ તેના કરતાં મોટો છે.”

“મારી પ્રૅક્ટિસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે.”

સરદારે તેમના નિર્ણય વિશે કહ્યું હતું, “મેં ક્ષણિક આવેગમાં આવીને નહીં, પણ બહુ મંથન કરીને આ જીવન પસંદ કર્યું છે.”

ખેડા સત્યાગ્રહ ગાંધીજી માટે પણ પરિવર્તનનો પડાવ હતો.ચંપારણની ચળવળ વખતે ગાંધીજીની ભૂમિકા વકીલની વધુ અને સત્યાગ્રહીની ઓછી હતી. ખેડામાંથી તેમનો રંગ બદલાયો. તેમને બ્રિટિશરોની અત્યાચારી વૃત્તિનો પરિચય અહીંથી વધુ થયો. ચંપારણ ચળવળ વખતે તે માથે કાઠીયાવાડી પાઘડી પહેરી રાખતા હતા. ખેડામાં એ ઉતારી નાખી અને માથું ખુલ્લું કરી નાખ્યું.

ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા. ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું.

ગુજરાતમાં ચાલેલી આ ચળવળમાં ગાંધીજી મુખ્યત્ત્વે આધ્યાત્મિક અને નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધીવાદી નેતાઓ જેવા કે, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રવિ શંકર વ્યાસ મુખ્ય હતા. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા તથા તેમની લડતને રાજનૈતિક નેતૃત્ત્વ, પીઠબળ અને દિશાનિર્દેશ આપ્યાં હતાં.[૪]ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરના ઘણાં લોકો આ ચળવળમાં જોડાયાં હતા પરંતુ ગાંધીજી અને સરદાર પેટેલ આ આંદોલનને ગુજરાતીઓની સ્થાનીક ચળવળ બનાવી રાખવા ઈચ્છતા હોવાથી તેમણે દેશના અન્ય પ્રાંતોમાંથી લોકોનો આ વિદ્રોહમાં જોડાવાનો વિરોધ કર્યો.

ખેડૂતોએ ચાલુ વર્ષે અતિવૃષ્ટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાક નિષ્ફળ જવાના કારણે કરવેરો માફ કરવા માટેની એક અરજી પર હસ્તાક્ષર કરી કોર્ટમાં એક મુકદ્દમો દાખલ કર્યો. મુંબઈ સરકારે આ અરજી ફગાવી દીધી. સાથે જ સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે જે પણ ખેડૂતો કરવેરો નહિ ભરે તેમની જમીન તથા અન્ય સંપતિ જપ્ત કરવામાં આવશે તથા કોઇપણ રીતે પાછી આપવામાં આવશે નહિ. જોકે સરકારની આ ચેતવણી છતાં ખેડૂતો પોતાની માંગ પર અડીખમ રહ્યાં.

ઇતિહાસના જાણકાર નડિયાદના સિધ્ધાંત મહંતે જણાવ્યું હતું કે,આ ચળવળમાં એકતા અને શિસ્તનું અજોડ પ્રદર્શન થયું. તેમનાં ઘર, જમીન, ઢોર તથા આજીવિકાના અન્ય સ્રોત છીનવી લેવા છતાં મોટા ભાગના ખેડૂતો શાંત રહ્યાં અને સરદાર પટેલને મજબૂત ટેકો આપ્યો. દેશના અન્ય ભાગમાં રહેતાં ગુજરાતીઓએ વિદ્રોહ પ્રત્યે સહાનૂભૂતિ દર્શાવતાં સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો અને ચળવળમાં ભાગ લેનારા ખેડૂતોના પરિવારોને ખોરાક, રહેવાની સગવડો કરી આપી. ખેડા સત્યાગ્રહની વિશેષતા એ હતી તે અહિંસક હતો અને અંગ્રેજ સરકારના એજન્ટોના જોરજુલમ છતાં મહાત્મા અને સરદારના નેતૃત્વમાં ખેડાના ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે લડીને મહેસુલ મોકૂફ કરાવ્યું હતું.સમાધાન એવું થયું હતું કે પૈસાદાર પાટીદારો મહેસુલ ચૂકવે અને ગરીબોને મહેસુલમાંથી માફી આપવામાં આવી.

બોરસદ સત્યાગ્રહ

બોરસદ સત્યાગ્રહ એ ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા બોરસદ તાલુકામાં, ઈ.સ. ૧૯૨૨-૨૩માં અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી “હૈડિયા વેરા”ના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહની આગેવાની કરવા મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને જણાવ્યું હતું. આ સત્યાગ્રહ ૩૮ દિવસ ચાલ્યો હતો[૨] અને છેવટે સરકારે “હૈડિયા વેરો” નાબુદ કરવો પડ્યો હતો.

તે સમયે ચરોતર ક્ષેત્રની બારૈયા અને પાટણવાડિયા જાતિને અપરાધી જાતિઓ ગણવામાં આવતી હતી અને તે જાતિના લોકોને સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી નોંધાવવી પડતી હતી. બોરસદ તાલુકાના ગોલેલ ગામના વતની બાબરા દેવા આ જાતિનો હતો અને તેને પણ સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી આપવાની હતી. કોઈ એક સવારે તે હાજરી ન આપી શક્યો અને તેની ધરપકડ કરવામાં આવી. સ્વભાવે પ્રમાણિક એવા બાબરા પર આ ધરપકડની ઊંડી અસર થઈ. તે અટકાયતમાંથી ભાગી છૂટ્યો અને બહારવટે ચડ્યો. તેના સ્થાનની ખબર આપનારા લોકોને તે આકરી સજા કરતો, તેમના નાક વાઢી લેતો, તેમને વૃક્ષ સાથે ખીલે જડી દેતો. પોતાની પત્ની સહિત શંકા જનાર કોઈ પણ વ્યક્તિને તે છોડતો નહિ. બહારવટા દરમ્યાન તેણે ૨૨ ખૂન કર્યા હતા.તે સમયે અલી (અલિયો) નામના બહારવટીયાની બીજી ટોળી પણ લોકોને રંજાડાતી હતી. લોકો આ બહારવટીયાઓના ભયથી એટલા ત્રાસી ગયા હતા કે અંધારું થયા પછી કોઈ ઘરમાંથી બહાર પણ નીકળતા નહિ.

બાબરા દેવાને પકડવા માટે પોલીસે બીજા બહારવટીયા અલી સાથે સાઠગાંઠ કરી તેને શસ્ત્ર સરંજામ પુરા પાડ્યા અને પોલીસો તેની લૂંટમાં ભાગ પડાવવા લાગ્યા. આ દરમ્યાન અલિની લૂંટ અને ધાડ સામે આંખ આડા કાન કરવા એ મતલબનું એક ગુપ્ત પરિપત્ર પણ પોલીસે તેમના અધિકારીઓ માટે બહાર પાડ્યું હતું. આમ છતાં બાબરો દેવો પકડાયો નહી.

અંગ્રેજ સરકારનું પોલીસ ખાતું આ બહારવટીયાઓને પકડવામાં નિષ્ફળ રહ્યું અને તેમને લોકો ઉપર ઊલટો આરોપ મુક્યો કે લોકો જ બહારવટીયાઓ સાથે ભળેલા છે. લોકોના સંરક્ષણ માટે રોકાયેલ વધારાની પોલીસનો ખર્ચ સરકારે લોકો પાસેથી એક સમયના શિક્ષાત્મક કર તરીકે વસૂલ કરવાનો ઠરાવ કર્યો. આ કર લોકોમાં “હૈડિયા વેરો” નામે પ્રસિદ્ધ થયો.

આવા પક્ષપાતી વિરુદ્ધ લોકોમાં ઘણો અસંતોષ ફેલાયો. લોકો ગાંધીજી અને સરદાર પટેલ પાસે આ અન્યાયી કરની ફરિયાદ લઈને પહોંચ્યા. ગાંધીજીના નિર્દેશન હેઠળ સરદાર પટેલે લોકોને તે કર ન ભરવા સૂચના આપી. આ સાથે ૨૦૦ સ્વયં સેવકોની ભરતી કરીને પોતાના ગામડાઓની સુરક્ષા પોતે હાથમાં લેવા માટે પણ પટેલે જણાવ્યું. સરદાર પટેલે બોરસદ પહોંચી આ લડતનું સુકાન સંભાળ્યું અને ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે સત્યગ્રહની શરૂઆત થઈ. તેમણે સ્વયંસેવકોને પલટનોમાં વિભાજીત કર્યા. સ્વયંસેવકોએ અહિંસક માર્ગે ગામડાઓનું રક્ષણ કરવાનું હતું. સમય સમય પર પત્રિકાઓ છાપી લોકોનો ઉત્સાહ જાળવવા અને ચળવળ સંબંધે માહિતી લોકોને પહોંચાડવામાં આવતી. કર વસૂલી માટે મિલકતો જપ્ત કરવાના સરકારી દમનનો શાંતિ પૂર્વક મુકાબલો કરવા તેમણે લોકોને ભલામણ કરી.

સત્યાગ્રહના મુખ્ય નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલ હતા. આ સાથે લોકોને પ્રેરણા આપવામાં રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાએ ગામડે ગામડે જઈ વાસ્તવિક સ્થિતિ, લોકોને જાગૃતિ આદિનો ક્યાસ કાઢ્યો હતો.[૨] આ સાથે મણિબેન પટેલે સ્ત્રીઓને સત્યાગ્રહમાં જોડાવવા કાર્ય કર્યું હતું.

સરકારના બહારવટિયા સાથેની સાંઠગાંઠના આરોપો સાંભળીને ઉદાર મત ધરાવતા તે સમયના ગવર્નર લેસ્લી વિલ્સન વિચલિત થયા. તેમણે તેજ સ્થળે તપાસ માટે મોરિસ હેવર્ડ નામના અધિકારી (હોમ મેમ્બર)ને મોકલ્યા. તેમણે કમિશનર, કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી અને એક ખુલ્લી અદાલત ગોઠવી. તેમાં ઠરાવેલા ૧૫૦ લોકોને બોલાવવામાં આવ્યા. બધી દલીલો સાંભળી, આ લડતના ઉદ્દેશ વિષે ખાતરી થતા તેમણે જપ્તિ લેવા પર તુરંત બંદી મુકાવી. ૮ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે આ કર નાબુદ કરવામાં આવી.

ત્યાર બાદ બાબરદેવા, અલિયો દાભલો ડાહ્યો બારિયો, રાજલો જેવા બહારવટીયાઓની ધરપકડ કરવામાં આવી. ૧૯૨૪ની શરૂઆતમાં અલિયાને અને ૧૯૨૪ના અંતમાં બાબરાને ફાંસીની સજા થઈ. રવિશંકર મહારાજના પ્રયત્નોથી છેવટે બારૈયા અને પાટન વાડીયા જાતિના લોકોને પોલીસ થાણામાં આપવી પડતી હાજરીથી મુક્તિ મળી અને સ્વમાન પાછું મળ્યું.

લોકોએ સત્યાગ્રહની જીતની ઉજવણી ૧૨ જાન્યુઆરીના દિવસે કરી. તેમાં લગભગ ૩૦,૦૦૦ લોકોએ ભાગ લીધો. છેક અમદાવાદ અને મુંબઈથી લોકો આ ઉજવણીમાં ભાગ લેવા આવ્યા. તેમના ભાષણમાં પટેલે જણાવ્યું હતું કે, “આ ટૂંકી લડત દરમ્યાન તમે ઘણા બલિદાન આપ્યા છે. તમે ઘણી બહાદુરી બતાવી, એકતા જાળવી રાખી અને ઘણો ઉત્સાહ બતાવ્યો છે. આપણે આ લડત જીતી શક્યા કારણ કે આપણે એક મહાન સંતના દોરેલા રસ્તા પર ચાલ્યા તે સંત અત્યારે જેલમાં છે.”

આ લડતની સફળતા પછી ગાંધીજીએ સરદારને બોરસદના સુબા તરીકે બિરદાવ્યા.

ગાંધીજી પોતાના યંગ ઈંડિયા નામના પત્રમાં લખ્યું: “ખેડા અને બોરસદમાં મળેલી સફળતા વલ્લભભાઈની આયોજન અને વહીવટી આવડતને આભારી છે. આમ કરતા તેમણે પોતાની આસપાસ તેવી વિચારધારા ધરાવતા અનુયાયીઓની ફોજ ઉભી કરી છે. બોરસદ સત્યાગ્રહ એ લોકો દ્વારા પ્રેરિત અને લોકોએ ચલાવેલ ચળવળનું જ્વલંત ઉદાહરણ છે.”

-શૈલેષ રાઠોડ “અભિધેય”

————————————————————–

ક્રિશ્ચિયન વસાહતો


શું તમે ગુજરાતમાં ક્રિશ્ચિયન વસાહતો – ગામો ગિલેસ્પીપુર, બ્રુકહીલ, કેથલીનપુર, રાણીપુર વિગેરે… વિશે જાણો છો, કે જે પરદેશથી આવેલા મિશનરીઓએ આેગણીસમી સદીનાં ઉત્તરાધમાં ગુજરાતનાં ક્રિશ્ચિયન સમાજ માટે વસાવ્યા હતા ?

આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શુભ સંદેશ /સુવાર્તા ભારતમાં ઇ. સ. 52માં ભગવાન ઈસુના શિષ્ય ખુદ સંત થોમા લઇ આવ્યા હતા. કેરાલા અને તામિલનાડુમાં એમણે પ્ર્ઇતિશિક કાર્ય કર્યું હતું.

ત્યાર પછી ચૌદમી / પંદરમી સદીઓમાં પોર્ટુગીઝ મિશનરીઓ ભારતમાં આવ્યા. જેમાં મોટે ભાગે દોમેનિકન અને ફ્રાન્સિસ્કન મિશનરીઓ હતા. 1542માં મહાન જેસ્યુઈટ મિશનરી ફ્રાન્સિસ ઝેવિયર ભારતમાં આવ્યા, જેમણે ગોવા વિસ્તારમાં પ્રૈશિતિક કાર્ય કર્યું. જેમનો મૃતદેહ આજે પણ ગોવાના દેવળમાં સાચવી રાખવામાં આવ્યો છે. તે સમય સુધી ખ્રિસ્તી ધર્મ મોટે ભાગે દક્ષિણ ભારતમાંજ ફેલાયેલો હતો.

ઓગણીસમી સદીના આરંભે ઈંગ્લેન્ડથી અને અન્ય દેશોમાંથી મિશનરીઓ મુંબઈ અને ગુજરાતમાં આવ્યા. જેમાં લંડન મિશનરી સોસાયટીના બે મિશનરીઓ ગુજરાતના સુરતમાં 1815માં આવ્યા. ત્યાર પછી આયર્લેન્ડ પ્રેસ્બિટેરીયન મિશનનાં (આઈ. પી. મિશન) પ્રથમ બે મિશનરીઓ જેમ્સ ગ્લાસ્ગો અને એલેકઝાંડર કેર 25.5.1841ના રોજ સૌરાષ્ટ્રનાં ઘોઘા બંદરે ઉતર્યા. તે સમયે તેઓની સાથે સ્કોટીશ મિશનરી રેવ. જોન વિલ્સન પણ હતા, જેઓ આ વિસ્તારમાં અગાઉ આવ્યા હતા.

રેવ. જોન વિલ્સન 1826માં મુંબઈમાં આવ્યા હતા. તેમણે 1832માં મુંબઈની પ્રખ્યાત વિલ્સન કોલેજ અને વિલ્સન સ્કૂલની સ્થાપના કરી હતી.

આ મિશનરીઓ પછી અન્ય મિશનરીઓએ પણ ગુજરાતમાં પ્રભુની સુવાર્તા – શુભ સંદેશ લોકોને સંભળાવ્યો. અને તે સાંભળીને કે તેમની પત્રિકા (ટ્રાક) વાંચીને કેટલાક લોકોએ ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો.

તે સમયે ભારતમાં અને ગુજરાતમાં હિન્દુ ધર્મ અને મુસલમાન ધર્મનું વર્ચસ્વ હતું. તેથી જેઓએ ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો, તેઓને તે સમયનાં અન્ય ધર્મી સમાજનો ભારે વિરોધ સહન કરવો પડ્યો હતો. તેઓને સામાજિક અને આર્થિક રીતે ઘણું સહન કરવું પડ્યું હતું. તેથી આવા ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારનાર વ્યક્તિઓની અને તેમના કુટુંબની સામાજિક, આર્થિક અને ધાર્મિક ઉન્નતિને માટે મિશનરીઓએ અલગ ખ્રિસ્તી પરાંઓ વસાવવાનો નિર્ણય કર્યો.

આમ તે સમયનાં ક્રિશ્ચિયનો માટે ક્રિશ્ચિયન પરાંઓ આઈ. પી. મિશન અને અલાયન્સ ચર્ચના મિશનરીઓ દ્વારા વસાવવામાં આવ્યા, બાંધવામાં આવ્યા.

1850 પછી આવા અંદાજે 15 થી 20 ક્રિશ્ચિયન વસાહતો- ગામો વસાવવામાં આવ્યા, બાંધવામાં આવ્યા. જેને કારણે ગુજરાતનો ક્રિશ્ચિયન સમાજ સામાજિક અને ધાર્મિક રીતે સમૃદ્ધ બન્યો.

આ ક્રિશ્ચિયન વસાહતો સ્થપાયા, તે પહેલાં મિશનરીઓએ ચરોતર પંથકમાં એક મંડળીની સ્થાપના પણ કરી હતી. જે પ્રથમ મંડળી મિશનરીઓ દ્વારા સ્થપાઈ, તે બોરસદ મંડળી હતી, જેની સ્થાપના 1847માં થઇ હતી. ત્યાં, કચેરીના કોટ બહાર એક ખાસવાડી હતી કે જે પહેલા પેશ્ચાઈ અને ગાયકવાડી અધિકારી અમલદારોનાં મોજશોખ માટે બનાવેલી હતી. આ વાડી તે વખતે બગડી ગયેલી અને પડતર હતી. તે જગ્યાએ ક્રિશ્ચિયન વસાહત માટે કલેક્ટર દ્વારા જમીન ફાળવવામાં આવી અને ત્યાં ક્રિશ્ચિયન પરિવાર માટે પ્રથમ પાંચ ઘરો 1847માં બાંધવામાં આવ્યા. આજ ખાસવાડી પાછળથી ખાસીવાડી નામથી જાણીતી થઈ. આમ બોરસદ મંડળી ગુજરાત અને કાઠિયાવાડની માતૃમંડળી ગણાય છે.

બોરસદ મંડળીની ઝડપથી વૃધ્ધિ થતા મિશનરીઓએ ત્યાંના કેટલાક કુટુંબોને અન્યત્ર લઇ જઇને બીજી ક્રિશ્ચિયન વસાહતો વસાવી. તેને માટે જે મિશનરીઓએ મહેનત કરી હતી, તેમના માનમાં તે વસાહતોને તેમના નામ આપવામાં આવ્યા.

1. રાણીપુર: 1851ની સાલમાં આઈ. પી. મિશનના મિશનરીઓ પ્રથમવાર અમદાવાદમાં આવ્યા હતા. 1862માં અમદાવાદની બહાર આઈ. પી. મિશનના મિશનરીઓએ સુવાર્તાનું કાર્ય શરૂ કર્યું ત્યારે તેમણે અમદાવાદથી દક્ષિણે ચાર ગાઉ ઉપર શાહવાડી પાસે 300 એકર જમીન તે સમયે
રૂ।.5000/- માં સરકાર પાસેથી મેળવી અને તેમાં 1867માં એક ક્રિશ્ચિયન વસાહત વસાવવામાં આવી / બાંધવામાં આવ્યું, જે રાણીપુર નામે ઓળખાવા લાગ્યું. પ્રથમ બોરસદથી જે. વી. એસ. ટેલર સાહેબે તેર કુટુંબોને (56 વ્યક્તિઓ) ત્યાં વસવા મોકલ્યા. ઈંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાનાં અમલનાં સમયમાં આ પરું બાંધવામાં આવ્યું હતું, તેથી રાણીના માનમાં તેનું નામ “રાણીપુર” રાખવામાં આવ્યું. શરૂઆતમાં ત્યાં દેવળનું મકાન ન હતું તેથી ત્યાંના ક્રિશ્ચિયન ક્ટુંબો શાળાના મકાનમાં ભજન સેવા કરવા ભેગા મળતા. માર્ચ 1877માં ત્યાં દેવળ બાંધવામાં આવ્યું. દેવળનાં ઉધ્ઘાટન સમયની ભક્તિ સભા વખતે 70 માણસો પ્રભુ ભોજનમાં બેઠા હતા. રેવ. લાજરસભાઈ તેજપાળભાઈનાં પુસ્તકમાંનાં ઉલ્લેખ પ્રમાણે 1930માં ત્યાં 400 સભ્યો હતા.

2. વાલેસપુર: આઈ. પી. મિશન તરફથી મિશનરી જેમ્સ વોલેસે ઘોઘા ક્ષેત્રમાં ઘણાં વર્ષો સુધી સુવાર્તાનું કાર્ય કર્યું હતું. (1845 થી 1871 સુધી). 1871માં ફર્લો પર જતાં પહેલાં વોલેસ સાહેબે મુંબઈ સરકાર પાસેથી ઘોઘાની નૈઋત્યમાં 11 માઈલ દૂર જમીન મેળવી, જે તેમને વિનામૂલ્યે મળી હતી. તેમના પછી આવેલા મિશનરી વિલ્યમ બીટીએ તે જમીન પર વસાહત ઉભી કરી. આ જમીન મિશનરી જેમ્સ વોલેસની મહેનતને કારણે વિનામૂલ્યે મળી હતી તેથી તે વર્ષમાં પ્રેબિટરીએ આ જમીનમાં બંધનાર વસાહતને, ગામને રેવ. જેમ્સ વોલેસનાં માનમાં વોલેસપુર નામ આપ્યું. આ ગામ બાંધવા માટે તે સમયે પ્રખ્યાત મિશનરી જે. વી. એસ. ટેલર સાહેબે વડોદરાથી તે સ્થળે બાંધકામ માટે શ્રી. છગનલાલ ભગવાનદાસ વ્યાસની નિમણૂંક કરી હતી. તેમણે 1872માં રેવ. વિલ્યમ બીટી સાથે મળીને આ ગામ બાંધવાનું કામ પૂર્ણ કર્યું અને અન્ય સ્થળોથી 9 કુટુંબોને લાવી ત્યાં વસાવવામાં આવ્યા હતા. જેમાનું પ્રથમ કુટુંબ શ્રી. છગનલાલ ભગવાનદાસ વ્યાસનું હતું. વીતી ગયેલા 150 વર્ષોમાં વાલેસપુરે ઘણા આગેવાનો આપણા ખ્રિસ્તી સમાજને પુરા પાડ્યા છે. રેવ. લાજરસભાઈ તેજપાળભાઈનાં 1930નાં પુસ્તકમાંનાં ઉલ્લેખ પ્રમાણે શરૂઆતમાં ત્યાં નવ કુટુંબોનાં 21 સભ્યો ગયા હતા. પણ ઈશ્વરકૃપાથી 1930માં ત્રીસ કુટુંબો અને આસરે બસો ઉપરાંત માણસોની ત્યાં વસતી હતી અને ત્યારે ગામમાં ઘરોની સાથે દેવળ, નિશાળ અને ઈસ્પીતાલ પણ બંધાયા હતા. (તે સમયે આસપાસનાં ગામનાં લોકો વાલેસપુરને વાલમપુર પણ કહેતાં હતા).

3. શેફર્ડપુરા: આ વસાહત ખેડા જિલ્લાના બોરસદ પાસેનાં વીરસદ પાસે આવેલી છે. ખેડા જિલ્લાના કલેક્ટર જી. શેફર્ડે 1874માં વીરસદ પાસે જંત્રાલમાં કેટલીક જમીન હરાજીમાં વેચવા કાઢી. તે જમીન બોરસદ પાસેના આંકલાવ ગામનાં ક્રિશ્ચિયન થયેલા શ્રી. ગીરધરભાઈ રૂપજીભાઈએ હરાજીમાં લીધી. 1877માં તેમણે તે જમીન પર નાનું ગામ વસાવ્યું અને ખેડા જિલ્લાના તે સમયના કલેક્ટર જી. શેફર્ડ સાહેબે હરાજીમાં તે જમીન ગીરધરભાઈને અપાવી તેથી તેમનાં માનમાં તે વસાહતને શેફર્ડપુરા નામ આપ્યું.

4. બ્રુકહીલ: 1874માં આઈ. પી. મિશનનાં રેવ. વિલ્યમ બ્રાઉન મિશનરી તરીકે બોરસદ આવ્યા. બોરસદથી પૂર્વમાં સાત માઈલ દૂર કસુંબાડ ગામનાં ચરામાં એક ટેકરી આવેલી હતી, તે ટેકરીની જમીન તેમણે વેચાતી લઇ ત્યાં એક ક્રિશ્ચિયન વસાહત વસાવી. સ્વ. બ્રાઉનના આયર્લેન્ડનાં તેમના બાપદાદાના ઘરનાં નામ પરથી તેમણે આ નાનકડા પરાંને બ્રુક હીલ (બ્રાઉન ટેકરી) નામ આપ્યું. 1880માં બોરસદથી અને આસપાસના ગામોમાંથી દશ ક્રિશ્ચિયન ક્ટુંબોને લાવીને અહીં વસાવવામાં આવ્યા હતા. બ્રુકહીલ મંડળીના પ્રથમ પાળક રેવ. રામભાઈ કલ્યાણ હતા. તેમને ત્યાં 1888માં પાળકની દીક્ષા આપી હતી. રેવ. રામભાઈએ બ્રુક હીલ વિશે લખ્યું છે કે, આ ખ્રિસ્તી ગામ વસાવ્યા પહેલા, તે જગ્યા બહારવટીઓને માટે સંતાવાની જગ્યા હતી. અત્યારે જે જગ્યાએ પ્રભુ મંદિર બાંધવામાં આવ્યું છે, તે એક સમયે ચોરોનું રહેઠાણ હતું. આજે ત્યાં ઈશ્વરની મંડળીના માણસો નિવાસ કરે છે. પણ જુઓ જુનું બધું જતું રહ્યું છે અને બધું નવું થયું છે. (તેમણે કદાચ 1888માં જ્યારે તે ત્યાં પાળક હતા ત્યારે લખ્યું હતું). તે સમયે દર રવિવારે બ્રુક હીલ આનંદના હિલોળે ચડતું હતું. બાજુનાં ગિલેસ્પીપુર અને સાન્ડસ પુરનાં ક્રિશ્ચિયન ભાઈ બહેનો ચર્ચમાં આવતા હતા અને આનંદથી એકબીજાને મળતાં હતાં. સાથે ક્રિશ્ચિયન બંધુત્વની – સંગતની મીઠાશ અનુભવતા હતા.

5. કેરીપુર: આઈ. પી. મિશનનાં રેવ. જોન શિલેડીએ 1878માં ડાકોરથી 8 માઈલ દૂર ઉત્તરે કપડવંજ જતી સડક પાસે એક ક્રિશ્ચિયન ગામ વસાવ્યું. તે સમયનાં એક મિશનરી રેવ. કેરી સાહેબે આ ગામ વસાવવાનો ખર્ચ આપ્યો હતો. તેથી આ ગામનુ નામ “કેરીપુર” રાખવામાં આવ્યું હતું. તે સમયનું કેરીપુર એક એકાંત અને ઉજ્જડ સ્થાનમાં વસેલું હતું. આ ગામ બંધાવવામાં પહેલા વહેલા દેવજી બળવંત વડીલને ત્યાં રાખવામાં આવ્યા હતા. પછી આણંદની આસપાસનાં કેટલાક ગામોમાંથી થોડા કુટુંબોને ત્યાં લઇ જઇને વસાવવામાં આવ્યા હતા. રેવ. થોમાભાઈ પાથાભાઈ ત્યાંના પ્રથમ પાળક હતા.

6. ટેલરપુર : 1890માં આઈ. પી. મિશનનાં એક મિશનરી રેવ. રોબર્ટ હેન્ડરસને ચરોતરમાં મુકામ કર્યો. તેમની સેવાના 24 વર્ષોમાં 1894 થી 1916 સુધીનાં 22 વર્ષો તેમણે માતૃ સંસ્થા બોરસદમાં વિતાવ્યા હતાં. તેમણે 1898ની આસપાસ પેટલાદથી ધર્મજનાં માર્ગની જમણી બાજુએ એક ક્રિશ્ચિયન વસાહત સ્થાપી અને તે સમયનાં પ્રખ્યાત મિશનરી રેવ. જે. વી. એસ. ટેલર સાહેબનાં માનમાં આ ક્રિશ્ચિયન વસાહતને ટેલરપુર નામ આપ્યું હતું. તે સમયે બાજુમાં ખડાણા વિભાગની સ્થાપના 1875માં થઇ હતી અને ત્યાં 1876માં ચર્ચ બંધાયું હતું. તે સમયે ટેલરપુર ખડાણા વિભાગ સાથે શરૂઆતમાં જોડેલું હતું. રેવ. લાજરસભાઈ તેજપાળભાઈ 1898 થી 1912 સુધી ખડાણા સહિત ટેલરપુરના પ્રથમ પાળક હતા. આવા વિદ્વાન સાહિત્યકાર અને સમર્પિત પ્રથમ દેશી પાળક ટેલરપુર – ખડાણાને પ્રાપ્ત થયા હતા. કાળક્રમે ખડાણા સહિત આ વસાહત પેટલાદ મિશનમાં અને પછી ખંભાત મિશનમાં મુકાયેલું હતું.

7. મંટગમરીપુર: રેવ. રોબર્ટ મંટગમરી 1842માં આઈ. પી. મિશનનાં મિશનરી તરીકે ગુજરાતમાં આવ્યા હતા. આણંદથી બોરીઆવી ગામની પાસે અને બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના બોરીઆવી સ્ટેશન પાસે આ વસાહત બંધાવવામાં આવી હતી. મિશનરી રેવ. રોબર્ટ મંટગમરીનાં માનમાં આ ક્રિશ્ચિયન પરાંને મંટગમરીપુર નામ આપવામાં આવ્યું હતું.

8. ગિલેસ્પીપુર: બ્રુક હીલથી થોડે છેટે દક્ષિણ તરફ એક ક્રિશ્ચિયન વસાહત રેવ. રોબર્ટ હેન્ડરસને વસાવીહતી. આઈ. પી. મિશનનાં એક મિશનરી રેવ. રોબર્ટ ગિલેસ્પી 1868માં ગુજરાતમાં આવ્યા હતા. (તેઓ 1899માં બોરસદમાં પ્રભુમાં ઊંઘી ગયા હતા). તેમના માનમાં આ ક્રિશ્ચિયન ગામને ગિલેસ્પીપુર નામ આપવામાં આવ્યું હતું.

9. કેથલીનપુર: આઈ. પી. મિશનનાં મિશનરી રેવ. રોબર્ટ હેન્ડરસને 1900ની આસપાસ ચરોતર વિસ્તારમાં જે ક્રિશ્ચિયન વસાહતો વસાવી હતી, તેમાનું એક કેથલીનપુર હતું. તેમના ધર્મપત્ની શ્રીમતી કેથલીન હેન્ડરસનનાં માનમાં આ ક્રિશ્ચિયન ગામને કેથલીનપુર નામ આપવામાં આવ્યું હતું.

10. ક્લોપ્સપુર: આ ક્રિશ્ચિયન વસાહત પણ રેવ. રોબર્ટ હેન્ડરસને તે સમયે ચરોતર પંથકમાં વસાવી હતી.

11. સાન્ડસપુર કે સાન્સપુર: આ ક્રિશ્ચિયન વસાહત પણ રેવ. રોબર્ટ હેન્ડરસને તે સમયે ચરોતર પંથકમાં વસાવી હતી. બ્રુક હીલથી થોડે દુર દેહમી ગામ પાસે આ ગામ બાંધવામાં આવ્યું હતું.

12. બાર્કલીપુર: આ ગામ ભાલેજ પાસે વસાવવામાં આવ્યું હતું. રેવ. ડો. જોન શિલેડીએ આ ગામ વસાવ્યું હતું.

13. બ્રાઉનપુર: આ વસાહત ભાલેજ પાસે વસાવવામાં આવી હતી. રેવ. ડો. જોન શિલેડીએ આ વસાવી હતી.

14. આશાપુર: અલાયન્સ મંડળીએ 1894 પછી ગુજરાતમાં મિશનરી સુવાર્તા – શુભ સંદેશનું કાર્ય શરૂ કર્યું હતું. તે સમયે તેમણે ક્રિશ્ચિયન થયેલા કુટુંબો માટે આ એક ખેડુત વસાહત સ્થાપી હતી. 1904માં સાણંદ અને મહેમદાવાદ વચ્ચે આશાપુર ગામ વસાવવામાં આવ્યું હતું.

15. કેદેશપુર: અલાયન્સ મંડળીએ કેદેશપુર નામની બીજી વસાહત તે સમયે મહેમદાવાદ ખેડા નજીક વસાવી હતી.

16. હેબ્રોન : અલાયન્સ મંડળીએ વસાવ્યું હતું.

17. શાંતિપુર : અલાયન્સ મંડળીએ વસાવ્યું હતું.

18. મરીયમપુરા : પેટલાદ પાસે સ્પેનિશ મિશનરી ફા. સૂર્યાએ વસાવેલું એક ક્રિશ્ચિયન ગામ – વસાહત.

તે સમયે ઈશ્વરની બીક રાખીને ગુજરાતમાં આવેલા મિશનરીઓેએ એક દુર દ્રષ્ટી રાખીને આ ક્રિશ્ચિયન ગામ – વસાહતો વસાવ્યા હતા. તેમણે આ વસાહતો વસાવતા ત્યાં સારા ઘરો, નિશાળો અને ચર્ચ અચૂક બંધાવતા હતાં.

આઈ. પી. મિશન,
અલાયન્સ મંડળી, વગેરે મિશનોએ ક્રિશ્ચિયન ગામ – વસાહતો વસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો અને ગુજરાતના ક્રિશ્ચિયન સમાજને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને ધાર્મિક રીતે સમૃદ્ધ કર્યા હતા.

આજના સમયમાં આ ક્રિશ્ચિયન ગામ – વસાહતોમાંથી કેટલીક વસાહતોના મિશન – વિભાગ અન્ય મોટા મિશન – વિભાગ સાથે જોડી દેવામાં આવ્યા છે.

અન્ય દેશોમાંથી આવેલા મિશનરીઓએ ભારતમાં આવી પ્રભુની સુવાર્તા – શુભ સંદેશ વિશે આપણને જણાવ્યું તે માટે તેમનો આભાર માનીએ તેટલો ઓછો છે.

ખાસ નોંધ: આ ક્રિશ્ચિયન વસાહતો વિશેની માહિતી ત્રણ પુસ્તકોમાંથી , “ગુજરાતમાં ક્રિશ્ચિયન મંડળીનો ઉદય”, લેખક રેવ. લાજરસભાઈ તેજપાળભાઈ (આવૃતિ 1930), “ગુજરાતનાં ક્રિશ્ચિયન મિશનનો ઈતિહાસ”, લેખક રેવ. રોબીન બોયડ (આવૃતિ 1994), અને “માટીનાં પાત્રમાં દૈવી ખજાનો”, લેખક રેવ. મનાશ્શેહ ભુરાજીભાઈ, (આવૃતિ 2013) અને ખ્રિસ્તી બંધુના જૂના લખાણોમાંથી લેવામાં આવી છે. (WA)

ભારત રશિયા સંબંધ


શૈલેષ રાઠોડ

અવારનવાર કહેવાતું રહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પરંતુ આ મૈત્રી કેટલી જૂની છે અને બંને દેશોના લોકોમાં એકમેકને ત્યાં આવવા-જવાની પરંપરા ક્યારે શરૂ થઈ? આ સવાલનો જવાબ ઇતિહાસના ગ્રંથોમાં મળે છે.વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા.દીવ અને ગુજરાતમાંથી પસાર થઈને તેઓ મહારાષ્ટ્રના તટીય ગામ ચૌલમાં પહોંચ્યા અને દક્ષિણના ગ્રામીણ વિસ્તારોમાં થઈને વર્તમાન તેલંગણા પહોંચ્યા હતા.વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતાઇમેજ સ્રોત,ARTEM SOBOVઇમેજ કૅપ્શન,વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતાએ સમયનું ભારત કેવું હતું? નિકિતિને માત્ર એ સમયના ભારતને જ ન જોયું બલકે એના વિશે વિસ્તારથી લખ્યું.આ એ સમયની કથા છે જ્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત પણ નહોતી થઈ; બાબર હજુ જન્મ્યા પણ નહોતા; દિલ્હી પર લોદી વંશનું શાસન શરૂ જ નહોતું થયું; અને દક્ષિણમાં વિજયનગર અને બહમની સલ્તનતનું રાજ હતું.વાસ્કો ડી ગામાનો જન્મ થોડાં વરસો પહેલાં જ થયેલો અને એમના ભારત આવવાને ત્રણ દાયકાની વાર હતી.નિકિતિનની કથા બોલિવૂડ ફિલ્મ ‘પરદેશી’ દ્વારા પણ દર્શાવાઈ છે જેમાં હિન્દી સિનેમાનાં ઘણાં ખ્યાતનામ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ કામ કર્યું છે. એની સાથે જ ચૌલમાં એમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.પરંતુ સવાલ એ છે કે નિકિતિન કોણ હતા અને એમની કથા આટલી રસપ્રદ શા માટે છે?વોલ્ગાથી કુંડલિકા સુધીની સફરરશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતાઇમેજ સ્રોત,GETTY IMAGESઇમેજ કૅપ્શન,રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતારશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા. તેમનો જન્મ 1433માં રશિયન શહેર ત્વેરમાં થયો હતો.એમના ભારત આવ્યા પહેલાંના જીવન વિશે ઘણી ઓછી માહિતી મળે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ એ વાતનું અનુમાન કરી શકે એમ છે કે એમણે પ્રવાસ ખેડવાનો નિર્ણય શા માટે કર્યો.એ સમયે ત્વેર વેપારીઓનો ગઢ ગણાતું હતું. વોલ્ગા નદીતટે વસેલું ત્વેર શહેર સાહસિક વેપારીઓ માટે જાણીતું હતું જેઓ યુરોપ અને મધ્ય એશિયાના પ્રવાસ કરતા રહેતા.નિકિતિને પણ એવી જ વ્યાપારિક યાત્રા પર જવાનો નિર્ણય કરીને 1466માં ત્વેર છોડી દીધું. કહેવાય છે કે એમને કોઈએ જણાવેલું કે ભારતમાં જાતવાન ઘોડા ખૂબ ઓછા મળે છે. એ જોતાં એમણે પોતાની સાથે એક ઘોડો લઈ જવાનો નિર્ણય કર્યો.નિકિતિને પોતાના આ પ્રવાસ વિશે વિસ્તારથી લખ્યું છે. એમાંથી મધ્યકાલીન ભારતના વેપારી માર્ગો વિશેની માહિતી મળે છે.નિકિતિને જણાવ્યું છે કે એમણે કઈ રીતે વોલ્ગા નદીથી કૅસ્પિયન સમુદ્ર સુધીનો પ્રવાસ કર્યો.આ સફરમાં એમને બે વાર લૂંટી લેવાયા. આ પ્રવાસમાં એમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે પાછા ફરવાનો અથવા જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ નિકિતિન આગળ વધતા રહ્યા. ત્યાર બાદ તેઓ પર્શિયા (આજનું ઈરાન)માં પ્રવેશ્યા, ત્યાંથી હોરમુઝ પહોંચ્યા અને ત્યાંથી અરબ સાગરના રસ્તે ભારત પહોંચ્યા.નિકિતિનની હોડી સૌથી પહેલાં દીવ પહોંચી હતી, ત્યાર બાદ તેઓ ગુજરાતના ખંભાત પહોંચ્યા. ખંભાત બંદરે પહોંચીને એમણે ઇન્ડિગો એટલે કે ગળી વિશે લખ્યું. ગળી રશિયામાં ખૂબ મોંઘી હતી.ત્યાર બાદ એમણે મહારાષ્ટ્રની કુંડલિકા નદીના મુખપ્રદેશ પાસે સ્થિતિ ચૌલ બંદર માટે યાત્રા શરૂ કરી. રશિયન ઇતિહાસકારો માને છે કે અફનાસી નિકિતિને ભારતની ધરતીનો ચૌલમાં પહેલી વાર સ્પર્શ કર્યો હતો.મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ શહેરની દક્ષિણે મુંબઈથી 110 કિલોમિટર દૂર આવેલું ચૌલ એક સામાન્ય ગામ હતું.નારિયેળ, પામ સહિત અન્ય તમામ ઉષ્ણકટિબંધીય વૃક્ષોથી ઘેરાયેલું ચૌલ અન્ય પડોશી તટવર્તી ગામો જેવું જ દેખાય છે. પરંતુ આ સામાન્ય લાગતું તટીય ગામ બે હજાર વર્ષનો ઇતિહાસ સંઘરીને બેઠું છે.ઘણા ઐતિહાસિક દસ્તાવેજો અને પ્રવાસીઓએ આ બંદરનો ઉલ્લેખ અલગ અલગ નામે કર્યો છે. જેમ કે, ચંપાવતી, ચિઉલ અને ચિવલી.મધ્યકાલીન સમયમાં ચૌલ એક મોટું બંદર ધરાવતું શહેર હતું જ્યાં સુદૂર દેશોમાંથી વેપારીઓ આવતા હતા. તેઓ કુંડલિકા નદીમાર્ગે બંદરમાં પ્રવેશીને એક સ્થળે આવતા હતા જે હવે રેવડંડાની નજીક આવેલું ગામ છે.અફનાસી નિકિતિન આવા વેપારીઓમાંના એક હતા. તેઓ ઈસવીસન 1469માં કોઈ એક સમયે અહીં પહોંચ્યા હતા અને એમણે પોતાની ડાયરીમાં અહીંના લોકો વિશે લખ્યું.એમણે લખ્યું કે, “અહીં બધા લોકો નગ્ન રહે છે. તેઓ પોતાનું માથું નથી ઢાંકતા. ઉઘાડા પગે ચાલે છે. અહીંની મહિલાઓ પોતાના વાળને એક ચોટલામાં ગૂંથે છે. સમૃદ્ધ લોકો પોતાનું માથું ઢાંકે છે. તેઓ પોતાના ખભા પર એક કપડું રાખે છે અને બીજું કમર પર બાંધે છે.”

અવારનવાર કહેવાતું રહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પરંતુ આ મૈત્રી કેટલી જૂની છે અને બંને દેશોના લોકોમાં એકમેકને ત્યાં આવવા-જવાની પરંપરા ક્યારે શરૂ થઈ? આ સવાલનો જવાબ ઇતિહાસના ગ્રંથોમાં મળે છે.

વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા.

દીવ અને ગુજરાતમાંથી પસાર થઈને તેઓ મહારાષ્ટ્રના તટીય ગામ ચૌલમાં પહોંચ્યા અને દક્ષિણના ગ્રામીણ વિસ્તારોમાં થઈને વર્તમાન તેલંગણા પહોંચ્યા હતા.

વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા

ઇમેજ કૅપ્શન,

વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા

એ સમયનું ભારત કેવું હતું? નિકિતિને માત્ર એ સમયના ભારતને જ ન જોયું બલકે એના વિશે વિસ્તારથી લખ્યું.

આ એ સમયની કથા છે જ્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત પણ નહોતી થઈ; બાબર હજુ જન્મ્યા પણ નહોતા; દિલ્હી પર લોદી વંશનું શાસન શરૂ જ નહોતું થયું; અને દક્ષિણમાં વિજયનગર અને બહમની સલ્તનતનું રાજ હતું.

વાસ્કો ડી ગામાનો જન્મ થોડાં વરસો પહેલાં જ થયેલો અને એમના ભારત આવવાને ત્રણ દાયકાની વાર હતી.

નિકિતિનની કથા બોલિવૂડ ફિલ્મ ‘પરદેશી’ દ્વારા પણ દર્શાવાઈ છે જેમાં હિન્દી સિનેમાનાં ઘણાં ખ્યાતનામ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ કામ કર્યું છે. એની સાથે જ ચૌલમાં એમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

પરંતુ સવાલ એ છે કે નિકિતિન કોણ હતા અને એમની કથા આટલી રસપ્રદ શા માટે છે?

વોલ્ગાથી કુંડલિકા સુધીની સફર

રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા

ઇમેજ સ્રોત,GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા

રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા. તેમનો જન્મ 1433માં રશિયન શહેર ત્વેરમાં થયો હતો.

એમના ભારત આવ્યા પહેલાંના જીવન વિશે ઘણી ઓછી માહિતી મળે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ એ વાતનું અનુમાન કરી શકે એમ છે કે એમણે પ્રવાસ ખેડવાનો નિર્ણય શા માટે કર્યો.

એ સમયે ત્વેર વેપારીઓનો ગઢ ગણાતું હતું. વોલ્ગા નદીતટે વસેલું ત્વેર શહેર સાહસિક વેપારીઓ માટે જાણીતું હતું જેઓ યુરોપ અને મધ્ય એશિયાના પ્રવાસ કરતા રહેતા.

નિકિતિને પણ એવી જ વ્યાપારિક યાત્રા પર જવાનો નિર્ણય કરીને 1466માં ત્વેર છોડી દીધું. કહેવાય છે કે એમને કોઈએ જણાવેલું કે ભારતમાં જાતવાન ઘોડા ખૂબ ઓછા મળે છે. એ જોતાં એમણે પોતાની સાથે એક ઘોડો લઈ જવાનો નિર્ણય કર્યો.

નિકિતિને પોતાના આ પ્રવાસ વિશે વિસ્તારથી લખ્યું છે. એમાંથી મધ્યકાલીન ભારતના વેપારી માર્ગો વિશેની માહિતી મળે છે.

નિકિતિને જણાવ્યું છે કે એમણે કઈ રીતે વોલ્ગા નદીથી કૅસ્પિયન સમુદ્ર સુધીનો પ્રવાસ કર્યો.

આ સફરમાં એમને બે વાર લૂંટી લેવાયા. આ પ્રવાસમાં એમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે પાછા ફરવાનો અથવા જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ નિકિતિન આગળ વધતા રહ્યા. ત્યાર બાદ તેઓ પર્શિયા (આજનું ઈરાન)માં પ્રવેશ્યા, ત્યાંથી હોરમુઝ પહોંચ્યા અને ત્યાંથી અરબ સાગરના રસ્તે ભારત પહોંચ્યા.

નિકિતિનની હોડી સૌથી પહેલાં દીવ પહોંચી હતી, ત્યાર બાદ તેઓ ગુજરાતના ખંભાત પહોંચ્યા. ખંભાત બંદરે પહોંચીને એમણે ઇન્ડિગો એટલે કે ગળી વિશે લખ્યું. ગળી રશિયામાં ખૂબ મોંઘી હતી.

ત્યાર બાદ એમણે મહારાષ્ટ્રની કુંડલિકા નદીના મુખપ્રદેશ પાસે સ્થિતિ ચૌલ બંદર માટે યાત્રા શરૂ કરી. રશિયન ઇતિહાસકારો માને છે કે અફનાસી નિકિતિને ભારતની ધરતીનો ચૌલમાં પહેલી વાર સ્પર્શ કર્યો હતો.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ શહેરની દક્ષિણે મુંબઈથી 110 કિલોમિટર દૂર આવેલું ચૌલ એક સામાન્ય ગામ હતું.

નારિયેળ, પામ સહિત અન્ય તમામ ઉષ્ણકટિબંધીય વૃક્ષોથી ઘેરાયેલું ચૌલ અન્ય પડોશી તટવર્તી ગામો જેવું જ દેખાય છે. પરંતુ આ સામાન્ય લાગતું તટીય ગામ બે હજાર વર્ષનો ઇતિહાસ સંઘરીને બેઠું છે.

ઘણા ઐતિહાસિક દસ્તાવેજો અને પ્રવાસીઓએ આ બંદરનો ઉલ્લેખ અલગ અલગ નામે કર્યો છે. જેમ કે, ચંપાવતી, ચિઉલ અને ચિવલી.

મધ્યકાલીન સમયમાં ચૌલ એક મોટું બંદર ધરાવતું શહેર હતું જ્યાં સુદૂર દેશોમાંથી વેપારીઓ આવતા હતા. તેઓ કુંડલિકા નદીમાર્ગે બંદરમાં પ્રવેશીને એક સ્થળે આવતા હતા જે હવે રેવડંડાની નજીક આવેલું ગામ છે.

અફનાસી નિકિતિન આવા વેપારીઓમાંના એક હતા. તેઓ ઈસવીસન 1469માં કોઈ એક સમયે અહીં પહોંચ્યા હતા અને એમણે પોતાની ડાયરીમાં અહીંના લોકો વિશે લખ્યું.

એમણે લખ્યું કે, “અહીં બધા લોકો નગ્ન રહે છે. તેઓ પોતાનું માથું નથી ઢાંકતા. ઉઘાડા પગે ચાલે છે. અહીંની મહિલાઓ પોતાના વાળને એક ચોટલામાં ગૂંથે છે. સમૃદ્ધ લોકો પોતાનું માથું ઢાંકે છે. તેઓ પોતાના ખભા પર એક કપડું રાખે છે અને બીજું કમર પર બાંધે છે.”

બળ અને બુદ્ધિમાન લોકોનું નગર એટલે ઉમરેઠ



આશરે ૧૫૦૦ વર્ષ જેટલો પ્રાચીન ઈતિહાસ પોતાના અસ્તીત્વ સાથે સાંકળી રહેલું ઉમરેઠ નગર ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું સંશોધનાત્મક સ્થળ ગણાય .આઝાદીનું આંદોલન હોય કે પછી રાજનીતિ ઉમરેઠ હંમેશા દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ભારતમાં ન્યાયમૂર્તિ થી લઈ રાજનેતાની ભેટ ઉમરેઠે આપી છે.વિશ્વના કોઈપણ ખૂણે ઉમરેઠી અચૂક મળે તેવી વાયકા પ્રચલિત છે.

  ઉત્તર અક્ષાંસ રર જર ’ તથા પૂર્વ રેખાંશ ૭૩૧૭ ’ ઉપર ઉમરેઠ નગર વસેલું છે . ગામની ચારે બાજુએ આવેલા કોટના અવશેષરૂપે હજીએ ઊભેલા ૬ દરવાજા ૬ બારીઓ , મુખ્ય ચાર બજારો , પર થી યે વધુ પોળ , કસ્બાઓ , ૪૫ જેટલી સંખ્યામાં ધર્મશાળા અને ધાર્મિક સ્થાનકો , ચાર મોટા તળાવો અને અનેક કુવાઓ , તથા બેનમુન શિલ્પ સ્થાપત્યવાળી વાવ વિગેરે પ્રાચીનકાળની જાહોજલાલીની શાખ પુરે છે .                        ઉમરેઠની એક છેડે પીપળીયા તળાવ , બીજે છેડે મલાવ તળાવ , ત્રીજે છેડે વડુ તળાવ અને ચોથે છેડે રામ તળાવ એમ ચારે દિશાઓએ આવેલ તળાવો વચ્ચે લંબગોળાકારે વિસ્તરેલ ગામ ભૌગોલિક રીતે જોઇએ તો ઉધી રકાબી જેવું ભાસે છે .

ઉમરેઠમાં અખુટ જળના ૧૬૫ થી વધુ કુવા તથા કુઇઓ અસ્તીત્વ ધરાવતી હતી .ઉમરેઠ એટલે ચરોતરનો ઉમરો .આ ઉમરેઠ પહેલાં ઉમાપુરી , ઉમારાષ્ટ્ર , ઉમરાવતી , ઉદુમ્બર , ઉમાક્ષેત્ર , બ્રહ્મપુરી વિગેરે નામથી ઓળખાતું , તેનું ક્ષેત્રફળ આશરે ૬.૭૫ ચોરસ માઇલ છે .

ઉમરેઠ વિ.સં. પપપ ઇ.સ. ૪૯૯ માં લેઉઆ પાટીદાર જહા પટેલે વિસાવ્યું હતું .રાજમાતા મીનળદેવી ૧૦૯૬ એટલે સંવત ૧૧ પર ના અરસામાં ઉમરેઠની ભુમીમાં મલાવ તળાવ ખોદી તથા ભદ્રકાળીની સુંદર સાતમાળની વાવ બંધાવી હતી જે આજે પણ જોવાલાયક છે. વિ.સં. ૧૬૮૦ શ્રાવણ વદ એકાદશીના રોજ દવેજી બદ્રીનાગજીના સુત દેવેશ્વરે નવાણું મહારુદ્ર કરી શ્રી અમરેશ્વર મહાદેવની સ્થાપના કરી . જે અમરેશ્વર મહાદેવમાં આષાઢી જોખવામા આવે છે.

રાજવી સિદ્ધરાજ જયસિંહે વિ.સં. ૧૧૫૮ ને શ્રાવણ સુદ નોમને બુધવારે શ્રી મુળેશ્વર મહાદેવ , અષ્ટભૈરવ તથા બબ્રુવાહન ( બળીયાદેવ ) એમ ત્રણે દેવોની ગામમાં સ્થાપના કરી એ ઉપરાંત સંવત ૧૧૯૯ માં ગુજરાત નરેશ કુમારપાળે જૈન દેરાસરની સ્થાપના કરી .


વિ.સં. ૧૨૧૨ કારતક સુદી ૧૫ ને ગુરુવારના રોજ શ્રી રણછોડરાય મહારાજ ઉમરેઠમાં પધાર્યા હતા . તે હાલમાં રણછોડરાયના પગલાં તરીકે ઓળખાય છે . આ મંદિર ઇ.સ. ૧૮૬૦-૬૧ ના અરસામાં બન્યું હતું . વિ.સં. ૧૩ ના સૈકામાં ઉમરેઠમાં ઔદિચ્ય બ્રાહ્મણોનું આગમન ગોહિલ રાજપૂતો સાથે થયું હતું .
વિ.સં. ૧૫૦૦ એટલેકે ઇ.સ. ૧૪૪૪ ના અરસામાં બાજખેડાવાળ બ્રાહ્મણોએ ઉમરેઠમાં આશરો મેળવ્યો . પાટમાં આવેલ તાડકેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના ગોહિલ વંશના રાજપૂતોએ કરી હતી .
ભગવાન શ્રીચેતન્ય ઇ.સ. ૧૪૫૫ માં જાગનાથ મહાદેવ નજીકના ચોગાનમાં પધાર્યા હતા .
ભકત કવિ નરસિંહ મહેતા ઇ.સ. ૧૪૫૮ માં તેમના સભા મંડળ સહિત ઉમરેઠ પધાર્યા હતા .
ઇ.સ. ૧૪૭૪ માં મહાન સંત પરમ વૈષ્ણવ શ્રી એકનાથજી મહારાજ ઉમરેઠ નગરમાં પધાર્યા હતા .
ઇ.સ. ૧૫૯૦ માં જગદ્ગુરૂ શંકરાચાર્ય ઉમરેઠમાં પધાર્યા હતા .
ઇ.સ. ૧૪૯૪ માં ભકત કવિ મીરાંબાઇએ ઉમરેઠની મુલાકાત લીધી હતી .
સ્વામી વિદ્યાતીર્થ નામના મહાન સંતે ઇ.સ. ૧૫૦૪ માં તથા વિખ્યાત કવિ નાકરે ઇ.સ. ૧૫૧૬ માં ઉમરેઠની મુલાકાત લીધી હતી .
ઇ.સ. ૧૫ ર ૮ માં ચાંપાનેર – પાવાગઢ તુટ્યુ ત્યાંથી ખડાયતા વાણિયા ઉમરેઠમાં આવી વસ્યા હતા .
ઇ.સ. ૧ પ ૭૦ ના સમય પહેલા ઉમરેઠમાં જૈનની ઘણી જ વસ્તી હતી જૈન જે પોળમાં વસતા હતા તે હાલ સટાક પોળથી ઓળખાય છે અને વણિકોનું વ્યાપારીક સામ્રાજ્ય હતું . જૈન ધર્મી શ્રાવક મહીલાઓની ચાર સતીઓની દેરીઓ થામણા જવાના રહે છે ,

જુના સમયમાં ઉમરેઠમાં ચાર ચોરા હતા ( ૧ ) રાજપૂતોનો ચોરો ( ૨ ) વ્યાસનો ચોરો ( ૩ ) ખેડાવાળનો ચોરો ( ૪ ) પંચવટીનો ચોરો .

ઉમરેઠને વેપાર – વાણિજય તથા શરાફીક્ષેત્રે આગેવાન અને ( મોખરાનું નગર બનાવવામાં ખડાયતા વણીકો તથા બાજખેડાવાળા બ્રાહ્મણોનો બહુ મોટો ફાળો હતો .
પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સને ૧૮૦ ૦ ના અરસામાં ઉમરેઠ ની ભૂમિને પાવન કરી હતી ,
ગાયકવાડી કર ઉઘરાવનાર અમલદાર શાહુજી ભટ્ટ તથા બાજીભટ્ટ વચ્ચે ફર ભરવા બાબદે વિવાદ થયો તેમાં બાજીભટ્ટ વેરો ભરવાનો ઇન્કાર કર્યો તેની શીક્ષારૂપે બાજીભટ્ટના આખા શરીરની ચામડી ઉતારી ખુશાલાલની હવેલી પાસે બાળવામાં આવ્યા હતા.આથીતે પોળને બળેલી પોળ તરીકે ઓળખવામાં આવે છે .
વહેરાઈ માતાની સ્થાપના ઈ.સ .૧૭૬૬ ના મહાસુદી નોમના દિવસે ગામના પંચોએ કરેલી છે .
ઈ.સ .૧૭૬૯ માં ગુરૂપૂર્ણિમાં ને દિવસે મલાવ તળાવની પાળ ઉપર ભટ્ટવાડી પોળમાં રહેતાં પ્રેમાનંદે ગુરૂદત્તાત્રેયની સ્થાપના કરી હતી .
ઉમરેઠમાં પુરાતન મંદિરો ઈ.સ. ૧૭૦૦ મી સદી દરમ્યાન બંધાયા હોવાનું જણાય છે .


શ્રી સંતરામ મહારાજનું મંદિર સને ૧૭૭ રમાં બંધાયું હતું . અને બસો વર્ષ પહેલા પંચવટીમાં કામનાથ મહાદેવનું મંદિર બંધાયું હતું . ભાલવો કૂવો ખોદતી વખતે મળેલી વારાહીમાતાની મૂર્તિ મંદિરમાં સ્થાપવામાં આવી હતી . હાલ દર વર્ષે આસો સુદ ૯ ને દિવસે લાલ દરવાજે મંગળેશ્વર મહાદેવના ચોગાનમાં ઘણીજ ધામધુમથી તથા અત્યંત ભકિતભાવ પૂર્વક વારાહીમાતાજીનો હવન થાય છે . આવો યજ્ઞ માત્ર કાશી અને ઉમરેઠમાં પુરાતન કાળથી થાય છે
. પેશ્વા સમયમાં ગણપતિનું મંદિર અને તેની ધર્મશાળા બાંધવામાં આવી હતી . વૈષ્ણવોના ત્રણ મંદિરો પણ જાણીતા છે .
. ઉમરેઠમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ૧૮૯૯ માં શરૂ થયું હતું ઈ.સ .૧૯૧૩ ના રોજ પૂજય મહાત્મા ગાંધીજી ઉમરેઠમાં પધારી પુસ્તકાલય ખુલ્લું મૂકેલું ઈ.સ .૧૮૫૯ માં પોસ્ટઓફીસ શરૂ ગઈ હતી અને ઈ.સ. ૧૮૭૪ માં રેલગાડીની શરૂઆત કરી હતી અને મ્યુનીસી પાલટીની સ્થાપના ૧૮૮૯ ના ઓકટોબરમાં થઈ હતી . ૧૮૯૦ માં ઉમરેઠની કોર્ટનું તે સમયનું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું હતું . ઈ.સ. ૧૯૭૪ માં નવનિર્માણ અંદોલન થયા પછી ઉમરેઠની તમામ ક્ષેત્રની ઘટનાથી નગરજનો પરિચિત છે . ઉમરેઠ નગરે ધુરંધરો કાર્યકરો , વકીલો , ન્યાયાધીશો , ડૉકટરો , કેળવણીકારો , સચિવો , ધારાસભ્યો , પ્રધાનો , વાઇસ ચાન્સેલરો વગેરેની સમાજને ભેટ ધરી છે .
એક જમાનામાં એમ કહેવાતું કે આ નગરની માટી ચુરમું છે અને તેનું પાણી ઘી છે . જેથી અહીંના લોકો બુધ્ધિ અને બળમાં નામ કાઢે તેવા છે . હિન્દુસ્તાન અગર તો દુનિયાના છેડે પણ તમને ઉમરેઠનો માણસ તો મળશે જ .

-શૈલેષ રાઠોડ

બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે ટિપ્સ



બોર્ડ એક્ઝામ સોમવારથી શરૂ થઇ રહી છે.શિક્ષકો તથા અગાઉના વર્ષના ટોપર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ પરથી પરીક્ષામાં કેવી તકેદારી રાખવી તે જણાવ્યું તે અહીં નોંધ્યું છે.આ માર્ગદર્શન અચૂક ઉપયોગી થશે.

‘છેલ્લી ઘડીએ તમામ વિષયો એક સાથે ના વાંચવા’
આ અંગે નિષ્ણાત શિક્ષક સહદેવ સિંહ સોનાગરાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન આ કાળજી રાખશે તો પરીક્ષા ખુબ સારી રીતે આપી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અંતિમ સમયમાં એક સાથે તમામ વિષય વાંચવાની જગ્યાએ એક એક વિષય અલગ અલગ શીડ્યુલ કરીને વાંચવા, જેથી સારી રીતે યાદ કરીને પરીક્ષા આપી શકે.

‘જે આવડે તે પહેલા લખવું’
અન્ય આચાર્ય નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે જેથી શક્ય હોય તો ઘરે રહીને તૈયારી કરવી. રાતના ઉજાગરા તથા તબીયત ના બગડે તેની કાળજી રાખવી. બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે ઉતરવહીમાં કોઈ નિશાન ના કરવા જેથી ઓળખાણ પ્રસ્થાપિત થાય. જે આવડતું હોય તે પ્રથમ લખવું.

ટોપરની ટિપ્સ
2020માં ટોપ કરનાર પ્રિયા કાબરા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, જે વિષયમાં રોકડા માર્ક્સ મળી શકે હોય તેમાં વધુ તૈયારી કરવી. થીયરીના વિષયમાં નાની ભૂલોના કારણે માર્ક્સ કપાય છે પરંતુ ગણિત, એકાઉન્ટ, સ્ટેટ્સ જેવા વિષયમાં પુરા માર્ક્સ મેળવી શકાય જેથી રફમાં ગણતરી કરીને લખવું.

તમામ વિધાર્થીઓને All the Best

-શૈલેષ રાઠોડ

દલિત સાહિત્યના દાદા:જોસેફ મેકવાન [૧૯૩૬-૨૦૧૦]


મેકવાન જોસેફ ઈગ્નાસ (૯-૧૦-૧૯૩૬) : નવલકથાકાર.જન્મ આણંદ તાલુકાના ત્રણોલમાં. એમ.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે.

“દલિત સાહિત્યના દાદા”,”જંગમ વિદ્યાપીઠ”,”વંચિતોના વકીલ “જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા જોસેફ મેક્વાનનું સાહિત્ય સર્જન અનેક ભાષાઓમાં અનુદિત પણ થયું છે.તેમની સાહિત્ય અને સમાજ સેવાને બિરદાવતો “જીંદગી જીવ્યાનો હરખ”નામે દળદાર ગ્રંથ પણ થયો છે.ગુજરાતી સાહિત્યના બળુકા સર્જક અને કર્મશીલ જોસેફભાઈનું તારીખ ૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ અવસાન થયું હતું.

‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રોનાં આલેખનો છે. ‘વહાલનાં વલખાં’ (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે’ (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્વેષ અને સંઘર્ષને દલિત દ્રષ્ટિ-કોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લક્ષ્મણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભે નિરૂપ્યું છે. ‘મારી પરણેતર’ (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના’ (૧૯૮૬) એમનો વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલ્લુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

આંગળિયાત (૧૯૮૬) : દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની આ કથાનું દસ્તાવેજી મૂલ્ય ઊંચું છે. પ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

નવલકથાઓ

  • આંગળિયાત
  • લક્ષ્મણની અગ્નીપરીક્ષા
  • મારી પરણેતર
  • મનખાની મિરાત
  • બીજ ત્રીજનાં તેજ
  • આજન્મ અપરાધી
  • દાદાનો દેશ
  • માવતર
  • અમર ચાંદલો
  • દરિયા
  • ભીની માટી કોરાં મન
  • સંગવટો
  • अपनो पारस आप

રેખાચિત્રો

  • વ્યથાનાં વિતક
  • વ્હાલનાં વલખાં
  • મારી ભિલ્લું
  • જીવતરનાં નટારંગ
  • જનમ જલાં
  • માણસ હોવાની યંત્રણા
  • न ये चांद होगा
  • રામનાં રખોપાં
  • લખ્યા લલાટે લેખ

ટૂંકી વાર્તાઓ

  • સાધનાની આરાધના
  • પન્નાભાભી
  • આગળો
  • ફરી આંબા મ્હોરે
  • આર્કિડનાં ફૂલ

નિબંધ

  • વ્યતીતની વાટે
  • પગલાં પ્રભુંનાં
  • સંસ્કારની વાવેતર

સંપાદન

  • અમર સંવેદન કથાઓ
  • અનામતની આંધી
  • અરવિંદ સૌરભ
  • એક દિવંગત આત્માની જીવન સૌરભ

અહેવાલો

  • ભાલનાં ભોમ ભીતર
  • ઉઘડ્યો ઉઘાડ અને આવી વરાપ
  • વહેલી પરોઢનું વલોણું

લેખો અને વિવેચન

  • વાટના વિસામા (લેખ સંગ્રહ)
  • પ્રાગડના દોર (સમીક્ષાત્મક લેખો)

અનુવાદો

  • આંગળિયાત નો ડૉ. રીટા કોઠારીએ step child નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ, (ઓક્સફર્ડ યુનિ. પ્રેસ દ્વારા પ્રકાશિત પ્રથમ ગુજરાતી નવલકથા)
  • વ્યથાનાં વિતક નો નેશનલ બૂક ટ્રસ્ટ, નવી દિલ્હી દ્વારા અંગ્રેજી અને 11(અગિયાર) ભારતીય ભાષાઓમાં અનુવાદ
  • ઘંટીના હિન્દી, તેલુગુ, બંગાળી, પંજાબી અને સિન્ધી ભાષાઓમાં અનુવાદો થયા છે.

વિશેષ

  • લોહીનો સબંધ પરથી ગોપી દેસાઈ દિગ્દર્શિત બસ યારી રખ્ખો નામે બાળ ફિલ્મ.
  • બહેરું આયખુ મુંગી વ્યથા નામે ટેલિ ફિલ્મ.

કટાર

ભવાટવિ, તીર્થ સલિલ, નદી નદીનાં વહેણ જેવી કટારો જન્મભૂમિ-પ્રવાસી, અખંડાનંદ, નવનીત સમર્પણ, મુંબઇ સમાચાર, ગુજરાત ટાઇમ્સ, જનકલ્યાણ, નયામાર્ગ અને ઉત્સવ.

સમ્માન

પુરસ્કારો

  • સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક (૧૯૮૧)
  • સંસ્કાર ઍવોર્ડ (૧૯૮૪)
  • અભિવાદન ટ્રોફી ‌(૧૯૮૭)
  • મેઘ રત્ન ઍવોર્ડ (૧૯૮૯)
  • ધનજી કાનજી સુવર્ણચંદ્રક (૧૯૯૦)
  • કનૈયાલાલ મુંશી સુવર્ણચંદ્રક (૧૯૯૫)

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પારિતોષિકો

  • સાધનાની આરાધના (૧૯૮૫)
  • મારી પરણેતર (૧૯૮૬)
  • જનમ જલાં (૧૯૮૭)
  • મારી ભિલ્લું (૧૯૮૮)
  • પન્નાભાભી (૧૯૯૦)
  • સાહિત્ય અકાદમી, દિલ્હી (૧૯૮૯‌)

દલિત સાહિત્યના દાદા, જંગમ વિદ્યાપીઠ, વંચિતોના વકીલ જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા જોસેફ મેકવાન ચરોતરી સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાને સાહિત્યિક વાચા આપે છે. તેમની બળુકી તળપદી ભાષામાં બોલીનું ભાષાકર્મ ઊડીને આંખે વળગે તેવું છે. જોસેફ મેકવાન એ ગુજરાતી સાહિત્યના સુખ્યાત અને લોકપ્રિય લેખક રહ્યા છે. ગુજરાતી દલિત સાહિત્યના શરૂઆતી પ્રારંભક અને પ્રમુખ સર્જક તરીકે એમનું અર્પણ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન છે. તેઓ માત્ર દલિત સાહિત્યના સર્જક ન રહેતાં મુખ્યધારાના મહત્વના સર્જક તરીકે પણ ઊભરી આવ્યા છે. વિષય વૈવિધ્ય, વ્યાપ તથા ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એમનું સર્જન વ્યાપક વર્ગોમાં સ્વીકૃતિ પામેલું છે. દલિત સાહિત્ય એ અનુકંપા પ્રેરવાનું સાહિત્ય નથી, પડકારનું સાહિત્ય છે, ચેલેન્જનું સાહિત્ય છે. એની પ્રથમ શરત પ્રતિબદ્ધતા છે અને પ્રતિબદ્ધતા એક જવાબદારી હોય છે.

જન્મ અને બાળપણ:

જોસેફ મેકવાનનો જન્મ ૦૯/૧૦/૧૯૩૬ના રોજ આણંદ જિલ્લાના ત્રણોલ ગામે થયો હતો. તેમના પિતાજીશ્રી ઇગ્નાસ મેકવાન શિક્ષક હતા, ને ઘરે થોડુ ખેતીકામ પણ કરાવતા હતા. એમનું વતન ગામ ઓડ જિ.-આણંદ. એમના બાનું નામ હીરા હતું. એમનું યુવાનવયે અવસાન થતાં એમના પિતાજી (મૂળ નામ ડાહ્યાભાઈ હરખાભાઈ માસ્તર) એ બીજીવાર લગ્ન કરેલું. કઠોર સ્વભાવના પિતાજી તથા સાવકી બાએ જોસેફ પાસે ઘર-ખેતરના ઠીક ઠીક વૈતરાં કરાવેલાં. આમ, આર્થિક સંકડામણો અને લાગણીઓના અભાવોએ એમની કસોટીઓ કરી હતી. તેઓ કહે છે કે એ ગરીબી અને પ્રેમઝંખના તથા ઝૂરણે એમને અનેક રીતે ઘડ્યા હતા.

જોસેફના બાળપણ વિશે વાત કરીએ તો, જોસેફનું બાળપણ ભારે અભાવોમાં વીત્યું હતું. લેખક એને શબ્દોમાં આ રીતે વ્યક્ત કરે છે.- “આઠ વરસની વયે ગામના ઊંડા કૂવેથી અધમણના દોરડે, પંદરશેરિયા ઘડે, બાર બેડાં પાણી ખેંચવું, ઘર વાળવાથી માંડી વાસણ-કુસણ અજવાળવાં, તુવેર ભરડવી, દાળ મોવી, બે ઢોરનું વાસીંદુ ઉકરડે નાખવું, નવી માના સાત ખોટના દિકરાને કેડેથી કોરે ના મેલવો, ઇંધણા એકઠા કરવાં, ખેતરની વાડને હુળ કરવાં- એ બધાંની સાથે ભણવાની હોંશને લીધે નિશાળે જવું એ મારી જીવનચર્યા હતી, પરિણામે વર્નાક્યુલર ફાઈનલ સુધી ભણી, પછી આપબળે આગળ ભણ્યો, રાત્રે પ્રૂફ રીડિંગ કરીને પણ કૉલેજમાં પ્રાધ્યાપક અને પછી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ આણંદમાં શિક્ષક બન્યો.”[1]

પોતાના હૃદયની વેદના વ્યક્ત કરતાં લેખક કહે છે- “વહાલના વીરડા કાજે તો હું ભવરણ ભટક્યો છું. મારા સદાનાં બારેય પહોરને આઠેય ઘડીનાં સંગી સાથી તો રહ્યા છે વેદનાને વલોપાત.! વ્યર્થતા, વિહવળતા ને વલવલાટ.! વીતરાગતા આવી ગઈ છે. ઘણીવાર મને સુખ સાથેના વેરથી વલખા માર્યા કર્યા છે મેં, સાચુકલા ‘વહાલ’ કાજે ક્યાં-ક્યાં નથી રખડ્યો હું. વહાલ પરના બે બોલ ઝીલવા- હું તો ભૂખ્યો હતો ભાવનાનો, વહાલનો, શૈશવ આખુંય મારું વલખાતા વલખાતા જ વીત્યું છે.”

જોસેફ મેકવાનના સાહિત્યમાં પ્રગટતી દલિત વેદના:

જોસેફે વીસમી સદીના નવમા દાયકે વન પ્રવેશની વયે ફરી કલમ ગ્રહી. ગુજરાતમાં દલિત સાહિત્યનો એ આરંભનો દાયકો. અનામત વિરોધી ઉદ્દેકો અને દલિત સાહિત્ય ચળવળના એ દિવસોમાં જોસેફભાઈ ‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫) લઈને આવ્યા અને સમગ્ર સાહિત્યાકાશમાં છવાઈ ગયા.

દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા ખેડા જિલ્લાના ગામડાંમાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકર સમાજના જીવન સંઘર્ષની કથાનું દસ્તાવેજી મૂલ્ય છે. તો ‘વ્યથાનાં વીતક’ને વાંચતાં આપણી સંવેદનાઓ ખળભળી જાય છે, તો લખનારે કેટકેટલું વેઠવું પડ્યું હશે? શોષાતાં, રીબાતાં, રવરવતાં, વલવલતાં ને તો યે ખુમારી ના છોડતાં જીવતરોની કથા માંડવા આ જમાનાને જોસેફદાદો મળ્યો એ ગુજરાતી દલિત સાહિત્યનુ જ નહિ, બલકે એકંદરે ગુજરાતી જીવનનું પણ બડ્ભાગ્ય.

આપણા મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરી દલિતોની ખુમારીને પોતાના શબ્દોમાં આ રીતે મૂકી આપે છે- “(આંગળિયાતમાં) દલિત પુરૂષોનો અન્યાય સામેનો પ્રતિકાર, પ્રેમીઓનો ઝૂરાપો અને સંયમ, વર્ગ સંઘર્ષ જેવો જ આંતર સંઘર્ષ અને બીજા માટે કશુંક કરી છૂટવાની ભાવના દ્રશ્યાત્મ્ક ઘટનાઓ દ્વારા વ્યક્ત થઇ છે.”[2]

જોસેફ મેકવાન જીવનવાદી લેખક છે, પ્રતિબદ્ધ લેખક છે. ‘કલાને મેં પ્રમાણી છે પણ જીવતરને ભોગે કલાની ઉપાસના કરવાનું મને હરગીજ મંજૂર નથી’ એવું વારેવારે વગાડીને કહેનારા આ લેખકનું સાહિત્ય જાનપદી છે અને ગદ્યમાં જ આલેખાયેલું છે. નવલકથા, ચરિત્ર નિબંધ તથા ટૂંકીવાર્તા:આ ત્રણે ગદ્ય સાહિત્યનાં સ્વરૂપોમાં એમણે પુરા અધિકારપૂર્વક અને ખાસ્સું ગુણવત્તાસભર-સંતર્પક કાર્ય કર્યું છે.

સર્જન-લેખન વિશેનો એમનો પોતાનો મત, કહો કે પ્રતિબદ્ધતા એમણે આ રીતે મૂક્યાં છે. “હું લખું છું જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતાથી, સચ્ચાઈ પ્રત્યેના સ્નેહથી, અનુભૂતિ પ્રત્યે ઈમાનદાર રહેવું મને હંમેશાં ભાવ્યું છે. માણસાઈના ચરણોમાં માથું મેલવું મને ગમ્યુ છે. મારી અપાત્રતા હું સારી પેઠે જાણું છું પણ માણસ માત્રમાં સારાપણું જોવાના, મને કડવા વખ અનુભવો થયા છતાં ય, મારી શ્રધ્ધા જરા સરખીયે ઓછી થઇ નથી. આ જ અંત:પ્રેર્યું બળ છે, જે મારા પાત્રોમાં શક્તિ સીંચે છે. એમાં કલ્પના છે પણ એ તો કથાને પ્રવાહમાન કરવા પુરતી અને ઘટનાને વળ તથા બળ દે એટલી જ! બાકી ચરિત્રોના અભ્યંતરમાં ઉછાળા મારતું ચિત્ત તો મેં જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રમાણેલું તથ્ય જ છે.” [3]

‘આંગળિયાત’, ’વ્યથાનાં વીતક’ જોસેફ મેકવાન તથા કુન્દનિકા કાપડિયાની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) ના પ્રકાશન સાથે આધુનિકતાવાદી સાહિત્યનો દબાવ હઠયો અને અનુ-આધુનિક સાહિત્યની આલબેલ ગૂંજી ઊઠી હતી. આ કૃતિઓથી દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય અને ગ્રામચેતનાના સાહિત્યના દરવાજા નવેસર ખૂલે છે. આ કૃતિઓ સામાજિક તથા સાંકૃતિક સંદર્ભોમાં પણ મૂલ્યવાન ઠરેલી છે. આમ, આ ઘટના સાહિત્યના ઇતિહાસમાં પણ વિશેષ મહત્વની બની રહેલી જણાય છે.

‘આંગળિયાત’ જે મુખ્ય શીર્ષક છે તેનો અર્થ એ છે કે જયારે કોઈ એક સ્ત્રી છૂટાછેડા લઇ ને બીજા લગ્ન કરે, ત્યારે જે બાળક તેની સાથે હોય છે, તેને આંગળિયાત કહેવાય છે. ‘વાલજી’ના છોકરાને બધાં આંગળિયાત કહે છે. આ નવલકથામાં વાર્તા અને તેનાં પાત્રોની જે સાહજિક કલાત્મકતાથી માવજત કરવામાં આવી છે, તે આફરીન થઇ જવાય તેવી છે. તેની ભાષા અને કથાગૂંથણી તેને ગુજરાતી ભાષાની ઉત્તમ નવલકથાઓમાંની એક ઠેરવે છે.

‘આંગળિયાત’ જનપદમાં ય ઉપેક્ષિત અને શોષિત માણસોના સંઘર્ષની વાત માંડે છે. એમાં ૧૯૩૫ થી ૧૯૬૦ સુધીના વર્ષોનું, મધ્ય ગુજરાતના ચરોતર-ડાકોર-ઓડ આસપાસના ગ્રામીણ સમાજનું આલેખન દલિતો-પીડિતોના સંદર્ભોમાં ધ્યાન ખેંચનારું બની રહ્યું છે. દલિતોની ગરીબાઈ તથા એમની ન્યાત તથા રીવાજોની મુશ્કેલીઓ તો એમાં છે જ, પણ સવર્ણ સમાજ દ્વારા દલિતોનું જે શોષણ થાય છે એ સૂર કથા નિમિત્તે-પ્રધાનપણે પ્રગટાવાયો છે. વાલજી, ટીહો, દાનો, જીવણ તથા કંકુ અને મેઠી જેવાં નારી પાત્રો-ભવાન ભગતની ઓથ માનીને શોષણ સામે ને ન્યાતની અવળચંડાઈ સામે બાખડી બાંધીને સંઘર્ષ કરે છે…ને કૃતિનો એ વિશેષ, તળબોલીના બળ સાથે કથાકથનના વળથી સ્પષ્ટપણે ઉપસી આવ્યો છે એમાં કૃતિની સફળતા વાંચી શકાશે.

દલિતો અને નારી ઉપરના બેરહમ અત્યાચારોને નીર્દેશતી આ કથામાં સવર્ણોની અક્ષમ્ય અમાનુષિતા ઓછા લસરકાઓમાં પણ પ્રભાવકતાથી આલેખાઈ છે. જોસેફ મેકવાનની અન્ય રચનાઓમાં પણ શોષિતોનો શોષકો સામેનો સંઘર્ષ ઉજાગર થાય છે. વેઠનારાં પાત્રોમાં રહેલા મૂલ્યો-નીતિ-પ્રેમ, માણસાઈ તથા સચ્ચાઈ, પરગજુતા અને પરિશ્રમ કરીને હક્કનું ખાવાનું વલણ વગેરે એમની કૃતિઓને પ્રસ્તુત અને મૂલ્યવાન ઠેરવે છે.

ગુજરાતમાં કાપડ મીલોનો મધ્યાહ્ન હતો. (૧૯૫૦-૭૦) એ ઉદ્યોગે ગામડાંના વણકરોનો સાળ ઉદ્યોગ ભાંગી નાખ્યો હતો. પરિણામે દલિતોએ કાળી મજૂરી કરવાની આવી. જોસેફના સાહિત્યમાં આવાં મજૂરીયાં મનેખની, અજંપ કરી દેનારી વેદનાઓ આલેખાઈ છે. બાકી, શોષણ તો હજાર પ્રકારે સૌ કોઈ નબળાં સબળાં વડે થતું આવ્યું છે, જે વિદિત છે. જોસેફમાંના સર્જકે આવી વેદનાની વાતો વચ્ચે ય ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ નવલકથા લખી, જેમાં મિત્ર-ભાઈ એવા બંધુની વિધવા જોડે દિયરવટુ કરીને ય બ્રહ્મચર્ય પાળતો નાયક તથા એ દંપતીનો સત્યશીલ પ્રેમ સરસ રીતે આલેખાયાં છે. આ નિમિત્તે લેખકે આદર્શ ખ્રિસ્તી કુંટુંબ આલેખીને માણસાઈને પોંખી છે. દલિત સમાજમાં નારીનો સમાદર કરનારા વધારે નીકળે એમ બન્યું છે. છતાં ‘મારી પરણેતર’ અને ‘મનખાની મિરાત’ એ બંને નવલકથાઓમાં દલિત સમાજ પોતે પણ નારી ઉપર કેવો ત્રાસ ગુજારે છે એનું હૃદયદ્રાવક ચિત્રણ છે. ‘મારી પરણેતર’ની ગૌરી નપુસંક અને નઠારા ધણીને ત્યજી દે છે પણ મનના માણીગરને પામી શકતી નથી, બલકે વિષપાન કરીને જીવન પણ ત્યજી દે છે. સમાજ અને કુટુંબની આણ સારાં માણસને વધારે તાવે છે. ‘મનખાની મિરાત’ ની ગુણવંતી ગુણિયલ છે ને સચ્ચાઈ જણાવ્યા વિના રહી શકતી નથી. બસ આટલા કાજે જ એનો કશે ય સમાવેશ થતો નથી ને એને રાન રાન ને પાન પાન ભટકવું પડે છે.

‘બીજ-ત્રીજનાં તેજ’ ચરોતરના વાઘરી સમાજની કથા છે. ચોરીને વ્યવસાય ધર્મ માનનારી આ પ્રજાનો માથાફરેલ વડીલ વેલજી એની દીકરી પૂનમ માટે રવિશંકર મહારાજના બોચાસણ આશ્રમમાં ભણેલોને ગુણિયલ શિક્ષક થયેલો યુવાન ભૂપત જમાઈ તરીકે મેળવે છે. પણ વેલજીને વિદ્યાની કોઈ કિંમત નથી, એ તો ભૂપતને ‘ચોરીની’ ની વિદ્યામાં પારંગત થવા કહે છે નહીતર પૂનમ એની વહુ નહી બની રહે! ભૂપત વિદ્યાના પક્ષે રહીને સંઘર્ષ કરે છે ને સમાજમાં અજવાળું પ્રગટતું ભળાય છે. સમાજમાં અનેક દુષણો છે. ચોરી એમાંનું એક છે. જ્યાં સુધી છેવાડાના માણસને જીવન જરૂરિયાતની સઘળી વસ્તુઓ કે એ માટે કમાવાનું સાધન નહી સંપડાય ત્યાં સુધી દુરીતો દૂર થવાના નથી. થોડા લોકો નિરાંતે ઉપભોગ કરે ને મોટા ભાગનાને એ જોવા પણ ન મળે ત્યારે સમતામૂલક સમાજ વ્યવસ્થા કેવી રીતે આવશે?

છ જેટલા વાર્તાસંગ્રહોમાં વિવિધ વિષયો ઉપર આશરે ૮૦ થી વધારે વાર્તાઓ આપનાર જોસેફ મેકવાનની નોધપાત્ર વાર્તાઓ આશરે બાર-પંદર જેટલી મણિલાલ હ. પટેલે તારવી છે. એ પણ બીજા વાર્તાકારોની તુલનામાં આવકાર્ય છે. પોતાની વાર્તાલેખન પ્રવૃત્તિ વિશે લેખકના પોતાના બે પ્રતિભાવો જોઈએ-“મારા વાર્તાલેખનનો આરંભ જ વાર્તાથી, મારો મનગમતો સાહિત્ય પ્રકારે ય વાર્તા. જો કે મને જાણીતો કીધો મારાં રેખાચિત્રોએ. પણ વાર્તાને મેં હંમેશાં સાચુ સાધન માન્યું છે.” (સાધનાની આરાધના)

રેખાચિત્રોમાં માહિર એવા જોસેફ મેકવાનની કીર્તિદા કૃત્તિ ‘વ્યથાનાં વીતક’ એ કોઈ કાલ્પનિક કથાઓ નથી. જિંદગીનાં વિવિધ રૂપોનું પ્રગટીકરણ છે. એમાં વાત્સલ્ય છે, ભોળપણ છે, ટીખળ છે, નીંભરતા ય છે ને ક્રૂરતા પણ છે. પણ એનું પ્રાધાન્ય પાસું છે વેદનાનું…કોઈને કોઈ પ્રકારના વહેણના વમળમાં વમળાતું હોય છે…ને છતાં એ ધબકતું હોય છે. એના ‘માંયલા’માં પડેલો માણસ ક્યાંક ને ક્યાંક વ્યક્ત થવા મથતો રહ્યો છે.

જોસેફ કશુંક કહેવા વાર્તા લખે છે. વાર્તાને એ સમાજદર્શન અને માનવ નિયતિની અભિવ્યક્તિનું સાધન માને છે, વેદનાનો તથા શોષિતોની પીડાઓ વર્ણવીને ઉપેક્ષિતોને જગાડવા, ઘડવા, તૈયાર કરવા, એટલા માટે વાર્તા અહીં સાધ્ય કરતાં સાધન જ વિશેષ છે.

લેખક લખે છે કે- “મારી વાર્તા મારા અનુભવ જગતમાંથી નીતરી આવે છે. એને આત્મસાત કરતાં અને એને શબ્દોમાં અભિવ્યક્ત કરતાં હું એક નિરનિરાળી મન:સ્થિતિમાંથી પસાર થાઉં છું. ‘રેખાચિત્ર’ પૂરું કર્યા પછી ક્વચિત હાશકારો અનુભવું છું, પણ વાર્તા પૂરી કર્યા પછી ય એ મારા મનોજગતમાં એ ક્યારેય પૂરી થતી નથી, એ નિરંતર ચાલ્યા જ કરે છે.” (આગળો)

ગ્રામજીવનના પરિસરમાં દલિતચેતનાને ઉજાગર કરતી આ વાર્તાઓમાં, વાસ્તવજીવનની સમસ્યાઓનો લોકબોલીમાં ઉપસી આવતો વણાટ લેખકની સર્જકતાનો પણ પરિચાયક બની રહે છે. કસ્બાનું તથા શહેરનું વાતાવરણ પણ એમની કથા વાર્તાઓમાં આવે છે. ગરીબી, શોષણ, મૂલ્યહાસ્ ઉપરાંત સમકાલીન જીવનની સમસ્યાઓ એમની કથાવાર્તાના વિષયો છે. ક્યારેક ઘટના-પ્રસંગોની સ્થૂળતા સુધી જ રહી જતી વાર્તાઓમાં પણ ચરિત્ર-ચિત્રણની માવજત તો પ્રભાવિત કરે જ છે.

આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓની જેમ ‘પરભુદા પટેલનું મામેરું’ વાર્તાનો આરંભ ફ્લેશબેકથી થાય છે. આ વાર્તામાં ગામડામાં દલિતો બીન દલિતો વચ્ચે સત્તા-સંપત્તિ માટે જે કાવાદાવા રચાય છે અને બ્રાહ્મણ, વાણિયા, પટેલો દ્વારા દલિતો તેનો ભોગ બને છે. પછાત વર્ગને લોભ લાલચ આપી તેમની જમીન પચાવી પાડે છે. કહેવાતા સવર્ણનાં બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. તેનું દંભી માનસ અહીયા છતું થયા વિના રહેતું નથી.

દલિત સંવેદના અને બે વર્ગ વચ્ચેનો સંઘર્ષ કૃતિના મૂળમાં છે. સવર્ણ પરભુદા દલિત પાત્રો ઈચ્છો, નાથો, રતન વગેરેનું શોષણ કરે છે. પરભુદા નાથાની જમીન પચાવી પાડે છે અને સામે પડતા દાનાને મારી નાખે છે. તે જ પરભુદા નાથાની પુત્રીનું મામેરું કરવાનું કહે છે ત્યારે ઈચ્છાને શંકા જાય છે, હાળું કાંક કારનામું લાગ છ. પટેલ પાધરો ન પડે, ને આવો આ પચી હજારનું ખરચ કરે તે માન્યામાં નથી આવતું. ગામમાં દલિતો મુસ્લિમ, હિન્દુ વચ્ચે સંપ હતો, પરંતુ ચૂંટણી આવતા વેરઝેરને કારણે તેમની વચ્ચે ફાટફૂટ પડી અને બધું વેર વિખેર થઈ ગયું. વાર્તામાં સંદર્ભિત સમળગાળો ઈ.સ. ૧૯૪૮નો છે. ગાંધી હત્યા, આઝાદી, ગણોતધારો વગેરેનો નિર્દેશ થયો છે. લેખકની ભાષા શૈલી, વર્ણન કળા, ધ્યાનાર્હ છે. તળપદી લહેકાવાળી લિજ્જતદાર બોલી તાજગી ભરી દે છે જે વાર્તાને જીવંત રાખે છે.

મકનો પરભુદા પટેલનો વસવાયો યા વાણોતર હતો, એટલે પટેલને ડેલે એની અવરજવર વધુ રહેતી, તહેવાર ટાંકણે, સારે માઠે અવસરે ને કામ પડ્યે મકનો પરભુદા પટેલની ડેલીએ હાજર રહેતો, કદાવર ગઠાયેલો દેહ આંગણે આઘો પાછો થતો જોવામાં પણ પરભુદા પટેલ ગૌરવનો અનુભવ કરતા. ભલે મકનો પછાત હતો, પણ એનો દેહ દેવાંશી હતો. ભલભલાં દિલડાં એના પર વારી જવાને તડપતાં હતાં, પણ અંતરાય નડતો હતો માત્ર વરણનો, એની હલકી જાતનો. કેટલાંયે બળાપો કરતાં કે ભલા ભગવાન આવો અદકેરો દેહ દઈને તે એને જાત દેવામાં કંજુસાઈ કરી?

વાર્તાનાં પાત્રો ભીની માટીની સોડમવાળાં છે. તેની જીવંતતા ભાવકને સ્પર્શી જાય તેવાં સાચુકલા પાત્રોની છે. આ પાત્રો શ્રમજીવી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. કથા નાયક જેને પુરૂષ તરીકેના અહંને સંતોષવા તેની બબ્બે પત્ની મોંઘી અને કંકુડી પર ત્રાસ ગુજારે છે. તેનું જીવવું હરામ કરી દે છે. આમાં હાસ્યરસ એ વાર્તાનું જમાપાસું છે. મોંઘી જણસ જેવી વિલાયતી બત્તી કંકુ જેણાને ખેતર જવા માટે આપે છે. તે ગાયબ થઈ જતાં તેની દાઝ કંકુ પર ઉતારે છે. તેણે રીત સરની રાડ નાખી કંકુડી… ઈ… ઈ… ? મામી હાહુ… ઉ… ઉ… મરી જ્યો રે… એ… એ…!આ વાંચી ભાવકને મજા પડી જાય છે. બે સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. તેના મૂળમાં બેટરી રહેલી છે. બેટરીનું મૂળ જમાઈ હતો અને જમાઈનું મૂળ મોંઘલી છે. જેણો મોંઘી પાસે એવું સાંભળવા માગતો હતો કે ‘એક દા’ડો તો એ મારા પગ ઝાલવાની ન કૈવાની શા હાતર આમ કરો છો ભુંડા! શું જોઈએ છે તમાર તે દન રાત લોઈ ઉકાળા કરો છો!’ મોંઘી જેણાને અને જેણો મોંઘીના માહ્યલાને ન ઓળખી શક્યો. શાંત રસમાં વિરામ પામતી આ સામાન્ય પ્રકારની વાર્તા છે. પાત્રની ભાષા તેનો લય વાર્તાને જીવંતતા બક્ષે છે. રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે રચાઈ આવે છે. માનવતાને નાતે સર્વ ધર્મ સમભાવ, સમતા, સમાનતા, સમરસતા વગેરેની ભાવના બે વ્યક્તિ સમાજને જોડવાનું કાર્ય કરે છે. પરંતુ આપણી સામાજિક વ્યવસ્થા અસમાનતાના પાયા પર ઊભી છે. એક જ વિષયનું વારંવાર પુનરાવર્તન થતાં તે તેનું અર્થ સૌંદર્ય ગુમાવી દે છે. દલિત સવર્ણનાં પાત્રો વચ્ચે પ્રેમ થાય અને અંતે પરિણામ દુઃખદ આવે આ પ્રકારનો વિષય હવે નવો નથી રહ્યો.

‘રેખાનો ગૃહત્યાગ’ વાર્તામાં આ પ્રશ્ન સહેજ અલગ દ્રષ્ટિકોણથી નિરૂપાયો છે. એમ કહેવામાં વધારે પડતું નહી ગણાય કે દલિતો બીન દલિતો વચ્ચે જ્યાં સુધી રોટી બેટીનો વ્યવહાર નહીં થાય ત્યાં સુધી સમાનતા ભાઈચારાની ભાવનાને કારણે દલિતો પ્રત્યેનો બીન દલિતોનો અણગમો, ઈર્ષ્યા, તિરસ્કારની ભાવનાને કારણે સવર્ણ રેખા અને દલિત મૃગેશ લગ્ન કરી શકતા નથી. રેખાનું તીવ્ર મનોમંથન વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. રેખા એક બાજુ માતા-પિતા અને બહેનનો પ્રેમ જ્યારે બીજી બાજુ મૃગેશનો પ્રેમ આ બે બિંદુ વચ્ચે એ ઝોલા ખાય છે. તે દ્વિધામય પરિસ્થિતિમાં કોઈ નિર્ણય પર આવી શકતી નથી. વાર્તાના શીર્ષક પ્રમાણે રેખા ગૃહત્યાગ કરે છે. પરંતુ તે મૃગેશ સાથે રહી શકતી નથી પરંતુ સંન્યાસી બની વિહારમાં જતી રહે છે, અને વાર્તા આમ, શાંત રસમાં પરિણમે છે. વાર્તાનો અંત અણધાર્યો આવે છે.

‘આંગળિયાત’ જેવી કીર્તિદા દલિત નવલકથાના આ સર્જકની આગવી સર્જકતા હતી. જોસેફભાઈના પ્રવેશથી ગુજરાતી દલિત સાહિત્ય એક નવી ઊંચાઈ મેળવે છે. આક્રોશ અને આત્મદયાનું દલિત સાહિત્ય સ્વમાન અને આત્મવિશ્વાસનું સાહિત્ય બની શક્યું તેમાં જોસેફ મેકવાનનો સિંહ ફાળો છે. જોસેફના પાત્રો થકી એમનું સમાજદર્શન કે દલિતદર્શન અવ્યક્ત થયા વિના નથી રહેતું. દલિતત્વ લેખકના પિંડમાંથી ઘાટ ઉતારવાનું કારણ બનીને આવે છે. ઈ.સ. ૧૯૮૬માં પ્રગટ થયેલી આ નવલકથાએ જોસેફને યશ અપાવ્યો છે. આ નવલકથામાં પીડિત, શોષિત માનવસમાજની વ્યથાને તેનાં ઉચ્ચ સંસ્કારોને, અસ્મિતાને, હૃદયની અમીરાતને આલેખવામાં આવેલ છે. આ નવલકથાએ ચરોતર પ્રદેશ અને તે પ્રદેશમાં શ્વસતા પછાત દલિત લોકોને જીવંત કર્યા છે. સમાજની ગરીબીને તેની રહેણીકરણી, રીતરીવાજો, લોકબોલી, આધ્યાત્મિક જ્યોત તથા ભોળા માણસોની ગરીમાને આલેખિત કરી છે. નવલકથાની શરૂઆતમાં ટીહો અને વાલજી શીલાપુર ગામમાં વણાટ કરેલા વસ્ત્રોની હરાજી કરવા, વેચવા માટે આવે છે, ત્યારે મેઘજી પટેલનો પુત્ર ભારાડી નાનીયો દલિત યુવતી મેઠીની મશ્કરી કરી છેડતી કરે છે ત્યારે ટીહારામ પરાયા ગામમાં વચ્ચે પડે છે અને દ્રશ્ય જીવંત કરે છે. એ પછી અનેક પ્રસંગ ચિત્રોબનતાં રહે છે. ટીહો મર્દ પુરુષને શોભા આપે તે રીતે મેઠીને બચાવીને મેઠીના હૃદયમાં ટીહા પ્રત્યે અનુરાગ જન્માવે છે, ત્યારે મેઠીનું અપહરણ થાય છે. ટીહાના મિત્ર વાલજીનું મૃત્યુ, ટીહો, મેઠી, દાનાજી સૌનાં હૃદયને વલોવતું રહે છે. મેઠીનું કેરડીયાના વતની ચૂંથવા સાથેનું બાળવિવાહ, પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ તો એ તે એના દીકરાની મા બને છે. ચૂંથીયાના ત્રાસથી કંટાળીને મેઠી ટીહાની ઘરે આવે છે અને ચૂંથીયો ન મરે ત્યાં સુધી ટીહા સાથે ઘર માંડવાની ના કહે છે. બીજી તરફ રત્નાપુરમાં કંકુ પોતાનો શોક દોઢ વરસ સુધી પાળે છે, અને તે અંતે ભવાન-ભગત અને ટીહાના કહેવાથી યથાર્થને સ્વીકારી વાલજીના કાકાના દીકરા ધનજી સાથે દિયરવટુ કરી ઘર માંડે છે. પ્રણયી જીવો ટીહો તથા મેઠીને ધનજી, કંકુ સમજાવે છે તો યે એક થતા નથી. ચૂંથીયો જીવે છે અંતે કંકુના મામાના સાળાની દીકરી વાલી સાથે ટીહારામ પરણે છે. પરણ્યા પછી બંને વચ્ચે મેઠીના લીધે તિરાડ પડે છે. ઘરમાં કજીયા થાય છે. અંતે ગામના સરપંચ સાથે ટીહાને ઝઘડો થતાં ધીંગાણું થાય છે, અંતે તેને સારવાર મળતી નથી અને તે છેલ્લા શ્વાસ છોડે છે. ટીહાના મૃત્યુનું દુઃખ મેઠીને થાય છે, તે અન્ન-જળનો ત્યાગ કરે છે. અંતે ટીહાના મૃત્યુ બાદના અઢારમા દિવસે તે પણ મૃત્યુ પામે છે. જે જગ્યાએ ટીહાને દાટવામાં આવેલ તેની બાજુની જગ્યામાં જ મેઠીના દેહને પણ દફન કરવામાં આવે છે. કૃતિને અંતે ગામમાં શાળા બાંધવાની વાત થાય છે ત્યારે ટીહાપુત્ર સાત હજાર એક રૂપિયાનું દાન આપે છે.

વસ્તુ-સંકલનાની દ્રષ્ટિએ ‘આંગળિયાત’ ધ્યાનાર્હ છે. નાનાવિધ પ્રસંગોની ફૂલગૂંથણીમાં ક્યાંય સાંધો જોવા મળતો નથી. કૃતિમાં વિધ-વિધ ઘટનાઓને કારણે લેખક સળંગ કથાસૂત્રતા જાળવી શક્યા છે. કૃતિ અનેક ઘટનાઓથી ભરચક છે. આ ભરચક કથાપ્રવાહ કૃતિત્વને અહર્નિશ ગતિમાં રાખે છે. શીલાપુરમાં કાપડનું વેચાણ કે મેઠીની છેડતી, પટેલો સાથે નાયકનું ધીંગાણુ, મેઠીનું અપહરણ, વાલજીનું મૃત્યુ, કંકુનું દિયરવટુ, ટીહા-વાલીના લગ્ન, મેઠીનું એકલા રહેવું, ટીહાનું મૃત્યુ થતાં મેઠીનો અઢારમાં દિવસે પ્રાણત્યાગ…વગેરે મુખ્યકથા પ્રવાહો ‘આંગળિયાત’ નવલકથાને જાન બક્ષે છે. અહીં સર્જકનો મુખ્ય ઉદેશ્ય દલિત સમાજની વાતને અભિવ્યક્ત કરવાનો રહેલો છે. જોસેફ પોતે કહે છે તેમ- “એક આથમી ગયેલી સંસ્કૃતિ અને આયાસપણે વિસારે પાડવામાં આવી રહેલ સામાજિકતાની વાત છે. ‘આંગળિયાત’ એ સમાજ વ્યવસ્થાની પુન:પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી, પણ એમાં રહેલ સત્યશીલતાનાં પુરસ્કારનો ઉદેશ છે. ઈ.સ. ૧૯૩૫ થી માંડીને ૧૯૬૦ સુધીના અઢી દાયકાની આ કથામાં સામાજિક અન્યાય અને ઉલ્લેખાયેલી એક જાતિ પ્રત્યેના સંપન્ન સવર્ણોના હાડોહાડ દ્વેષનો પણ ચિતાર છે.”[4]

કવિશ્રી હરીન્દ્ર દવે ‘આંગળિયાત’ વિશે કહે છે- “આ નવલકથા આપણી વણખેડાયેલી ભોમને ફલક બનાવે છે. એ માટે જ નહી; એમાં સર્જકતા છલકી રહી છે એ માટે મને ગમી છે, એના પાત્રો અત્યારે મારી અનુભવ સૃષ્ટિનો ભાગ બની ગયા છે.”

કવિશ્રી ઉમાશંકર જોષી ‘આંગળિયાત’ ને આ રીતે નવાજે છે- “તમે ‘આંગળિયાત’ ને ઉજાગર કરતા નથી, ‘આંગળિયાત’ તમને ઉજાગર કરે છે. ગુજરાતી કલા સાહિત્યમાં એક વિશિષ્ટ રચના આપે છે, એટલું જ નહી ગુજરાતને મળ્યું છે એમ નહી એક વિશાળ સહાનુકંપાવાળો સમજદાર માનવી આ ભાષા બોલનારાઓની વચમાં હરતો ફરતો જોવાનું ભાગ્ય સાંપડે છે ને હૈયાધારણા મળે છે.”[5]

સાહિત્યની પ્રાદેશિક કૃતિઓમાં ચોથા મોજામાં ‘આંગળિયાત’ માં પ્રથમ જ દલિત સમાજ અખિલાઈપૂર્વક અભિવ્યક્ત થયેલ છે. આથી ધવલ મહેતા આ નવલકથાથી ગુજરાતી નવલકથા સાહિત્યમાં ચોથું મોજું આવે છે તેમ કહે છે. આ નવલકથામાં દલિત પ્રજાને થતા અન્યાયો તો છે જ સાથેસાથે દલિત પ્રજાના આંતર પ્રશ્નો-સંબંધોને લીધે એક જુદાં પ્રકારનું વિશ્વ અહીં રચાય છે.

‘આંગળિયાત’ માં મૂળભૂત સ્થિતિ સાથે સંભવિત પરિસ્થિતિઓનું ઘર્ષણ શક્ય તેટલી હદે વિસ્તર્યું છે. જેથી સ્થિતિજડ સમસ્યાઓ સહજપણે જુદી તરી આવે છે. છેલ્લાં વીસ-પચ્ચીસ પાનામાં લેખકે કરેલી ઉતાવળ આ નવલકથાની મોટી મર્યાદા બની રહે છે. જે ચુસ્તતા પૂર્વ ભાગમાં છે, તે ઉતરાર્ધમાં ખંડિત થતી ભળાય છે. સામાજિક સંદર્ભોને પીડિતની નજરે જોવાની વૃતિને લીધે એક પ્રબળ સંઘર્ષની ભૂમિકા ‘આંગળિયાત’ માં જોઈ શકાય છે, પરંતુ વસ્તુસંયોજન ક્યારેક કથળતું માલુમ પડ્યું છે. દરેક પ્રસંગે તેમનાં પાત્રો આગવી ઓળખ ઊભી કરે છે. તેથી પાત્ર વિકસતું-ઘડાતું આવે છે. આ નવલકથાનું અસ્તિત્વ એના પાત્રોને કારણે કાયમ ટકી રહે છે.

જોસેફ મેકવાનની સ્મૃતિમાં સ્થપાયેલા જોસેફ મેકવાન ફાઉન્ડેશનના ઉપક્રમે જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર

જોસેફ મેકવાનની સ્મૃતિમાં સ્થપાયેલા જોસેફ મેકવાન ફાઉન્ડેશનના ઉપક્રમે જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર અને જોસેફ મેકવાન કર્મશીલ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ ત્રિવેણી લેન્ડ માક, આણંદ ખાતે યોજાયો હતો.પ્રકાશ ન. શાહના અધ્યક્ષપદે યોજાયેલ આ સમારોહમાં જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર સાહિત્યકાર ડો. મણીલાલ હ. પટેલ અને જોસેફ મેકવાન કર્મશીલ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત કર્મશીલ માર્ટિન મેકવાનને એનાયત કરવામાં આવ્યો હતો.

જેમાં પુરસ્કાર રૂપે રૂ. 25,000 સન્માન પત્ર અને શાલ ઓઢાડી આ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.સમારોહના અધ્યક્ષપદેથી બોલતા ચાર દાયકા અતિતમાં પહોંચીને પ્રકાશ ન શાહે જણાવ્યું હતું કે ‘1981 થી 1990ના ગાળામાં નવનિર્માણ અને અનામત આંદોલનના કપરા દિવસોમાં એક અસાધારણ ઉન્મેષ જે આવ્યો તે દલિત સાહિત્યનો હતો. આ ચરોતરભૂમિના સાક્ષ્ર ગોવર્ધન રામ સાક્ષર જીવનનો એક આદર્શ મૂકયો હતો. ઇશ્વર પેટલીકરે એના સર્જનથી આ વિસ્તારને એક નવી ઉંચાઇ આપી હતી.

પરંતુ જોસેફ મેકવાને તો તેમના સર્જન થકી એક ઋષિ તર્પણ કરીને અગાઉ સાહિત્યમાં જેની ચર્ચા-જિકર થયા જ ન હતા. એ વાસ્તવનો જગત આખાને એમની અઢળક કૃતિઓ થકી પરિચય કરાવ્યો છે.’ ઇન્દુકુમાર જાનીએ જોસેફ મેકવાનને શબ્દ સૂર્યથી ઓળખાવી કહ્યું કે ખરેખર તો એમણે એક તંત્રી, લેખક અને એ સમયે નવા નવા નિમાયેલા તંત્રી-સંપાદક એવા પોતાની વિચારધારાને વધારે સ્પષ્ટ અને એક નવી દિશા પુરી પાડી હતી.



સંદર્ભસૂચિ-

  1. દલિત અધિકાર (પાક્ષિક તા-૫/૪/૨૦૧૦ સળંગ અંક-૧૧૩) પૃષ્ઠ-૧૧
  2. એજન- પૃષ્ઠ-૨૩
  3. મણિલાલ હ. પટેલ -‘કર્તા અને કૃતિ’- પાશ્વ પબ્લિકેશન પ્ર.આ-૨૦૧૩ પૃષ્ઠ-૫૬
  4. એજન-પૃષ્ઠ-૬૦
  5. ડૉ.મોહન પરમાર- ‘સમાજમિત્ર સામાયિક’ (અંક-૧૦/૧૧ ઓક્ટોબર/નવેમ્બર-૨૦૧૭) પેજ નંબર-૮ થી ૧૪
  6. જોસેફ મેકવાન’- આંગળિયાત’ (૨૦૧૦ની સંવર્ધિત આવૃત્તિ)
  7. હરીન્દ્ર દવે- ‘જન્મભૂમિ પ્રવાસ’ ‘સામાયિક’ અંક-૧૯૮૬
  8. જોસેફ મેકવાન-‘વ્યથાનાં વીતક’ -ડીવાઈન પબ્લિકેશન- અદ્યતન આવૃત્તિ-જુલાઈ-૨૦૧૩
  9. ડૉ.બાબુભાઈ બારડ:’જોસેફ મેકવાનનું નવલકથા વિશ્વ’

મારુ ખંભાત-આગવું ખંભાત


ખંભાત શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક છે.

કેમ્બે, ખંભાત તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ નગર છે. તે અગાઉ એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું, જોકે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખંભાત ખંભાતના અખાતના ઉત્તરના ભાગે મેદાની ભાગમાં સ્થિત છે અને તેની નજીક દરિયાની ભારે ભરતી અને ઓટ આવે છે, દરિયાઈ સપાટીમાં ૩૦ ફૂટ જેટલો બદલાવ આવે છે. ખંભાત બ્રિટિશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. તે ૩૫૦ ચોરસ માઇલ નો વિસ્તાર ધરાવે છે. એક અલગ રાજ્ય તરીકે તે મુઘલ સામ્રાજ્યમાંથી અલગ ૧૭૩૦ આસપાસ થયું હતું. તેના નવાબ મોમિન ખાન બીજાના વંશજ હતા, ૧૭૪૨ માં તેમના સાળા નિઝામ ખાન જે ખંભાતના ગવર્નર હતા તેમની હત્યા કરી ત્યાં પોતાની જાતને સ્થાપિત કરી.

ખંભાત નગર ટોલેમિ ના કેમેનેશ હોઈ શકે છે, અને અગાઉ ખૂબ જ સમૃદ્ધ શહેર હતું, વ્યાપક વેપાર બેઠક હતું, અને તેનું રેશમ, છીંટ અને સોનાના પદાર્થનું ઉત્પાદન પ્રસિદ્ધ હતું; માર્કો પોલો દ્વારા ૧૨૯૩ માં તેનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે કાંપ જામી જવાને કારણે સમુદ્ર માર્ગે ત્યાં પહોંચવું અઘરું થયું તેથી તેનું વાણિજ્ય ઘણા લાંબા સમયથી પડી ભાગ્યું છે, અને નગર ગરીબ અને જર્જરિત બન્યું છે. વસંત ઋતુમાં ભરતી ૩૦ ફૂટ થી ઉપર વધે છે, અને આટલા છીછરા અખાતમાં વાણિજ્ય માટે તે જોખમકારક છે. ૧૯૦૦ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો. આ નગર ગોમેદ અને અકીક ઘરેણાંનાં ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ઘણા કિસ્સાઓમાં ઘરો પથ્થરથી (તે શહેરની સદ્ધરતા સૂચવે છે કારણ કે આ પથ્થરો ખૂબ જ દૂરથી લવવામાં આવ્યા હતા) બાંધવામાં આવતા હતા અને ૩ માઈલ ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઈંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. દક્ષિણપૂર્વ દિશામાં ભૂમિગત મંદિરો અને અન્ય ઇમારતોના અડધા દટાયેલ અવશેષો છે, જે ભૂતકાળમાં તેમની મોટા પ્રમાણમાં સંખ્યા સૂચવે છે. આ જૈન મંદિરો છે, અને તેમના દેવતાઓની બે મોટી પ્રતિમાઓ ધરાવે છે, એક કાળી, અન્ય સફેદ છે. મુખ્ય મૂર્તિ, શિલાલેખ અનુસાર, પારિશ્વનાથ અથવા પારશ્વનાથ છે. સમ્રાટ અકબરના સમયમાં તેમની કોતરણી કરવામાં આવી છે. કાળી મૂર્તિ પર ૧૬૫૧ની તારીખ કંડારેલી છે. ૧૭૮૦માં ખંભાત જનરલ ગોડાર્ડના સૈન્ય દ્વારા કબ્જે કરાયું. ૧૭૮૩માં પાછું મરાઠા તાબા હેઠળ ગયું અને ત્યારબાદ ૧૮૦૩ ની સંધિ હેઠળ પેશ્વા દ્વારા બ્રિટિશને સોંપી દેવામાં આવ્યું. તે ૧૯૦૧ માં રેલવે સાથે દ્વારા જોડવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ખંભાત શહેર અકીક ના વેપાર માટે જાણીતું હતું.

ખંભાત તાલુકામાં આવેલાં ગામો

આખોલ
બામણવા
ભાટ તલાવડી
ભીમતળાવ
ભુવેલ
છતરડી
દહેડા
ધુવારણ
ફીણાવ
ગોલાણા
ગુડેલ
હરીપુરા
હરીયાણ
હસનપુરા
જહાજ
જલસણ
જલુંધ
ઝાલાપુર
જીણજ
લક્ષ્મીપુરા
કલમસર
કાળી તલાવડી
કાણીસા
કણઝટ
ખડોધી
ખટણાલ
કોડવા
લુણેજ
માલસોની
માલુ
મીતલી
મોતીપુરા
નગરા
નાના કલોદરા
નંદેલી
નવાગામ બારા
નવાગામ વાંટા
નેજા
પાલડી
પાંદડ
પીપળોઇ
પોપટવાવ
રાજપુર
રાલેજ
રંગપુર
રોહણી
શકરપુર
સાયમા
સોખડા
તામસા
તારકપુર
ટિંબા
ઉંદેલ
વડગામ
વૈણાજ
વાસણા
વટાદરા
વત્રા

પ્રવાસન ક્ષેત્રે ખંભાત-જોવા લાયક સ્થળો



”’સેલ્ફી પોઈન્ટ નેજા-કનેવાલ”’
ખંભાતનો નેજા-કનેવાલ વિસ્તાર ફિલ્મ શુટિંગનું કેન્દ્ર બન્યો


લેખક અને પત્રકાર શૈલેષ રાઠોડે જણાવ્ધ્યયું હતું કે,ગુજરાતમાં નૈસર્ગિક પ્રવાસન સ્થળોની કમી છે.તેવા સંજોગોમાં પ્રાચીન નવાબી નગરી નેજા થી કનેવાલ સુધીના વિસ્તારમાં તાડના વૃક્ષો તેમજ પાણીના છીછરા ઝરા અને તળાવોને કારણે ફિલ્મ નિર્માતાઓ માટે ફિલ્મ શુટિંગ નું આદર્શ કેન્દ્ર બની રહ્યું છે.નેજા ખંભાતીઓ માટે સેલ્ફી પોઈન્ટ બન્યું છે.સાહિત્યકાર શૈલેષ રાઠોડે ૧૯૯૮ માં નેજા વિસ્તારની ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી અને ફોટોગ્રાફી અખબારો અને સોસીયલ મીડિયા ઉપર પ્રસારિત કરી આ વિસ્તારને “સેલ્ફી પોઈન્ટ”નામ આપ્યું હતું.અહી સવાર અને સાંજ પ્રકૃતિપ્રેમીઓ કુદરતને માણવા ઉમટી પડે છે.
ફિલ્માંકન માટે ઉત્તમ નેજા માર્ગ વારંવાર ટ્રાફિક થી છલકાઇ છે.અહી નિર્માતાઓ વિવધ દ્રશ્યો માટે આવે છે.ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા ગોવિંદ બારોટે જણાવ્યું હતું કે-મે અહી વિડીયો માટે શુટિંગ કર્યું કારણ કે અહી નેચરલ વાતવરણ છે.કુદરતી વાતાવરણ અને કેરેલા જેવા દ્રશ્યો અહી મળે છે.છેલ્લા ૨ વર્ષથી નેજા અને કનેવાલ વિસ્તાર ફિલ્મ નિર્માતાઓ માટે આશીર્વાદ સમાન બન્યો છે.જો સરકાર અહી રીફ્રેશમેન્ટ માટે વ્યવસ્થા ઉભી કરે તો વધુ નિર્માતાઓ-પ્રવાસીઓ ખેચાઇ શકે છે.અહી અસંખ્ય તાડના વૃક્ષોનો સમૂહ અદ્ભુત છે.તાડની વનરાજી મનમોહક છે.

[[https://wordpress.com/post/shaileshrathod.wordpress.com/1029]]
આ ઉપરાંત ખંભાતી સિવાઈ અન્ય જીલ્લા બહારથી નાગરીકો તહેવારોની ઉજવણી કે મિની વેકેશનની મજા માણવા માટે અહી આવે છે.પ્રવાસન સ્થળોએ જવાની નોબત આવે છે. ચરોતરમાં નૈસર્ગિક વિસ્તારો અને પ્રવ્સન માટે સ્થળો ઓછા હોઈ ખંભાતમાં ધાર્મિક એવા શિકોતર મંદિર,વડગામ સ્થિત દરિયા કિનારો,જુમ્મા મસ્જીદ,કનેવાલ તળાવ,સેલ્ફી પોઈન્ટ નેજા પ્રવાસીઓને આકર્ષે છે.

માદળા તળાવ :-
ખંભાત શહેરની પૂર્વ દિશામાં માદળા તળાવ આવેલું છે. જેની દક્ષિણ બાજુએ બગીચો આવેલ છે. કિનારા ઉપર મહાકાળેશ્વર મહાદેવ, રણછોડજી મંદિર, રામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર વિગેરે મંદિરો આવેલા છે. શહેરની મધ્યમાં આ તળાવ આવેલ હોવાથી સાંજના સમયે તથા તહેવારોના દિવસે શહેરીજનો ફરવા આવે છે.


ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક :- નપલ/૪૫૯૩/એમએલએ/૧૨/મ તા. ૧૫-૦૯-૧૯૯૩ના હુકમથી સીટી સર્વે નંબર ૩/૩૨૪૬ વાળી જમીન “માદળા તળાવ” તરીકે આવેલ છે જેનું ક્ષેત્રફળ ૬૭૨૨૫-૯૫-૩૧ ચોરસ મીટર જમીન તે પૈકી ૧૭૮૩-૪૬-૫૩ ચોરસ મીટર જમીન હેતુ ફેર કરેલ છે.

જૈન દેરાસરો:-
જૈન ધર્મે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે. ખંભાત જૈનપૂરી અને યાત્રાનું ધામ હોવાથી લગભગ બધા જ ગચ્છના આચાર્યોએ ખંભાતને પાવન કરેલું છે. જૈન ધર્મની કિર્તિને વિશેષ ઉજ્જવળ કરનાર શ્રીમદ હેમચંદ્રાચાર્યે ખંભાતમાં જ દિક્ષા લીધી હતી. જેઓએ સાડા ત્રણ કરોડ શ્લોકોનો ગ્રંથ બનાવેલ છે. ગુજરાતી સાહિત્યમાં સિદ્ધહેમ જેવુ વ્યાકરણના રચિતા શ્રીમદ હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ એવા ખંભાતમાં ૭૫ થી વધારે જિનાલયો આવેલા છે. આ જિનાલયોમાં સમગ્ર ભારત વર્ષમાથી તેમજ વિદેશથી જૈન યાત્રાળુઓ આવે છે.

ભૈરવનાથની પ્રસિદ્ધ વાવ:-
ગવારા દરવાજાથી આગળ વોરવાડ જતાં ભૈરવનાથની પ્રસિદ્ધ વાવ આવેલ છે. જે વાવ ૩૨૫ વર્ષ પહેલા ખંભાતના શ્રીગોડ બ્રાહમણ રાજદેવ સમ્રાટે બંધાવ્યાની હકીકત મળે છે. વાવની અંદર ભૈરવનાથની મૂર્તિ છે. આ વાવ ઘણી વિશાળ છે.

નારેશ્વર તળાવ :-
આ તળાવ ખંભાતના વાયવ્ય ખૂણામાં આવેલું છે. તેની પૂર્વ બાજુએ શ્રી મહાપ્રભુજીની બેઠક, દક્ષિણ બાજુએ જાફરઅલી ખાન વોટર વર્ક્સ, પશ્ચિમે લાલબાગ અને ઉત્તરે રાજવંશોના મકાનો જેનું ક્ષેત્રફળ ૧૨૭૩.૫૦ ચો.વાર છે. પૌરાણિક કથા મુજબ નારદજીએ દર્ભની સળી વડે આ સરોવર ખોદયું હતું અને તામ્રપત્ર વડે માટી બહાર કાઢી સર્વે તીર્થોમાથી ઉત્તમ જળ લાવી તેમાં ભર્યું હતું. જેથી આ સરોવર નારદીય સરોવર કહેવાયું. કાળાંતરે આ નામમાં ફેરફાર થવાથી નારેશ્વર નામથી ઓળખાય છે.

બેઠક મંદિર :-
નારેશ્વર તળાવ પૂર્વ કિનારે શ્રી ગુંસાઈજીની બેઠક આવેલી છે. આ સ્થળે શ્રી ગુંસાઈજી સંવત ૧૬૧૩થી બેઠક નક્કી થયેલ છે. મંદિરના નિયમ મુજબ ત્યાં નિત્ય લીલાઓ થાય છે. આ બેઠક શ્રીનાથજી ના તાબાની ગણાય છે. ત્યાંના પ્રતિનિધિ હાર વર્ષે અહી આવી વ્યવસ્થા જોઈ જાય છે. વૈષ્ણવો નિત્ય દર્શને જાય છે.

ગાંગડીયું તળાવ :-
શહેરની ઉત્તરે આવેલા ગાંગડીયા તળાવની શોભા તળાવની આસપાસ આવેલા તાડના વૃક્ષોથી અનેરી લાગે છે. અમદાવાદ તરફથી ખંભાત આવતા માર્ગમાં આ વૃક્ષો રડીયામણા લાગે છે.

બ્રહ્માજીનું મંદિર :-
શ્રી બ્રહ્માજીનું સ્વતંત્ર મંદિર નગરામાં છે. બ્રહ્માજીની મૂર્તિનો પથ્થર આબુથી આવેલ છે. તેમ વિધ્વાનો માને છે. બ્રહ્માની મૂર્તિ આરસની મનુષ્યના કદ જેટલી અને ઉત્તમ છે. બ્રહ્માને ચાર મુખ છે. જટા મુકુટ છે, લાંબી દાઢી અને ચાર હાથ છે. એક હાથમાં સવેલ, બીજા હાથમાં માળા, ત્રીજા હાથમાં માપ દંડ (ગજ), ચોથા હાથમાં કમંડળ છે. બ્રહ્માના પરિવાર દેવોમાં તેમની બે પત્નીઓ સાવિત્રી (બ્રહ્માણી) અને સરસ્વતી છે. તે પણ મોટા કદની છે. તેમના હાથમાં કમળ અને કમંડળ આપવામાં આવેલ છે. મૂર્તિઓ સુંદર અને નમૂનેદાર છે.

મરીયમપુરા ચર્ચ:-
પ્રેસ રોડ ઉપર મરીયમપુરા ખાતે કલાત્મક કેથોલિક ચર્ચ અને સેન્ટ ઝેવિયર્સ સ્કુલ આવેલી છે.ઉપરાંત દરિયાકિનારે સૌથી મોટું કબ્રસ્તાન પણ આવેલું છે.કંસારી માર્ગ ઉપર પ્રાચીન સી.એન.આઈ ચર્ચ આવેલું છે.

જુમ્મા મસ્જિદ :-
ખંભાત શહેરના દરિયા તરફના કોર્ટની પાસે આવેલ છે. મસ્જિદના લેખમાં જણાવ્યા મુજબ હીજરી સંવત ૭૨૫ના મોહર્રમ માસની ૧૮મી તારીખ(ઈ.સ.૧૩૨૫) જાન્યુઆરીમાં મહંમદ અલબુ તમારીએ બાદશાહ મહંમદ તધલખના કાળમાં બંધાવેલ છે. મસ્જિદની બાંધણી અને તેનું કોતરણી કામ જોવા માટે ભારત વર્ષ તથા દુનિયામાથી મુસ્લિમ સમાજના યાત્રાળુઓ આવે છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે આ સ્થાપત્યને રાષ્ટ્રીય સુરક્ષા સમારક તરીકે જાહેર કરેલ છે.(૧૦) વડવા આશ્રમ :- પૂજ્ય મહાત્મા ગાંધી જેમને પોતાના ગૂરૂ માનતા હતા તેવા શ્રીમદ રાજચંદ્ર દ્વારા વિક્રમ સંવત ૧૯૭૨માં સ્થપાયેલ વડવા તીર્થ ક્ષેત્ર આવેલું છે જેની મુલાકાતે ભારત વર્ષમાંથી યાત્રાળુઓ આવે છે.

શહેરની અન્ય વિશિષ્ટ બાબતો:-

  • ઘણાં વર્ષોથી ખંભાત દુનિયાભરમાં હલવાસન,સુતરફેણી અને સુકાભજીયા જેવી વાનગી પ્રખ્યાત છે. જેનો સ્વાદ માણવાનું દુનિયાભરના ગુજરાતીઓ ચુકતા નથી.
  • ખંભાતનો મુખ્ય ગૃહ ઉધ્યોગ અકીકનો છે અને અકીકના પથ્થરમાંથી બનાવેલ ઘરેણા તેમજ વિવિધ ચીજ વસ્તુઓનું બજાર ખંભાતમાં છે.
  • ગ્રહોના રત્નો અને ઝવેરાત તથા વિવિધ આભુષણ ખરીદવા માટે પણ દેશભરમાંથી લોકો ખંભાત આવે છે.
    -ખંભાતની ખંભાતી પતંગોની સૌથી વધુ માંગ રહે છે.
    -ખંભાતને કર્મભૂમિ બનાવનાર લેખક સર્જક શૈલેશ રાઠોડે ૩૦ વર્ષ સુંધી ખંભાતમાં સેવાઓ બજાવી છે અને તેમને ૫૬ જેટલા પુસ્તકોની ગુજરાતીઓને ભેટ આપી છે.તેમને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત થયેલ છે.
    ખંભાત ના સાહીત્યકારો અને સાહિત્યદર્શન:-

1) ખંભાત રચાયેલા સંસ્કૃત ગ્રંથો
કોઈ પણ દેશ ના સાંસ્કૃતિક ઇતિહાસ ના એના સંતપુરુષો અને સાહીત્યકારો નું સ્થાન એક રીતે તો એના રાજપુરુષો કરતા પણ ઊંચું છે. અને એમની કીર્તિ રાજપુરુષો કરતા વધારે ચિરજીવ છે. રાજપુરુષોને એમની તાત્કાલિક સતા ને લીધે માન મળે છે. પણ એમના જમાના પછી ભાગ્યે જ કોઈ સંભારે છે. જયારે સંતોને એમના તપ અને શુદ્ધ જીવન ને લીધે પ્રસરેલી સનાતન શાંતી ના લીધે અને સાહીત્યકારો એ સરજેલા વિધાસંસ્કારોના સાધનો ને લીધે એમના જમાના પછી પણ અનંતકાલ સુધી લોકો સંભારે છે. છતાં સંતો નું તેમજ સાહીત્યકારો નું સ્થાન ઘણું ઊંચું હોય છે એ ના ભૂલવું જોઇએ. આપણી સરકારે અનેક કળાવિઘ્નો નું બહુમાન કર્યું છે એ આનંદ ની વાત છે.
ખંભાત માં રચાયેલા કેટલાક સંસ્કૃત ગ્રંથો:
શાંતીનાથચરિત્ર: વિ. સં. 1160 માં ખંભાતમાં હેમચંદ્રના ગુરુ દેવચંદ્રસુરીએ પ્રાકૃતમાં ગધપધમાં રચયું છે. તેમાં અપભ્રશ ભાષા વપરાયેલી છે. તેની તાડપત્ર ની પ્રત પાટણ ભંડારમાં છે. સમય સિદ્ધરાજ નો છે.
આદિનાથચરિત્ર વર્ધમાન આચાર્ય એ વિ. સં. 1160માં પ્રાકૃત ભાષામાં રચના કરી. કોઈ કોઈ સ્થળે અપભ્રશ ભાષા છે. આ વર્ધમાન આચાર્ય નવાંગિ વૃત્તિકાર અભયદેવસુરી ના શિષ્ય હતા. તેમને સ્ટભતીર્થ માં આ રચના કરી છે. તેમાં “ખંભાઈરથ” પ્રયોગ કર્યો છે. પીટરસરન રિ. 5/8.
ઉકતિયકમ: (સં.) લેખક એક અજ્ઞાત પંડિત છે. વિ. સં. 1484 માં ખંભાત ના શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિ ના વિદ્યવાન બ્રાહ્મણ એ “ઉકતિયકમ” નામે વ્યાકરણ ગ્રંથ ની રચના કરેલ છે. આ ગ્રંથ નો પરિચય જૂની ગુજરાતી માં એક ટૂંકી સમાસ શિક્ષા એ શિરશક નીચે શ્રી ભોગીલાલ સાંડેસરાએ કરી છે (સાહીત્ય માસિક, સને 1932)
કુંડતત્વપ્રદીપ : (સં.) વિ. સં. 1680 ના ચૈત્ર સુદ 15 ખંભાત ના શ્રી ગૌડ બ્રાહ્મણએ યજ્ઞ કરવાનાં કુંડ વિશે ગ્રંથ ની રચના કરેલ છે. અને તે સંસ્કૃત માં “કુંડવિશંતી” નામે પ્રસિદ્ધ થયેલા ગ્રંથ માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પારસ્કર ગૃહય સૂત્રના બે કાંડનું ભાષાંતર :
વિ. સં. 1692 ના મહા સુદ 14, મંગળવારે ખંભાત ના લક્ષ્મીધરે કાશીમાં જઈને તેનું ભાષાંતર કર્યું.
જયરત્નગણી : વિ. સં. 1662.
આ જૈન આચાર્ય એ સંસ્કૃતમાં (1) જવરપરાજય અને (2) દોષરત્નાવલી નામે બે ગ્રંથોની ખંભાત માં રચના કરી છે. ‘જવરપરાજય’ વિશે વિસ્તારથી મો.દ. દેસાઈ એ ‘જૈનપત્ર’ ના રોપ્યમહોત્સવ અંકમાં પૃ. 137 ઉપર વર્ણન કર્યું છે. દોષરત્નાવલી વિશે ડો. ત્રિ. લે. ના પ્રશિસ્ત સંગ્રહમાંથી. (જૈન રોપ્ય મહો. અંક, પૃ. 137)
શ્રી રવિચંદ્ર :
હીરચંદગણી ( વિ. સં. 1694 ) ના શિષ્ય રવિચંદ્રએ ખંભાત માં સં. 1712માં ‘ઉપાસકદશાંગ’ ની પ્રતિ લખી.
જૈન સંપ્રદાય અને વિશેષતાઓ:-
જૈન ધર્મે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે.પ્રાચીન કાળથી ત્રંબાવતી નગરી અને “સ્તંભતીર્થ”ના નામે પ્રસિદ્ધિ પામેલાં ખંભાતના ૭૩ જિનાલયો જૈન ધર્મની યશોગાથા ગાતા દીપી રહ્યાં છે. જિનાલયો કે જેમાં હીરાપન્ના સુવર્ણ, રૌપ્ય અને ધાતુની આહ્લાદક પ્રતિમાજીઓ દર્શનીય છે.આ જિનાલયોમાં સમગ્ર ભારત વર્ષમાથી તેમજ વિદેશથી જૈન યાત્રાળુઓ આવે છે. ખંભાત પ્રાચીનકાળથી જ ગુજરાતના મહત્વના શહેર તરીકે નામના મળી છે. અને એની પાછળનું કારણ છે અહીંયાનો અખાત અને બંદર. ખંભાતનું જે બંદર છે તે પ્રાચીન જાહોજહાલીનું સુચક છે. માટે જ અહીંયા આવતા વિદેશપ્રવાસીઓ ખંભાતની સમૃધ્ધિના વખાણ ખુબ જ કરે છે.
ખંભાત જૈનપૂરી અને યાત્રાનું ધામ હોવાથી લગભગ બધા જ ગચ્છના આચાર્યોએ ખંભાતને પાવન કરેલું છે.
વર્ષોથી ખંભાત નગર જૈનોની જાત્રાનું સ્થાન ગણાતું આવ્યું છે.. ગુજરાતના મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યની અપ્રયત્યન્સ અને જુની ગુજરાતી સાહિત્યની અપૂર્ણ સેવા બજાવી છે. ખંભાતના જિનાલયોમાં ૧૫૦૦ જેટલી (અંદાજે) અતિપ્રાચીન કિંમતી મૂર્તિઓ આવેલી છે. આ પ્રાચીન મૂર્તિઓના દર્શન આજે પણ સૌકોઇના હૈયા ઠારે છે.
આ જૈન દેરાસરો બાંધવા માટે દૂરદૂરના સ્થળોએથી પથ્થરો લાવવામાં આવ્યા હતા. પૂર્વકાળમાં જૈનાચાર્યો કેવી ઢબથી વ્યાખ્યાન કરતાં હતા તે આબેહુબ કોતરેલી મૂર્તિઓમાં જોવા મળે છે. ખંભાત પણ પ્રાચીન તાડપત્રીય ગ્રંથભંડારોનો અમૂલ્ય વારસો છે. જે ગ્રંથોની પ્રતો અન્ય સ્થળે ન હોય તે ખંભાતમાંથી મળે છે. ખંભાત જૈન દેવાલયો અને તેની સંસ્કૃતિનો અમર વારસો મળેલ છે.

સાહિત્યકાર શૈલેષ રાઠોડ:-
આધુનિક સમયમાં સાહિત્યકાર શૈલેષ રાઠોડ અનેક ક્ષેત્રોમાં સેવારત રહી યોગદાન આપી રહેલ છે.તેમનો જન્મ ૧ જુન ૧૯૭૨ માં થયો હતો.૧૯૯૨ થી તેઓ ખંભાતમાં શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે સેવાઓ બજાવે છે.તેમના પુસ્તકોની ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રકાહિત થયા છે.વા વયે લોકજાગૃતિ અને યુવા પ્રવૃતિઓ બદલ ભારત સરકાર,નવી દિલ્હીના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા “શ્રેષ્ઠ યુવા કાર્યકારનો” રાષ્ટ્રીય પરિતોષિક યેનાયત કરાયો હતો.  ભારત સરકારના સાયન્સ વિભાગ દ્વારા “હાઈ ટેક ટાઉન” કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ કૃતિ તરીકે પસંદ કરી સન્માન કરાયું હતું.  કેથોલિક સમાજ દ્વારા “સ્વ.ઉરૈયા પત્રકારત્વ પરિતોષિક” એનાયત કરાયેલ  કાલુપુર કોમર્શિયલ બેન્ક દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક” નો એવોર્ડ અર્પણ કરાયો હતો.  મૂક બધિર વિદ્યાલય, નડિયાદ દ્વારા “યુવા ગૌરવ” પુરસ્કાર  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉત્તમ સેવા પ્રવૃતિ બદલ સન્માન  તેઓના ઇનોવેશન, સામાજિક પ્રવૃતિઓ, લેખન કાર્યોને બિરદાવી શિક્ષણ વિભાગે વર્ષ 2018 ના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીના વીએઆરડી ના વરદ હસ્તે એનાયત કરેલ છે.તેમણે ગુજરાતી સાહિત્યમાં ૫૬ જેટલા પુસ્તકોની ભેટ આપી છે.તેમનું સૌથી પ્રસિદ્ધ બનેલ પુસ્તક ‘આત્માનું સૌંદર્ય”મહત્તમ ગુજરાતી પરિવારો માટે પ્રેરણારૂપ બનેલ છે.40 હજારથી વધુ નકલો તેની વેચાઈ ચૂકી છે.તેમના પ્રસિદ્ધ પુસ્તકો માં 1 પરખ કાવ્યસંગ્રહ ૧૯૯૨ 2 કોમ્પ્યુટરના સાનિધ્યમાં શૈક્ષણિક ૧૯૯૪ 3 હૈયાની વેદના વાર્તા સંગ્રહ ૧૯૯૫ 4 અપરાધચક્ર નવલકથા ૧૯૯૬ 5 અંગ્રેજી ગ્રામર શૈક્ષણિક ૧૯૯૮ 6 રાતરાણીનું ધાર્યું થાય નવલિકા સંગ્રહ ૨૦૦૧ 7 આત્માનું સૌંદર્ય ચિંતનાત્મક ૨૦૦૫ 8 પ્રેરણા સ્પર્શ ચિંતનાત્મક ૨૦૦૮ 9 અભ્યાસ કરવાની પદ્ધતિ શૈક્ષણિક ૨૦૧૦ 10 આર્યુવેદ એક ઉત્તમ ઉપચાર આર્યુવેદિક ૨૦૧૨ 11 તંદુરસ્તી તમારા હાથોમાં આર્યુવેદ ૨૦૧૪ 12 યશ!આઈ.એમ.ડીફરન્સ ચિંતનાત્મક ૨૦૧૬ 13 પ્રેરણાત્મક વાર્તાઓ ચિંતનાત્મક ૨૦૧૭ 14 જો પાછા હસ્યા હાસ્ય ૨૦૧૭ 15 ક્ષણનુ સરનામું ચિંતનાત્મક ૨૦૧૮ 16 શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ છે.

ખંભાત ના જૈન દેરાસરો ની એતિહાસિક વાતો આવતા લેખ મા લેશું
ખંભાતના 73 જીનાલયો ની યાદી
(1) શ્રી મહાવીર સ્વામી -ગીમટી
(2) શ્રી સુમતિનાથ સ્વામી -ચોળાવાડો
(3) શ્રી ચોમુખજી મંદિર -બજાર
(4) શ્રી ચિતામણી પાશ્વૅનાથ -બજાર
(5) શ્રી આદીનાથજી – બજાર
(6) શ્રી કુંથનાથજી -દંતારવાડો
(7) શ્રી શાંતિનાથજી -દંતારવાડો
(😎 શ્રી શાંતિનાથજી -પૂણ્યશાળીની ખડકી
(9) શ્રી શાંતિનાથજી – ઉંડીપોળ
(10)શ્રી વાસુપૂજય સ્વામી-શેરડીની પોળ
(11) શ્રી પાશ્વૅનાથજી -જીરાળાપાડો
(12) શ્રી શીતળનાજી-કુમારવાડો
(13) શ્રી કુંથુનાથજી -માંડવીની પોળ
(14) શ્રી આદિનાથજી -માંડવીની પોળ
(15) શ્રી શાંતિનાથજી -ઓળીપાડો
(16) શ્રી સુમતિનાથજી -કડાકોટડી
(17) શ્રી પદમપ્રભુજી – કડાકોટડી
(18) શ્રી અરનાથજી – જીરાળાપાડો
(19) શ્રી મનોહન પાશ્વૅનાથજી – જીરાળાપાડો
(20) શ્રી અમિઝરા પાશ્વૅનાથજી – જીરાળાપાડો
(21) શ્રી નેમીનાથજી (ભોંયરામાં) -જીરાળાપાડો
(22) શ્રી ચિતાંમણી પાશ્વૅનાથજી -જીરાળાપાડો
(23) શ્રી પાશ્વૅનાથજી -દલાલનીખડકી
(24) શ્રી સોમચિંતામણી પાશ્વૅનાથજી – સંધવી ની પોળ
(25) શ્રી વિમળનાથજી -સંધવી ની પોળ
(26) શ્રી અભિનંદન સ્વામી – બોળપીપળો
(27) શ્રી નવપલ્વ પાશ્વૅનાથજી -બોળપીપળો
(28) શ્રી મુનિસુવ્રત સ્વામી -બોળપીપળો
(29) શ્રી સભવનાથજી – બોળપીપળો
(30) શ્રી વિજય ચિતામણી પાશ્વૅનાથજી – વાધમાસીની ખડકી
(31) શ્રી સંભવનાથજી -વાધમાસીની ખડકી
(32) શ્રી વિમળનાથજી – ઝવેરીની ખડકી
(33) શ્રી શાંતિનાથજી -ખારવાડો
(34) શ્રી મુનિસુવ્રત સ્વામી (કાંચનું મંદિર) – ખારવાડો
(35) શ્રી મહાવીર સ્વીમી – ખારવાડો
(36) શ્રી કંસારી પ્રાશ્વૅનાથજી -ખારવાડો
(37) શ્રી અનંતનાથજી – ખારવાડો
(38) શ્રી સ્થંભણ પાર્શ્વનાથજી – ખારવાડો
(39) શ્રી સીમંધર સ્વામી – ખારવાડો
(40) શ્રી સુખસાગર પાર્શ્વનાથજી – ખારવાડો
(41) શ્રી સુમતિનાથજી – ટેકરી
(42) શ્રી શાંતિનાથજી – ચોકસીની પોળ
(43) શ્રી મનમોહન પાર્શ્વનાથજી – ચોકસીની પોળ
(44) શ્રી શ્રેયાંસનાથજી – ચોકસીની પોળ
(45) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી – ચોકસીની પોળ
(46) શ્રી મહાવીર સ્વામી ( શ્રી ગૌતમ સ્વામી ) – ચોકસીની પોળ
(47) શ્રી વિમલનાથજી – ચોકસીની પોળ
(48) શ્રી વાસુપૂજય સ્વામી – નાગરવાડો
(49) શ્રી મુનિસુવ્રત સ્વામી – અલીંગ
(50) શ્રી અભિનંદન સ્વામી – લાડવાડો
(51) શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથજી – માણેકચોક
(52) શ્રી ધર્મનાથજી – માણેકચોક
(53) શ્રી મહાવીર સ્વામી – માણેકચોક
(54) શ્રી મોટા આદિશ્વરજી ( ભોંયરામાં ) – માણેકચોક
(55) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી – માણેકચોક
(56) શ્રી વાસુપૂજય સ્વામી – માણેકચોક
(57) શ્રી શાંતિનાથજી – માણેકચોક
(58) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી – માણેકચોક
(59) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી – માણેકચોક
(60) શ્રી આદિશ્વરજી – માણેકચોક
(61) શ્રી નવખંડા પાર્શ્વનાથજી – ભોંયરાપાડો
(62) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી – ભોંયરાપાડો
(63) શ્રી મલ્લિનાથજી – ભોંયરાપાડો
(64) શ્રી શાંતિનાથજી – ભોંયરાપાડો
(65) શ્રી નેમિનાથજી – ભોંયરાપાડો
(66) શ્રી શાંતિનાથજી – ભોંયરાપાડો
(67) શ્રી મહાવીર સ્વામી ( રીક્ષામાં જવાય ) – દહેવાણ નગર
(68) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ( રીક્ષામાં જવાય ) – શકરપુર ( 3 કિ. મી.)
(69) શ્રી સીમંધર સ્વામી ( રીક્ષામાં જવાય ) – શકરપુર ( 3 કિ. મી.)
(70) શ્રી ગોડી પાર્શ્વનાથજી ( રીક્ષામાં જવાય ) – રાલેજ ( 7 કિ. મી.)
(71) ચંદ્રપ્રભ સ્વામી – લોંકાપરી
(72) શ્રી આદિશ્વર ભગવાન ( રીક્ષામાં જવાય ) 3 કિ. મી.
(73) શ્રી જીરાવલા પાર્શ્વનાથ ( સ્ફટીક રત્નના ) – ઝવેરીની ખડકી
૧૦૮ પાર્શ્વનાથ પરમાત્મામાં ગણતરી થાય છે.*
૧) શ્રી સ્થભણ પાર્શ્વનાથ – ખારવાડો
૨) શ્રી ભુવન પાર્શ્વનાથ – ભોંયરાપાડો (નવખંડા)
3) શ્રી સુખ સાગર પાર્શ્વનાથ – ખારવાડો
૪) શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ – સંઘવીની પોળ
૫) શ્રી કંસારી પાર્શ્વનાથ – ખારવાડો તથા
૬) શ્રીરત્ન ચિંતામણિ પાર્શ્વનાથ – માણેકચોક
ખંભાત ની પંચતીથી
ખંભાત થી વડવા – 3
ખંભાત થી શકરપુર – 3
ખંભાત થી રાલજ – ૭
ખંભાત થી વત્રા – ૧૦
ખંભાત થી વટાદરા – ૧૭

અકીક અને ઐતિહાસિક વારસા માટે જાણીતું ખંભાત


ખંભાત બસ સ્ટેશન તસ્વીર:શૈલેષ રાઠોડ

શહેરની આસપાસ નેચરલ અને હિસ્ટોરીકલ ટ્રાવેલ ડેસ્ટિનેશન આવેલા છે.ખંભાત વિશ્વમાં અકીક અને તેના ઐતિહાસિક વારસાના કારણે જાણીતુ છે.ખંભાત વિશે સૌ કોઇ જાણતા હશે પરંતુ જો તેના વિશેની માહિતી આપવી હોય તો ખંભાતને ઐતિહાસિક અને અનોખું શહેર કહી શકાય.વડોદરાની પશ્વિમ દિશામાં 74 કિલૉમીટર દૂર આવેલુ ખંભાત નેશનલ હાઇવે પર બોરસદ ધુવારણ હાઇવે પર આવેલું છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

ખંભાતનો ઇતિહાસ ચકાસો તો જાણવા મળે કે શહેર 17મી સદી સુધી દેશનું સૌથી વધુ ઘનાઢ્ય શહેરોમાંનું એક હતુ અને ધમધમતુ પ્રસિદ્ધ બંદર હતુ.અખાત માટે જાણીતું ખંભાત એક જમાનામાં સિલ્કના ઉત્પાદન માટે ખૂબજ પ્રખ્યતા હતુ અને સમગ્ર વિશ્વમાં ખંભાતનું સિલ્ક એક્સપૉર્ટ થતુ હતુ.વર્તમાન સમયમાં સિલ્ક ઉત્પાદનના સ્થાને ખંભાત તેના કલાત્મક સ્ટૉન કાર્વિંગ માટે જાણીતું છે. અકીકના પથ્થરોથી તૈયાર થતા ઘરેણા દેશ અને દુનિયામાં એક્સપૉર્ટ થાય છે જેમાં યુરોપ અને ચાઇના અગ્રેસર છે. દરેક શહેરની સ્થાનિક વિશેષતાઓ હોય છે જે ત્યા રહેતા લોકો અથવા તેના ઇતિહાસ સાથે જોડાયેલી હોય છે.

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ( Russian President Vladimir Putin) ગુજરાતના ખંભાતમાં તૈયાર કરેલ અકીકના બાઉલની ભેટ (PM Modi gives Gujarat based gift ) આપી હતી. બાઉલ બને તેવો મોટો પત્થર મળવો જ મુશ્કેલ છે. જો મળે તો તેમાંથી બાઉલ બનાવવું મુશ્કેલ છે. કારણ કે આ પત્થર ખુબ જ બટકણો હોય છે તેથી તેમાંથી બાઉલ બનાવવામાં ખુબ જ કાળજી રાખવી પડતી હોય છે. તેવામાં આ બાઉલની માંગ સમગ્ર વિશ્વમાં છે. આ બાઉલ વિશ્વનાં ટોચનાં લોકોના રસોડામાં પણ અલભ્ય છે. ત્યારે વડાપ્રધાને ખંભાતના અકીકનું પ્રખ્યાત બાઉલ રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપી હતી.

ખંભાતના અકીક વિક્રેતા ખુશમન પટેલે જણાવ્યું હતું કે, ઇ.સ. ૧૨૦૦ આસપાસથી ખંભાતમાં કલાત્મક આભુષણ બનવવામાં આવે છે.અહીં 5 હજારથી વધુ અકીકના કારીગરો કાર્યરત છે.ભેટમાં આપેલ  બાઉલની સમગ્ર વિશ્વમાં ખુબ જ માંગ છે. અકીકના ઘરેણા અને અકીકમાંથી બનેલી વસ્તુઓની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. આ બાઉલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ સાંધો નથી. પત્થરને કોતરીને આ બાઉલ બનાવવામાં આવ્યા છે.

ખંભાતની લોકલ વિશેષતાની વાત કરીએ તો તેમાં ફૂડ આઇટમ્સનો સમાવેશ થાય છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

ખંભાતનુ હલવાસ’ અને સુતરફેણી’ ફૂડ આઇટમ્સમાં ઘણી જાણીતી છે. ફૂડ આઇટ્સ સિવાય ખંભાતના પતંગ પણ ખૂબજ ફેમશ છે. ક્વૉલિટી માટે જાણીતા ખંભાતના પતંગો પતંગપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. ખંભાતના ઑલ્ડ સિટી વિસ્તારની લટારે નિકળો તો જૂના પુરાણા બિલ્ડીંગ્સ આજે પણ જોવા મળશે પરંતુ તેની ખાસ જાળવણી કે રિસ્ટોરેશન નથી થયુ પરંતુ ઇમારતો જોતા માલુમ થઇ જશે કે ખંભાતએ ઐતિહાસિક શહેર છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

2001મા ખંભાતના દરીયા કિનારાથી 20 કિલૉમીટર દૂર એનશિયન્ટ અંડર વૉટર સિટી શોધાયું હતુ. ખંભાતમાં ડીપ સીડાઇવીંગ જેવી સુવિધાઓ વિકસી નથી.ખંભાત જવાના માર્ગે ધુવારણ રોકાઇ શકાય છે અને નજીકમાં આવેલ પાવર પ્લાન્ટની મૂલાકાત કરી શકાય છે. અખાતના શહેરના જાણવા માટે જોવા માટે એક દિવસ પુરતો છે અને ખંભાતની મૂલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય વિન્ટર છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

17મી સદી સુધી દેશનું સૌથી વધુ ઘનાઢ્ય શહેરોમાંનું એક અને ધમધમતુ બંદર હતું.

:શૈલેષ રાઠોડ

અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni “સંમેલનની આનંદપૂર્વક ઉજવણી ન્યુજર્સીમાં એસ.પી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અદ્ભૂત સંમેલન.


અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni ”

  અમેરિકામાં વસતા એસ.પી યુનિ.ભૂતપૂર્વ વિધાર્થીઓ કરે છે વર્તમાન વિધાર્થીની ચિંતા;ફંડ એકઠું કરી નિયમિત કરશે સહાય
અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni “સંમેલનની આનંદપૂર્વક ઉજવણી  
ન્યુજર્સીમાં એસ.પી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અદ્ભૂત સંમેલન.
  અમેરિકામાં વસતા એસ.પી યુનિ.ભૂતપૂર્વ વિધાર્થીઓએ ભારતમાં વસતા  વર્તમાન વિધાર્થીઓની ચિંતા કરી ફંડ એકઠું કરે છે. આ માટે આયોજિત ન્યુજર્સીના એડિશન સ્થિત રોયલ ગ્રાન્ડ મેનોર ખાતેના કાર્યક્રમમાં  સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ. શિરીષ કુલકર્ણી , સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડા, અશોકભાઈ પટેલ સહિતના અગ્રણીઓ  તેમજ ગુજરાતની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-અગ્નારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે એસ.પી.યુ. ‘એલ્યુમની”અમેરિકાના પ્રમુખ અલય  પટેલે જણાવ્યું હતું કે,અમેરિકામાં વસતા સરદાર પટેલ યુનિ. ભૂતપૂર્વ વિધાર્થીઓની સંસ્થાને સરદાર પટેલ યુનિ.એ પોતાના ઠરાવ ન.25 માં સ્થાન આપ્યું છે.ઉપરાંત શિષ્ય વૃત્તિનું પણ આયોજન અને જાહેરાત કરેલ છે.અહી સંમેલનની ૧૭મી વાર્ષિક ઉજવણી કરાઈ છે.વિદેશની ધરતી પર યોજાયેલ સ્નેહમિલનમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ-સભ્યો એકત્ર થયા હતા.આ દરેક ચરોતરના વિધાર્થીઓ માટે આર્થિક સહયોગ આપે છે.
આ સંમેલન દરમ્યાન મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ. શિરીષ કુલકર્ણીએ સંબોધનમાં શિક્ષણ માટે શિષ્યવૃત્તિની પ્રવૃત્તિને બિરદાવી હતી.કાર્યકરોની ધગશ, ઉત્સાહ અને શિક્ષણ સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત યુનિવર્સીટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય તે સંદર્ભે વિસ્તારથી દિશાસૂચન કર્યું હતું.

ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડાએ હાસ્યરસ સાથે સૌને પ્રેરણા મળે તેવા બળનું સિંચન કર્યું હતું.તેમજ સ્વ.પૂજય ભક્તિબા અને સ્વ.ગોપાલભાઈ દેસાઈના સુપુત્ર ડૉ. બારીન્દ્રભાઈ દેસાઇનું સન્માન કરાયું હતું.સમારંભના વરિષ્ઠ મહેમાન અશોકભાઈ પટેલના પ્રેરણાદાયી પ્રવચને રંગ રાખ્યો હતો.મૂળ ચાંગાના વતની અને ડેવલોપર અશોકભાઈને ડૉ. અબ્દુલ કલા મે વિશિષ્ટ ભૂતપૂર્વનું એવોર્ડ આપ્યો હતો.ભૂતપૂર્વ કુલપતિ આર.ડી. પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે સમારંભમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલે તેઓના કાર્યની વિસ્તારથી માહિતી આપી હતી.મુખ્ય કાર્યક્રમ પૂર્વે બે સેમિનારે કુ.દુલારી અમીને નવા સાહસની સંપૂર્ણ માહિતી આપી..  ભૂતપૂર્વ વિધાર્થીઓમાં  અમેરિકાની ટિમસી.ઝેડ પટેલ,ડી ડી પટેલ,હર્ષદ પટેલ,રતિભાઈ પટેલ,ભારત પટેલ,મહેન્દ્ર પટેલ,ધર્મેશ પટેલ,ચીનુભાઈ જાની ,અલાય પટેલ,જતીન પટેલ,કમલેશ પટેલ,પિયુષ પટેલ,રૂપ પટેલ,રશ્મિ પટેલ,મિલેશ પટેલ,સચિન પટેલ,પ્રકાશ પટેલ,હિના પટેલ,કમલેશ પટેલ,રિના પટેલ,હસમુખ પટેલ અને હરિભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. 

અભાવગ્રસ્ત ગામો સુધી પહોચ્યો “વિશ્વ પર્યાવરણ દિવસ”


ખંભાત-તારાપુરના અભાવગ્રસ્ત ગામો સુધી પહોચ્યો “વિશ્વ પર્યાવરણ દિવસ”

-શૈલેશ રાઠોડ

ખંભાત તાલુકાના ગોલાણા અને ઇન્દ્રણજમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
ખંભાત તારાપુર તાલુકાના છેવાડાના અને પાણીની અછત ધરાવતા ગામોમાં શિક્ષણ અને પર્યાવરણ સંબધે જાગૃતતા આવી છે.જ્યાં ખરેખર પર્યાવરણ ની માવજત જરૂર છે તેવા વિસ્તારો સુધી પર્યાવરણ દિનની ઉજવણી પહોચી છે.પર્યાવરણ દિવસના ઉપક્રમે ખંભાત તારાપુર તાલુકાના ગોલાણા તેમજ ઇન્દ્રણજ ખાતે મહિલાઓએ વિશેષ રસ દાખવી અનોખી રીતે ટુકડીઓ બનાવી વૃક્ષનો મહિમા સમજી-વૃક્ષ રોપી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.આ પસંગે આર.એફ.ઓ ઝાલા,હિંમતભાઈ ચૌહાણ,રમેશભાઈ ચૌહાણ સહતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાલ પંથકમાં કાર્યરત પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે ગોલાણા અને ઇન્દ્રણજમાં લોકજાગૃતિ કાર્યક્રમ યોજી દીવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મહિલાઓના વિવધ જૂથોએ વૃક્ષો રોપી તેના ઉછેરની જવાબદારી સ્વીકારી હતી.દરેક પરિવારે પોતાના ઘરે વૃક્ષ રોપી દિવસનો મહિમા સાર્થક કર્યો હતો.
આ પ્રસંગે પોચાભાઈ ફાઉન્ડેશનના ડાયરેક્ટર હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે-ભાલ પંથક ઉનાળામાં સુક્કો ભઠ્ઠ બને છે તેનું કારણ વૃક્ષોનો અભાવ છે.પ્રકૃતિની સુંદરતાને છેડશો તો જીવન સમાપ્ત થઈ જશે.
વિશ્વ પર્યાવરણ દિન”-Environment Day જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “”વિશ્વ પર્યાવરણ દિન ” તરીકે ઉજવાય છે . ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા આ દિવસ ઊજવવા માર્ગદર્શન આપાઈ છે.
બહેનોએ આંબેડકર ભવન,તેમજ ફળિયાની આસપાસ અને દરેક ઘરે વૃક્ષોની રોપણી કરી હતી.આ કાર્યક્રમમાં વન વિભાગ કચેરી ખંભાત-તારપુરે સહયોગ આપ્યો હતો અને વન વિભાગના ફોરેસ્ટ ઓફિસરોએ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું.

ચાલો દિલથી નવું વર્ષ ઉજવીએ


giving-tuesday-charity

શૈલેષ રાઠોડ

મને લાગે છે કે
વર્ષ ૨૦૧૮ માં પ્રથમ દિવસથી જ
-આપણે કોઈ રાજનૈતિક પક્ષના ગુલામ નહિ હોઈએ પણ માનવીય મુલ્યોના ગુલામ હોઈશું.
-આપણે ટીવી,મીડિયા કે કોઈ નેતા કે કટ્ટરવાદીની વિચારસરણીના ગુલામ નહિ પણ પોતીકા આત્મજ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાનના ગુલામ બનીશું.
-હું ઘેંટાઓના ટોળામાં ભળી અભિમાન કરવાની જગ્યાએ પ્રેમ,દયા,ક્ષમાનું અભિમાન કરી ઉપયોગી બનીશ.
આપણે ટીવી-મીડિયા-રાજકરણની આંટીઘૂંટીમાં એવા તે અટવાઈ ગયા છે કે-આપણે જીવનની વાસ્તવિકતા જ ભૂલી ગયા છીએ.

સમયની સાથે માણસ ઊગવો અને ખીલવો જોઇએ. ઉદાસી અને અણગમાને ખંખેરી નાખો.
નવું વર્ષ નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે શરુ કરો.
નવું વર્ષ એટલે, પોતાની જાતને નવી રીતે ઘડવાનો ઉત્સવ! સંબંધોમાં સ્નેહની રંગોળી પૂરીને આપણું અને સ્વજનોનું જીવન રંગીન બનાવવાનો અવસર.
આપણને વોટ્સઅપ-ફેસબુક સહિતના માધ્યમોએ વિચલિત કરતા મેસેજ અને ચિત્રોએ આપણા મનની અંદર ધર્મ,જ્ઞાતિ અને તિરસ્કારની દીવાલ ચણી લીધી છે.અને એટલે આપણે ભૂલી ગયા છે”આપણને અંદરથી જીવતા રાખતો આપવાનો આનંદ.’પ્રેમ,દયા,માનવતા,ક્ષમા જેવા મુલ્યો વિસરાઈ રહ્યા છે.આપણે માત્ર મેળવવાની ઘેલછામાં અને ફરિયાદ કરવાની કુટેવમાં જ જીવન ખર્ચી નાંખીએ છીએ.
મિત્રો,’ઘટનાઓ,તહેવારો અને સંજોગો…જીવનને સમજી વહેતું રાખવા માટે હોઈ છે.
ધર્મ સત્યને વહેવડાવવા માટે હોઈ છે.

સંબધ અને સંપર્કને પુનઃ જીવિત કરી પ્રેર્મના માર્ગે ચાલવાની મઝા અનોખી હોય છે.
 મારો ધર્મ એટલે મારું મુલ્યવાન જીવન.દિવાળી,ઈદ કે નાતાલ….જો કોઈના હૈયામાં આનંદની જ્યોત પ્રગટાવો તો..તહેવારની ઉજવણી સાર્થક ગણાશે.

મહાન તત્વજ્ઞાની હેરાક્લિટસે કહ્યું છે કે જીવનમાં પરિવર્તન અે અવિરત પ્રક્રિયા છે.અાપણા જીવનમાં પરિવર્તનની શા માટે જરૂર છે? જીવનમાં સ્ફૂર્તિદાયક નાવીન્ય લાવવા માટે તે અનિવાર્ય છે. તેનાથી પ્રેરણા પણ મળે છે.નવા આદર્શ વિચારો સાથે પરિવર્તન આણો.
બીજાને આપવાનો આનંદ માણો! “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”
સુખ-સમૃદ્ધિમાં રહેતા લોકો સમાજના બીજા વર્ગોની જિંદગી બહેતર બનાવવા માટે પોતાની સંપત્તિ, સમય, જ્ઞાન કે કલા-કૌશલ્યનો ઉપયોગ કરે અને એમ કરવામાં તેઓ જે આનંદ અનુભવે છે એને ‘જૉય ઑફ ગિવિંગ’ કહેવાય છે.

નવું વર્ષ સમાજમાં એકતા, શાંતિ, સમૃધ્ધિ અને સુખ લાવીને દરેકના ચહેરા પર સ્મિત કાયમ રાખે તેવી અભ્યર્થના. “મેરી ક્રિસમસ””હેપ્પી ન્યુ ઈયર”
-શૈલેશ રાઠોડ

વિધાર્થી કેવો હોવો જોઈએ?


shailesh rathod

વિદ્યાર્થી કેવો હોવો જોઇએ તે દરેક જીજ્ઞાસુ એ જાણવું જોઈએ. વિધ્યાધ્યન એક તપસ્યા છે; વિદ્યાર્થી એક તપસ્વી છે. વિદ્યાર્થી ના લક્ષણો વિશે આપણા પ્રાચીન ગ્રંથો માં બહુ કહ્યુ છે. હું આપને એ અસીમ ના સાર માં લઈ જવા ઈચ્છીશ. આ અસીમ નો નિચોડ એવા એક પ્રાચીન સુભાષિત અત્રે રજૂ કરી રહ્યો છું. જે દરેક ને સમાન લાગુ પડે છે.

।।कागचेष्टा श्वाननिद्रा बकःध्यानम्  अल्पाहारी गृहत्यागी;
पंचःविध्यार्थयम्  लक्षणम् ।।

1] કાગ્ચેષ્ટા (कागचेष्टा )
અર્થાત કાગડા જેવી ચેષ્ટા.


જે રીતે કાગડો પોતાને જોઈતી ચિજ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શાંતિ થી બેસતો નથી. અંતતોગત્વા તે પોતાને જોઈતી ચિજ મેળવી ને જ રહે છે.
તેવી જ રીતે વિદ્યાર્થી પણ પોતાને જે ટોપિક સમજણ ના પડે ત્યાં સુધી સતત મથતો રહેવો જોઈએ. આ થઈ કાગચેષ્ટા.

2.શ્વાન નિંદ્રા (श्वाननिद्रा)
 શ્વાન એટલે કૂતરું.
અહી વિદ્યાર્થી ને કુતરા જેવી ઊંઘ કરવા કહ્યુ છે.
જે રીતે કુતરું સૂતું હોય અને જરા પણ અવાજ થતાં તે તરત જ જાગી જાય છે, તેવી જ રીતે વિદ્યાર્થી પણ સતત જાગતો રહે તે જરૂરી છે. અહી જાગવા થી એ અર્થ છે કે સતત તૈયારી રાખવી જેથી કોઈ પણ સમયે કસોટી માટે તૈયાર રહે.
આ થઈ શ્વાનનિદ્રા ની વાત.

3]બક ધ્યાનમ(बकःध्यानम्)
બકઃ એટલે બગલો.
જે રીતે સવાર ના સુંદર સમયે શાંત સરોવર કાંઠે પોતાની ક્ષુદ્ધા ને સંતોષવા બગલો એક પગે ઊભો રહી ને તપસ્યા કરતો હોય છે પરંતુ તેની તપસ્યા નું વાસ્તવિક કારણ સૂર્યોપાસના નહી પણ મછલી પકડવું છે.
તે જ રીતે વિદ્યાર્થી પણ અનેક સાંસારિક પ્રવૃત્તિઓ માં લિપાયેલ હોવા છતાં પોતાના એક માત્ર લક્ષ્ય અભ્યાસ તરફ ધ્યાન રાખતો  હોવો જોઈએ.
આ રીતે વિધાર્થી નું ધ્યાન બગલા જેવું હોવુ જોઈએ.

4]અલ્પાહારી (अल्पाहारी)
અલ્પાહારી એટલે શરીરને અનુકુળ આવે તેવું અને ઓછું ખાનાર.
વિજ્ઞાન અને શાસ્ત્રો કહે છે કે-વિધાર્થીનો આહાર અલ્પ હોવો જોઈએ.
અહી આપણે આહાર ને બે અર્થમાં લઈ શકીએ:
1) ખાધ્ય પદાર્થ
અને
2)વિધ્યા સામગ્રી

1) ખાધ્ય પદાર્થ
– વિધાર્થી નો ખોરાક સામાન્ય અને સુપાચ્ય હોવો જોઈએ.આજના ફાસ્ટ યુગમાં વિધાર્થીઓએ ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોઈએ.જેથી તેનું શરીર સ્વસ્થ અને સ્ફુર્તીયુક્ત રહે. તેને અભ્યાસ માં આળસ નડે નહિ.

2)વિધ્યા સામગ્રી
– વિદ્યાર્થી એ દરરોજ થોડું થોડું જ ભણવું જોઈએ.વ્નાચવા બેસો ત્યારે સમયાન્તરે બ્રેક-વિરામ લેવો જોઈએ.જેથી તે જે તે મુદ્દાઓ સારી રીતે સમજી શકે.
એક સાથે ઘણા બધા મુદ્દાઓ ન શિખવા જોઈએ.આમ અલ્પાહાર વિદ્યાર્થી ને સાતત્યતા જાળવવા મદદ રૂપ થાય છે. જેથી તે લાંબા સમય માટે યાદ રાખવા ની ક્ષમતા મેળવે છે.

આમ અલ્પાહાર પણ વિદ્યાર્થી માટે અત્યંતજરૂરી છે…..

5] ગૃહત્યાગી (गृहत्यागी)
ગૃહ એટલે ઘર…ત્યાગી એટલે છોડનાર…જેનો અર્થ એવો થાય છે કે,ઘરની મોહમાયાથી દૂર રહી શિક્ષણમાં જ ધ્યાન આપવું.જરૂર પડે ઉચ્ચ શિક્ષણ માટે ઘર છોડવું પડે અથવા દુર જવું પડે તો પ્રેમપૂર્વક આનંદથી જવું.
અહી સંન્યાસ લેવાનું નથી કહ્યું પરંતુ ઘરમાં રહી ને પણ ઘર કુંટૂબ ના પ્રપંચો થી દુર રહેવા સુચવ્યું છે.
જેથી વિદ્યાર્થી એકાગ્રતા સાથે વિધ્યાધ્યન કરી શકે.

World AIDS Day 2020 : જાણો, કેમ થાય છે એઇડ્સ? લક્ષણ


આ કારણથી થાય છે એઇડ્સ

– અનસેફ સેક્સ (કોન્ડોમ વગર) કરવાથી. 

– સંક્રમિત લોહી ચઢાવવાથી. 

– HIV પૉઝિટિવ મહિલાઓના બાળકોમાં. 

– એકવાર ઉપયોગમાં લેવામાં આવતી સોયનો બીજીવાર ઉપયોગ કરવાથી. 

– ઇન્ફેક્ટેડ બ્લેડ યૂઝ કરવાથી. 

એચઆઇવીના લક્ષણ? (HIV/AIDS Symptoms)

– તાવ

– પરસેવો થવો

– ઠંડી લાગવી

– થાક

– ભૂખ ઓછી લાગવી

– વજન ઘટવું

– ઉલ્ટી થવી

– ગળામાં ખારાશ થવી

– દસ્ત થવો

– ખાંસી આવવી

– શ્વાસ લેવામાં તકલીફ પડવી

– શરીર પર લાલ ચકમા પડવા

– સ્કીન પ્રોબ્લેમ

મહિલાદિન:દિવ્યા પરમાર:સિદ્ધિનો સંઘર્ષ:જલેબીનો કમાલ


-શૈલેષ રાઠોડ

દિવ્યા પરમાર:ગુજરાતનું ગૌરવ
જન્મ સમયે દીકરીને જલેબી આકારે જોયા પછી તેની મીઠાસને સમજનાર શ્રમજીવી પરિવારે દીકરીને પાંખો આપી.માછલીના શરીરમાં કાંટા અને માણસ-પ્રાણીઓના શરીરમાં હાડકા હોય છે,પણ આ તે કેવુ શરીર? જેમાં હાડકા જ નથી.95% શરીર રબરબેન્ડની જેમ ફ્લેક્ષીબલ હોવાને કારણે જાણે પાંખો ફફડાવતી એ દીકરી આર્જેન્ટિના ઉડાન ભરી ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશિપમાં ભારતને ૨૦૦૫માં ગોલ્ડ મેડલ અપાવીને યોગ ક્ષેત્રે વૈશ્વિક નામના અપાવી.યોગની સિદ્ધિએ તેને અનેક આર્થિક કસરતો કરાવી પણ હવે તે યોગને જિમ્નેશિયમ જોડી પોતાની દીકરી તક્ષ્વી ને જિમ્નેશિયમ ની ખેલાડી બનાવવા ઉડાન ભરી રહી છે.

“દીકરી જન્મે એટલે જલેબી અને દીકરો જન્મે એટલે પેંડા…..”એ પ્રથા અમારા ઘરમાં તો નથી જ.અમે તો દીકરી જન્મે તો પણ પેંડા જ વહેચ્યા.”આવા શબ્દો સમાજમાં ઠેક ઠેકાણે ભલે સંભળાય,છતાંપણ આપણે સ્ત્રી સશક્તિકરણ,૩૩ ટકા અનામત,સ્ત્રી શોષણ-અત્યાચાર કાનુનના કડક અમલીકરણના આગ્રહ વચ્ચે મહિલા દિન ઉજવી સ્ત્રી સન્માન માટે સતત પ્રવૃતિશીલ છે.ગળા ઉપર છરી કે એસીડ એટેક જેવી ઘટનાઓ અને પા..પા પગલી ભરતી દીકરીની બળાત્કાર બાદ નિર્મમ હત્યા શું સૂચવે છે?મહિલા દિનની ઉજવણી માત્ર સભાઓમાં વ્યાખ્યાન પુરતી માર્યાદિત બની ગઈ છે.દીકરીની આંતર શક્તિ ખીલવવાની કવાયત જે દિવસે પરિવાર અને સમાજ હાથ ધરશે તે દિવસે મહિલા દિન નહિ પણ મહિલા ગૌરવ દિન ઉજવવો પડશે.

કોઈ દીકરીનો જન્મ થાય અને તે જલેબીની જેમ ગૂંચળા આકારમાં જ જન્મના પ્રથમ દિવસથી પડેલી જોવા મળે તો?ચિંતિત માતાપિતા સારવાર માટે ડોકટરનો સંપર્ક કરે અને ત્યારે ડોક્ટર કહે,’તેને કોઈ જ બીમારી નથી કે તેની શરીર રચનામાં કોઈ ખામી નથી.તેનું શરીર ફ્લેક્ષીબલ છે જેથી તે સુવે ત્યારે જલેબીની જેમ વળી જાય છે.” ડોકટરના શબ્દો”ફ્લેક્ષીબલ શરીર”નું સતત ચિંતન કર્યું.શ્રમજીવી પરિવાર જલેબી શબ્દોનો ગુઢાર્થ સમજ્યો.જલેબીને આંતરિક શક્તિ સમજી માતા-પિતાએ દીકરીનું શારીરિક માનસિક-ઘડતર કર્યું.એ કમાલની જલેબી જેવી દીકરીએ ૨૦૦૩ માં નેશનલ ગેમ્સમાં ભાગ લઇ એવોર્ડ મેળવ્યો.વર્ષ ૨૦૦૮ માં “મિસ વર્લ્ડ યોગીની”નો ખિતાબ મેળવી ભારતને વૈશ્વિક સ્તરે નામના અપાવી.
આ દીકરી એટલે દિવ્યા પરમાર.આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના નાનકડા દાવોલ ગામે જન્મેલ દિવ્યા આજે કેનેડા,અમેરિકા,;લંડન સહિતના દુનિયાના દેશોના નાગરિકોને ONLINE યોગા તાલીમ આપે છે.માત્ર બે વર્ષની ઉંમરથી જ યોગની કેળવણી પામેલ અને  રસ ધરાવતી દિવ્યા 12 વર્ષની ઉંમરે પ્રથમ વખત સ્ટેટ ચેમ્પિયન બની અને 15 વર્ષની ઉંમરે તેણે નેશનલ ચેમ્પિયનશીપમાં સફળતા મેળવી.ત્રણ વખત વિશ્વ ચેમ્પિયન બનેલી દિવ્યા પરમારને  વર્ષ 2013માં અમરેલી ખાતે તત્કાલીન મુંખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગૌરવવંતા “એકલવ્ય એવોર્ડ” આપી સન્માનિત કરી હતી.ઉપરાંત 2011માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે “સરદાર પટેલ” એવોર્ડથી સન્માનિત કરી હતી.

દિવ્યા પરમાર અભિયાન સાથેની વાતમાં જણાવે છે કે,મારા પિતા દિનેશભાઈ પરમારે “દીકરી જન્મે એટલે જલેબી” એ ઉક્તિને બદલી નાંખી.મને ઘરે જ પિતાએ યોગની પ્રારંભિક તાલીમ આપી.પપ્પાને કાયાવરોહણની લાઈફ મિશન સંસ્થાનો પરિચય થતા દિવ્યાને ત્યાં યોગનું માર્ગદર્શન આપ્યું.મારી સુસુપ્ત શક્તિને ઓળખીને મારું ઘડતર કર્યું.જેને કારણે છેવાડાના ગામમાં જન્મ છતાય મને વૈશ્વિક ઓળખ મળી.હું આર્જેન્ટિના, દિલ્હી,અને  સુરત ખાતે ત્રણ વખત યોગમાં ”વર્લ્ડ ચેમ્પિયન”બની છું.મને  35 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મળ્યા છે.નેશનલ લેવલે 10 વખત ”મિસ યોગિની ઑફ ઇન્ડિયા”નું બિરુદ મળેલ છે.બે વખત  ”યોગની યોગ સમ્રાજ્ઞી ”નું બિરુદ મળેલ છે.ઉપરાંત બે વખત ”યોગા પ્રિન્સેસ ઑફ ઇન્ડિયા”નું બિરુદ મળેલ છે.


રબરબેન્ડ જેવી દિવ્યા 1000 હાજર જેટલા આસનોમાં પોતાના શરીરને ઢાળી શકે છે.તેણે 45 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ-મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે.દિવ્યાના પિતા દિનેશભાઈ તેને જીમ્નાસ્ટ બનાવવ માંગતા હતા.પરંતુ જીમ્નેશીયમ શીખવી શકે તેવો કોચ ન મળતા દિવ્યાને યોગ તરફ વાળી.
વિશ્વમાં યોગ અને તેને સંલગ્ન આધ્યાત્મિક જ્ઞાન ભારતમાંથી વિસ્તર્યું છે.યોગ એ પરમાત્માના સાક્ષાત્કારની વિદ્યા છે.આ માટે સાધનાની જરૂર છે.આજની તનાવભરી જીંદગીમાં સુખ અને શાંતિનો અનુભવ યોગ દ્વારા થાય છે.પશ્ચિમના દેશો જયારે ભૌતિકતાથી ઘેરાયા છે ત્યારે તેઓ ભારતના યોગ થકી શાંતિ મેળવવા ONLINE યોગ તરફ વળ્યા.કોરોનાકાળમાં તણાવભરી સ્થિતમાં વિદેશના નાગરિકો ONLINE માધ્યમથી ભારતની પ્રાચીન યોગવિદ્યા મારફતે શાંતિ પ્રાપ્ત કરતા હતા.આ online યોગશિક્ષણ દ્વારા દિવ્યા સતત જોડાયેલી રહેતી.


દિવ્યા જણાવે છે કે,મને વિશ્વની ટોચની ફ્લેક્સ મોડલ મિસ ઝ્લાટા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું જેથી હું 24 થી 30 ઓગસ્ટ 2012 ના રોજ યોગા ફોટો-શૂટ અને શો માટે જર્મની ગઈ હતી.અહી મને વિશ્વના શ્રેષ્ઠ કોન્ટોર્શનિસ્ટ સાથે કામ કરવાની અને જાણવાની તક મળી.તેમને ખુબ જ આદરભાવથી મારું સન્માન અને આતિથ્ય કર્યું.ભારતીય સન્નારી તરીકે ખૂબ માન આપ્યું.ત્યાર બાદ  મારું નામ TOP FLEXMODEL માં પણ નોંધાયેલું છે.તે જણાવે છે કે,”સશક્તિકરણની વાતો અને મહિલા દિનની ઉજવણી ત્યારે જ સાર્થક ગણાશે જયારે ગ્રીષ્મા કે નિર્ભયા જેવા નામો અત્યાચારને કારણે નહી પણ સિદ્ધિને કારણે વૈશ્વિક બને.જલેબી મૂળ અરબી શબ્દ છે.સામાન્ય રીતે જલેબી પર્શિયન ભાષા બોલતા તુર્કી આક્રમણકારીઓ સાથે ભારતમાં આવી.ભારતમાં જલેબીનો ઈતિહાસ 500 વર્ષ જૂનો છે.5 સદીઓથી તેમાં અનેક પરીવર્તન આવ્યા પણ સ્ત્રી પરત્વેની વિચારસરણી અને માન્યતાઓમાં કોઈ મોટા પરિવર્તન આવ્યા નથી.મારી દ્રષ્ટીએ સ્ત્રી અત્યાચાર અને શોષણની સાથે સાથે મહત્વની બાબત છે સ્ત્રી ઉત્થાન.જલેબી શબ્દની વ્યાખ્યા મારા પરિવારે બદલી નાખી છે.મારા પિતા મને બાળપણથી જ યોગ અને સ્વ-રક્ષણની વિવિધ કર્તવ શીખવતા હતા.તેઓ કહેતા,જલેબી એટલે નિર્બળતા નહિ પરંતુ સબળતા.”


દીકરીને બાળપણથી જ સમાન હકો મળે,તેની શક્તિઓને ઓળખવામાં આવે તેમજ તેને ખીલવા દેવામાં આવે તો મહિલા દિન ઉજવવાની જરૂર જ ન પડે.મોટા ભાગે ઘરમાં દીકરો જન્મે એટલે પેંડા વહેચાઈ એનો અર્થ એ કે દીકરાનો જન્મ થાય એટલે પરિવાર જાણે તારનાર જન્મ્યો હોય તેમ તેના ભવિષ્યની ચિંતા કરી વિશિષ્ટ ઘડતર થાય તેવા પ્લાનીગ હાથ ધરે.દીકરાને મળે મુક્તતા અને ઉડાન માટે તમામ તકો.પરિવાર સુષુપ્ત શક્તિઓ ખીલવવા સક્રિય ભૂમિકા ભજવે,પરંતુ દીકરીની શક્તિઓ પરત્વે ઓછુ ધ્યાન અપાય.જોકે,દિવ્યાના પરિવારમાં દીકરી જન્મની ઓળખ અને જલેબીબી વ્યાખ્યા જ બદલી નાખવામાં આવી.


દિવ્યા કહે છે,મેં ભારતીય  ટેલિવિઝન રિયાલિટી શો જેવા કે,ઝી ટીવી – ”શાબ્બાશ ઇન્ડિયા”,બે વખત અને સોની ટીવીમાં  “એન્ટરટેઈનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા”માં ચાર વખત પરફોર્મ કર્યું છે.મારા જીવનમાંથી હું એટલું જરૂર શીખી છું કે,પરિવાર જ સ્ત્રી ઘડતર અને ઉત્થાન અને ઘડતરનો પાયો છે.સમાજની દ્રષ્ટિ બદલવી હોય તો પરિવાર દીકરીની કારકિર્દી માટે પહેલ કરે.તેને દરેક રીતે સક્ષમ બનાવે.તેને સ્વરક્ષણની તાલીમ આપે તો દીકરી દીકરાના ભેદની સાથે સાથે અત્યાચાર પણ ખતમ થઇ જશે.


છેલ્લા 2 દશકમાં યોગ પરત્વે જાગૃતિ આવી છે.જેમાં યોગને વૈશ્વિક સ્તરે ઓળખ આપવામાં દિવ્યાનો વિશેષ ફાળો છે.વર્ષ 2000 થી 2010 ના ગાળામાં વિશ્વના 16 થી વધુ દેશો સુધી યોગનો પ્રચાર પ્રસાર કરવામાં દિવ્યાનો ફાળો રહ્યો છે.જોકે વિશ્વિક સ્તરે યોગને હૈયે વાસવી “મિસ યોગીની”બનવા છતાય યોગને ઓલમ્પિકમાં સ્થાન ન મળતા દિવ્યા દુઃખ વ્યક્ત કરે છે.પાઠયપુસ્તકોમાં પણ યોગનો સંપૂર્ણ સમાવેશ ન થયો હોઈ યોગ ક્ષેત્રે કારકિર્દીની કોઈ જ તકો નથી તેમ તે માને છે.

ઍડવકસિ ગ્રૂપ વીમેન ઓન બોર્ડ્સના મેનેજિંગ ડિરેક્ટર ફિઓના હૅથોર્નના મતે,ખેલજગત મોટે ભાગે  પુરુષપ્રધાન છે.ગોલ્ફ,ક્રિકેટ,અને ફૂટબોલ જેવી રમતોમાં તો ઘણી જ અસમાનતા છે.ડાર્ટ્સ,સ્નૂકર અને સ્ક્વૉશ જેવી રમતોમાં આંખે ઉડી વળગે તેવી અસમાનતા જોવા મળે છે.PwC(PricewaterhouseCoopers)ના મતે,145.3 બિલિયન ડોલરના વૈશ્વિક ખેલકૂદના ધંધામાં  મહિલા તેમજ પુરુષોને ચૂક્વાતા વેતનમાં ઘણી અસમાનતા મળે છે.

એક ઉદાહરણ જોઈએ તો,અમેરિકાની મહિલા ફૂટબોલ ટીમે જયારે  વિશ્વ કપ જીત્યો ત્યારે જીતથી ટીમને બે મિલિયન ડોલર એટલે કે લગભગ 13 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.જ્યારે આ જ ટૂર્નામેન્ટના પુરુષ વિજેતાઓને 35 મિલિયન ડોલર એટલે કે લગભગ 227 કરોડ રૂપિયા મળ્યા હતા.અહી લિંગ આધારિત રમતગમતમાં આર્થિક અસામનતા જોવા મળે છે.વર્ષોથી ચાલ્યો આવતો આવો ભેદ સહુએ સ્વીકારી લીધો છે.

લિંગભેદ કરતા પણ ઘાતક રમતભેદ છે.ભારતની દિવ્યા યોગમાં આંતરરાષ્ટ્રીય સન્માન મેળવી આવી કે પછી એકલવ્ય એવોર્ડ,પણ તેને બસમાં મુસાફરી માટે પણ રમતગમત વિભાગે કોઈ લાભ આપ્યા નથી.મિસ વર્લ્ડ યોગી દિવ્યા બની  તેવી જ રીતે  ફૂટબોલમાં રોનાલ્ડો,ગોલ્ફર ટાઇગર વુડ્સ અને દોડવીર ઉસૈન બોલ્ટ. દિવ્યાએ વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરી પણ સ્ટાર ખેલાડીઓની કમાણીનો એક અંશ પણ તેને મળ્યો નથી.દુ;ખની વાત એ છે કે,યોગને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય તરીકે ઓળખ અપવાવમાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે.દેશમાં રમતગમત ક્ષેત્રે  મોટી ખાઈ છે,અસમાનતા છે.

સાનિયા મિર્જા ટેબલ ટેનિસ ક્ષેત્રે કારકિર્દી બનાવી અઢળક નાણા મેળવે છે તો દિવ્યા એક યોગ શિક્ષકની નોકરી માટે ભટકે છે.સમાજ જયારે અસમાનતાના પાયાને ઓળખી લીગ કે રમત ભેદ દુર કરશે,સ્ત્રીઓને નડતી સમસ્યાઓ દુર કરશે ત્યારે નારી ગૌરવ આપોઆપ વધશે.

વર્ષ 2006માં પ્રથમવાર આર્જેન્ટિનામાં યોજાયેલી વિશ્વ યોગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો.જેમાં દિવ્યા બે ગોલ્ડ મેડલ સાથે વિશ્વ ચેમ્પિયન બની હતી.અહી તેની સિદ્ધિને ખુબ જ માનભેર વધાવવામાં આવી હતી.આ સિદ્ધિ બાદ વિશ્વના અન્ય દેશોના યોગ સ્પર્ધકો ભારતના યોગ વિષે જાણવા ઉત્સુક બન્યા હતા.જેમની સાથે દિવ્યાનો અતૂટ સંબધ બંધાયો.આ દેશોમાંથી ભલે યોગ નથી જન્મ્યો તો પણ ત્યાં યોગના ખેલાડીને આર્થિક મદદ ઉપરાંત અનેક સુવિધાઓ આપવામાં આવે છે.  

દિવ્યા પોતાની સિદ્ધિને ભારતની ઓળખ ગણે છે પરંતુ સિદ્ધિ પછી યોગ માત્ર ઉજવણી અને માર્કેટિંગ પ્રક્રિયા જેવું જ સ્થાન ધરાવતો હોય દુ;ખ વ્યક્ત કરતા જણાવે છે કે,આંતરરાષ્ટ્રીય ફલક પર યોગ પહોચ્યો,હું પહોચી…પછી…. સન્માન પછી શું???સિદ્ધિ પછી પણ સંઘર્ષ યથાવત જ રહ્યો.મારો એક સમય એવો આવ્યો કે,અનેક સિદ્ધિઓ પછી મારી પાસે સ્પર્ધાઓમાં ભાગ લેવા ભાડા માટે પૈસા નહોતા.

દિવ્યા યોગવિદ્યા ઉપરાંત આર્ટીસ્ટીક યોગમાં પણ ચેમ્પિયન છે.તેનું શરીર 95% ફ્લેક્શીબલ છે.જીભને વાળીને તે કમળ બનાવી શકે છે.
દિવ્યા જણાવે છે કે,અનેક પ્રકારના સંઘર્ષ છતાય મને કોઈ જ સરકારી નોકરી ન મળી.યોગની તમામ સિધ્ધિઓ પછી દેશમાં રોજગારીની સીધી કોઈ જ તક ન સાંપડતા પોતાનો યોગા સ્ટુડિયો શરુ કર્યો.મારા લગ્ન પછી પતિ પાર્થ પટેલનો સહયોગ મળતા મેં યોગને હૈયે વસાવી દેશ દુનિયાના લોકો યોગ ઘરે બેસી શીખી શકે તે માટે ONLINE યોગ તાલીમ શરુ કરી.જેમાં કેનેડા,અમેરિકા,લંડન સહિતના દેશોના લોકો યોગ શીખી રહ્યા છે.રોજગારી માટે સિદ્ધિ પછી પણ સંઘર્ષ યથાવત રહ્યો.

દિવ્યાના પિતા દિનેશભાઈ પરમાર જણાવે છે કે,અમારા પરિવાર સાથે જલેબી વણાઈ ગઈ છે.પરિવારમાં ફરીથી ખુશીઓ છવાઈ છે.દીકરી દિવ્યા પ્રેગ્ન્શીને કારણે અમારા ઘરે બોરસદ-દાવોલ આવી.અહી ઇતિહાસનું પુનરાવર્તન થયું.દિવ્યાની જેમ જલેબી આકારમાં ટુંટીયું વાળી સુતેલી દીકરીએ અમારા પરિવારને મીઠાસની સાથે સાથે પુન:ઉર્જા અર્પી.આ વખતે શંકાને સ્થાને સજ્જતા હતી.એટલે ડોક્ટરને  મળવું ન પડ્યું.અમે દીકરીને નામ અપાયું તક્ષ્વી.જાણે શરીર હાડકાં વગરનું હોય તેમ નાનકડી દિવ્યા પછી હવે તેની દીકરી તક્ષ્વી યોગ કરે તે આશ્ચર્ય જ નહિ અકલ્પનીય લાગે. અમે દિવ્યાને જયારે પાર્થ સાથે પરણાવી ત્યારે પાર્થે કહ્યું હતું કે,”હું તમારી જેમ જ દિવ્યાનું જતન કરીશ.”દિવ્યા અને પાર્થ આજે પણ જલેબીને આશીર્વાદ અને ગૌરવપૂર્ણ મીઠાઈ માને છે.અમારા પરિવારમાં કોઇપણ ઉત્સવમાં અમે મીઠાઈ તરીકે જલેબીને પ્રથમ સ્થાન આપીએ છે.દિવ્યા અને પાર્થની વ્હાલી તક્ષ્વીનું સહુએ ઘડતર અનોખી રીતે કરવાનું વિચાર્યું.

બાળકો માટે યોગનો અભ્યાસ ખૂબ લાભદાયી છે.યોગાસનો અને પ્રાણાયમના અભ્યાસથી બાળકોની માનસિક શક્તિમાં વધારો થાય છે અને સાથે સાથે શારીરિક લાભ પણ થાય છે. તેમની લવચિક્તા અને તાકાતમાં વધારો થાય છે. તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી અંગોની પુષ્ટિ થાય છે, તંદુરસ્તી વધે છે. યોગાભ્યાસથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેમની ગ્રહણશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો થાય છે.


દિવ્યા જણાવે છે કે,તક્ષ્વી જેવી ચાલતા શીખી એની સાથે જ આસન પણ શીખવા લાગી હતી.મેં તેને એકપણ આસન શીખવ્યું નથી.હું પ્રેક્ટીસ કરું છુ તે જોઇને જ તે પણ આસન કરવા લાગે છે.તે ૧૦૦ થી વધુ આસનો મારી પ્રેક્ટીસ જોઇને જ શીખી ગઈ.તે યોગ ઉપરાંત ગજબનો ડાન્સ કરે છે.આખે આખા કાવ્યો મોઢે રાખવાની તે ક્ષમતા ધરાવે છે.હિન્દી ભાષા ઉપર સુથી સારું પ્રભુત્વ ધરાવે છે.
તક્ષ્વી જન્મના દિવસથી જલેબી સ્થિતમાં જોવા મળી.તે માથું અને પગ ભેગા કરીને જ સુતી હતી.ત્યારથી નક્કી કર્યું હતું કે,તેને જીમ્નેસીયમ   ક્ષેત્રે તાલીમબદ્ધ કરીશ.તે સ્વયભું રીતે જીમ્નેસ્ટીકનો બેઝ ગણાય તે યોગ શીખવા લાગી એટલે તેની શક્તિઓને ઓળખી અમે તેને ઉચ્ચ તાલીમ આપવા નિર્ધાર કર્યો.જે યોગમાં ચક્રાસન ઉત્ત્માંથી કરી શકે તે જીમ્નેસ્ટીકમાં ખુજ સરળતાથી સિદ્ધિ મેળવી શકે.તક્ષ્વી જલેવી જેવી ફ્લેક્સિબલ છે.


 જીમ્નેસીયમની ઉચ્ચ તાલીમ માટે અમે લંડન સ્પોર્ટ્સ એકેડમીનો સંપર્ક કર્યો.તેઓને તક્ષ્વીના ફોટા,વિડીયો સહીત માહિતી મોકલી જેથી ખુ જ પ્રભાવિત થયા છે.તેનું સ્ટ્રેસિંગ પ્રભાવી છે.
લંડન સ્પોર્ટ્સ એકેડમીમાં ૫ વર્ષે જ તાલીમ માટે પ્રવેશ અપાય છે.જે પૂર્વે કેટલાક ટેસ્ટ દ્વારા સ્કોર અંકિત કરવા જરૂરી હોય છે.તક્ષ્વી હાલ ૩.૫ વર્ષની છે,પરંતુ ૫ વર્ષના બાળકથી વધુ સ્કોર તેને મળતો હોય એકેડમીએ તક્ષ્વીથી પ્રભાવિત થઈ પ્રવેશ આપી દીધો છે.અમે પરિવાર સાથે તક્ષ્વીને નવી ઉંચાઈએ પહોચાડવા લંડન જઈ રહ્યા છે.અહી ભારતમાં જીમ્નેસીયમ માટે સારા તાલીમ કેન્દ્રો નથી ત્યારે ભારતને જીમ્નેસીયમ ક્ષેત્રે નામના અપાવવા તાલીમ માટે અમે લંડન જવા નિર્ણય કર્યો છે.
જન્મથી જ તક્ષ્વી પોતાના ઘરમાં ૮૫ વર્ષના મમ્મીના દાદીને રોજ આસન કરતા જોવે છે.ઘરમાં બાપુજી,દાદી,મમ્મી અને મામા નિયમિત યોગ કરે છે.જેને તે પોતાના યોગ ગુરુ-શિક્ષક માને છે.તક્ષ્વી પાર્થ પટેલની મુલાકાત લેતા તે કાલીઘેલી ભાષામાં ત્વરિતતાથી બોલી,હું રોજ મમ્મીને જોઉં છું.તેને જોઇને જ યોગ કરવાની પ્રેરણા મળે છે. હું પણ માતાની જેમ જ યોગ દ્વારા દુનિયાને બતાવવા માંગું છું કે,યોગથી શરીર સ્વસ્થ્ય રહે છે. હું પણ વિશ્વને બતાવવા માંગું છું કે,જો મારા જેવી નાની છોકરી સરળતાથી યોગ કરી શક્તિ હોય તો મોટેરાઓ પણ આસાનીથી યોગ કરી શરીર અને મનને તંદુરસ્ત રાખી શકે.

તક્ષ્વી જણાવે છે કે,મને યોગનું જ્ઞાન  મમ્મી દ્વારા વારસામાં મળ્યું છે.મમ્મી ત્રણ વર્ષની હતી ત્યારથી યોગ શીખતી હતી.હું ત્રણ દિવસની હતી ત્યારથી મને યોગ શીખવવામાં આવ્યો.મારા દાદાએ મને જન્મના ત્રીજા દિવસથી જ ભદ્રાસન અને પદ્માસન કરાવ્યું હતું.હું જયારે ૮ મહિનાની હતી ત્યારે સ્પલિટ કરી હતી.મારા ફ્લેક્સીબલ શરીરને જોઈ સહુ જલેબી કહે છે.મમ્મીએ ભારતને યોગમાં નામના અપાવી હું જીમ્નેસીયમની તાલીમ મેળવી ભારતને ઓલમ્પિકમાં સફળતા અપાવવા માંગું છું.

આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટિથી પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું અને તેને આઠ પગથિયાંઓમાં વિભાજીત કરી, જેમાં આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ વગેરેનો સમાવેશ છે. તેમણે પોતાના ગ્રંથ યોગસૂત્રમાં આ આઠ પગથિયાંઓનું વર્ણન કર્યું છે. તેથી આ યોગમાર્ગને અષ્ટાંગ યોગ કહે છે. આસનો એ અષ્ટાંગ યોગનું ત્રીજું પગથિયું છે.યોગ એ કોઈ ધર્મ સાથે વણાયેલ નથી.યોગ એક સુવ્યવસ્થિત જીવન જીવવાની જીવનશૈલી છે અને તેનો હેતુ મનુષ્યની અમર્યાદિત શક્તિ અને ચેતનાનો વિકાસ સાધવાનો છે.યોગના અભ્યાસથી ધીરે ધીરે વ્યક્તિની ચેતનાનો વિકાસ થાય છે,જે અંતે આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે.યોગ એ બિમારીઓ સામે એક કવચનું કામ કરે છે.ભારતનો યોગ ભલે ઓલમ્પિકમાં સ્થાન ન મેળવી શક્યો પણ જીમ્નેસીયમનો બેઝ યોગમાં માહિર જલેબી જેવી ફ્લેક્સીબલ તક્ષ્વી ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવા કટિબદ્ધ બની છે ત્યારે એક જ સંદેશ:મહિલાઓ ત્યારે ગૌરવવંતુ સ્થાન મેળવી શકશે જયારે તેની સુસુપ્ત શક્તિઓને ખીલવવા પ્રત્યેક સમાજ,પરિવાર આગળ આવશે. 

-શૈલેષ રાઠોડ

સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧

ભાલપંથકમાં 42 હજાર હેક્ટરમાં ભાલીયા ઘઉં મ્હોરી ઊઠ્યા


 ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર ગણાતા ખંભાત-તારાપુર તાલુકામાં  ભાલીયા ઘઉ મ્હોરી ઉઠ્યા છે. ડીસેમ્બર જાન્યુઆરીના અંતમાં પડેલી ઠંડી બાદ ભાલીયા ઘઉંમાં મલકાટ જોવા મળ્યો હતો. ભેજ અને ઠંડી માફકસર રહેવાના કારણે ચાલુ વર્ષે વધુ સારું ઉત્પાદન થાય તેવી આશા બંધાઇ છે.

         આ અંગે ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, ભાલિયા ઘઉંની દેશ-વિદેશમાં માગ રહેતી હોઇ ભાલ પંથકમાં 42 હજાર હેકટર જમીનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરાયું છે. પ્રારંભમાં પડેલ ઠંડી બાદ માફકસરના હવામાનને કારણે ઘઉંનો પાક મ્હોરી ઉઠ્યો છે. જેને પગલે ચાલુ વર્ષેે ઘઉંનું ઉત્પાદન વધશે.’

         ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ખંભાતના સેક્રેટરી સંજયસિંહ રાઓલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પણ સારા ઉતારનો આશાવાદ સેવાઈ રહ્યો છે.ખેડૂતોને તમામ પાણી મળે તે માટે રજૂઆત કરી દીધી છે.ઉપરાંત ખાતર પણ નિયમિત મળે તેવી જોગવાઈ કરવામાં આવી હોઈ ખેડૂતો ખેતી પાકોને વધુ સારી રીતે ઉછેરી શકશે. ભાલ પંથકમાં આ વર્ષે ભાલિયા ઘઉંનું સારું ઉત્પાદન રહેવાની આશા છે.

          આ અંગે ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘વિશ્વવિખ્યાત ભાલિયા ઘઉંની દેશ-વિદેશમાં માગ રહેતી હોઇ ભાલ પંથકમાં 42 હજાર હેકટર જમીનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ઠંડીએ જોર પકડતા ઘઉંનો પાક મ્હોરી ઉઠ્યો છે. જેને પગલે ચાલુ વર્ષેે ઘઉંનું ઉત્પાદન વધશે.’ ભાલપંથકના રોહિણી  ગામના ખેડૂત પુષ્પરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ‘ખંભાત-તારાપુર, ધોળકા, ધંધુકાની ચાર તાલુકાની સીમારેખામાં ભાલ વિસ્તાર વિસ્તર્યો છે. ભાલ બે જિલ્લામાં વહેંચાયો હોવા છતાં ભાલિયા ઘઉ બંને જિલ્લાના ખેડૂતોને જાેડે છે. હાલ ચારેય છેલ્લા એક મહિનાથી વધુ ઠંડી પડી રહી છે. તેમજ ભેજ પણ છે બંને તે કારણે ઘઉને મોટો ફાયદો થશે. ચાલુ સિઝનમાં ઠંડીનું પ્રમાણ સારું રહેવાના કારણે ઘઉંના પાકને વધુ અનુકૂળ આવતાં ખેતરોમાં પાક મ્હોરી ઉઠ્યો હતો.

સદૈવ યુવાન વિદ્યાનગર આજે ૭૭ નું થયું 


વલ્લભ વિદ્યાનગર ઓવર વ્યુ

શૈલેષ રાઠોડ

વિદ્યાનગર આજે ૭૭ નું થયું છતાં તરવરિયા યુવાન જેવું છે અહીં સ્થાયી લોકો તેને વતનથી વધારે પ્રેમ કરે છે વિદ્યાની નગરી વલ્લભ વિદ્યાનગરનો ૭૭મો સ્થાપના દિન છે. આજે પણ આ નગર યુવા જેવું જ છે.

વલ્લભ વિદ્યાનગર રાજ્યનું સૌથી મોટું શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે.વલ્લભ વિદ્યાનગર તેના ઘટાદાર વૃક્ષો અને છાયાંવાળા રસ્તાઓને લીધે વૃક્ષનગર તરીકે જાણીતું છે.એક સમયે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી,ખેતમજૂરી તેમજ પશુપાલન હતો.ગામમાં મુખ્યત્વે  ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવતી હતી. પરંતુ અહીં ધીરે ધીરે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાના વિવિધ શાખાઓના અભ્યાસક્રમો માટે સંસ્થાઓ શરુ થતાં,એની સાથે સાથે કોચિંગ ક્લાસ, શોપિંગ સેન્ટરો, દવાખાનાં, રેસ્ટોરન્ટ, બેંક વગેરે પણ આવવાથી શહેરીકરણ માટેનો જરૂરી વિકાસ થયો.

ભાઈકાકા
ભીખાભાઈ

ગાંધીજીએ ચિંધેલા ‘સ્વરાજ્ય’ શબ્દનો મર્મ પકડી કેળવણી દ્વારા ભારતના ભાવિ નાગરિકો તૈયાર કરવાનંટ સ્વપ્ન લઈને ચરોતરના બે સમર્થ પુરૂષો સજ્જ થયા. મૂળ સોજીત્રાના નામાંકિત ઇજનેર પુજ્ય ભાઇકાકા અને કરમસદના જાણીતા શિક્ષણવીદ શ્રી ભીખાભાઇ જોડીએ વિદ્યાનગરની સ્થાપનામાં મુખ્ય ફાળો ભજવ્યો હતો.જે આ નગરના આદ્ય સર્જકો છે.

વિદ્યાનગર

કેળવણીકાર અને લેખક ભગીરથ બ્રહ્મભટ્ટ નોધ્યું છે કે,. ભાઈકાકા વ્યવસાયે ઈજનેર ગાંધીજીના ચાહક અને પૂ. સરદાર પટેલના અનુયાયી આ પીઢ કેળણીકારને એ મહાપુરૂષોના જીવનમાંથી ‘ગ્રામોદ્ઘાર’ ની કલ્પના આદર્શરૂપે જડી, વળી ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્રનું ‘કલ્યાણ ગ્રામ’ એમની કલ્પનામાં સ્થિર થયું. એને મૂર્તિમંત કરવાનો પ્રયત્ન એટલે વલ્લભ વિદ્યાનગરની સ્થાપના. ચરોતર એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તરીકે ૧૯૪૩માં તેઓ કામ કરતા હતા ત્યારે ઈ.સ. ૧૯૪૪માં ચરોતર પ્રદેશના કેળવણીમાં રસ લેતા નાગરિકોને આણંદમાં એકઠા કરી ઉચ્ચ કેળવણીનો વિચાર રજૂ કરે છે. એમાંથી ચારૂતર વિદ્યામંડળની સ્થાપના થાય છે. એ સ્થાપના તારીખ ૧૫-૪-૧૯૪૪ની છે. એ મંડળના નેજા હેઠળ આ નગરી આકાર પામે છે આ નગરની સ્થાપના તા.૩-૩-૧૯૪૬ છે. પૂ. ભાઈકાકા સાથે પૂ. ભીખાભાઈ સાહેબ જોડાય છે. ચારૂતર વિદ્યામંડળના બંધારણને ઓપ અપાય છે. અલગ રીતે ચારૂતર ગ્રામોદ્ઘાર સહકારી મંડળ સ્થાપાય છે. એ કે કેળવણીની બીજાએ ગ્રામોદ્ઘારની જવાબદારી ઉપાડી છે. આ મંડળ દ્વારા પૂ.ભાઈકાકાએ સૌ પ્રથમ ઈજનેરી કોલેજની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મુક્યો. કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ ઈજનેર થવા બહાર જતા હતા. પછી વિનયન વિદ્યા શાખાની જરૂરત પણ સમજાઈ લોકમત મેળવી જમીન સંપાદન કરવાનું વીરલ કામ હાથ ઉપર લીધું.

સરદાર પટેલ યુનિવર્સીટી,વિદ્યાનગર

સમગ્ર ખેડા જિલ્લામાં વીજળીવેગે આ હિલચાલના સમાચાર પ્રસરી ગયા. બાકરોલ-કરમસદ અને આણંદ પંથકના કોલેજો થવાની છે. ઉદ્યોગો થવાના છે એ વાતો પ્રચારમાં આવી. ઈન્દુલાલ યાજ્ઞિક પણ ગ્રામોદ્ઘારના હિમાયતી હતા. તેઓ પણ પૂ.ભાઈકાકાને મળ્યા. ભાઈકાકાએ તેમની આ યોજના સમજાવી ત્યારે ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું-‘અહીં તો વિદ્યાનગર બને છે’ એ શીર્ષક હેઠળ એક લેખ લખ્યો. ભાઈકાકાને ‘વિદ્યાનગર’ નામ ગમી જતાં એની આગળ ‘વલ્લભ’ શબ્દ ઉમેરી વલ્લભ વિદ્યાનગર નામ રાખવાનો દૃઢ સંક્લ્પ કરાયો. આ સંસ્થાને શરૂમાં ૫૦૦ એકર જમીનની જરૂર હતી એ સંપાદન કરવા આજુબાજુના ગામોનાં ખેડૂતો, સરપંચો સાથે વાત કરી છેક ઓડ-ખંભોળજ સુણાવના આગેવાનોને કહ્યું તેઓએ પોતાના ગામમાં આ પ્રકલ્પ કરવા સૂચવ્યું રેલવે આણંદ હતી પછી પ્લોટ પાડી જમીન સંપાદન કરવાની યોજના ઘડી બાકરોલ ગામના પશાભાઈએ તો ભાઈકાકાને ગામતળનો નકશો બતાવી કહ્યું. તમે જેટલી જમીન જોઈએ તે કહો, મળી જશે…પછી કરમસદ, ગાના અને આણંદમાંથી ખેડૂતોએ જમીનો આપી.

શાસ્ત્રી મેદાન,વિદ્યાનગર

 બાકરોલ ગામે ૩૫૦ વીઘા જમીન દાનમાં આપી. કરમસદમાંથી ૫૫૦ વીઘા જમીન મેળવી શક્યા. આણંદમાંથી ૪૦ વીધા મળી આમ ધારણા કરતાં બધુ જમીન મેળવી શકાત ઉત્સાહ વધ્યો જે જગ્યાએ ચોરડાકુનો ડર હતો. લૂંટો થતી વ્હેચાતી ઝાડીમાં ચોર ભરાઈ રહેતા. એવી જગ્યાએ ભાઈકાકા અને ભીખાભાઈએ વસવાટ કર્યો. આંબા નીચે અડંગા નાખ્યા સરદાર સાહેબનો સધિયારો સાંપડ્યો. અને યોજના ધીમે ધીમે આકાર પામી… પછી ભાઈકાકાએ ભારત ભરમાંથી કુશળ શિક્ષકો શોધીને નિમંત્ર્યા…અને ભારતના નકશામાં વલ્લભવિદ્યાનગરની કુંડળી મંડાઈ…ઈંટો પાડવી, વેચવી એમાંથી નફો રળી મકાનો બંધાવા લાગ્યાં. 

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા વિસ્તારમાં વિદ્યાનગરનું સ્થાન

ગાંધીજીના આશિષ ફળ્યા….. આજે વિશ્વ વિખ્યાત શિક્ષણ સંકુલ વલ્લભ વિદ્યાનગર ઊભું છે. એની એક શાખા ન્યૂ વલ્લભ વિદ્યાનગર પણ બની છે. દુનિયા ભરના અભ્યાસક્રમો અહીં દાખલ કરાયા છે. લાખો વિદ્યાર્થીઓ આ ભૂમિમા સંસ્થામાં પદવી પ્રાપ્ત કરી પગભર થયા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ, ભાઈકાકા, ભીખાભાઈ, ડૉ.એચ.એમ.પટેલ અને ડૉ.સી.એલ.પટેલે કર્મઋષિઓની પરંપરાને અખંડ રાખીને સર્વદ્રવ્યોમાં શ્રેષ્ઠ એવા વિદ્યા નામના દ્રવ્યના પ્રસારણના યજ્ઞને આગળ વધાર્યો છે.સૌપ્રથમ ચરોતર વિદ્યા મંડળ અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના અહીં કરવામાં આવી હતી.

આજે સબળ શૈક્ષણિક સંસ્થાઓ, સમર્પિત અધ્યાપકો અને સુંદર શૈક્ષણિક વાતાવરણ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને તેની તરફ ખેંચી લાવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિદ્યાર્થીઓ માટે વલ્લભ વિદ્યાનગર અભ્યાસનું ઉત્તમ સ્થળ બની ગયું છે.અહી વિદેશમાંથી પણ વિધાર્થીઓ શિક્ષણ મેળવવા આવે છે.

વિદ્યાનગરમાં ૯૦ ટકા લોકો શિક્ષિત છે. કે.જી. થી પી.જી. સુધીના અભ્યાસની સુવિધા છે. તમામ લોકોને પોષાય તેવી શાળા કોલેજ છે. જમવાની પણ સુવિધાઓ શ્રેષ્ઠ છે. વિદ્યાનગરમાં રોડ, રમતગમતનું મેદાન વર્લ્ડ કલાસ ઈન્ફાસ્ટ્રકચર છે.વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી,બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (ઇજનેરી કોલેજ) અને ચારુતર વિદ્યા મંડળને કારણે જગવિખ્યાત છે.

ઉપરાંત અહી આવેલા ઉદ્યોગો ચરોતર વાસીઓ માટે જીવાદોરી સમાન છે.અહી આવેલ એલિકોન ઇન્ડસ્ટ્રીસ,જી.એમ.એમ,અનુપમ ઇન્ડસ્ટ્રીસ,મિલસેન્ટ ઘરઘંટી,આઇ ડી એમ સી જેવી ઇન્ડસ્ટ્રીઝ લાખો લોકો માટે રોજગારીનું કેન્દ્ર છે.

યુવા હૈયાઓથી સતત ધબકતું વિદ્યાનગરનું જીવન આજે પણ યુવાન જેવું લાગે છે. વલ્લભ વિદ્યાનગરની બે વિશેષતા છે, એક વિદ્યાનગર અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલના નામ સાથે જોડાયેલું છે, બીજું વિદ્યાની આ નગરીમાં દેશ-વિદેશમાંથી લોકો આવીને વસેલા છે. જેઓને મન વલ્લભ વિદ્યાનગર પોતાના વતનથી પણ વ્હાલું છે. શિક્ષણ અને ઉદ્યોગોના સમન્વય વચ્ચે ગ્રામ્ય વાતાવરણમાં શહેરની ભૌતિક સુવિધાઓ એકમાત્ર વિદ્યાનગરમાં જ શક્ય છે. 

શિક્ષક અગ્રણી જીગ્નેશ પંડ્યા જણાવે છે કે,વલ્લભ વિદ્યાનગરમાં યુવાનોની સૌથી વધુ  વસ્તીના કારણે માહોલ સતત જીવંત અને  યુવાન લાગે છે. અહી વિધાર્થી   અને ઉદ્યોગોનું કોમ્બીનેશન ઉત્તમ છે. અમદાવાદ અને વડોદરા જેવા શહેરો જૂના છે. જ્યારે વિદ્યાનગર નવી નગરી હોઈ અહીંયા જેને ભવિષ્યની ખબર નથી. એવા લોકો નવા વિચારો લઈને આવે છે. શિક્ષણનગરી હોઈ સતત યુવા વાતાવરણ અનુભવાય છે.’ 

પર્યાવરણશાસ્ત્રી પ્રા.કીર્તિ રોય જણાવે છે કે,વિદ્યાનગર શહેર આમ તો સમગ્ર વિશ્વમાં શિક્ષણ નગરી તરીકે જાણીતું છે અને ચરોતરની શાન કહેવાતુ આ નગર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા વિસ્તારમાં આવેલું છે, જ્યાં પ્રતિ હેક્ટર 72 કરતા વધુ વૃક્ષો આવેલા છે, જે રીતના શહેરમાં વૃક્ષો વધારે છે, તે રીતના જ તેનું જતન અને સંરક્ષણ કરવાની જવાબદારી પણ વધારે છે.વિદ્યાનગર શહેરમાં આવેલ એક પ્રકૃતિપ્રેમી એનજીઓ દ્વારા વિદ્યાનગર શહેરના વૃક્ષોની જતન કરવા અને આવનાર પેઢીને આ અમૂલ્ય વારસો સલામત મળી રહે તે હેતુથી વર્ષ 2015માં સમગ્ર વિદ્યાનગર શહેરમાં આવેલ જાહેર વૃક્ષોનું એક ડિજિટલ મેપ સવિસ્તાર માહિતી સાથે ઉતારવામાં આવ્યા છે.

સંસ્કૃતિનો સમન્વય એટલે વિદ્યાનગર

એસ.પી.યુનિવર્સિટી સંલગ્ન બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં પ્રો. એ.એસ.રેડ્ડી વર્ષ ૧૯૮૧માં અભ્યાસ અર્થે વિદ્યાનગરમાં આવ્યા હતા. વિદ્યાનગરમાં એમ.એસસી અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ ૧૯૮૭માં મહારાષ્ટ્ર ચાલ્યા ગયા. પરંતુ વર્ષ ૧૯૯૧માં વિદ્યાનગરમાં પરત ફર્યા અને સ્થાયી થઈ ગયા. ડૉ. રેડ્ડીએ જણાવ્યું કે વિદ્યાનગરમાં ગામડાના વાતાવરણમાં શહેરની સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યાં એકદમ શાંતિપૂર્ણ જીવન વિતાવી શકાય છે. વાતાવરણ ગ્રીન સુરક્ષિત અને પ્રદૂષણ વિનાનું છે. વિદ્યાનગરમાં એમ.એસસી અને પીએચ.ડી.નો અભ્યાસ કર્યો અને અહીંયા જ મને મારા જ્ઞાનનો ઉપયોગ કરીને સેવા આપવાની તક મળી જેનું ગર્વ અનુભવું છું. 

પ્રકૃતિ અને જ્ઞાનની ભૂમિ

 વિદ્યાનગરમાં સ્થાયી થનારને રહેવામાં ગામડાંની મોજ અને શહેરનો આનંદ મળે છે.વિદ્યાનગર સાચા અર્થમાં વિધાર્થીઓ જ નહિ શિક્ષકો અને સ્થાનિકોના હૈયે વસેલું છે.શહેર એકદમ જીવંત અને પ્રફુલ્લિત ટાઉન છે.અહી સ્વચ્છ વાતાવરણ ચોખ્ખી હવા અને શાંતપ્રિય હોવા છતાં મહાનગર જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે.નોધનીય બાબત એ છે કે,અહી શેક્ષણિક સંસ્થાઓ સાથે આધ્યાત્મિક કેન્દ્રો પણ આવેલા છે. 

વિદ્યાનગરના એચ.એમ.પટેલ કેરીઅર ડેવલપમેન્ટ સેન્ટરના ડિરેક્ટર પ્રિ. આર.સી.દેસાઇ વર્ષ ૧૯પરમાં અભ્યાસ અર્થે વિદ્યાનગર આવ્યા હતા. માતરના વતની પ્રિ. દેસાઈ વર્ષ ૧૯પ૬માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મુંબઈ, રાજકોટ, અમદાવાદ વગેરે ફર્યા બાદ ૧૯૬૧માં વિદ્યાનગરમાં સ્થાયી થયા. પ્રિ. દેસાઈએ જણાવ્યું કે ‘વિદ્યાનગરનું જીવન સતત યુવાન છે. અહીં વિદ્યાર્થઓ આવે અને જાય છે. નવી પેઢી નવી વાતો લઈને આવે છે. પ્રદુષણમુક્ત વિદ્યાનગર નાનું હોવા છતાં સુવિધાઓમાં અવ્વલ છે. આજેપણ શિસ્ત અને આદર જળવાઈ રહ્યા છે. દૂષણો ઓછા હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપે છે એટલે વિદ્યાનું વાતાવરણ અનુકૂળ આવી જતાં વિદ્યાનગરમાં સ્થાયી થયા.’ 

સરદાર વલ્લભભાઈ પટેલનું ઘર

સીવીએમ યુનિ.૧૦ લાખથી વધુ વિધાર્થીઓનું ઘડતર 

વર્ષ ૧૯૪૫માં ૧૦મી ઓગસ્ટે સીવીએમની સ્થાપના કરી હતી, ત્યારબાદ વર્ષ ૧૯૪૬માં ૩જી માર્ચે ભાઇકાકાએ શ્રીગણેશ કર્યા હતા. જેમાં આણંદ, કરમસદ અને બાકરોલના સ્થાનિક લોકોએ આદ્યસ્થાપકો ભાઇકાકા અને  ભીખાભાઇને જોઇતી ૫૫૫ વીઘા જમીન આપતાં વલ્લભ વિદ્યાનગરની સ્થાપના થઇ  હતી. આ વિકાસયાત્રામાં ડો.એચ.એમ.પટેલ અને ડો.સી.એલ.પટેલે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીએ અભ્યાસ કર્યો છે. હવે સીવીએમ યુનિવર્સિટી થઇ છે ત્યારે તેની શરૂઆત ૧૯ કોલેજની સાથે  થઇ હતી. જેમાં ત્રીસ હજાર વિદ્યાર્થીઓ સાથે ૨૨૦૦ સ્ટાફના સભ્યોનો સમાવેશ  થાય છે.

-શૈલેષ રાઠોડ

વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈની પ્રેમકહાણી


શિશુના કાન એટલા મોટા હતા કે તે જોઈને મોટા ભાગના લોકોએ કહ્યું કે ગાંધીજીના કાનને મળતા આવે તેવા કાન છે.

અંબાલાલના નિકટના લોકોએ મજાક પણ કરી કે કાનને પાનની જેમ વાળી પણ શકાશે. આ બાળકનું નામ રાખવામાં આવ્યું વિક્રમ – વિક્રમ અંબાલાલ સારાભાઈ.

તે વખતે સારાભાઈના અમદાવાદના નિવાસસ્થાને ભારતના ટોચના બુદ્ધિજીવી અને વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર અને સી. વી. રમણ, જાણીતા ઇતિહાસકાર જદુનાથ સરકાર, રાજનેતા અને વકીલ ભુલાભાઈ દેસાઈ, પ્રસિદ્ધ નૃત્યાંગના રુક્મણી અરુંદેલ અને ચિંતક ગુરુ જિદ્દૂ કૃષ્ણમૂર્તિ જેવા લોકોના ઉતારા રહેતાં હતાં.

1920માં રવીન્દ્રનાથ ટાગોર અમદાવાદ આવ્યા ત્યારે પણ સારાભાઈના ઘરે જ રોકાયા હતા.

વિક્રમ સારાભાઈની જીવનકથા લખનારાં અમૃતા શાહ કહે છે, “ટાગોરને કોઈનું પણ કપાળ જોઈને તેમના વિશે ભવિષ્યવાણી કરવાનો શોખ હતો. નવજાત વિક્રમને તેમની સામે લાવવામાં આવ્યા ત્યારે તેમનું અસામાન્ય રીતે પહોળું અને મોટું કપાળ જોઈને ટાગોરે કહેલું, ‘આ બાળક એક દિવસ મોટું કામ કરી બતાવશે.'”

કૅમ્બ્રિજથી પરત આવ્યા પછી વિક્રમ સારાભાઈ બેંગુલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં જોડાયા હતા. નોબેલ પુરસ્કાર મેળવનારા સી. વી. રમણની દેખરેખમાં તેમણે પોતાનું સંશોધન આગળ વધાર્યું હતું.

અહીં જ તેમની મુલાકાત મહાન અણુવિજ્ઞાની હોમી જહાંગીર ભાભા સાથે થઈ હતી. તેમણે જ મશહૂર નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથન સાથે તેમની મુલાકાત કરાવી હતી. મૃણાલિની સાથે બાદમાં તેમનાં લગ્ન થયાં હતાં.

મલ્લિકા કહે છે, “હોમી પણ સારી વસ્તુઓના પારખુ હતા. કલાકાર હતા અને પોતે પણ ચિત્રો દોરતા. મારા પિતા સાથે તેમને બહુ સારી દોસ્તી હતી.”

“તેઓ હંમેશાં મારા પિતાને ચીડવતા કે તમે આટલા સુંદર ભારતીય વસ્ત્રોમાં કેમ ફરો છો? એક વિજ્ઞાની જેવાં વસ્ત્રો કેમ પહેરતા નથી? મારી માતા અને ભાભા બૅડમિન્ટન પાર્ટનર હતાં. તેમણે જ મારી માતાની મુલાકાત પ્રથમવાર મારા પિતા સાથે કરાવી હતી.”

મજાની વાત એ છે કે શરૂઆતમાં બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ થયું નહોતું.

અમૃતા શાહ કહે છે, “મૃણાલિની અને વિક્રમ પહેલીવાર મળ્યાં ત્યારે એકબીજાને પસંદ પડ્યાં નહોતાં. મૃણાલિની ટેનિસ શૉર્ટ્સમાં હતાં અને વિક્રમને તેમની એવી વેશભૂષા ગમી નહોતી.”

“ત્યારબાદ તેઓ ખૂબ લગન સાથે ભરતનાટ્યમ્ શીખવા લાગ્યાં હતાં. તેઓ ભરતનાટ્યમ્ સાથે એટલા જોડાઈ ગયાં હતાં કે તેમણે અવિવાહિત રહેવાનું જ નક્કી કર્યું હતું. તે દરમિયાન વિક્રમ સાથે તેમની મુલાકાતો થવા લાગી હતી. તેઓ સાથે મકાઈના ડોડા ખાવા ખાસ જતાં.”

“શાંતિ નિકેતનના પ્રવાસ વખતે શીખેલાં બંગાળી ગીતો મૃણાલિની તેમને ગાઈ સંભળાવતાં. વિક્રમ તેમને કાલિદાસની પંક્તિઓ સંભળાવતા.”

બંને બહારથી એવું કહેતાં હતાં કે લગ્ન કરવાની કોઈ ગણતરી નથી, પણ ધીમે-ધીમે બંને વચ્ચે સંબંધો ગાઢ થવા લાગ્યા હતા.

તેમનાં લગ્ન પહેલાં વૈદિક પદ્ધતિથી થયાં હતાં અને બાદમાં તેઓએ સિવિલ મૅરેજ પણ કર્યાં હતાં. લગ્ન વખતે મૃણાલિનીએ સફેદ ખાદીની સાડી પહેરી હતી અને ઘરેણાંની જગ્યાએ તેમણે ફૂલોનો શણગાર કર્યો હતો.

વિક્રમની ઇચ્છા પ્રમાણે મૃણાલિની અને તેમની એક સખીએ રામાયણનો હરણ વિશેનો પ્રસંગ નૃત્યથી રજૂ કર્યો હતો.

લગ્ન થયાં તે જ દિવસે તેઓ ટ્રેનમાં બેંગુલુરુથી અમદાવાદ આવવા માટે રવાના થયાં હતાં. તે વખતે ભારત છોડોનું આંદોલન ચાલી રહ્યું હતું.

આંદોલન કરનારા લોકોએ ઘણી જગ્યાએ ટ્રેનના પાટા ઉખાડી નાખ્યા હતા. તેના કારણે 18 કલાકમાં પ્રવાસ પૂરો થવાનો હતો, તેના બદલે 48 કલાક થયા હતા. આ રીતે વિક્રમ અને મૃણાલિનીએ ટ્રેનમાં ફર્સ્ટક્લાસની મુસાફરીમાં જ હનીમૂન મનાવ્યું હતું.

વિક્રમ નવવધૂ સાથે અમદાવાદના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં ઉદાસી છવાયેલી હતી. વિક્રમનાં બહેન મૃદુલા સારાભાઈ પણ ભારત છોડો આંદોલનમાં જોડાયાં હતાં અને તેથી તેમને 18 મહિનાની કેદની સજા થઈ હતી.

અંબાલાલ સારાભાઈએ સરકારને વિનંતી કરી હતી કે પોતાનાં ભાઈ અને ભાભીને મળવા માટે તેમને જેલમાંથી છોડવામાં આવે. ગવર્નર રૉજર લમલે તે માટે તૈયાર પણ થઈ ગયા હતા, પરંતુ મૃદુલાએ સ્વંય જેલમાંથી બહાર આવવાનો ઇનકાર કરી દીધો હતો.

લગ્ન પહેલાં વિક્રમ ભાવિપત્નીને ભેટ આપતા અને તેમનો અંદાજ બહુ અનોખો રહેતો હતો.

અમૃતા શાહ કહે છે, “મૃણાલિનીએ એકવાર હસતાં-હસતાં મને કહેલું કે તેમને ક્યારેય રાબેતા મુજબની વસ્તુઓ ભેટમાં નહોતી મળી. તેઓ કરોડપતિ હતા તોય સગાઈ થઈ ત્યારે તિબેટની બહુ સસ્તી, પણ બહુ સુંદર વીંટી મને આપી હતી.”

“એક વખત શ્રીલંકામાં થતી સ્લેન્ડર નોરિસ નામની પ્રજાતિનો વાનર મને ભેટમાં મોકલ્યો, પણ મેં લીધો જ નહીં. લગ્નના દિવસે તાંબાની તાસકમાં બહુ દુર્લભ ગણાય તેવું નીલા રંગનું કમળનું ફૂલ મોકલ્યું હતું. કોઈ પ્રત્યે પ્રેમની આનાથી વધુ સુંદર અભિવ્યક્તિ હોઈ જ ન શકે.”

લગ્નનાં 25 વર્ષ પછી વિક્રમ સારાભાઈ કમલા ચૌધરી નામની એક અન્ય મહિલા સાથે પ્રેમમાં પડ્યા હતા. આ વાત તેમણે ક્યારેય છુપાવી નહોતી.

મલ્લિકા કહે છે, “કમલા ચૌધરી સાથે પાપાનું ‘ઇન્વૉલ્વમેન્ટ’ હતું. મને ત્યારે જરાય નહોતું ગમતું અને હું તેમની સાથે દલીલોમાં ઊતરી પડતી હતી. જોકે હું મોટી થઈ પછી મને ખ્યાલ આવ્યો કે બે વ્યક્તિઓને પ્રેમ કરવાનું શક્ય છે.”

“હું તેમને કહેતી કે તમારે બેમાંથી એકને પસંદ કરી લેવી જોઈએ. તમે બંને સાથે રહી શકો નહીં. અમે ખુલ્લી રીતે ચર્ચા કરતાં કે નૈતિકતા અને પરિવાર માટેની જવાબદારી શું છે.”

“એક તરફ પરિવાર હોય અને એક તરફ પ્રેમ તો કોનો ત્યાગ કરવો જોઈએ તેની ચર્ચા કરતાં હતાં. કોઈ એકનો ત્યાગ કરવામાં ના આવે અને તેના કારણે બધા લોકોને તકલીફ થાય તો શું તે યોગ્ય છે.”

વિક્રમ સારાભાઈ ચીલે ચાલનારા નહીં, પણ હંમેશાં અલગ રીતે વિચારનારા હતા.

અમૃતા શાહ કહે છે, “તેઓ ખુલ્લા મનના માણસ હતા. તેમના વિચારોનો વ્યાપ બહુ હતો. બંનેએ ક્યારેય પોતાના સંબંધો છુપાવવાની કોશિશ નહોતી કરી. તે વખતે પણ તેમનો પત્ની માટેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહોતો.

“તેમનો પ્રેમ પહેલાં જેવો જ રહ્યો હતો. કમલા સાથે ખુલ્લા સંબંધો છતાં તેમનાં પત્ની મૃણાલિની તરફથી સામાન્ય રીતે જોવા મળે તેવો કોઈ પડઘો પડ્યો નહોતો.”

“મૃણાલિની એ જમાનામાં બહુ બિન્ધાસ્ત અને મોઢે બોલનારી વ્યક્તિ હતી અને છતાં તેમણે એવી કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપી નહોતી.”

રાજ ચેંગપ્પાએ પોતાના પુસ્તક ‘વેપન ઑફ પીસ’માં લખ્યું છે, “અણુબૉમ્બ બનાવવાની બાબતમાં વિક્રમ સારાભાઈ અને હોમી ભાભાના વિચારો મળતા નહોતા. ભાભાના અવસાનના પાંચ મહિના પછી તેમણે અણુઊર્જા પંચના પ્રમુખ તરીકે કામ સંભાળ્યું. તેમણે સૌથી પહેલાં ભારતના અણુબૉમ્બ બનાવવાનો કાર્યક્રમને બંધ કરી દેવાની તૈયારી શરૂ કરી હતી.

અણુવિજ્ઞાની રાજા રામાન્ના યાદ કરતા કહે છે, ‘સારાભાઈ માનતા હતા કે શસ્ત્ર તરીકે અણુબૉમ્બ નકામી વસ્તુ છે. તે માત્ર કાગળનો વાઘ છે. અણુબૉમ્બ વિશે સારાભાઈના આવા વિચારથી મોરારજી દેસાઈ ઘણા ખુશ થયા હતા.”

ઘણાં વર્ષો પછી તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે રામન્નાને કહ્યું હતું કે “સારાભાઈ સમજદાર છોકરો હતો. પેલા પાગલ ભાભા તો આખી દુનિયાને ઉડાવી દેવા માગતા હતા.”

અણુબૉમ્બ બનાવવા માટે બહુ ઓછો ખર્ચ થશે એવો તર્ક તેમની સામે રાખવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપેલો કે “તમે મને પૂછી શકો છો કે બે ગજ કાપડની કિંમત કેટલી થાય. પરંતુ આ બે ગજ કાપડ કઈ મીલ વિના બનાવી શકાતા નથી.”

-શૈલેષ રાઠોડ

કેનેડાના મોન્ટ્રિયાલમાં૩ કોલેજો અચાનક બંદ થઇ ચરોતર સહિત હજારો ભારતીય સ્ટુડન્ટ્સ રખડ્યા


કેનેડાના મોન્ટ્રિયાલ શહેરમાં આવેલી ત્રણ કોલેજો અચાનક બંધ થઇ જતા લગભગ ૨,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.આ લોકો ભારતના પંજાબ અને ગુજરાતના છે.ગુજરાતના ચરોતર ઉપરાંત રાજકોટ, સુરત અને અમદાવાદના છે.ચરોતરના 120 થી વધુ વિધાર્થીઓ હાલમાં કેનેડાના મોન્ટીરીયલમાં શિક્ષણ મેળવી રહ્યા છે.


આણંદના અને કેનેડામાં સ્થાયી થયેલ કથન પરમારે જણાવ્યું હતું કે,લાખો રૂપિયાનો ખર્ચ કરી એક સારા ભવિષ્ય માટે આ લોકો કેનેડા ભણવા આવેલા છે.કેનેડાના મોન્ટીરીયલમાં આવેલી સી.સી.એસ.ક્યું., કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ. કોલેજમાં ગુજરાતના ૩૦૦ થી વધુ બાળકો શિક્ષણ લઇ રહ્યા હતા.આ ત્રણે કોલેજોએ કોર્ટમાં નાદારી ડિક્લેર કરતી અરજી કરી છે.કોલેજોનું કહેવું છે કે,” કોરોનાના કારણે એમની ઈંક્મમાં ધરખમ ઘટાડો થઇ જવાથી એમને આ પગલાં લેવા પડ્યા.

આ કોલેજોએ એક, એક સ્ટુડન્ટ પાસેથી ૧૫,૦૦૦ થી ૨૯,૫૦૦ ડોલરની ફીસ વસુલ કરી છે જે ભારતના લગભગ ૯ લાખથી લઇ ૧૮ લાખ રૂપિયા થાય છે.”કોલેજના વિદ્યાર્થીઓ પૈકીના એક તૃપ્તિ દરજીએ મોન્ટ્રીયલથી જણાવ્યું કે,તેઓ સીસીએસક્યુ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના બે વર્ષના કોર્સમાં જોડાયા છે.

દરજી અમદાવાદના નિકોલનો છે અને તેણે પોતાના અભ્યાસ માટે એજ્યુકેશન લોન લીધી હતી. તેના પિતા ખાનગી પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.“મારું સપનું હતું કે હું મારો અભ્યાસ પૂર્ણ કરું, યોગ્ય નોકરી મેળવું અને મારા પરિવારને આર્થિક રીતે ટેકો આપું. હવે મને ખબર નથી પડતી કે શું કરું?” દરજીએ કહ્યું.છેલ્લા 40 વર્ષથી દેશમાં રહેલા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડાના ડાયરેક્ટર હેમંત શાહે જણાવ્યું હતું કે ભારતીય વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક ચેતવણી છે.“કેનેડાની કોલેજોમાં પ્રવેશ લેતા પહેલા દરેક વસ્તુની ચકાસણી કરવી જરૂરી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓના અધિકારો છે અને તેઓએ તેના માટે લડવું જોઈએ,” શાહે કહ્યું. “કેનેડિયન યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓ પર ખીલી રહી છે અને ભારતના વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ છે,” શાહે કહ્યું.ખંભાતના શિક્ષણવિદ પ્રા.કમલ વાઘેલાએ જણાવ્યું હતું કે,વાસ્તવિકતા એ છે કે, વિધાર્થીઓ સાથે એજન્ટો છેતરપિંડી કરી નબળી સંસ્થાઓમાં પ્રવેશ અપાવે છે.જ્યાંથી તેમને તગડું કમિશન મળે છે. ILTS માં ઓછો સ્કોર અને અન્ય કેટલીક પ્રવેશની શરતો પૂર્ણ ન કરી શકનાર વિધાર્થીઓ ભોગ બને છે.અત્યારે તો દેવું કરીને તેમજ બેન્કમાંથી એજ્યુકેશન લોન લઈને કેનેડાની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયેલા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્ટુડન્ટ્સેકેનેડાના એજ્યુકેશન મંત્રી, ભારતના એમ્બેસેડર અને લોકલ એમપીને એક પિટિશન આપ્યું છે.

આ આખું પ્રકરણ હવે કોર્ટમાં હોઈ હવે પ્રકરણનો નિવેડો જલ્દી આવવાની શક્યતા નહીંવત છે.ગુજરાતી ઈન કેનેડા નામનું ગ્રુપ સમય સમય પર ભારતમાં રહેતા સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓને સચેત રહેવાની સલાહ આપતું રહે છે. કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં એની વિગતવાર માહિતી મેળવવી ખુબજ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ નથી મળતું. ભારતથી કેનેડા ભણવા આવવા માગતા સ્યુડન્ટ્સ અને તેમના વાલીઓને જણાવવાનું કે કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં જો તમારા કોઈ ઓળખીતા કેનેડામાં રહેતા હોય તો એમની પાસેથી શક્ય હોય એટલી માહિતી મેળવવી.

શૈલેષ રાઠોડ

ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં


વાર્ષિક અઢી કરોડનો વ્યવસાય ધરાવતા માછીમારી ઉદ્યોગ માં આવી ઓટ

ખંભાતની ભૌગોલિક પરિસ્થિતિ જોતા 70 કિલોમીટરનો ખંભાતનો અખાત ખંભાત તાલુકા ને સ્પર્શે છે અખાત વિસ્તારમાં આવેલા ૧૩ જેટલા ખંભાત તાલુકાના ગામોના દરિયાકાંઠાના માછીમારો માછીમારી પ્રવૃત્તિ દ્વારા રોજગારી મેળવે છે છેલ્લા દસ વર્ષમાં દરિયો દુર જવાથી, કેમિકલયુકત પ્રદુષિત પાણી અખાતીય વિસ્તારમાં છોડવાને કારણે તથા પ્રોત્સાહક યોજનાઓ ના અભાવને કારણે અઢી કરોડની વાર્ષિક આવક ધરાવતો વ્યવસાય આજે માત્ર ૭૫ લાખ ઉપર પહોંચ્યો છે જેને લઈ 1300થી વધુ પરિવારજનો માટે રોજગારી બક્ષતો આ માછીમારી ઉદ્યોગ વિકસાવવા માટે સરકારી તંત્ર સક્રિય બને તેવી લોક માંગ પ્રવર્તી છે

             ખંભાતીય અખાત નો પટ  સાબરમતી નદીને પણ સ્પર્શે છે દરિયાઈ પટ્ટી ઉપર આવેલ ખંભાત, બદલપુર ,દહેવાણ ,ધુવારણ ,રાલેજ, વાસણા, વડગામ, પાદડ ,તળા તળાવ ,નવીઆખોલ ,નવાગામ બારા, સહિતના ૧૩ જેટલા ગામો માં 1300થી વધુ પરિવારો મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે આજે આ માછીમારો ઉપર સંકટના વાદળો છવાયા છે એક માછીમાર  દિઠ દિનપ્રતિદિન ૪૦થી ૫૦ કિલોગ્રામ મચ્છી પકડવા માં આવતી હતી જેને બદલે આજે માત્ર ૫ થી ૮ કિલોગ્રામ માં આ માછીમારોને સંતોષ માનવો પડે છે.

ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં -શૈલેષ રાઠોડ

                    આ અંગે ખંભાત ના છેલ્લા ૪૦ વર્ષથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ સાગરખેડૂ નાના બાપુ ખારવા ના જણાવ્યા અનુસાર હાલ અત્યારે દરિયામાં જેવી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેને કારણે ઝેરી દ્રવ્યો રસાયણોની ગંધને કારણે માછલા દૂર ભાગે છે ઉપરાંત તેમની પ્રજનન ક્રિયા માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે  ભૂતકાળમાં ૩૫થી ૫૦ કિલોગ્રામ માછલાં પકડી ને ખંભાતના મત્સ્ય બજારમાં વેચતા હતા આજે માત્ર પાંચ સાત કિલોગ્રામ મચ્છી નો જથ્થો પ્રાપ્ત કરતાં પણ ફાંફા પડી જાય છે અત્યારે અમોએ પોષણયુક્ત ફાલ પ્રાપ્ત થતો નથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અમારી હાલત કફોડી બની છે પરિવારનું ગુજરાત ચલાવવું પણ અમારે માટે અતિશય મુશ્કેલ બનતું ગયું છે.

ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં -શૈલેષ રાઠોડ

                  આ અંગે ધુવારણ પંથકના ફિશરમેન શાંતિલાલ માછી ના જણાવ્યા મુજબ મત્સ્ય ઉદ્યોગ એ અમારા લોહીમાં છે મારી પેઢીઓની પેઢીઓ પણ આ જ ધંધા સાથે સંકળાયેલી હતી તાજેતરમાં અમારા ધંધામાં મંદીનું વાવાઝોડું પ્રવર્તીયુ  છે જેની પાછળનું મૂળ કારણ દરિયાનું દૂર જવું અને કેમિકલ યુક્ત પાણી દરિયામાં છોડવાને કારણે જળચર પ્રાણીઓ ઉપર ખતરો ગણી શકાય દૈનિક 1500થી 2000 ની કમાણી કરાવતાં આ ધંધામાં આજે 500 રૂપિયા પણ માણસને જોવા મળે છે ઘરમાં હું એકલો જ કમાનાર છું અને ૧૦ થી ૧૨ વ્યક્તિઓ નો મારો પરિવાર છે હાલ અમારી સ્થિતિ દયનીય છે.

            આ અંગે શાંતિલાલ માછીએ વધુમાં જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા ગાંધીનગર ના અધિકારીઓ દ્વારા સાગરખેડૂ યોજના અંતર્ગત એક સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં અમોએ માછીમારી પ્રવૃત્તિમાં માટે યોગ્ય ચીજવસ્તુઓ માટે સરકારમાં માગ કરી હતી ઉપરાંત દરિયાઇ પાણી માં જીવ સૃષ્ટિ ઉપર કેમિકલયુક્ત પાણી ખતરો હોઇ આ પાણીને લેબોરેટરીમાં પણ લઈ જવા માં આવ્યું હતું જેનો આજ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી આજે અમારો મત્સ્યઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં ચાલ્યો ગયો છે

ખંભાતનો માછીમારી ઉદ્યોગ મૃત: પ્રાય અવસ્થામાં -શૈલેષ રાઠોડ

           આ અંગે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા જશવંત વાલ્મીકિના જણાવ્યા મુજબ અમો મહિનામાં માત્ર પંદર દિવસ માછીમારી કરીએ છે ભરતી-ઓટ પ્રમાણે એટલે કે અમાસથી પૂનમ સુધી એટલે કે સુદ પક્ષમાં જ અમો આ ધંધો કરીએ છીએ અત્યારે અમારે ત્યાં માછલા ની બાર જેટલી જાતો મળી આવે છે જેમા બોઈ, કાતીયા, ઝીંગા, કરચલા, લેપટા, ઈલિસ,મોદાર, પલ્લા જેવી જાતોનો સમાવેશ થાય છે જેમાંની અમુક માછલીની જાતો લુપ્ત થઈ રહી છે સરકાર દ્વારા અમોને દરિયા કિનારાની ફાજલ ભાઠાની જમીન સ્થાનિક માછીમારોને માછીમારી પ્રવૃત્તિમાં માટે ફાળવણી કરવામાં આવે તો આ ઉદ્યોગ ફરીથી જીવંત બનશે અત્યારે સરકાર તરફથી અમોને માત્ર ફિશિંગ કિટ તથા સાયકલ જ આપવામાં આવે છે.

-શૈલેષ રાઠોડ

પ્રેમની ભાષા


ડૉ ગેરી ચેપમેનનું પુસ્તક,The 5 Love Languages 1992 માં લખાયેલું તેની 12 મિલિયન કરતા વધારે નકલો વેચાઈ છે.આ પુસ્તક અનેક પ્રેમીઓ,યુગલો માટે ઉપયોગી પુસ્તક બની રહ્યું છે.તેમણે આપેલી પ્રેમની પાંચ ભાષાઓ જીવનને ખુશીઓથી ભરી દે તેવી છે.


આ ભાષાઓમાં સમર્થન(Affirmation),ગુણવત્તાનો સમય(Quality Time),શારીરિક સંપર્ક(Physical Touch),સેવાની ક્રિયાઓ(Act Of Service) અને ભેટો પ્રાપ્ત(Receiving Gifts) નો સમાવેશ કર્યો છે.પ્રેમની ભાષાને ધર્મ કે સમાજના સીમાડાઓ નડતા નથી.
રાજસ્થાનના સિકરના પીરપલ્લી માર્ગ સ્થિત શેખાવટી વિસ્તારના યુવકના પ્રેમને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.સિકરના યુવક અને કઝાકિસ્તાનની યુવતીનો પ્રેમ અને સીકરમાં યોજાયેલ  લગ્ન અને બન્નેની પ્રેમ કહાની રોચક છે.

કઝાકિસ્તાનની તાનિયા ડૉક્ટર અને પંકજ -પ્રેમની કઈ ભાષા? -શૈલેષ રાઠોડ

બંનેમાં પ્રેમની પાંચ ભાષાઓ  ભળી છે.  

આ બન્નેના પ્રેમની વાત કરીએ તો કઝાકિસ્તાનની તાનિયા ડૉક્ટર અને પંકજ માર્કેટિંગ ફિલ્ડમાં મેનેજર છે. બંનેએ બે વર્ષ સુધી એકબીજાના કલ્ચર સમજ્યા.

તન કરતાં મનનું મિલન થાય તો જ જિંદગીમાં રંગ જામે.એમ જ બન્ને મન અને દિલથી એક બન્યા.બંનેની મિત્રતા થોડા જ સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ.પછી અગ્નિની સાક્ષીએ બંને લગ્નનાં બંધનમાં બંધાયા. વિઝા ના મળવાને લીધે તાનિયાના પેરેન્ટ્સ ભારત ના આવી શક્યા. લગ્નની બધી તૈયારી પંકજના ભાઈ અને પિતાએ કરી. 

આપણે  ધર્મપ્રેમીઓ ધર્મને પ્રેમ કરીએ છીએ,પણ પ્રેમને ધર્મ નથી સમજતા.તાનિયાએ પતિના ધર્મને સાચી રીતે સમજ્યો.તાનિયાએ હાથમાં મહેંદી મૂકાવી અને દરેક હિંદુ વિધિ કરી. વરઘોડા સાથે નાચતા-ગાતા જાન નીકળી. લગ્નમાં ગામવાસીઓ અને સંબંધીઓ સામેલ થયા હતા. 

તાનિયાનું કન્યાદાન વરરાજાની ભાભીના માતા-પિતાએ કર્યું.પંકજે પોતાની લવ સ્ટોરી જણાવ્યું હતું કે, ‘તુર્કીમાં હું એક કંપનીમાં માર્કેટિંગ મેનેજર છું. જાન્યુઆરી 2019માં કંપનીના કામે તુર્કી ગયો ત્યારે

 એરપોર્ટ પર કઝાકિસ્તાનની રહેવાસી તાનિયાને મળ્યો. તે ડૉક્ટરનો અભ્યાસ પૂરો કર્યા પછી તુર્કી ફરવા આવી હતી. એરપોર્ટ પર અમારી વાત થઈ અને એકબીજા ફોન નંબર લીધા. થોડા સમય પછી અમારી દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ.’

આ અંગે તાનિયાએ જણાવ્યું હતું કે, હું જયારે પંકજને મળી પછી મને પ્રેમ થઈ ગયો.પરિવારને મળવવા માટે તુર્કીથી અમે કઝાકિસ્તાન આવ્યા.ફેમિલીએ પંકજને મળીને તરત જ ‘હા’ કહી દીધી. નવેમ્બર 2019માં અમે સીકર આવ્યા. પરિવારની હાજરીમાં સગાઈ કરી એ પછી વિદેશ જતા રહ્યા. સગાઇ પછી તાનિયા પંકજ પાસેથી હિન્દી શીખી. અત્યારે તેને થોડું-ઘણું હિન્દી આવડે છે.બન્ને એકબીજાને પ્રેમપૂર્વક હૈયે આવકાર આપી આંગણું પવિત્ર કરી ચુક્યા છે.

“હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે…

આવકારો મીઠો આપજે હો જી..”

બન્ને પ્રેમમાં  રહેલ  ત્યાગ અને સમર્પણની ભાવનાને ઓળખે છે.તાનિયા અને પંકજને 2020માં લગ્ન કરવા હતા. જોકે  કોરોનાને લીધે તાનિયાને ભારત આવવા વિઝા ના મળ્યા.વર્ષ 2021 ડિસેમ્બરમાં લગ્ન કરવા તાનિયા ઇન્ડિયા આવી. 10 ફેબ્રુઆરીના રોજ બંને એકમેકના થઈ ગયા.

પંકજ સૈનીના પિતા જણાવે છે કે,કઝાકિસ્તાનમાં રહેતી ડોક્ટર યુવતી વિષે અને તેની સાથે લગ્ન કરવા અંગે મારી અનુમતિ માંગી હતી.મેં ખુશીથી મંજુરી આપી.આજે બન્ને ખુ ખુશ છે.

શિકારની વહુ તાણીયા કહે છે,રાજસ્થાન વિષે મેં ઘણું સાંભળ્યું હતું.મને રાજસ્થાન ખુબ જ પસંદ છે.અહીની વહુ બન્યા પછી હું રાજસ્થાનને પણ માણી શકીશ.

પ્રેમ તો એક ખળખળ વહેતું ઝરણું છે.પ્રેમને કશા રૂપ રંગ સાથે લેવા દેવા નથી હોતી.પ્રેમની કોઈ ભાષા, ઉંમર, રંગ, જાતિ કે સીમા નથી.આ વાક્યનું શ્રેષ્ઠ  ઉદાહરણ તાનિયા અને પંકજ બની ગયા છે.બંને પ્રેમની પાંચ ભાષાને પચાવી નવા જીવન તરફ આગળ વધી રહ્યા છે.

-શૈલેષ રાઠોડ’અભિધેય’

ખંભાત પંથકમાં થાય છે શક્કરીયાનું મોટા પાયે ઉત્ત્પાદન


શિવરાત્રિના ફળાહાર માટે રાજા શક્કરીયાં-બટાકાનું બજારમાં આગમન

ખંભાતના ઉંદેલ પંથકમાં શક્કારીયાનું ઉત્ત્પાદન -શૈલેષ રાઠોડ

શિવરાત્રી આડે બે દિવસ બાકી છે, ત્યારે શિવરાત્રી પર્વ ઉપર ખૂબ ખવાતા શક્કરીયા-બટાટાનો નવો જથ્થો બજારમાં આવી ગયો છે. શિવભક્તોમાં શિવરાત્રી પર્વ નિમિત્તે ઉપવાસ અને એકટાણું કરી ફળાહાર તરીકે બાફેલાં શક્કરીયા બટાટા ખાવાનો મહિમા છે. જેથી શિવરાત્રી પર્વ ઉપર શક્કરીયા બટાટાની માંગને પહોંચી વળવા માટે વેપારીઓ અગાઉથી જ સ્ટોક કરી લેતાં હોય છે. ચરોતરના ચકલાસી અને મલાતજના બટાટા સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. આ બે ગામો ઉપરાંત બટાટાની ખેતી ખેડા, આણંદ જિલ્લાના અનેક ગામોમાં થાય છે. બટાટાનો સંગ્રહ કરવા માટે ચકલાસી, કણજરી, ઉત્તરસંડા, બોરીઆવી સહિતના ગામોમાં અનેક કોલ્ડ સ્ટોરેજ અસ્તિત્વમાં આવ્યા છે. 

shailesh rathod khambhat,shakkariya
ખંભાતના ઉંદેલ પંથકમાં શક્કારીયાનું ઉત્ત્પાદન -શૈલેષ રાઠોડ

જ્યારે ખંભાત તાલુકાના ઉંદેલના શક્કરીયા ચરોતરમાં પ્રખ્યાત છે. ઉંદેલની આજુબાજુના પોપટપુરા, વાડોલ, કલોદરા વગેરે ગામોના ખેડૂતો પણ શક્કરીયાની ખેતી મોટાપાયે કરે છે.  હાલમાં શક્કરીયાનો પાક તૈયાર થઇ ગયો છે અને ખેડૂતો ખેતરમાંથી શક્કરીયા કાઢી વેચાણ અર્થે બજારમાં લાવી રહ્યા છે. શિવરાત્રી પર્વ અને ત્યારબાદ પણ શક્કરીયાનું વેચાણ ચરોતરના બજારમાં થશે. આણંદ જિલ્લામાં ૧૫૦૦થી વધુ હેક્ટરમાં બટાટા અને બે હજારથી વધુ હેક્ટરમાં શક્કરીયાની ખેતી આ વર્ષે ખેડૂતો દ્વારા કરવામાં આવીછે. અને હેક્ટરે ૧૨૫થી ૧૫૦ મણનો ઉતારો મળી રહ્યો છે. માર્કેટમાં છૂટકમાં બટાટા રૂપિયા ૧૫ થી ૨૦ અને શક્કરીયા છુટકમાં રૂ.૩૦ થી ૪૦માં મળી રહ્યા છે. શેરી મહોલ્લામાં બટાટા, શક્કરીયા ભરીને આવતા નાનાં ખેડૂતો અને વેપારીઓ પાસેથી લોકો શિવરાત્રીને ધ્યાનમાં રાખીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. 

ખંભાતના PI તો દારૂની રેડ કરવા ગયા હતા પણ બુટલેગરને ત્યાં તેમણે જે જોયુ હ્રદય હચમચી ગયુ


શૈલેષ રાઠોડ

પોલીસની નોકરી પણ કપરી હોય છે, ખાખી કપડામાં રૂઆબ છાંટતો પોલીસ અધિકારી-જવાન તો આખરે માણસ છે. કયારેક એવુ પણ મને છે જે પોલીસનો નોકરીનો ભાગ નથી છતાં નજર સામે એવી ઘટના ઘટે ત્યારે પોલીસને લાગે કે તેણે માણસ તરીકે પણ કઈક કરવુ જોઈએ આવુ જ કઈક ખંભાત ગ્રામ્ય પોલીસના ઈન્સપેકટર આર.એમ.ખાંટ સાથે બન્યુ હતું. તેઓ પોતાની નોકરીના ભાગ રૂપે તેમના વિસ્તારના લીસ્ટેડ બુટલેગરની તપાસમાં નિકળ્યા હતા, પરંતુ ઝુંપડાની બહાર બેઠેલી એક સ્ત્રીની દશા જોઈ તેમની અંદર રહેલા માણસે તેમને એક સારૂ કામ કરવાની ફરજ પાડી હતી.

તસ્વીરમાં પીડિત જ્યોત્સના અને પરિવાર તથા ઇનસેટ તસ્વીરમાં પી.આઈ આર. એમ. ખાંટ

2010ની બેંચના પોલીસ અધિકારી આર.એમ.ખાંટ તેમના વિસ્તારમાં દારૂ વેચતા અગાઉ પકડાયેલા હોય તેવા બુટલેગરની ત્યાં તપાસ કરવા નિકળ્યા હતા. અગાઉ ખંભાત પોલીસના ચોપડે જયોત્સના ઠાકોર દેશી દારૂ વેંચતા પકડાઈ હતી. જયારે ઈન્સપેકટર ખાંટ જયોત્સના ઘરે ઝુંપડા ઉપર પહોચ્યા ત્યારે તેમણે જોયુ તો જયોત્સાના ચાલી પણ શકતી ન્હોતી. તેનો પગ સુઝેલો હતો, આથી તેમણે તેની પુછપરછ કરતા ખબર પડી કે તેને પગમાં કોઈ બીમારી છે. પરંતુ તેની પાસે દવા કરવાના પણ પૈસા નથી. જયારે જયોત્સના ઝુપડામાં જોયુ તો બે ટંકના ખાવાની પણ કોઈ વ્યવસ્થા ન્હોતી, તો જયોત્સના દવા કેવી રીતે કરાવે તેવો પણ પ્રશ્ન હતો.

પીઆઈ ખાંટે જયોત્સનાને મદદ કરવાનું આશ્વાસન આપ્યુ અને ખંભાતના સ્થાનિક ડૉકટરો પાસે તેનું નિદાન કરાવ્યુ પણ રીપોર્ટ આવ્યો તો તેઓ ચૌંકી ઉઠયા કારણે પ્રાથમિક તારણ એવુ હતું કે જયોત્સના પગનાં કેન્સરની ગાંઠ છે તેને સારવાર માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલ લઈ જવી પડે તેમ હતી, ખાંટે પોતાના સ્ટાફ સાથે જયોત્સનાને અમદાવાદ કેન્સર હોસ્પિટલ મોકલી અને નિદાન અંતે એવુ નક્કી થયુ કે કેન્સર એટલુ વધી ગયુ છે તેનો પગ કાપવો પડશે, હવે જયોત્સનાને બચાવવા માટે તેનો પગ કાપવો અનિવાર્ય હતો, તેનું અમદાવાદમાં ઓપરેશન થયુ આ બધી જ વ્યવસ્થા ખંભાત પોલીસ દ્વારા કરવામાં આવી.

ઓપરેશનના પંદર દિવસ સુધી જયોત્સના કેન્સર હોસ્પિટલમાં હતી તેની તમામ સારવાર સહિતની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી તેને જયારે રજા આપવામાં આવી ત્યારે તેને લેવા ખંભાત પોલીસે વાહનની વ્યવસ્થા પણ કરી. પીઆઈ ખાંટે જણાવ્યુ કે આ કામ પણ પોલીસનું જ છે, હવે જયોત્સનાને કૃત્રીમ પગ બેસાડવો પડશે જેના કારણે તે એકલી ચાલી શકે. 

શૈલેષ રાઠોડ

લતા મંગેશકરનું ગુજરાતી કનેક્શન 


સુરોના રાણીના લત્તાના ગીત 

લતાજીને વિશ્વભરમાંથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

“દીકરી તો પારકી થાપણ કહેવાય” વગર લગ્ન અધૂરું 

શૈલેષ રાઠોડ

સ્વરકોકિલા લતા મંગેશકરનું નિધન ગુજરાત સાથેનીઅનેક યાદોને જીવંત કરતુ ગયું.લતાજીએ 13 વર્ષની આયુમાં પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો.તેમનું ગુજરાત કનેક્શન તેમના રોલ મોડેલ ગુજરાતી માતા,ગુજરાતી ફિલ્મ જગત સાથેના સંબધો અને સાયલાના પટોળાને કારણે વિશેષ છે.લતા મંગેશકરનાં માતા સેવંતી(સુધામતી)  મંગેશકર મૂળ ગુજરાતનાં છે.લતાજીનાં માતા સેવંતી મંગેશકરનાં પિતા તાપી નદીને કાઠે આવેલાં થાલનેર ગામનાં રહેવાસી હતી.એક સમયે તે સમયે થાલનેર ગુજરાતમાં આવતું હતું પણ હવે તે મહારાષ્ટ્રનો ભાગ છે. વર્ષ 1995માં લતા મંગેશકર પર હરીશ ભિમાણી દ્વારા લખવામાં આવેલી એક પુસ્તક ‘ઇન સર્ચ ઓફ લતા મંગેશકર’ સ્વયં લતા મંગેશકરે ઘણી વાતોનાં ખુલાસા કર્યા છે.પુસ્તકમાં જણાવ્યું છે કે, લતાજીએ તેમની નાની મા પાસેથી ગરબાનું જ્ઞાન મેળવ્યું હતું. અને તે ગાવાની છટા પણ તેમને જ શીખવી હતી.

લતા મંગેશકરનાં પિતા દિનાનથ મંગેશકરે બે લગ્ન કર્યા હતાં. પહેલાં લગ્ન તેમણે નર્મદા લાડ સાથે કર્યા હતાં જેમનાં નિધન બાદ દિનાનાથે તેમની જ બહેન  સેવંતી  મંગેશકર સાથે 1927માં લગ્ન કર્યાં હતાં. જેનાંથી લતા મંગેશકર અને તેમનાં ભાઇ બહેનોનો જન્મ થયો હતો.આમ લતાજી અર્ધાં ગુજરાતી પણ ગણાય.

ગુજરાતી માતાને પોતાનો રોલ મોડેલ ગણાવતાં પુણ્યતિથી પર ટવીટ કરી લતાએ જણાવ્યું હતું કે,અમે માતાને  માઇ કહીને પુકારતા હતા.માઇ પાસેથી જ સ્વાભિમાનથી જીવતા શીખ્યું હતું અને તેને આપેલી હિંમત અને તેને ચીંધેલા માર્ગ પર જ તેઓ હમેંશા ચાલતા હતાં.માં જેવો વહાલ કોઇ ના કરી શકે. 

માતા  સેવંતી  મંગેશકરના માર્ગદર્શન અને હિંમતથી લતાજીએ વિશ્વભરમાં તેના સુરથી ડંકો વગાડ્યો.લતાજીએ ભારતની વિવિધ 30 ભાષામાં ગીતો ગાયા છે.જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ છે.

રેકર્ડના જમાનામાં જિતુભાઇ મહેતા રચિત “અમથી અમથી મૂઇ ઓલી માંડવાની જૂઇ”સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે ગવડાવ્યું હતું.આ રેકર્ડની બીજી બાજુ ભક્ત-કવિ દયારામનું ગીત “હાં રે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે”હતું.આ રેકર્ડનું ધૂમ વેચાણ થયું હતું.ઈ.સ.૧૯૬૦થી ૨૦૦૪ સુધીમાં લતાએ આશરે સાઠ-સિત્તેર ગુજરાતી ગીતો ગાયાં હતાં. એમાંના મોટા ભાગનાં ગુજરાતી ગીતો હિટ થયાં હતાં.

ધ્વનિ વૃંદના ડાયરેક્જટ અજય વાઘેલા જણાવે છે કે,લતાના ગીતો વિના લગ્ન પ્રસંગ સુનો લાગે.તેમના પ્રચલિત લગ્નો ગીતો આજે પણ એવરગ્રીન છે.સૌથી વધુ પ્રચલિત ગીતોમાંનું ‘મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’થી લઈને સહુને ભીંજવી નાંખતું  ‘દિકરી તો પારકી થાપણ કહેવાય’ લગ્નગીત છે.જેના વિના દીકરી વિદાઈ શક્ય નથી.

અજય વાઘેલા,ડાયરેક્ટર,ધ્વનિવૃંદ,નડિયાદ મો-૯૮૨૫૩૬૫૪૧૬

ઉપરાંત વૈષ્ણવજન તો તેને રે કહીએ… અને માને તો મનાવી લેજો રે…. એ ખૂબ લોકચાહના મેળવેલા તેમના ગીત છે.

કોઈ તો કહોને કઈ દિશા…સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો.ગુજરાતી ફિલ્મ ‘દુખિયાના બેલી બાપા સીતારામ’ માટે લતા મંગેશકરે નરસિંહ મહેતાનું પ્રભાતિયું ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગાયું હતું.આ ગીતની વિશેષતા એ હતી કે આ ગીત માટે તેમણે સૌથી ઓછું મહેનતાણું લીધું હતું.

સુગમ સંગીત અને ગરબાના ગાયિકા દીપાબેન જણાવે છે કે,પ્રેમ મિલનનું અને  ગુજરાતીઓના મુખે સદૈવ રમતું ગીત‘આજનો ચાંદલિયો’ ગાઈને લતાએ લોકોને મંત્રમુગ્ધલારી દીધા હતા.આ ગીત લોહીની સગાઈ ફિલ્મમાં લતા દીદીએ ગાયુ હતું.”કોઈ તો કહોને કઈ દિશા…”સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો.”એક રજકણ” હરિંદ્ર દવેની પ્રસિદ્ધ  રચનામાં લતાજીએ પોતાનો સ્વર આપીને તેને રૌમ્ય બનાવી દીધુ હતું. આ રચનામાં ભાસ્કર વિશે અદ્ભુત વાતો છે.સુર્યોદયનુ સોંદર્ય આ ગીતમાં સુપેરે આલેખાયું છું.

“હવે સખી નહિં બોલું” ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ મોટો ફાળો આપનાર  કવિ દયારામનું  ભજન છે.જેમાં શ્રી કૃષ્ણ અને રાધાજીનો મીઠો ઝઘડો વર્ણવામાં આવ્યો છે. આ ગીતમાં અદ્ભુત સ્વર લતાજીએ આપ્યો છે.જયશ્રી યમુના મંથનમાં..યમુનાષ્ટક ગાઈને લતાજીએ ગુજરાતી ગીત સંગીતને એક નવો આયામ આપી દીધો છે.

  ગુજરાતના ગામે ગામ ગવાતું અને જાણીતું બનેલ “પાંદડું લીલું ને રંગ રાતો…”આ ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું છે.જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે કામ કર્યું હતું.નારી તું નારાયણી ફિલ્મનું “વહેલી પરોઢનો વાયરો” ગીતમાં પણ લતા મંગેશકરના  ગાયું છે.

દાદાને આંગણે…રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ અને એમાં પણ લતાજીના સ્વરે ચારચાંદ લગાવ્યા હતા.લતાજીનું “યમુનાષ્ટક” યમુનાજીના ભક્તોને આજે પણ એટલું જ પસંદ આવે છે. “ઓધાજી મારા વાલાને…”મારા મનડાના મીતનું આ ગીત ગુજરાતીઓ માટે આજે હોટ ફેવરીટ છે.ઉપરાંત અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું “મારા તે ચિત નો ચોર” ગીત પણ લતા મંગેશકરે ગાયું છે.આ ગીત ખુબ જ હિટ સાબિત થયું હતું. પારકી થાપણમાં બેના રે….ઓલ ટાઇમ હીટ ગણાય છે.

“લાલવાડી ફુલવાડીમાં ધરી કંકુ કંકણ…”અને જનમ જનમના સાથીમાં “જોય જોય થાકી…”પ્રસિદ્ધ ગીતોમાં સ્થાન ધરાવે છે.ઉષાએ 1975માં ‘જય સંતોષી મા’ માટે ગીત ગાયું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

લતા મંગેશકરેના પ્રસિદ્ધ ગીતોમાં  હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે…તો મનાવી લેજો રે,ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોર …, હે કાનુડા તોરી ગોવાલણ…, જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે.ઉષા મંગેશકરે પણ મોટી બહેનની જેમ લગ્ન કર્યા નથી. તેમણે પણ ગુજરાતી ભાષાઓમાં ઘણા ગીતો ગાયા છે.લતા મંગેશકર ભારત રત્ન એવોર્ડ ત્યારે તેમણે પહેરેલી સાડી(પટોળા) વાળો ફોટો ખુબ જ વાયરલ થયો હતો.લતાજી મુંબઈના પેડર રોડ સ્થિત પ્રભુ કુંજ ફ્લેટમાં રહે છે.અહી   ગુજરાતી પડોશીના ઘરે પટોળું જોયું હતું.પટોળાથી મોહિત થઇ લતાજીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વતની અને શ્રી નાગેશ્વરી પટોળા હાઉસના મુકેશભાઈ રાઠોડનો સંપર્ક કરી પટોળું મંગાવ્યું હતું.

.લતા મંગેશકર ભારત રત્ન એવોર્ડ ત્યારે તેમણે પહેરેલી સાડી(પટોળા) વાળો ફોટો

પટાળુ પહેરવાના શોખીન લતા મંગેશકરે મુકેશભાઈને પટોળાના 51,000 રૂપિયાનો ચૅક આપતા કહ્કયું હતું કે,ગ્રાહકોને આ ચૅક બતાવજો અને કહેજો લતા મંગેશકર પણ મારી બનાવટના પટોળા પહેરે છે.આ અંગે મુકેશભાઈ જણાવે છે કે,લતા મંગેશકર જે પટોળુ મંગાવતા તેમાં પણ તેમની ફરમાઈશ રહેતી હતી.તેઓ પ્લેન પટોળુ જ પહેરવાનું પસંદ કરતા.લતાજી સાડી એકદમ પ્લેન જ રખાવતા. તેઓ બોર્ડર અને પાલવમાં ડિઝાઈન કરવાની છૂટ આપતા.

લતા મંગેશકરે મુકેશભાઈને પટોળાના 51,000 રૂપિયાનો ચૅક આપવામાં આવ્યો

લતાજીના પી.એ.મહેશ રાઠોડ ગુજરાતના સૌરાષ્ટ્રના રાજુલા તાલુકાના મોરંગી ગામના હોવાના કારણે તે મોરંગી ગામની સાથે સંપર્કમાં રહેતા હતા. જ્યારે અહીં આસપાસની શાળાઓમાં પણ કેટલીક વખત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હતા.રાજુલા તાલુકાના કુંભરીયા ગામ નજીક આવેલી ઓમ ઇન્ટરનેશનલ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ નિકુંજ પંડિતએ કહ્યું હતું કે, દીદીએ અમારી સ્કૂલમાં જે તે સમયે ખૂબ સારી મદદ કરી હતી.આજે પણ દરવર્ષે શાળા પરિવાર લતાનો જન્મદિવસ ઉજવે છે.

-શૈલેષ રાઠોડ મો-૯૮૨૫૪૪૨૯૯૧

શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ,ખંભાત સહિતની શાળાઓમાં આજથી15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનનો કરાયો પ્રારંભ


શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ,ખંભાત સહિતની શાળાઓમાં આજથી
15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનનો કરાયો પ્રારંભ
બાળકોએ ઉત્સવની જેમ ઉત્સાહભેર રસી મુકાવી

ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરી એક વખત દેશમાં કોરોના કેસ (Corona Case) વધી રહ્યા છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ કોરોના નિયમો (Covid-19 Guidelines) પણ કડક કરવામાં આવ્યા છે. આજથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ માટે શાળા કક્ષાએથી પ્રારંભ કરાયો છે.ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે આરોગ વિભાગ દ્વારા વિધાર્થીઓને રસી આપવામાં આવી હતી.શાળા કક્ષાએથી આરોગ્ય વિભાગે દેતા મેળવી સીધી જ વેક્સીનેશનની પ્રક્રિયા શરુ કરી હતી.બાળકોએ પણ ઉત્ત્સાહપૂર્વક વેક્સીનનો લાભ લીધો હતો.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ,આજથી 15 થી 18 વર્ષના બાળકો COWIN એપ પર વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.જોકે શાળા કક્ષાએ સીધું જ વેક્શીનેશન થઇ રહ્યું છે.
શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે,બાળકોએ ઉત્સવની જેમ રસીકરણની પ્રક્રિયામાં લાભ લીધો છે જે તેમની જાગરૂકતા બતાવે છે.આરોગ્ય વિભાગે સુંદર આયોજન હાથ ધર્યુ હોય બાળકોએ નિર્ભયતાથી રસી મુકાવી છે.
સરકારની માર્ગદર્શિકા અનુસાર, 15 થી 18 વર્ષના બાળકો તેમના શાળાના આઈડી કાર્ડ, અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, તમે તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમને બાળકો માટે વોક-ઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બંને વિકલ્પો ઉપલબ્ધ છે.
બાળકોના રસીકરણ માટે માત્ર કોવેક્સિનનો વિકલ્પ છે., એટલે કે બાળકો માત્ર કોવેક્સિન મેળવી શકશે. ઉપરાંત બાળકોની રસીમાં બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રહેશે, એટલે કે પ્રથમ રસીના 28 દિવસ પછી જ બાળકોને રસીનો બીજો ડોઝ મળશે.

ખંભાતના બાળકોએ ઉત્સવ ઉજવ્યો
ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં વહેલી સવારથી જ આરોગ્ય વિભાગની ટીમ શાળામાં આવી હતી અને બાળકોને વર્ગખંડમાં બેસાડી રસી અંગે માર્ગદર્શન આપ્યું હતું.શાળાના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમાર તેમજ શૈલેશભાઈ રાઠોડે રસીની ઉપયોગીતા અને સરકારી આયોજનની માહિતી આપી હતી.બાળકોએ કોઈ જ પ્રકારના ડર વગર ઉત્સવમાં ભાગ લેતા હોય તેમ ઉતાસહ્પુર્વક વેક્સીન મુકાવી હતી.

10 જાન્યુઆરીથી આ બુસ્ટર ડોઝ
હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કરો માટે પણ વડાપ્રધાન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. 10 જાન્યુઆરીથી આ બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.

બાળકો સેલ્ફી મૂકી જાગૃતિ ફેલાવશે
ખંભાતની માધવલાલ શાહ હાઇસ્કુલની દીકરીઓએ સેલ્ફી મૂકી અન્ય બાળકો પણ સમયસર નિર્ભય બની રસી મુકાવે તે માટે સોસીયલ મીડિયાનો ઉપયોગ શરુ કર્યો છે.શાળાની દીકરીઓ શાળાના ગ્રુપ,ફેસબુક અને ઇન્સ્ગ્રાટામ એકાઉન્ટના માધ્યમથી બાળ જાગૃતિનું કામ કરશે.

ખંભાતની કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓની ઇન્ટર સ્કૂલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ  


ખંભાતની કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓની ઇન્ટર સ્કૂલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
           કેમ્બે એજ્યુકેશન સોસાયટી ની શાળાઓમાં વિદ્યાર્થીઓની ભણતરની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે ગુણો વિકસે તે હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું  આ ટુર્નામેન્ટમાં સિનિયર જુનિયર બોયઝ એન્ડ ગર્લ્સ વિજેતા અને રનર્સ અપ વિજેતાઓને સંસ્થાના મંત્રી સહિત હોદ્દેદારો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી અને વિજેતાઓને સન્માનવામાં આવ્યા
           કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓની ઇન્ટર સ્કૂલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ત્રિદિવસીય નું આયોજન એજ્યુકેશન પ્લે ગ્રાઉન્ડ ખાતે હાથ ધરવામાં આવ્યું જેમાં એમ્પાયર તરીકે હેત રેતીવાળા આયુષ્ય શાહ અને ફેનિલ ચોકસીએ ખૂબ જ સુંદર ભૂમિકા ભજવી જ્યારે કોમેન્ટેટર તરીકે વિરાજ વાળંદે મહત્વની ભૂમિકા ભજવી ટુર્નામેન્ટને રસપ્રદ બનાવી આ પ્રસંગે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વીનેશ પટેલ ઉપપ્રમુખ ભરત શાહ માનદમંત્રી હેમેન્દ્ર શાહ માનદ સહમંત્રી સમીર શાહ કારોબારી સભ્ય અને સ્પોર્ટ્સ ગુરુ તરીકે જિલ્લામાં ખ્યાતનામ બનેલ બી.એ. દેશમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

            આ ટુર્નામેન્ટમાં સીનીયર વિભાગમાં એસ્.ઝેડ. વાઘેલા હાઇસ્કૂલની ટીમ વિજેતા જાહેર થઈ હતી જ્યારે રનર્સ-અપ તરીકે એસ.બી. વકીલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની ટીમ આવી હતી ત્યારે જુનિયર બોયઝમાં માધવલાલ શાહ હાઈસ્કૂલ ની ટિમ વિજેતા જાહેર થઈ હતી જ્યારે રનર્સ અપ તરીકે ઇંગ્લીશ મીડીયમની સ્કુલ આવી હતી જ્યારે ગર્લ્સ ટીમમાં એસ.બી. વકીલ ટીમ વિજેતા થઈ હતી જ્યારે રનર્સ-અપ તરીકે એસ ડી. કાપડીયા સ્કૂલ રહી હતી   જ્યારે શિક્ષકોની ટીમમાં માધવલાલ શાહ હાઇસ્કુલ વિજેતા થઈ હતી જ્યારે રનર્સ-અપ તરીકેએસ.બી વકીલ ઇંગ્લીશ મીડીયમની સ્કુલ બની હતી  આ દરેક વિજેતા અને રનર્સ-અપ ટીમને આમંત્રિત મહેમાનો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી  આ પ્રસંગે સંસ્થાના માનદમંત્રી હેમેન્દ્ર શાહે તથા સ્પોર્ટસ ગુરુ બી.એ. દેશમુખે પ્રાસંગિક ઉદબોધન  કર્યું હતું

ખંભાતનો પતંગ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યો છે. ચાર હજારથી વધુ મહિલા કારીગરો માટે આશીર્વાદરૂપ પતંગ ઉદ્યોગને વિકસાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને ખંભાતની અનોખી ભેટ



ખંભાતમાં અકીકના પથ્થરમાંથી નિર્માણ પામેલ અને ભેટમાં આપેલા બાઉલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ સાંધો નથી. ખંભાતના કુશળ કારીગરો પત્થરને કોતરીને આ બાઉલ બનાવે છે.
વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત દરમ્યાન ગુજરાતી ખંભાતની અનોખી અકીક બાઉલની ભેટ આપતા જ આ ભેટ સોસીયલ મીડિયા સહીત સર્વત્ર ચર્ચાનો વિષય બની ગઈ.છેવાડાના આદિવાસી વિસ્તારમાં ડુંગરમાંથી મળી આવતા અકીકના પથ્થર ને ખંભાત લાવી અહીંના કુશળ કારીગરો તેને કલાત્મક ઘાટ આપી કીમતી વસ્તુઓ તૈયાર કરે છે. આદિવાસી સમુદાયે ખંભાતમાં નિર્માણ પામેલ અકીક પથ્થરમાંથી બનાવેલા બાઉલ ભેટમાં આપ્યા હતા.
ખંભાતના અકીક વિક્રેતા ખુશમન પટેલે જણાવ્યું હતું કે,ઇસ ૧૨૦૦ આસપાસથી ખંભાતમાં કલાત્મક આભુષણ બનવવામાં આવે છે.અહી 5 હજારથી વધુ અકીકના કારીગરો કાર્યરત છે.ભેટમાં આપેલ બાઉલની સમગ્ર વિશ્વમાં ખુબ જ માંગ છે. અકીકના ઘરેણા અને અકીકમાંથી બનેલી વસ્તુઓની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. આ બાઉલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ સાંધો નથી. પત્થરને કોતરીને આ બાઉલ બનાવવામાં આવ્યા છે.

ખંભાતના અકીક ઉદ્યોગના નિષ્ણાત વિનયભાઈ પટેલના મતે આ બાઉલ બને તેવો મોટો પત્થર મળવો જ મુશ્કેલ છે. જો મળે તો તેમાંથી બાઉલ બનાવવું મુશ્કેલ છે. કારણ કે આ પત્થર ખુબ બટકણો હોય છે તેથી તેમાંથી બાઉલ બનાવવામાં ખુબ જ કાળજી રાખવી પડતી હોય છે. તેવામાં આ બાઉલની માંગ સમગ્ર વિશ્વમાં છે. આ બાઉલ વિશ્વનાં ટોચનાં લોકોના રસોડામાં પણ અલભ્ય છે. ત્યારે વડાપ્રધાને ખંભાતના અકીકનું પ્રખ્યાત બાઉલ રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપી હતી.

ધરાસભ્ય મયુર રાવલે જણાવ્યું હતું કે ખંભાતના ઉત્તમ કારીગરો પતંગ,અકીક,હલવાસન અને સુતર ફેની બનાવે છે જેની વિશ્વભરમાં માંગ રહે છે.અકીકના દુર્લભ બાઉલની ભેટને કારણે ખંભાતની ખુશ્બુ વિશ્વ સ્તરે વિસ્તરી છે.

૪૦૦૦ મહિલાઓ માટે રોજગારીનું કેન્દ્ર ખંભાત ઉદ્યોગ વર્ષે ૯ કરોડ પતંગોનું ઉત્ત્પાદન કરે છે.


ખંભાતનો પતંગ ઉદ્યોગ ગુંજરત જ નહિ વિદેશ સુંધી વિસ્તર્યો છે.ખંભાતની પતંગો આંતરરષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉપરાંત નૈરોબી,દુબઈ,અમેરિકા સહિતના સ્થાનિક ઉજવણીમાં પહોચે છે.ખંભાતનો પતંગ ઉદ્યોગ વર્ષના ૯ મહિના ચાલે છે.માત્ર ચોમાસામાં ભારે વરસાદ સમયે ત્રણ મહિના પતંગ નિર્માણ કાર્ય બંધ રાખવામાં આવે છે.૪ હજાર જેટલી મહિલાઓ માટે આર્થિક બળ પૂરું પડતો પતંગ ઉદ્યોગ આજે પણ સરકારી સહાયથી વંચિત હોય કારીગરોમાં આથિક સહાય,બેંક લોન,સબસીડી,પતંગ ઝોન અને માર્કેટ માટે આશાવાદ સેવી રહ્યો છે.
આ અંગે પતંગ નિર્માતા રવિભાઈ ચુનારા જણાવે છે કે,કોરોના બાદ ચીલા બે મહિનાથી પતંગ ઓર્ડરની સંખ્યા બમણી થઇ છે,જેને કારણે અમારા રાત દિવસ એક કરી પતંગ નિર્માણ કાર્ય કરવું પડ્યું છે.હાલમાં માંગ વધવાને કારણે ચાલુ વર્ષે ખરીદદારો પણ વધશે.જોકે બેંક મારફતે લોન અને સબસીડી ન મળતી હોય પતંગ નિર્માતાઓ માટે વધુ ઉતાપ્દન કરવું લોઢાના ચાના ચાવવા જેવું છે.ઓર્ડર સામે માલ પહોચા ડવો અને તૈયાર કરવો આધારો છે.જોકે ગત વર્ષ કરતા ત્રણ ઘણું ઉત્ત્પાદન થશે.

પતંગ ઉત્ગુત્જપાદક રમેશચંદ્રાર ચુનારા કે જે વર્તષોથી પતંગ નિર્નામાણ કાર્ય કરે છે તે જણાવે છે કે,ખંભાતના પતંગ ઉત્ત્પદકો આસામથી વાંસ મંગાવે છે.જેના ભાવમાં ૨૦ ટકાનો અને કાગળમાં ૧૫ ટકાનો વધારો થયો છે.એટલે ચાલુ વર્ષે પતંગ ઉત્પાદન વધશે તેની સાથે પતંગના ભાવ પણ ૨૦ ટકા વધશે.
ખંભાતની પતંગો દક્સૌષીણ ગુજરાત ઉપરાંત મધ્રાય ગુજરાત અને ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, જંબુસર, ભરૂચ, રાજકોટ,આણંદ, નડિયાદ જેવા શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માંગ વધી છે.જેને કારણે ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની નિકાસ થઈ રહી છે.ખંભાતના ઉત્પાદકો વર્ષે રૂ.૫ કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેઈલમાં વેચાણ કરતા હતા.આ વર્ષે ૯ કરોડથી વધુ પતંગો બનાવવામાં આવી છે.જેનાથી ખંભાતમાં ૫૦ કરોડ જેટલો ટર્ન ઓવર થશે.રાજ્યભરમાંથી દૈનિક સરેરાશ ૮થી ૧૨ હજાર જેટલાં પતંગ રસિકો, ઉત્પાદકો ખરીદી માટે આવતા હોય છે.ગયા વર્ષે કોરોના મહામારીના કારણે પતંગોનું ઉત્પાદન ૫૦ ટકા થયું હતું.ત્યારબાદ બજાર જામતા પતંગોના ઉત્પાદન પ્રમાણ ૩૦ ટકા વધીને ૮૦ ટકાએ પહોંચ્યો છે.

દીપકભાઈ રમેશચંદ્ર ચુનારા જણાવે છે કે, ખંભાતની પતંગ ચગાવવી સરળ હોય છે.નવાબી કાળથી કુશળ કારીગરો પતંગ નિર્માણ કાર્ય કરતા હોય કલાતામ્ક પતંગો બનાવે છે.ખંભાતની પતંગોની વિશેષતાએ છે કે તેમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિમૉણમાં સક્રિય થયાં છે. હાલ ખંભાતમાં ૬૦૦૦ જેટલાં પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે.જેઓ ઘરે પતંગો બનાવી રોજગાર મેળવે છે.

ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના 52 મા સ્થાપના દિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના 52 મા સ્થાપના દિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રક્તદાન મહાદાન, રક્તદાતા સમાજના સાચા હીરો, રક્તદાન કરો માનવધર્મ બચાવો ,વધુ રક્તદાન કરો વધુ જિંદગી બચાવો : નીરવ શાહ (શાખા મેનેજર) ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ ના 52 મા સ્થાપના દિનની ઉજવણી "રક્તદાન પખવાડિક" તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ ખંભાત શાખા દ્વારા આજરોજ બેંક ના કેમ્પસમાં બ્લડ કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. આ બ્લડ કેમ્પમાં 150

યુનિટ રક્ત એકત્રિત કરી રક્ત દાતાઓએ “રક્તદાન મહાદાન” સૂત્ર સાર્થક કર્યું હતું ખંભાત શાખાના મેનેજર નીરવ શાહે ” રક્તદાતા સમાજના સાચા હીરો” સ્લોગનથી રક્તદાતાઓને સન્માન્યા હતા અને તેઓને પ્રતીકાત્મક ભેટ અર્પણ કરી હતી.
આ અંગે ધી કાલુપુર કોમર્શિયલ બેંકના મેનેજર નિરવ શાહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી ને કારણે નિયમિત રક્તદાન કરનારા દાતાઓ ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેથી રક્તદાન અંગે જનજાગૃતિ જળવાઈ રહે અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી બેંક દ્વારા 52 મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન પખવાડિક તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે જેને લઇ આજે તારાપુર રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ રાખેલ છે અમારી બેંકના ગ્રાહકો અમારી આ ઉજવણી ને માન આપી રક્તદાન કરી સમાજમાં ઉત્તમ પ્રેરણા રૂપ અને ઉપયોગી સાબિત થયા છે. આજરોજ યોજાયેલા કેમ્પમાં 150 યુનિટ બ્લડ એકત્રિત કરાયું છે.
આ પ્રસંગે ચેરમેન નવનીત ભાઈ પટેલ તથા જનરલ મેનેજર સીઈઓ વિનોદ દાદલાણી એ જણાવ્યું હતું કે આજે અમારી બેંક વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી સહકારી બેન્કોમાં પ્રથમ સ્થાન ધરાવે છે બેન્ક ગુજરાતમાં ૬૧ અને મુંબઈમાં ૧ એમ કુલ ૬૨ શાખાઓનું સફળ નેતૃત્વ કરી રહી છે બેંકની અવિરત પ્રગતિ માં સૌથી મહત્વની ભૂમિકા પ્રોફેશનલ ડિરેક્ટર્સ બોર્ડ પારદર્શક ગ્રાહક લક્ષી નીતિ, અને સ્વચ્છ વહીવટ જવાબદાર છે. દર વર્ષે અમારી બેંક દ્વારા સમાજ ઉપયોગી થવાના હેતુસર 62 શાખાઓમાં વિવિધ કેમ્પ દ્વારા બ્લડ બેન્કનું આયોજન હાથ ધરાય છે જેમાં મોટી સંખ્યામાં રક્ત એકત્ર કરી બ્લડ બેન્કને આપવામાં આવે છે
આ પ્રસંગે ભાઈલાલભાઈ પટેલ પ્રભાતસિંહ પરમાર રમણલાલ પટેલ અનુપભાઈ શાહ, જીતુભાઈ શાહ ઘનશ્યામસિંહ ચાવડા રમેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

મારું નડિયાદ,સાક્ષર નડિયાદ


મારું નડિયાદ, સાક્ષર નડિયાદ

મને નડિયાદ વ્હાલું છે, કારણ કે,ઉમરૅઠથી આરંભેલી યાત્રા ખંભાતમાં પાંગરી હતી અને નડિયાદમાં સ્થાયી થતાં વિસ્તરી.અહીંનું સંતરામનું ટ્રાફિક ગમે છે, પાર્કિંગમાં અડચણરૂપ બન્યા પછી બાઇક નમાવવાનું અને પછી સરદાર સાહેબના ઘર પાસેથી શોર્ટ કટમાં ડાકોર રોડ ઉપર થઈ ઉમરેઠ જવાનું ગમે છે. જાંબુની સીઝન હોઈ કે કેરીની, સીતાફળ હોઈ કે ઓરેન્જ સંતરામ મંદિર આત્મિક ખોરાક આપે તો આસપાસનાં ફળો શારીરિક તંદુરસ્તી.કોલેજ રોડ આધુનિકતા ભારતનું દર્શન કરાવે તો મહેમદાવાદ, કપડવંજ અને ડભાણ પંથક ગ્રામ્ય પરિવેશ.ધર્મ અને કર્મનો સુભગ સમન્વય નડિયાદમાં જોવા મળે.મિશન રોડ અને ઉત્તરસંડા રોડ આજે વિસ્તર્યો છે.અહીં સૌમ્ય અને પ્રેમાળ જીવન ધબકતું જોવા મળે.મને મારુ પ્રેમાળ નડિયાદ ગમે છે

એક માન્યતા એવી છે કે નડીઆદનું જુનુ નામ નટપુર કે નટી૫દ્ર હતું, અને આ નગર નટ લોકોએ વસાવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ ઉ૫ર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ? નડીઆદની રૂપા પારેખની પોળના દેરાસરની મૂર્તિ નીચે નટી૫દ્ર નામ છે, જે બતાવે છે કે ઈ.સ.૭૪૬ થી ૧ર૯૭ ના અરસામાં નડીઆદનું અસ્તિત્વ નટી૫દ્ર નામે હશે. ઈ.સ.૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉ૫ર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.’નરસંડા દર્શન’ ના લેખકે નડીઆદનું નામ “નગીનાબાદ” જણાવ્યું છે. ઈ.સ.૧૦૦૭ ના અરસામાં મુસ્લિમ ઈતિહાસકારો નડીઆદને “ઈસ્લામાબાદ” તરીકે ઓળખાવે છે.
દુનિયામાં કયાંય કોઈ૫ણ ગુજરાતીનાં કાને સાક્ષારભૂમિ શબ્દ ૫ડશે, તો તે ચોકકસ નડીઆદનો ઉલ્લેખ જ સમજશે ગુજરાતના સુરત, અમદાવાદ કે એવા બીજા મોટા શહેરોને છોડીને નડીઆદ જેવા મઘ્યમ નગરને જ કેમ આવું ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થયું હશે ? અહીં નવ સાક્ષરો થઈ ગયા એટલે કે ૫છી નડીઆદ જેટલા લેખકો બીજા શહેરોમાં નથી થયા એટલે ? ૫ણ ૧૯ મી સદીના ઉતરાર્ધમાં, એટલે કે ઈ.સ.૧૮૫૦ થી ૧૯૦૦ દરમ્યાન નડીઆદ ગુજરાતમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન બની રહયું હતું. ઈ.સ.૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી સતા કાયમ થઈ, અને યુનિવર્સિટીઓનું ઉચ્ચ શિક્ષણ શરૂ થયું. આ રીતે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિ સાથેના સં૫ર્કથી અંગ્રેજીને ગુજરાતીઓ, તેમાંય ખાસ કરીને સુરતીઓએ સુધારાવાદી ચળવળ શરૂ કરી. આ સમયે નડીઆદ ભારતીય સંસ્કૃતિ અને ૫રં૫રાનું સંરક્ષાણ કરવાનું કેન્દ્ર નડીઆદ બન્યું. રજવાડાઓના એ યુગમાં અહીંના ચાર મિત્રો મનઃસુખરામ ત્રિપાઠી, મણિભાઈ જશભાઈ, હરીદાસ વિહારીદાસ દેસાઈ (ભાઉ સાહેબ) અને રણછોડરામ ઉદયરામની મંડળીને પોતાનાં આવડત, અભ્યાસ અત્ર મુત્સદીગીરીના જોરે મુંબઈથી કચ્છ સુધીના અનેક રજવાડાંઓમાં સતા ભોગવી. ઈન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે કે મનઃસુખરાય અને હરીદાસનો લાભ લઈને નડીઆદના અનેક દેસાઈઓ અને નાગરો કેટલાંય રાજયોમાં દાખલ થઈને સતાધારીને શ્રીમંત બની ગયા. આ રીતે લક્ષ્‍મી, સરસ્વતી અને રાજસતાના ત્રિવિધ તેજથી ચમકતા નડીઆદના સાક્ષરોએ ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિનો જેટલો વિશદ અભ્યાસ કર્યો તેવો ગુજરાતમાં બીજે કયાંય એ સમયગાળામાં થયો ન હતો. આમ, આર્ય સંસ્કૃતિના સંરક્ષાણ કાજે નડીઆદે જે ધૂણી ધખાવી, એના ફળરૂપે આજે ૫ણ તે સાક્ષરભૂમિનું ગૌરવ મેળવી રહયું છે. નડીઆદમાં એક સાથે નવ સાક્ષરોએ ગુજરાતભરમાં પોતાની સાહિત્યિક ૫તાકા ફરકાવી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાથી તો ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યમાં ૫ગ મૂકયો છે. આ ઉ૫રાંત મનઃસુખરામ ત્રિપાઠી, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, દોલતરામ કૃપારામ પંડયા, બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, છગનલાલ હરીલાલ પંડયા, અંબાલાલ બુલાખીરામ જાની, ચંફશંકર નર્મદાશંકર પંડયા અને મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકે નડીઆદના નવ સાક્ષરો તરીકે ધણી નામના મેળવી હતી. આ ઉ૫રાંત નવ ભાગોળો, નવ દરવાજા, નવ તળાવો ધરાવતા નડીઆદ માટે ગુજરાત ઉર્મિકવિ ન્હાનાલાલે સાચું જ કહયું છે કે ગુજરાત આખું નડીઆદને આંગણે સાક્ષરત્વને શોધતું હતું.
નડીઆદ જેની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન રહયું હોય તેવા ર૪૦ થી વધુ લેખકો આ ભૂમિ ઉ૫ર થઈ ગયા છે. કદાચ ગુજરાતના મઘ્યમકક્ષાનાં નગરોમાં આવા અને આટલા લેખકો બીજે કયાંય નહીં થયા હોયળ ઘ્યાનપાત્ર બાબત એ ૫ણ છે કે માત્ર દેસાઈઓ, નાગરો, બ્રાહ્મણો, ૫ટેલો અને વણિકો જ નહીં, ૫રંતુ ખ્રીસ્તી ભાઈઓ, બ્રાહ્મમણ્ સમાજ અને અન્ય કોમના લેખકો સંખ્યા ૫ણ આ ભૂમિ ઉ૫ર ધણી મોટી રહી છે. મોગલે આઝમની લોકપ્રિય ગીત પંકિત મોહે ૫નધટ પે નંદલાલ નડીઆદના રસકવિ રધુનાથ બ્રહ્મભટે લખી છે. તો રાજકપુરના યશસ્વી સર્જન બોબીમાં જૂઠ બોલે કૌઆ કાટે ગીતના કવિ વિઢ્ઢલભાઈ ૫ટેલનું વતન નડીઆદ છે. ગુજરાતના લીજેન્ડ હાસ્યલેખક બકુલ ત્રિપાઠી, જાણીતા કવિ-લેખક પુરુરાજ જોશી અને યશસ્વી કથાકાર ઈવાડેવ ૫ણ નડીઆદના જ છે. ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત ઠાકર, મગનભાઈ દેસાઈ, દી.બા. ગોવિંદભાઈ દેસાઈ, દેસાઈભાઈ નાથાભાઈ ૫ટેલ, પ્રબોધ ૫રીખ, પુ.મોટા, મહેશ ચં૫કલાલ, કૃષ્ણશંકર શાસ્ત્રી (પુ.દાદાજી) જેવા અનેક સર્જકોની ભેટ આ ભૂમિએ ધરી છે. આ સવા બસોથી અઢીસો લેખકો પૈકીના ર૬ સર્જકો એકજ માર્ગ ઉ૫રથી ૫સાર થતાં મળી આવે છે, આ ઉ૫રાંત બીજા અનેક મહાન સર્જકોની સુવાસ નડીઆદની ગલીકુંજોમાં મહેંકી રહી છે. જેમનો ૫રિચય નડીઆદનો અક્ષરદેહ જેવા પુસ્તકોમાં અને અ.સૌ. ડાહીલક્ષ્‍મી લાયબ્રેરીમાં યોજાયેલા કાયમી પ્રદર્શન માંથી મળી રહેશે.
સાક્ષરભૂમિ ઉ૫રાંત નડીઆદની બીજી ઓળખ જય મહારાજ ના ગામ તરીકેની છે. કારણકે આજથી ૧૮૦ વર્ષ અગાઉ દતાત્રેય સ્વરૂ૫ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે અહીં વસવાટ કરીને દિવ્ય જયોતિનો પ્રકાશ પાથર્યો હતો. આ સંતરામ મહારાજે સુખસાગરના ઉ૫નામથી જ્ઞાનભકિતનાં ઉતમ૫દો રચ્યા છે અને તેમની સંત ૫રં૫રાના બીજા અનેક કવિઓએ ૫ણ ઉતમ ૫દો આપ્યાં છે. આ ઉ૫રાંત નડીઆદની ભૂમિએ વીર વિઢ્ઢલભાઈ અને અખંડ ભારતના શિલ્‍પી સરદાર ૫ટેલને ૫ણ જન્મ આપ્યો છે. આ અર્થમાં નડીઆદ સર્જકો અને સપૂતો આ૫નારી ફળફૂ૫ ભૂમિ બની રહયું છે.

આવનાર દિવસોમાં નડિયાદ પ્રેમ, આનંદ અને ધર્મ-કર્મની ભૂમિ તરીકે વિશ્વસ્તરે વિસ્તરે તેવી અભિલાષા.

અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni “સંમેલનની આનંદપૂર્વક ઉજવણી


ન્યુજર્સીમાં એસ.પી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અદ્ભૂત સંમેલન.
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ
અહેવાલ-શૈલેષ રાઠોડ મો-૯૮૨૫૪૪૨૯૯૧
ન્યુજર્સીમાં એસ.પી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અદ્ભૂત સંમેલન.
કાર્યક્રમમાં  સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ. શિરીષ કુલકર્ણી , સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડા, અશોકભાઈ પટેલ સહિતના અગ્રણીઓ  તેમજ ગુજરાતની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-અગ્નારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 અમેરિકામાં વસતા એસ.પી યુનિ.ભૂતપૂર્વ વિધાર્થીઓ કરે છે વર્તમાન વિધાર્થીની ચિંતા;ફંડ એકઠું કરી નિયમિત કરશે સહાય
અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni “સંમેલનની આનંદપૂર્વક ઉજવણી  
ન્યુજર્સીમાં એસ.પી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અદ્ભૂત સંમેલન.
  અમેરિકામાં વસતા એસ.પી યુનિ.ભૂતપૂર્વ વિધાર્થીઓએ ભારતમાં વસતા  વર્તમાન વિધાર્થીઓની ચિંતા કરી ફંડ એકઠું કરે છે. આ માટે આયોજિત ન્યુજર્સીના એડિશન સ્થિત રોયલ ગ્રાન્ડ મેનોર ખાતેના કાર્યક્રમમાં  સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ. શિરીષ કુલકર્ણી , સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડા, અશોકભાઈ પટેલ સહિતના અગ્રણીઓ  તેમજ ગુજરાતની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-અગ્નારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે એસ.પી.યુ. ‘એલ્યુમની”અમેરિકાના પ્રમુખ અલય  પટેલે જણાવ્યું હતું કે,અમેરિકામાં વસતા સરદાર પટેલ યુનિ. ભૂતપૂર્વ વિધાર્થીઓની સંસ્થાને સરદાર પટેલ યુનિ.એ પોતાના ઠરાવ ન.25 માં સ્થાન આપ્યું છે.ઉપરાંત શિષ્ય વૃત્તિનું પણ આયોજન અને જાહેરાત કરેલ છે.અહી સંમેલનની ૧૭મી વાર્ષિક ઉજવણી કરાઈ છે.વિદેશની ધરતી પર યોજાયેલ સ્નેહમિલનમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ-સભ્યો એકત્ર થયા હતા.આ દરેક ચરોતરના વિધાર્થીઓ માટે આર્થિક સહયોગ આપે છે.
આ સંમેલન દરમ્યાન મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ. શિરીષ કુલકર્ણીએ સંબોધનમાં શિક્ષણ માટે શિષ્યવૃત્તિની પ્રવૃત્તિને બિરદાવી હતી.કાર્યકરોની ધગશ, ઉત્સાહ અને શિક્ષણ સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત યુનિવર્સીટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય તે સંદર્ભે વિસ્તારથી દિશાસૂચન કર્યું હતું.

ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડાએ હાસ્યરસ સાથે સૌને પ્રેરણા મળે તેવા બળનું સિંચન કર્યું હતું.તેમજ સ્વ.પૂજય ભક્તિબા અને સ્વ.ગોપાલભાઈ દેસાઈના સુપુત્ર ડૉ. બારીન્દ્રભાઈ દેસાઇનું સન્માન કરાયું હતું.સમારંભના વરિષ્ઠ મહેમાન અશોકભાઈ પટેલના પ્રેરણાદાયી પ્રવચને રંગ રાખ્યો હતો.મૂળ ચાંગાના વતની અને ડેવલોપર અશોકભાઈને ડૉ. અબ્દુલ કલા મે વિશિષ્ટ ભૂતપૂર્વનું એવોર્ડ આપ્યો હતો.ભૂતપૂર્વ કુલપતિ આર.ડી. પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે સમારંભમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલે તેઓના કાર્યની વિસ્તારથી માહિતી આપી હતી.મુખ્ય કાર્યક્રમ પૂર્વે બે સેમિનારે કુ.દુલારી અમીને નવા સાહસની સંપૂર્ણ માહિતી આપી..  ભૂતપૂર્વ વિધાર્થીઓમાં  અમેરિકાની ટિમસી.ઝેડ પટેલ,ડી ડી પટેલ,હર્ષદ પટેલ,રતિભાઈ પટેલ,ભારત પટેલ,મહેન્દ્ર પટેલ,ધર્મેશ પટેલ,ચીનુભાઈ જાની ,અલાય પટેલ,જતીન પટેલ,કમલેશ પટેલ,પિયુષ પટેલ,રૂપ પટેલ,રશ્મિ પટેલ,મિલેશ પટેલ,સચિન પટેલ,પ્રકાશ પટેલ,હિના પટેલ,કમલેશ પટેલ,રિના પટેલ,હસમુખ પટેલ અને હરિભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી.   
-અહેવાલ-શૈલેષ રાઠોડ મો-૯૮૨૫૪૪૨૯૯૧
4 Attachments  ReplyReply to allForward

આજ મારી આંખમાં ટપકી સવાર!


આજ મારી આંખમાં ટપકી સવાર!

આજ આંખ વહેલી ખુલી,
બારણે શિયાળાની ટકોર,
આંગણે જોયું તો ચોમાસાની આંખો વરસે અનરાધાર ને,
શિયાળો પરસેવે અકળાય,
આજ મારી આંખમાં ટપકી સવાર!

કાળાડિબાંગ વાદળો આજે,
ધવલસ્વચ્છ વસ્ત્રોમાં સૂરજને સાથ,
ધુમ્મસની ઘેરબંધી વચ્ચે પંખીનો કલરવ ને,
કુપણો ઝાકળમાં ન્હાય,
આજ મારી આંખમાં ટપકી સવાર!

ચોમાસું આજે સ્મરણે ચડ્યું,
શિયાળો ઠંડીમાં ન્હાય,
દુનિયાની રીત સદા એક જ છે અહી,
સુખ ને દુ:ખ નયનોમાં જ સમાય,
આજ મારી આંખમાં ટપકી સવાર!
-શૈલેષ રાઠોડ

Sustainable Agriculture


What is Sustainable Agriculture?

The word sustainable has become very popular in recent years and it is now used to describe a lot of things. But what is sustainable agriculture? Simply put, sustainable agriculture is the production of plant and animal products, including food, in a way which uses farming techniques that protect the environment, public health, communities, and the welfare of animals. Sustainable agriculture allows us to produce and enjoy healthy foods without compromising the ability of future generations to do the same. The key to sustainable agriculture is finding the right balance between the need for food production and the preservation of environmental ecosystems. Sustainable agriculture also promotes economic stability for farms and helps farmers to better their quality of life. Agriculture continues to be the biggest employer in the world with 40% of the world’s population working in it.

More from Sustainability:

sustainable-agriculture

According to Wikipedia,

Sustainable agriculture is the act of farming using principles of ecology, the study of relationships between organisms and their environment. It has been defined as “an integrated system of plant and animal production practices having a site-specific application that will last over the long term.

Sustainability is a seemingly laudable goal – it tells us we need to live within our means, whether economic, ecological, or political – but it’s insufficient for uncertain times. How can we live within our means when those very means can change, swiftly and unexpectedly, beneath us?
~ Jamais Cascio

If given the choice I’m sure we would all choose to consume natural chemical free food instead of food that is sprayed with pesticides and chemical fertilizers. Sustainable agriculture differs greatly from industrial agriculture where large volumes of crops as well as livestock are produced for sale using industrial techniques. Industrial agriculture relies heavily on pesticides and chemical fertilizers and other chemical enhancers. In the past decade the majority of food we ate has been grown in this manner. In 1996 only 20% of the corn in the United States was genetically modified, that number had reached 88% by 2006. However in the last couple of years, due to the negative aspects of the technique, there has been a slight shift towards the use of sustainable agricultural methods.

Methods of Sustainable Agriculture

1. Crop Rotation: Crop rotation is one of the most powerful techniques of sustainable agriculture. Its purpose is to avoid the consequences that come with planting the same crops in the same soil for years in a row. It helps tackle pest problems, as many pests prefer specific crops. If the pests have a steady food supply they can greatly increase their population size. Rotation breaks the reproduction cycles of pests. During rotation, farmers can plant certain crops, which replenish plant nutrients. These crops reduce the need for chemical fertilizers.

2. Cover Crops: Many farmers choose to have crops planted in a field at all times and never leave it barren, this can cause unintended consequences. By planting cover crops, such as clover or oats, the farmer can achieve his goals of preventing soil erosion, suppressing the growth of weeds, and enhancing the quality of the soil. The use of cover crops also reduces the need for chemicals such as fertilizers.

3. Soil Enrichment: Soil is a central component of agricultural ecosystems. Healthy soil is full of life, which can often be killed by the overuse of pesticides. Good soils can increase yields as well as creating more robust crops. It is possible to maintain and enhance the quality of soil in many ways. Some examples include leaving crop residue in the field after a harvest, and the use of composted plant material or animal manure.

4. Natural Pest Predators: In order to maintain effective control over pests, it is important to view the farm as an ecosystem as opposed to a factory. For example, many birds and other animals are in fact natural predators of agricultural pests. Managing your farm so that it can harbor populations of these pest predators is an effective as well as a sophisticated technique. The use of chemical pesticides can result in the indiscriminate killing of pest predators.

5. Bio intensive Integrated Pest Management: Integrated pest management (IPM). This is an approach, which really relies on biological as opposed to chemical methods. IMP also emphasizes the importance of crop rotation to combat pest management. Once a pest problem is identified, IPM will mean that chemical solutions will only be used as a last resort. Instead the appropriate responses would be the use of sterile males, and biocontrol agents such as ladybirds.

organic-farm

Benefits of Sustainable Agriculture

1. Contributes to Environmental Conservation: The environment plays a huge role in fulfilling our basic needs to sustain life. In turn, it is our duty to look after the environment so that future generations are not deprived of their needs. Sustainable agriculture helps to replenish the land as well as other natural resources such as water and air. This replenishment ensures that these natural resources will be able for future generations to sustain life.

2. Public Health Safety: Sustainable agriculture avoids hazardous pesticides and fertilizers. As a result, farmers are able to produce fruits, vegetables and other crops that are safer for consumers, workers, and surrounding communities. Through careful and proper management of livestock waste, sustainable farmers are able to protect humans from exposure to pathogens, toxins, and other hazardous pollutants.

2. Prevents Pollution: Sustainable agriculture means that any waste a farm produces remains inside the farms ecosystem. In this way the waste cannot cause pollution.

3. Reduction in Cost: The use of sustainable agriculture reduces the need for fossil fuels, resulting in significant cost savings in terms of purchasing as well as transporting them. This in turn lessens the overall costs involved in farming.

4. Biodiversity: Sustainable farms produces a wide variety of plants and animals resulting in biodiversity. During crop rotation, plants are seasonally rotated and this results in soil enrichment, prevention of diseases, and pest outbreaks.

5. Beneficial to Animals: Sustainable agriculture results in animals being better cared for, as well as treated humanely and with respect. The natural behaviors of all living animals, including grazing or pecking, are catered for. As a result they develop in a natural way. Sustainable farmers and ranchers implement livestock husbandry practices that protect animals’ health.

6. Economically Beneficial For Farmers: In exchange for engaging with sustainable farming methods, farmers receive a fair wage for their produce. This greatly reduces their reliance on government subsidies and strengthens rural communities. Organic farms typically require 2 ½ times less labor than factory farms yet yield 10 times the profit.

7. Social Equality: Practicing sustainable agriculture techniques also benefits workers as they are offered a more competitive salary as well as benefits. They also work in humane and fair working conditions, which include a safe work environment, food, and adequate living conditions.

8. Beneficial For Environment: Sustainable agriculture reduces the need for use of non-renewable energy resources and as a result benefits the environment.

Due to population increase, it is estimated that by 2050 we will need approximately 70% more food than is currently being produced in order to provide the estimated 9.6 billion world population with their recommended daily calorie intake. This is by no means a small challenge, but unlike many other sustainability challenges, everyone can play a part. We all need to eat, but by simply reducing food loss and waste, as well as eating diets that are lower impact, and investing in sustainable produce, we can make a difference. From countries, to companies, right down to consumers, we all have a role to play. The challenge is simply making people care in a world where we are surrounded by such abundance.

References

Sustainable Agriculture

10 Sustainable Agriculture Methods and Farming Practices


10 Sustainable Agriculture Methods and Farming Practices

September 23, 2015 Sustainable Farming Written by Greentumble

Sustainable farming
When you take a walk through the authentic

Romanian countryside, you will see people working on their fields from the early morning until the evening. You will see them manually weeding rows of corn and beans, you will see them carefully planting potatoes, cabbage, onions, carrots, or beets on some plots, while sowing clover and alfalfa over other parts as animal fodder. Every inch of their land is utilized for producing food for their families and their animals.

These are subsistence farmers. Their land is their biggest treasure and they care for it more than they care for their own health, often working outside under the scorching summer sun to ensure the best harvest, to stack up hay rich in meadow flowers from their high-value grasslands, or spending all day in the rain preparing the soil for the next season.

These people have unique relationship with the land. Their families have been farming the same land for generations and the first lesson they have learnt was to do it sustainably. Otherwise, their harvest would fail. They would end up hungry in the winter. They would have to watch their kids and animals suffer.

While it is clear that not everyone can become a subsistence farmer and agriculture needs to supply increasing amounts of food to growing populations at low prices, it is also clear that it cannot be achieved in the highly industrial and damaging manner it has been doing in the last few decades. We have increasing evidence that in many places this has led to soil degradation and environmental pollution which impairs health of many people even far away from the affected areas.     

This time, when we are challenged by the changing climate, calls for a smarter approach to farming. An approach for the long-term sustainability of our food production systems. Quick Navigation for Sustainable Agricultural Practices and Farming Methods1. Permaculture2. Biodynamic farming3. Hydroponics and Aquaponics4. Urban agriculture5. Agroforestry and food forests6. Polycultures and crop rotation7. Heirloom and older varieties8. Natural animal raising9. Natural pest management10. Mulching and manual weed control

What is meant by sustainable agriculture?

A sustainable food system is one that does not require chemicals, conserves energy and water, emphasizes local production, decreases inputs and utilizes resources more efficiently on site, values biodiversity and ecology, and works within our global natural resource limitations.

In order for agriculture to be truly sustainable, it must incorporate following principles:

  • The needs of people: provide nutrient rich food for farmers, farm families, communities, help to maintain good public health, but also improving the quality of life in rural areas.
  • Profit: a farming operation must be profitable, or it will go out of business quickly.
  • The planet and the environment: farming practices must be ecologically sound, promoting healthy biodiversity and sensible management of natural resources.

Benefits of sustainable agriculture for the environment and our wellbeing

Unlike intensive agriculture, sustainable farming has a great potential for benefiting the environment and preserving natural resources. It does so by following natural cycles, recycling nutrients and water, while omitting excessive use of agricultural chemicals.

Sustainable agriculture strives to help the environment by:

  • Reducing agricultural runoff;
  • Preventing pollution of lakes and rivers;
  • Saving water;
  • Naturally maintaining soil fertility by recycling nutrients on farm;
  • Enhancing carbon sequestration by soils and perennial vegetation;
  • Promoting energy efficiency of farming operations;
  • Decreasing emissions of air pollutants and greenhouse gases;
  • Creating habitats for pollinators and beneficial insects;
  • Ensuring welfare of farm animals but also providing space for the respectful coexistence with native wildlife [1].

Our wellbeing is closely linked to the health of the environment where we live. Since sustainable farming methods affect the environment in a positive way, they also contribute to our quality of life.

Firstly, and most importantly, sustainable agriculture produces safe food with high nutritional value. The quality of food is now more important than ever before. Numerous studies found out that the nutritional content of grains and fruits with vegetables keeps decreasing. Scientists believe that popular high yielding varieties of crops often have poorer capacity of absorbing nutrients from the soil due to their weaker root systems, which can result in the lower nutritional content of the final produce [2].

Sustainably grown crops

And negative effects of increased pesticide levels in foods produced from intensively farmed lands do not even have to be mentioned. Everyone probably agrees that less pesticides and other chemicals used to grow food is only better for us.  

Food diversity is also much greater from sustainable farms, as they are not solely focused on producing cash crops like corn or wheat. Instead, they often cultivate local varieties in highly diversified farming systems.

But that’s not all. There are more advantages to sustainable farming in terms of providing economic opportunities to rural communities, such as giving jobs to young people and supporting socio-economic development of rural areas. At the same time, sustainable food production is better adaptable to climate change and helps to strengthen ecosystem resilience [3]. Both of these characteristics are extremely important for building a successful food production system that will withstand future challenges.

border-line-red

10 Sustainable farming methods and practices

Sustainable farming system doesn’t have to be only organic agriculture. There are more methods that overlap in many principles that are sustainable in the long-run and may be 100 percent organic or at least from the biggest part.

The following ten sustainable farming methods and practices are just a few examples of the many ways that we can achieve a much more sustainable agriculture.

#1 Permaculture

Permaculture is a design system that applies principles that are found in nature to the development of human settlements, allowing humanity to live in harmony with the natural world. Permaculture principles and ethics can be applied to almost any area of living, including local economies, energy systems, water supplies, housing systems, and food production.

Foundational to producing food through permaculture is intention, design, and “working smarter not harder” to banish waste and to create efficient systems.

There is a particular emphasis on the use of perennial crops such as fruit trees, nut trees, and shrubs that all function together in a designed system that mimics how plants in a natural ecosystem would function.

Permaculture design techniques include herb spiralshugelkultur garden bedskeyhole and mandala gardens, sheet mulching, growing grain without tillage, each plant serving multiple purposes, and creating swales on contour to hold water high on the landscape.

#2 Biodynamic farming

Biodynamics incorporates ecological and holistic growing practices that are based upon the philosophy of “anthroposophy.” Farmers are encouraged to manage their farm as one living organism where cultivated species intertwine and support each other’s health.

Biodynamics farm chicken and pigs

This includes raising animals on a farm in a way that they help replenish soil fertility and enhance plant growth. One of the building pillars of biodynamics is high biodiversity of plants, animals and beneficial insects. The goal is the creation of a resilient ecosystem that benefits us and other living organisms.    

Biodynamics emphasizes the importance of reducing the use of off-site inputs (such as importing soil fertility) by generating the necessary health and soil fertility for food production onsite. This is achieved through the implementation of practices such as composting, application of animal manure from farmed animals, cover cropping or rotating complementary crops.

It also places great importance on working with the natural phenomenon of the cosmos and its influences upon the heath of the soil, plants, and animals during different moon and sun cycles.

Biodynamic practices can be applied to farms that grow variety of produce, gardens, vineyards, and other forms of agriculture.

#3 Hydroponics and aquaponics

These innovative farming techniques involve the growing of plants without soil, nourishing the plants through specialized nutrients that are added to water.

In hydroponic systems, crops are grown with the roots directly in a mineral solution or with the roots in an inert medium like gravel or perlite.

Aquaponics combines the raising of aquatic animals (such as fish) with the growing of hydroponic crops. In aquaponic systems, the water containing the waste material from the aquaculture fish is used to nourish the hydroponic plants. After the water is used by the plants, the water is then recirculated back into the system to be reused by the fish.

Both hydroponic and aquaponic systems are available in a variety of scales, from small home-scale systems to commercial-scale systems.

#4 Urban agriculture

The need to localize our food system requires that we grow food much closer to home, including in cities. Since most of the global population is predicted to live in cities in the future, there is a tremendous opportunity for urban agriculture to make a significant positive impact moving forward when it comes to how we produce our food around the world.

Hydroponic lettuce

Today, many innovative and sustainable growing techniques are already being used in cities, including backyard farms and gardens, community gardens, rooftop farms, growing crops in urban greenhouses, indoor hydroponic farms, and perhaps even growing food inside urban farm towers someday.Further reading: What Is Urban Agriculture?

#5 Agroforestry and food forests

Agroforestry involves the growth of trees and shrubs amongst crops or grazing land. Agroforestry systems can combine both agriculture and forestry practices for long-lasting, productive, and diverse land use when approached sustainably.

In agroforestry systems, trees create a favorable microclimate that maintains favorable temperature and soil humidity, while protecting crops from wind or heavy rain. Trees have another important role. They stabilize soils, minimize nutrient runoff and improve soil structure. This is the reason why agroforestry has become one of the powerful tools of farmers in dry regions with soils susceptible to desertification.

Besides promoting healthy growth of food crops and maintaining soil fertility, trees in this farming system provide wood and fruits as an additional source of income for farmers. In these systems, possibilities for product diversification are many. Farmers can go even as far as growing a whole edible forest.

Patterned after natural forest ecosystems, food forests (also known as “forest gardens”) are designed permaculture systems that consist of a multilayered edible “forest.” Such a “forest” is composed almost entirely of perennial food plants, including a canopy of tall and dwarf fruit and nut trees, a fruit shrub layer, layers of perennial herbs, mushrooms and vegetables at the ground level, climbing plants, and root vegetables underground.

Food forest systems are very productive, due to both the diversity of plants that are growing there, and all of the plants within the system that are taking advantage of each existing niche within the system.

#6 Polycultures and crop rotation

Both of these techniques are trying to mimic natural principles to achieve the best yields.

Polyculture farming involves growing multiple crop species in one area. These species are often complementary to each other and aim at producing greater diversity of products from one plot while fully utilizing available resources. High biodiversity makes the system more resilient to weather fluctuations, promotes balanced diet and applies natural mechanisms to preserve soil fertility.

Polyculture crops

Crop rotation is based on growing a series of different types of crops in the same area in sequential seasons. The planned rotation may vary from a growing season to a few years or even longer periods. It is one of the most effective agricultural control strategies that is used in preventing the loss of soil fertility.

By diversifying the crops that are grown on an area of land in polycultures and through the rotation of crops that are grown, farmers can greatly reduce the opportunity for disease and pests to take hold. It is because their development cycles get interrupted by changing crops. These practices also lead to reductions in the need to apply fertilizers and pesticides.Further reading: Biointensive Farming: The Future of our Food Production System

#7 Growth of heirloom and older varieties

Today, due to the industrialization of the global food system, only a few varieties of our food plants are grown commercially. This situation evolved in order to meet market demand for the viability of produce to travel long distances and to be stored for long periods of time.

Over the last 100 years, the world has lost almost 90 percent of the fruit and vegetable seed varieties that were once available [4].

This reduced genetic variety in our food crop species reduces those species’ opportunity to adapt to changes in climate, diseases, and pest conditions in the environment [4].

There is currently a great need to grow heirloom and older varieties of crops in order to preserve the biodiversity of seeds. If gardeners and farmers do not continue to grow heirloom and other older varieties of plants and save their seeds, many of the remaining varieties of our food plants could be lost to the world forever.

Losing traditional varieties could be compared to losing an important source of genetic information and part of our ancestral heritage, as these plants have adapted precisely to make the most out of local conditions. Generations of our ancestors have spent decades of selecting only the best seeds that have provided the most nutritious and flavored food. Their quality is often supreme, and it is rather wasteful to let them disappear.

It was these varieties that have nourished our ancestors, and therefore, contributed to who we are today. They deserve to be preserved because their unique traits may help us in establishing future climate-resistant varieties that will nourish our children.

#8 Natural animal raising

Sustainable animal farming is possible and is better for everyone. Not only that it is good for the environment and our nutritional needs, it is also good for the animals. Animals that are raised on the pasture or in their preferred environment live under less stress, closer to their natural way of living. They can have fulfilling social interactions with other animals and behave in a way that is natural to them (roll in the mud, pick plants they want to eat, rest side by side, play).

Sheep grazing

Allowing animals to graze and live in pasture is much healthier for animals than confined animal feeding operations are. You will even notice that these animals are cleaner, smell better and have that curious spark in their eyes. Their health and happiness reflect in the quality of products we get from them. Tastier meat, yellower eggs, milk richer in the mineral and vitamin content.

Since animals and grasslands have evolved in a mutually beneficial relationship, livestock grazing and other pastoral systems enrich the land in multiple ways. Manure returns nutrients back into the soil, completing the natural nutrient cycle. Soils get aerated by the animal hoof action and greater diversity of plants flourishes because animals suppress dominant species, providing opportunity for a variety of rarer plants.

Grasses also grow stronger root systems and abundant tufts after being grazed and trampled under the hooves. This helps to prevent erosion, build soil through the rich growth of diverse pasture grasses, sequester carbon emissions in the soil from the atmosphere, and conserve grassland habitats that can host many other species of wildlife and insects [5].

#9 Natural pest management

One of the main aims of sustainable agricultural practices is the prevention of the use of synthetic pesticides and other chemicals that should suppress pest infestations and pathogens. Applying increasing amounts of chemicals to grow food is not part of the long-term solution and doesn’t help our health either. Farmers from sustainable farms, therefore, look for solutions in nature and try to recreate conditions that do not favor pests.

They achieve this through the set of practices that strengthen natural resilience of crops and practices that interrupt pest cycles.

Greater diversity of crops, intercropping and crop rotations are among the methods that have proven successful. The key to their success lies in dispersing preferred food sources of pests by blending in crops they do not favor. Additionally, diverse crops attract diverse insects and some of them are natural predators of pests, helping to keep their populations within limits, thus mimicking how the real ecosystem balances itself out.  

Farmers can also release or provide habitat for populations of beneficial insects (such as ladybugs, lacewings, and fly parasites), as well as encourage other organisms (such as birds and bats) that will serve as predators of crop-eating pest insects.Further reading: Why You Need Insect Houses for the Garden

#10 Mulching, groundcovers, and manual weed control

Farmers and other growers can dramatically reduce the growth of weeds and conserve soil moisture by covering the soil around their plants through the use of mulching and ground covers.

By naturally suppressing weed growth, these practices greatly reduce, or in some cases even eliminate, the need to apply herbicides to kill weeds. And the most stubborn weeds that appear from time to time can be easily controlled by hand because their numbers are minimized.

Strawberries on straw mulch

We can see this practice widely applied on strawberry fields where plants need to have larger spacing between them, which would give the opportunity for weeds to take over. A layer of protective material on top of the soil even keeps strawberries from rotting too fast, as they do not lay directly on the hard soil while ripening. Afterall, as their name suggests “straw-berries,” people have known about the benefits of growing these yummy fruits surrounded by the straw ground cover for many generations.

Organic mulch material like, for example, wood chips, straw or grass clippings also improves nutrient retention in soils and encourages activity of soil microorganisms that help create healthy aerated soil structure. This reduces the need for tillage as soils are less compacted [6].


References

[1] https://ec.europa.eu/agriculture/sites/agriculture/files/events/2012/rio-side-event/brochure_en.pdf
[2] http://www.worldwatch.org/node/5339
[3] http://www.fao.org/3/I9900EN/i9900en.pdf
[4] http://www.fao.org/tempref/docrep/fao/010/ai502e/ai502e02.pdf
[5] https://foodprint.org/issues/raising-animals-sustainably-on-pasture/
[6] https://www.daff.gov.za/Daffweb3/Portals/0/Brochures%20and%20Production%20guidelines/Poster%20Mulchin.pdf

The truth of fasting:Shailesh Rathod


The truth of fasting-Shailesh Rathod

What is intermittent fasting?

Intermittent fasting is a broad term that covers following a pattern of eating that involves a set amount of time where you don’t eat (or eat an incredibly restricted number of calories), followed by one in which you do.

The most popular version involves fitting all of your daily food consumption into an eight-hour window, followed by 16 fasted hours. For example, you could eat between 10:00 a.m. and 6:00 p.m. every day and fast between 6:00 p.m. and 10:00 a.m. (including the hours you’re asleep). There’s also the 5:2 diet, in which you split your week into five days of eating whenever you want and two days where you seriously restrict your calories—500 for women, 600 for men. (Personally, I find this one to be the easiest of the option.)

While fasting may seem extreme and irregular, proponents argue that humans actually ate this way for most of history, since hunters-gatherers ate as food was available, not at set mealtimes. Plus, fasting is an age-old part of nearly every religious tradition.
Are there risks to intermittent fasting?

So far, this all sounds really good, right? But there are of course caveats.

Low calorie intake always comes with risks, which is why it is important to ensure that you are getting adequate calories and proper nutrients while following this style of eating. Hunger can be a real issue, which in turn can lead to stress. Prolonged stress of any sort can increase inflammation in the body.

Confining yourself to a specific way of eating for a short time can also lead you down a long road of yo-yo dieting, and some argue fasting can lead to disordered eating.

Finally, the results of some animal studies suggest intermittent fasting could affect fertility in women, so you should skip it if you’re trying to get pregnant.
The bottom line

At the end of the day, my feelings on intermittent fasting boil down to a few questions: Is it going to be doable for you? Will it make healthy eating easier or harder for you?

Some people say it simplifies their eating, but if you work long, unpredictable hours and have trouble planning meals ahead, trying to stick to a plan like this may drive you crazy. It also won’t work if you’re someone whose social life often revolves around food. Spontaneous dinner dates with friends or late-night tapas after a concert? Buh-bye.

If you do think it might work for you, make sure you’re still eating in a healthy way, AKA getting all of the proper nutrients from the calories you are consuming! Focusing on real, whole foods and skipping the junk will prevent nutrient deficiencies.

If it sounds like the wrong approach, don’t beat yourself up about missing out on potential benefits. Just continue with a balanced, healthy diet and be mindful of your hunger quotient to keep overeating at bay and maintain a healthy lifestyle.

સાહિત્યકાર અનિલ વાઘેલા લિખિત બે પુસ્તકોનો વિમોચન સમારંભ યોજાયો


પ્રખર સાહિત્યકાર અનિલ વાઘેલા લિખિત બે પુસ્તકોનો વિમોચન સમારંભ યોજાયો

ગુજરાતી સાહિત્યમાં 20 જેટલા પુસ્તકોની રચી સાહિત્યનું સર્જન કરનાર નડિયાદના કર્મશીલ સર્જક અનિલ વાઘેલા લિખિત 2 પુસ્તકોનો વિમોચન સમારંભ સૌજન્ય પાર્ક,નડિયાદ ખાતે યોજાઈ ગયો.જેમા એકાંકી સંગ્રહ”જબ ચિડિયા ચુગ ગઈ ખેત”અને લેખ સંગ્રહ “અનિલ વાઘેલાનો સાહિત્ય વૈભવ”પુસ્તકોનું વિમોચન ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચના સભા પુરોહિત ફાધર ટોનીના વરદ હસ્તે કરાયું હતું.આ પ્રસંગે ક્મુબેન વાઘેલા, શૈલેષ રાઠોડ,વિજય વાઘેલા,ડો.પ્રીતિ રાઠોડ,અજય વાઘેલા ઉપસ્થિત રહી અનિલ વાઘેલાના સાહિત્ય અને જીવનનો પરિચય આપ્યો હતો.
“જબ ચિડિયા ચુગ ગઈ ખેત”એકાંકીસંગ્રહ વિશે ડો.પ્રીતિ રાઠોડે જણાવ્યુ હતું કે,”નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા તૈયાર કરાયેલ આ એકાંકી સંગ્રહમાં કુલ 14 નાટકો છે.આ નાટકોમાં માનવીની અંદરનું અને બહારનું ચિત્ર અંકિત કરાયું છે.અનિલ વાઘેલાના સાહિત્યમાં સાચો માનવી ડોકાઈ છે.તેઓ દરેક વાર્તા અને નવલકથાને દિલથી લખી વાચકો સમક્ષ મૂકે છે.
આ પ્રસંગે શૈલેષ રાઠોડે જણાવ્યુ હતું કે,અનિલ વાઘેલાના લેખનમાં સચ્ચાઈનો રણકો છે.તેઓ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પ્રવાસ ખેડી માનવીની વાસ્તવિકતા જાણી સાહિત્ય સર્જન કરે છે.અત્યાચારના કિસ્સાઓમાં પણ તેઓએ સ્થળ ઉપર જઈ લેખન કર્યું છે.તેઓ ઉત્તમ સર્જક અને કર્મશીલ છે.
ધર્મગુરુ ફાધર ટોનીએ જણાવ્યું હતું કે,લેખન કળા એ ઈશ્વરની ભેટ છે.અનિલભાઈ વાઘેલાએ પીડિતોની પડખે રહી માનવ મૂલ્યોને ઉજાગર કરતું સાહિત્ય રચ્યું છે.

અનિલ વાઘેલાએ પોતાની સર્જન યાત્રાની માહિતી આપી જણાવ્યુંવહતું કે,”મેં મારું સાહિત્ય એવોર્ડ માટે નહીં પણ લોકભોગ્ય બને તે માટે રચ્યું છે.અનુભવો, સંઘર્ષ અને સહુના સહયોગથી હું સર્જન કરતો રહ્યો છું સહુ વાચક વર્ગનો આ તબક્કે આભાર માનું છું.
વિજય વાઘેલાએ સાહિત્ય ખેડાણના ચડાવ ઉતારની માહિતી આપી હતી.અજય વાઘેલાએ સાહિત્ય અને સંગીતની માહિતી આપી હતી.અજય વાઘેલાએ સ્મરણો રજૂ કરી અનિલ વાઘેલાને શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે કમુબેન વાઘેલાએ સાહિત્ય સર્જનમાં સહયોગીઓની વિગતો આપી હતી.કૃતિ વાઘેલા અને યુગ રાઠોડે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.શ્રધ્ધા વાઘેલા,અર્થ વાઘેલા અને અક્ષર વાઘેલાએ પ્રાર્થના-સંગીત ને નૃત્ય રજૂ કર્યું હતું.ઉર્મિ વાઘેલા અને દીપા વાઘેલાએ મહેમાનોનું સન્માન કર્યું હતું.

ચાર દીવાલો તોડી ઈશ્વરને બહાર લાવીએ!


omnipresence

હું ને તમે ધર્મસ્થાનોની દીવાલોમાં ચણાઈ ગયા છે.આ સ્થાનોમાં જ આપણે ઈશ્વરને જોઈ પ્રેમાળ બની જઈએ છે. બહાર નીકળી ઈશ્વરનો ડર ભૂલી મનસ્વી,બેજવાબદાર જીવન તરફ પ્રયાણ કરીયે છે.
મંદિરમાં ઘી ને દૂધ, મસ્જિદમાં અગરબત્તી ને ચાદર તો ચર્ચમાં મીણબત્તી… વર્ષોથી ઈશ્વરને ગૂંગળાવી રહ્યા છે.ધર્મને ખુલ્લી હવા ને ખુલ્લુ આકાશ જોઈએ છે.ધર્મને વડાઓમાથી બહાર આવી ખુલ્લા આકાશમાં વિહરવું છે.ધર્મને શીખવવું છે કે ધર્મ સ્થાનો ઉપર કોઈનો હક્ક નથી.ઘોડા સહુ કોઈ બેસી શકે.ધર્મ ઉપર કોઈ નેતાનો હક્ક નથી.ધર્મ કોઈની જાગીર નથી.

કોણે શું ખાવું?શું પહેરવું?કેવું જીવવું?કોની સાથે લગ્ન કરવા એ ધર્મ કે ધર્મના પ્રિપેડ માણસોએ નક્કી કરવાનું નથી.ધર્મ સ્વતંત્રતા અર્પે,બંધન નહીં.ધર્મ જીવન આપે,છીનવે નહીં.કોઈનું ઘર બનાવે-સળગાવે નહીં!

વસ્ત્રોથી કે વિધિઓથી ઈશ્વર સમીપ પહોંચાતું નથી.આંતરવસ્ત્ર શુદ્ધ હોવું જોઈએ.
ધર્મને હવે ધર્મપુસ્તકો નહીં, સંત પુરુષો નહીં, નેતાઓ ચલાવી રહ્યા છે.ધર્મની ચાર દીવાલો તોડી ઈશ્વરને 21મી સદીની દ્રષ્ટિએ સમજવાની જરૂર છે.પવન પાવડીનું સ્થાન ફાઇટર જેટ વિમાને, આમતેમ ફરતા ફરતાહવામાં અથડાતાં જાત જાતનાં બાણનું સ્થાન એકે 56 ને લીધું છે.રાક્ષસો નું સ્થાન લાદેન જેવા સાધનોથી સજ્જ પુરુષોએ લીધું છે.વૃક્ષો નીચે ચાલતાં ગુરુકુળનું સ્થાન A.C સ્કૂલોએ લીધું, તપ કરતા સાધુ સંતો મહેલો અને રાજનીતિમાં મહાલે છે… કેટકેટલયુ બદલાયું છે.. ત્યારે ધર્મને ચાર દિવાલોમાંથી બહાર લાવી માનવીય બનાવવાની જવાબદારી માનવીની છે. ધર્મ નેતાઓના હાથમાંથી લઈ ધર્મ પુસ્તકો અને સાચા ધર્મગુરુઓ(નેતાઓના ટટુઓ નહીં)હાથમાં હોવો જરૂરી છે.
ચાર દીવાલો તોડી,ખુલ્લી હવામાં ઈશ્વરને બહાર લાવીએ.

ઈશ્વર સાથેનું તાદાત્મ્ય માત્ર મંદિર, મસ્જિદ કે ચર્ચની ચાર દીવાલો દ્વારા સાધી ન શકાય.

-શૈલેષ રાઠોડ

વિદેશમાં રહી દેશની સેવા કરતાં ખંભાતના સેવકર્મી વિનોદભાઇ શાહ


૫૬ રૂપિયા લઇ અમેરિકા પહોચેલા ખંભાતના જૈન અગ્રણીનો અનોખો દેશપ્રેમ

“મારા અભિયાન પછી તેમાંથી અનેક અભિયાનોની જ્યોત પ્રસરી છે તે મારી સફળતા છે.”

‘મારો સેવાયજ્ઞ છેવાડાના નાગરિક સુધી પહોચે તે માટે હું પ્લાનીગ કરું છું”-વિનોદભાઈ શાહ

“ઈશ્વર મારો માર્ગ નક્કી કરે છે.ઈશ્વરના મંદિરોમાં દાન કરવા કરતાં ઈશ્વર મને ઈશ્વરે બનાવેલા માનવીઓની સેવા કરવા સતત પ્રેરણા આપે છે.શિક્ષણ,પર્યાવરણ અને વિકલાંગો માટે સેવાયજ્ઞ ચાલુ રહેશે.૫૬ રૂપિયા લઇ અમેરિકા ગયો હતો એ સ્મરણ આજે પણ હૈયે રાખી ભારતનું ઋણ અદા કરું છું.મેં માત્ર અભિયાન શરુ કર્યું પણ આ અભિયાન ગામે ગામ પહોચાડનાર સહાયકો સાચા દાની છે.કપડાં,ભોજન અને બુટ ચંપલનું અભિયાન ભારત,આફ્રિકા,કોરિયા સુધી પહોચ્યું છે.મારા અભિયાન પછી તેમાંથી અનેક અભિયાનોની જ્યોત પ્રસરી છે તે મારી સફળતા છે.”આ શબ્દો છે મૂળ ખંભાતના અને અમેરિકામાં સ્થાયી થઇ ભારતીયોની ચિંતા કરતાં અને વસ્તુઓ તેમજ આર્થિક સહયોગ દ્વારા સેવાયજ્ઞ ચલાવતા વિનોદભાઈ શાહના છે.

અમેરિકામાં ફર્માંસીષ્ટ તરીકે સેવારત ખંભાતના વિનોદભાઈ શાહ એક લાગણીશીલ અને વતન પરત્વેનું ઋણ અદા કરવા કટિબદ્ધ સેવાકર્મી છે.પિતા કરિયાણાની દુકાન ચલાવતા પણ શિક્ષણની ભૂખને કારણે પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં અને ઉચ્ચ શિક્ષણ બી.ફાર્મ અમદાવાદમાં પૂર્ણ કરી ૧૯૭૬માં અમદાવાદમાં મહીને ૧૫૦ રૂપિયાની નોકરી શરુ કરી.વિનોદભાઈ શાહ પોતાની કારકિર્દી ઘડતરમાં રણજીતરાય શાસ્ત્રીના યોગદાનનો આભાર માને છે.

પોતાના સંઘર્ષનું વર્ણન કરતાં વિનોદભાઈ શાહ જણાવે છે કે,”બી.ફાર્મ કર્યા પછી સતત નોકરીમાં સંઘર્ષ કરવો પડ્યો.મામાના ઘરે મુંબઈ રહી ત્રણ વર્ષ નોકરી કરી.મારી પાસે ૫૬ રૂપિયા એટલે કે ૮ ડોલરની બચત હતી.ત્યારે ડોલરનો ભાવ ૭ રૂપિયા હતો.૮ ડોલર લઇ અમેરિકા ઉપાડી ગયો ને ત્યાં ગ્રીનકાર્ડ મળતાં જ દિશાઓ ખુલી ગઈ.મેં-૧૯૭૭ માં ચોથા વર્ષે અમેરિકામાં સિટીઝન મો દરજ્જો મળી ગયો.શિકાગોમાં ૨૦ વર્ષ રહ્યો અને ફાર્મસીની શોપ શરુ કરી.

કોઇપણ સ્ટેટમાં પ્રેકટીશ કરવાનો હક્ક મળ્યો હોઈ કાતિલ ઠંડી ધરાવતા શિકાગો સ્ટેટ છોડી પરિવાર સાથે ટેક્સાસ કાયમી રહેઠાણ બનાવ્યું.છેલ્લા ૨૨ વર્ષથી ટેક્સાસમાં રહી ભારત પરત્વેનું ઋણ અદા કરી રહેલ વિનોદભાઈ શાહ જણાવે છે કે,મારા દેશે મને આદર્શ વિચારધારા આપી છે.દેશના સંસ્કારોએ પ્રેમાળ હૃદય અને લાગણી આપી છે.અમેરિકાએ આર્થિક સધ્ધરતા અર્પી છે તો ભારતે મક્કમતા.દેશનું ઋણ અદા કરવા માટે અમે સીનીયર ભારતીય સીનીયર સીટીઝનગ્રુપ કાર્યરત છીએ.

પોતાની સેવા પ્રવૃતિઓનો ખ્યાલ આપતા જણાવે છે કે,જૈન સોસાયટીના ઉપક્રમે અમે સૂઝ કલેક્શન શરુ કર્યા.વપરાયેલા છતાય ઉત્તમ ગુણવત્તાના સૂઝ અમે જરૂરિયાતમંદ લોકોને આફ્રિકા,કોરિયા અને ભારત મોક્લીએ છીએ.લગ્નો અને ઉત્સવોમાં અમેરિકામાં મોઘાંદાટ કપડાં લોકો પહેરે.બે કે ત્રણ વાર પહેર્યા પછી આ કપડાં ગાર્બેજમાં ન જાય તેનું ધ્યાન રાખી અમે આવા ડ્રેસ,સાડીઓ,પેન્ટ-શર્ટ,શૂટનું કલેશન કરીએ છીએ.

ગુજરાતમાં સ્થાનિક મિત્રો પીયુષ ગાંધી જેવાના સહયોગથી આ કપડાનું જરૂરિયાતમંદોને નીયામતી વિતરણ કરીએ છીએ.અમારો આ યજ્ઞ સતત ચાલુ જ હોઈ સહયોગીઓની સંખ્યા વધવા લાગી અમે વર્ષમાં બે વખત કાર્ગો દ્વારા કપડાં અને પગરખાં જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોચાડીએ છીએ.

ભારતમાં ધર્મ પાછળ લોકો ખૂબ નાણા ખર્ચે પણ શિક્ષણ અને પર્યાવરણ પાછળ ખર્ચ કરનાર કે દાન આપનારનો વર્ગ ઓછો છે.અમે વિચારો મુકવાનું અને તેનો પાયાગત અમલ કરવાનું કામ શરુ કર્યું.જેને આધાર બનાવી અનેક સંસ્થાઓએ આ યજ્ઞ શરુ કર્યો.

અમે અમેરિકામાં જ વધેલા ભોજનનો યથાયોગ્ય થાય તે માટે”કોલ પે દાન”અભિયાન શરુ કર્યું.લગ્ન હોઈ કે પાર્ટી વકે પછી હોટલ જ્યાં જમવાનું વધે એટલે તેઓ મારો સંપર્ક કરે.હું મિત્રો સાથે વાન લઇ જે તે સ્થળે પહોચી જઈ ભોજન એકઠું કરી વિવધ નિર્ધારિત સ્થળોએ તે પહોચાડતો.અમે જ્યાં ભારતીઓ અને વિશેષ ગુજરાતીઓ શિક્ષણ લઇ રહ્યા છે તેવા વિસ્તારો અને હોસ્ટેલની યાદી અને સરનામાં તૈયાર કર્યા છે જ્યાં આ ભોજન પહોચાડીયે છીએ.અહીની વિવિધ યુનિવર્સીટીમાં ૮ થી ૧૦ હાજર ગુજરાતીઓ શિક્ષણ લઇ રહ્યા છે.વિધાર્થીઓને ગુજરાતી ફૂડનો આણંદ મળે અને અન્નનો સદુપયોગ પણ થાય.

આ અભિયાન સફળ બન્યા પછી અનેક સેવાકર્મીઓએ પોતપોતાના વિસ્તારોમાં અભિયાન શરુ કર્યું છે.

ગુજરાતમાં જીવદયા,શિક્ષણ અને પર્યાવરણ માટે પણ દાન આપી સેવાયજ્ઞ ચલાવીએ છીએ.શિક્ષણથી વિધાર્થી વંચિત ના રહી જાય તે માટે જરૂરિયાતમંદોને ફી,પુસ્તકો,,કપડાંની સુવિધા આપીએ છીએ.અનાથ બાળકો માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.આ બાળકો આનદ સાથે વર્ષગાંઠ ઉજવી શકે માટે ફંડ આપવામાં આવે છે.

જૈન ગૃપના માધ્યમથી વિનોદભાઈ શાહે મંદબુદ્ધિના બાળકો માટે અનોખું અભિયાન શરુ કર્યું છે.જે અંતર્ગત આધુનિક સુવિધાયુક્ત મકાન નિર્માણ માટે અભિયાન શરુ કર્યું છે.ખંભાત ખાતે દિવ્યાગ બાળકોને આધુનિક સુવિધાસભર મકાન મળે તે માટે અમેરિકા રહી આયોજન હાથ ધર્યું છે.ઉતરાયણમાં ઘવાયેલા પક્ષીઓ માટે ડોકટર અને દવાઓ ઉપલબ્ધ કરાવવાથી માંડી રાજકોટ સ્થિત સંસ્થામાં જોડાઈ પર્યાવરણની જાળવણી માટે પણ ફંડ આપે છે.ખંભાતમાં શાળાઓમાં દાન થાકી સ્માર્ટક્લાસ,કોમ્પ્યુર વર્ગો પણ શરુ કરેલ છે.

આઈ લવ માય કન્ટ્રી

“આઈ લવ માય કન્ટ્રી”જેને માટે હું અંતિમ શ્વાસ સુધી સેવાયજ્ઞ ચલાવીશ.મારા જીવનના ઉદ્દેશમાં માત્રને માત્ર ‘જીવન “ છે,તેમાં પશુ હોઈ,માણસ હોઈ કે પછી પર્યાવરણ.તેમના જીવન માટે હોઈ સેવારત રહીશ.”

મારો પરિવાર મારું બળ

“મારી પત્ની અને બાળકોની સેવાયજ્ઞમાં ભાગીદારી એ મારું બળ છે.બે દીકરીઓ અને એક પુત્ર અમેરિકામાં ઉચ્ચ હોદ્દા પર સેવારત છે. પુત્ર આકાશ,પુત્રી વૈશાલી,અને સોનાલી આ અભિયાનમાં સહભાગી થયેલ છે.પરિવારના સભ્યો લોયર,ફાર્મસીષ્ટ,ઉદ્યોગપતિ અને ડોક્ટર છે.આ અભિયાન સાથે ૧૦૦૦ જૈન સોસીયલ ગ્રુપના સેવાકર્મીં જોડાયેલા છે.

વિનોદભાઈ શાહ,સેવાકર્મી,અમેરિકાIMG-20190318-WA0096(1)

ધોરણ 12 તત્વજ્ઞાન મિલની રીતિઓ


ધોરણ 12 તત્વજ્ઞાન

મિલની રીતિઓ

મહાન તર્કશાસ્ત્રી જહોન સ્ટુઅર્ટ મિલે કારણ ને શોધવા માટે પાંચ રીતિઓ રજૂ કરી.તેને પ્રાયોગિક અન્વેષણ ની રીતિઓ કહેવાય છે.આ પાંચ રીતિઓ નીચે મુજબ છે.

  1. અન્વય રીતિ
  2. વ્યતિરેક રીતિ
  3. અન્વય-વ્યતિરેક રીતિ
  4. અવશેષ રીતિ
  5. સહ-પરિવર્તન રીતિ

અન્વય રીતિ આ રીતિ મુજબ કારણ શોધવાનું હોય ત્યારે બે ઘટનાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. બંને ઘટનામાં એક સિવાયના બધા સંયોગો ભિન્ન હોય છે એક સંયોગ સમાન હોય છે. તે ઘટનાનું કારણ છે એવું નિશ્ચિત થાય છે. જેમ કે,

એક વ્યક્તિ બીજી વ્યક્તિ
ગરીબ પૈસાદાર
ગ્રામ્યવિસ્તારનો શહેરીવિસ્તારનો
ભણેલો અભણ
મચ્છર કરડવું મચ્છર કરડવું
મેલેરિયા થવો મેલેરિયા થવો

ઉપરની બંને ઘટનામાં એક સંયોગ સમાન છે “મચ્છર કરડવું” અને ઘટના બની છે “મેલેરિયા થવો”. તેથી મિલે તારણ આપ્યું કે અહી પુરોગામી બાબત કારણ છે અને અનુગામી બાબત કાર્ય કહેવાય.

શરતો

  1. બે ઘટનાઓનું નિરીક્ષણ થવું જોઈએ
  2. બંને ઘટનામાં એક સંયોગ સમાન હોવો જોઈએ
  3. એક સિવાયના સંયોગ ભિન્ન હોવા જોઈએ

આ રીતિની પ્રાતિક રજૂઆત મિલ નીચે મુજબ આપે છે.

A B C D ————– a b c d
A E F G ————– a e f g

તેથી A એ a નું કારણ છે.

વ્યતિરેક રીતિ

આ રીતિ મુજબ પણ બે ઘટના પસંદ કારી ને તેનું નિરીક્ષણ કરવાનું છે પણ તે બંનેમાં એક વિધાયક અને એક નિષેધક ઘટના પસંદ કરવામાં આવે છે. બંને ઘટનામાં બક સિવાયના બધા સંયોગો સમાન હોય છે પણ વિધાયક ઘટનામાં જે એક સંયોગ હાજર હોય તે નિષેધક ઘટનામાં ગેરહાજર હોય છે. જેમકે,

વિધાયક ઘટના નિષેધક ઘટના
એક વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી
ધોરણ 12 નો ધોરણ 12 નો
શૈક્ષણિક માર્ગદર્શન મળે છે શૈક્ષણિક માર્ગદર્શન મળે છે
ઘરમાં ભણવા માટે અનુકૂલન ઘરમાં ભણવા માટે અનુકૂલન
એકાગ્રતા એકાગ્રતાનો અભાવ
પરીક્ષામાં સફળ પરીક્ષામાં નિષ્ફળતા

આ રીતિ મુજબ વિધાયક ઘટનામાં જે એક સંયોગ હાજર છે, તે નિષેધક ઘટનામાં ગેરહાજર છે. તેથી તે સંયોગ “એકાગ્રતા” એ “પરીક્ષામાં સફળતા” નું કારણ કહી શકાય.

શરતો

  1. બે ઘટનાઓ નિરીક્ષણ માટે પસંદ કરવી
  2. એક વિધાયક અને એક નિષેધક ઘટના હોવી જોઈએ
  3. બંને ઘટનામાં એક સંયોગ ભિન્ન હોવો જોઈએ

આ ભિન્ન સંયોગ જ ઘટનાનું કારણ કહેવાય. મિલ આ બાબત પ્રાતિક રજૂઆત દ્વારા નીચે મુજબ સમજાવે છે.
A B C D ————– a e f g
B C D —————- e f g

તેથી A એ a નું કારણ છે.

હોઠોં સે છુ લો તુમ


47119500-multiethnic-couple-of-lovers-hugging-under-the-umbrella-on-a-rainy-day-man-and-woman-on-a-romantic-d.

એકાએક કાળી દિબાંગ વાદળી ધસી આવી.

ઘરની લાઇટ ઓન કરી.વાદળી ગર્જ્યા વગર એકાએક વર્ષી.કાળા રંગનું એક્ટિવા ઘર બહાર થોભ્યું.

મારી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વલ્લરી દરવાજા પાસે વરસાદથી બચવા ઉભી રહી.

એન્જીનિયરીંગમાં હું ચોથા વર્ષમાં અને વલ્લરી ત્રીજા વર્ષમા.અમે બંને નેશનલ યુથ ડ્રામા કોમ્પિટિશનમાં ત્રણ વર્ષથી ભાગ લઈએ. તૈયારી અને સ્પર્ધા દરમ્યાન અમે ખૂબ જ નિકટ હોઈએ.ગત વર્ષે વલ્લરીના પિતાને બ્લડ કેન્સર હોવાની માહિતી મળી.વલ્લરી નાટકના પ્રેક્ટિસ દરમ્યાન શોક્જ્નક સમાચારથી તૂટી પડી હતી.અમે મિત્રોએ છેલ્લા સ્ટેજમાં લોહીની તમામ વ્યવસ્થા કરી હતી.વલ્લરી કોલેજમાં એન્યુઅલ ડે માં “હોઠોં સે છુ લો તુમ….મેરા ગીત અમર કર લો.”ગીત ગાયું હતું.ત્યારે ગીતના શબ્દે શબ્દમાં હું ખોવાયો હતો.ફંક્શનના અંતે વલ્લરીને શેક હેન્ડ કરી જૂઈના ફૂલોએનઓ ગુચ્છ બનાવી ભેટ આપ્યો હતો. ત્યારે તે બોલી હતી,”મને વેલના ફૂલ ગમે તે તને કેમની ખબર?”મે કહ્યું હતું,”વલ્લરી એટ્લે વેલ.પણ…વેલ આધાર વિના ટકી છે.તારા ગીતમાં ઘણું છુપાયું છે.”

વલ્લરીએ કહ્યું,”આધાર છે,દોસ્ત…..હુંફનો…”કહી અટકી અને પછી ચાલી નીકળી હતી.

આજે કાળા ચશ્મા અને લીલું ટોપ.વરસાદના ફોરાઓ વાળમાં અને ચહેરે સ્થાયી થયાં હતાં.

મને જોઈ તે થોડી શરમાઇ…છતાય હું કઈ કહું તે પહેલા તે બોલી,”વરસાદને કારણે થોભી ગઈ છું.”

મે પણ હસતાં-હસતાં કહ્યું,”વેલને ગમે ત્યાં વીંટળાવાનો હક્ક છે.”

તે થોડી શરમાઇ ને બોલી,”અભિ!તમે જ્યારે ને ત્યારે સાહિત્યમાં વાત કરો છો.”

મે કહ્યું,”મજાક કરું છું,અંદર આવી જા.”

“ના,બસ જુઓને વરસાદ પણ થંભી ગયો છે.”તેણે કહ્યું.

“હા,યાર…વાદળી અચાનક આવી પણ મન મૂકી વરસી નહીં.”મે કહ્યું.

ઘરમાં ધીમા અવાજે ગીત વાગતું હતું,”હોઠોં સે છુ લો તુમ….મેરા ગીત અમર કર લો.”

વરસતા વરસાદના ફોરાં રૂપાળી વલ્લરીના કપાળથી લપસી હોઠ પર આવી રહ્યા હતા.તેણે હાથ રૂમાલ થી લૂછયા….એટ્લે મે કહ્યું,”વલ્લરી કોલેજના નાટકમાં તો તું પત્નીનું પાત્ર ભજવતી વખતે એવી તે મારી સાથે ઓતપ્રોત થઈ જાય છે કે હું ગભરાઈ જાઉં…પણ અહી તું ગભરાયેલી લાગે છે.”

એક્દમ તેના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ.તેણે ઉત્તર આપ્યો,”ફિલ્મોમાં યેશુદાસનું ગીત “હોઠોં સે છુ લો તુમ….મેરા ગીત અમર કર લો.”સુપરહિટ રહ્યું પણ વાસ્તવિક જીવનમાં યેશુદાસ જેટલો સંઘર્ષ કોઈએ નથી કર્યો.દોસ્ત,સ્ટેજ ઉપર ભજ્વાતું હાસ્ય જન્માવે કે પછી લાગણીઓ પેદા કરે પણ વાસ્તવિક જીવન તેનાથી જોજનો દૂર હોય છે.”

મે કહ્યું,”ગ્રેટ ફિલોસોફર વલ્લરી તે છેલ્લા ત્રણ વર્ષમાં મને ક્યારેય જીતવા દીધો નથી.”

“દોસ્ત,તું જાણે છે કે પિતાને ગુમાવ્યા પછી હું હારી છું.સંઘર્ષ વચ્ચે તે કરેલી મદદ આજીવન નહીં ભૂલું.આપણે પ્રેમના અનેક દ્રશ્યો ભજવ્યા પણ તે સાચો પ્રેમ બતાવી મને ખરા સમયે મદદ એકાએક

“યાર,એ તો મારી ફરજ છે.”

“થેંક્યું,અભિ!મારે મોડું થાય છે કહી વલ્લરી નીકળી.ને નાકાએથી બૂમ પડી.હું દોડીને નાકા પાસે પહોચ્યો તો ત્યાં વલ્લરી લોહીલૂહાણ.પુરપાટ ઝડપે આવી રહેલ બાઇક સાથે વલ્લરીનું એક્ટિવા અથડાતાં અકસ્માતમાં વલ્લરીને મો ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી.

હું રસ્તા ઉપરથી તેને ઊંચકીને બાજુના ઘરમાં લાવ્યો.તેના હાથને ઇજાઓ થઈ હતી અને ચહેરા ઉપર હોઠને ઇજાઓ થતાં ચહેરો લોહીલુહાણ દેખાતો હતો.મે મારો રૂમાલ બહાર કાઢી તેના હોઠોનું લોહી સાફ કર્યું.એકાએક વલ્લરી ઝબકી ગઈ..મને જોઈ તેના મુખ ઉપર મંદ હાસ્ય પ્રસર્યું.તેણે મારો હાથ પકડ્યો અને ફરીથી રૂમાલ વિના હોઠ પરનું રહી ગયેલ લોહી હટાવ્યું.મારી આંખના આંસુ તેના હોઠના લોહીમાં ભળી ગયા.

રસ્તા પરથી પસાર થતી રિક્ષામાં ગીત વાગી રહ્યું હતું,””….મેરા ગીત અમર કર લો.”

-શૈલેષ રાઠોડ 9825442991

—————————-

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ


20181130_154949વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

ક્રમ ઉજવણી ક્યારે?
1 દશાબ્દિ જયંતિ દસ વર્ષે
2 સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) પચીસ વર્ષે
3 પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) ત્રીસ વર્ષે
4 રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) ચાલીસ વર્ષે
5 ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) પચાસ વર્ષે
6 ડાયમંડ જ્યુબિલી (હીરક જયંતિ) સાઠ વર્ષે
7 પ્લેટીનમ જ્યુબિલી (પ્લેટીનમ જયંતિ) સિત્તેર વર્ષે
8 અમૃત મહોત્સવ પંચોતેર વર્ષે
9 રેડીયમ જ્યુબિલી (રેડીયમ મહોત્સવ) એંશી વર્ષે
10 યુરેનિયમ જ્યુબિલી (યુરેનિયમ મહોત્સવ) નેવું વર્ષે
11 સેન્ટેનરી જ્યુબિલી (શતાબ્દિ મહોત્સવ) સો વર્ષે

શૈલેષ રાઠોડ 9825442991

ક્રમ ઉજવણી ક્યારે?
1 દશાબ્દિ જયંતિ દસ વર્ષે
2 સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) પચીસ વર્ષે
3 પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) ત્રીસ વર્ષે
4 રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) ચાલીસ વર્ષે
5 ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) પચાસ વર્ષે
6 ડાયમંડ જ્યુબિલી (હીરક જયંતિ) સાઠ વર્ષે
7 પ્લેટીનમ જ્યુબિલી (પ્લેટીનમ જયંતિ) સિત્તેર વર્ષે
8 અમૃત મહોત્સવ પંચોતેર વર્ષે
9 રેડીયમ જ્યુબિલી (રેડીયમ મહોત્સવ) એંશી વર્ષે
10 યુરેનિયમ જ્યુબિલી (યુરેનિયમ મહોત્સવ) નેવું વર્ષે
11 સેન્ટેનરી જ્યુબિલી (શતાબ્દિ મહોત્સવ) સો વર્ષે

12 125 વર્ષની ઉજવણી-શતરજત જ્યંતિ

લાકડા વાહન અને પાસ સેટિંગ: ખંભાત -નડિયાદ માર્ગ સરકારી તંત્ર આપે છે મોતની સજા


લાકડા વાહન અને પાસ સેટિંગ:
ખંભાત -નડિયાદ માર્ગ સરકારી તંત્ર આપે છે મોતની સજા

બેરોકટોક લાકડાની હેરાફેરીને જોખમી વહન છતાય તંત્ર ચુપ



ખંભાત નડિયાદ માર્ગ ઉપર એક વર્ષમાં 7 જેટલા રાત્રીના સમયે લાકડાના વહન  કરતા વાહનો દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યા છે જેમાં 6 મોત ,13 ઈજાગ્રસ્ત તેમજ 2 ઊંટ પશુઓના મોત  થયેલ છે.ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન અને વૃક્ષોનું લાકડું રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે.જેથી અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે.લાકડાઓ ટ્રક, ઊંડગાડી અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઇ રહી છે.આ બાબત વન વિભાગ જાણતું હોવા છતાં કોઇ અસરકારક પગલાં નહીં ભરતાં  અને પોલીસ તંત્ર દ્વારા તગડી કમાણી  કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.આ સમગ્ર વહનમાં પહેલેથી જ પોલીસ અને વેન વિભાગની પાસ સેટિંગ કરી સામેલગીરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

ખંભાતના સામાજિક કાર્યકર મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે,રાત્રે અંધારામા  લાકડાની ચોરી થાય છે.ઊંટગાડી કે ટ્રકટરોમાં બેક લાઈટ હોતી નથી.સામેથી ફૂલ લાઈટ આવે એટલે વાહન ચાલાક અંજાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે.જેમાં બે દિવસ પૂર્વે જ ખંભાતમાં લાયન્સ ક્લબની મીટિંગમાં હાજરી આપી પરત ફરતા વડોદરા લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું ગઇ મધરાતે પેટલાદ નજીક કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.જ્યારે,અન્ય બે જણાને ઇજાઓ પહોંચી હતી.જેમાં વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં ગાંધીપાર્કમાં રહેતા રાજેન્દ્ર અમૃતલાલ પટેલ(રાજુભાઇ) ગઇકાલે સાંજે લાયન્સ ક્લબના અન્ય મેમ્બરો કિશોર ભીખાભાઇ પટેલ (રહે.શિવ ટેનામેન્ટ,સુભાનપુરા) અને પરિમલ હરમાનભાઇ પટેલ સાથે  ખંભાત ખાતે મીટિંગમાં ગયા હતા.મધરાતે તેઓ પરત ફરતા હતા ત્યારે કિશોરભાઇ કાર ચલાવતા હતા અને જોગણ ગામ પાસે નિલગિરીના લાકડા ભરી જતા ઊંટગાડાની પાછળ કાર ધડાકાભેર ભટકાઇ હતી.અકસ્માતમાં રાજેન્દ્રભાઇનું મોત નીપજ્યું હતું.જ્યારે,કિશોરભાઇ અને પરિમલભાઇને ઇજાઓ પહોંચી હતી.આજે બપોરે બહુચરાજીના ખાસવાડી સ્મશાનગૃહ ખાતે તેઓની અંતિમવિધી કરાઇ હતી.પેટલાદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અગાઉં ગત મહિને નડિયાદ-ખંભાત  રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.નડિયાદ-પેટલાદ રોડ પર  પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.
આ અંગે ગલ્ફ ઓફ કેમ્બે લાયન્સ પ્રમુખ દેવેન વ્યાસે જણાવ્યું હતું કે,તંત્રની બેદરકારી નો ભોગ જાણતા બની રહી છે.ગેરકાયદે લાકડાનું વાહન મોતનું કારણ બને છે પરંતુ આ વેન વિભાગ કે પોલીસ તંત્ર કોઈ જ પગલાં ભરતી નથી તે દુઃખનું કારણ છે.
ખંભાત તાલુકા વિસ્તારમાં સુકી ધરતીને લીલુડી બનાવવા માટે રાજ્ય સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.પરંતુ આ સરકારી તંત્રની જાણમાં જ કટિંગ કરી રાત્રીના સમયે પોલીસની રહેમનજર હેઠળ નડિયાદ,પેટલાદ,મહેમદાવાદ,આણંદ  જેવા માર્કેટમાં વેચાણ થાય છે.
ઓવરલોડિંગ સામે ટ્રાફિક પોલીસનું સેટિંગ
લાકડાનું ગેરકાયદે કટિંગ અને વાહન વેન વિભાગની  તે તંત્રનિષ્ક્રિય છે પરંતુ વાહનની ક્ષમતા  કરતા પણ વધુ ભાર લઇ જતા વાહનો સામે ટ્રાફિક પોલીસ કે પેટ્રોલિંગ કરતી પોલીસ નિષ્કીય પુરવાર થાય છે.આવા વાહનો ઉભા રખાઈ છે પરંતુ તેની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ સેટિંગ થાય છે જે મોતનું કારણ બને છે.
-મુકેશ રાઠોડ,સામાજિક કાર્યકર

વનવિભાગના આંખ આડા કાન
વન વિભંગ દિવસ દરમ્યાન આવા ગેરકાયદેસર કપાતા વૃક્ષો સામે સખ્ત બનતું નથી.મંજૂરી વગર આ વાહનોમાં વૃક્ષોનું વહન થાય છે.ખંભાત નડિયાદ રોડ ઉપર ક્યાંય વેન વિભાગ સક્રિય જોવા મળતું નથી એટલે વાહન કરનાર ને લીલા લહેર।જેમાં મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે.
-દેવેન વ્યાસ ગલ્ફ ઓફ કેમ્બે,લાયન્સ પ્રમુખ

પાસનું સેટિંગ
ગેરકાયદે લાકડાનું વાહન કરતા વાહનોને અગાઉનથી જ પાસ મળી જાય છે જેમાં પોલીસની સામેલગીરી હોઈ છે.આ કારનામા રાત્રીના 12 થી સવારના 5 સુધીમાં થાય છે.પાસ મેળવનારનું સ્ટિંગ પોલીસના વચેટિયા કરે છે.જે તમામ હદ માં ઉપયોગી બને છે.
-એમ.એમ મકવાણા,સામાજિક કાર્યકર

પાકિસ્તાનના કરાંચીમાં નવરાત્રીનો અનોખો સમભાવ,પાકિસ્તાનમાં 17 લાખ હિન્દુઓ કહે છે”જીના મરના પાકિસ્તાનમે” Watch “We are one-Hindu festival’s in Pakistan” on YouTube


ગાંધીજીના સ્વપ્નનું ભારત


mahatma-gandhis-dream-of-modern-india-6-638

“માનવી પ્રેમનું મંદિર બનાવે નહીં કે પથ્થરનું”

“સત્યના શોધકે મૌન રહેવું જોઈએ.સત્ય એજ ઈશ્વર છે.”

“કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.”

“મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે.’

“જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ.’

“તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી.

મહાત્મા ગાંધીના આ વિચારો આજે પીએન ઉત્તમ ભારત નહીં પીએન ઉત્તમ વિશ્વ બનાવવા માટે સમર્થ છે.

 

ગાંધીજીના સ્વપ્નનું ભારત પ્રેમ,શાંતિ,કોમી એખલાસ અને સમાનતાનું હતું.દેશ પ્રગતિના પંથે આગળ વધે અને કાયમી એકરૂપતા-ભાઈચારો જળવાઈ રહે.સત્ય દરેક ભારતીયનું ઘરેણું હોય અને અહિંસા દેશમાથી કાયમી ધોરણે દૂર થઈ જાય.ગાંધીજીનું સ્વપ્ન આઝાદી મળ્યા પછી સુરાજ્ય બનાવવાનું હતું. જ્યાં સુધી સુધી દરેક વ્યક્તિ પોતાનો નિષ્ઠાપુર્વક નાગરીક ધર્મ નહીં નિભાવે ત્યાં સુધી આપણને સુરાજ્ય મળવાનું નથી.તેઓ કહેતા કે, સ્વછતા જીવનનો ભાગ-માણસનો સ્વભાવ બનવો જોઇએ’’ સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને ગંદકી ત્યાં માંદગી થાય છે.

“મેં ઘણીવાર જાહેર કર્યું છે કે હું ઘણા લોકોના જીવનમાંથી ઘણું શીખ્યો છું પણ કવિશ્રી (શ્રીમદ્જી)ના જીવનમાંથી મને સૌથી વધારે શીખવા મળ્યું છે. તેમના જીવનમાંથી હું કરુણાનો પાઠ ભણ્યો છે.”આ શબ્દો 1921માં મહાત્મા ગાંધીએ અમદાવાદમાં ઉચ્ચાર્યા હતા.ગાંધીજી જે વ્યક્તિ વિશે આ શબ્દો ઉચ્ચાર્યા છે એ છે શ્રીમદ્ રાજચંદ્રજી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી શ્રીમદ્ રાજચંદ્રજીને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણાવે છે. ગાંધીજીનું સ્વપ્ન હતું કે,ભારતમાં લોકોમાં દયા, ધર્મ, સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય જેવા પાયાના સિદ્ધાંતો કાયમી ટકી રહે.દરેક ભારતીય કરુણાને દિલમાં ટકાવી રાખી કાર્ય કરે તો કહી શકાઈ કે મેરા ભારત મહાન.

ગાંધીજી કહેતા કે,અસ્પૃશ્યતાએ હિંદુ ધર્મનું અંગ નથી, પણ એમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, અને તેનું નિવારણ કરવુંએ પ્રત્યેક હિંદુનો ધર્મ છે.તેનું પરમ કર્તવ્ય છે. આ અસપૃશ્યતા વેળાસર નાબુદ ન કરવામાં આવે તો હિંદુ સમાજ અને ધર્મની હસ્તી જોખમમાં છે. જન્મના કારણથી મનાયેલી આ અસ્પૃશ્યતામાં અહિંસા ધર્મનો અને સર્વભૂતાત્મભાવનો નિષેધ થઈ જાય છે. અને મૂળમાં સંયમ નથી, પણ ઊંચપણાની ઉદ્ધત ભાવના જ રહેલી છે. આથી એ સ્પષ્ટ અધર્મ જ છે. એણે ધર્મને બહાને લાખો કે કરોડોની સ્થિતિ ગુલામ જેવી કરી મુકી છે.મારો ભારત દેશ સહુને સમાનતાથી જુએ,સ્વીકારે,પ્રેમ કરે.

સમાજની ગંદકીને દૂર કરી તેને રોજ રોજ સાફ રાખવાનું કાર્ય પવિત્ર છે એ કાર્ય નિયમીત રીતે ન થાય તો આખો સમાજ મરણતોલ દશામાં આવી પડે. સફાઈના કામનો દરજ્જો સમાજને આવશ્યક બીજા કામોના જેટલો જ ઊંચો સમજવો ઘટે છે. એ કામમાં અનેક સુધારાઓને અવકાશ છે. સંસ્કારી લોકોએ કામ કરતા થઈને ઘણા સુધારા કરી શકે.

મારા સ્વપ્‍નનું ભારત – ગાંધીજીના શબ્દોમાં

 “માતૃભાષા અને વિશ્વભાષા.હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઈચ્છું છું. પણ પવનની એવી કોઈ લહેરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઈનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણા તરૂણ સ્ત્રી-પુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું છું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઈચ્છતો નથી.”

 

મારા સ્વપ્નના ભારતમાં પત્રકારત્વ કેવું હોવું જોઈએ?એ અંગે ગાંધીજી કહેતા,‘હું જરૂર માનું છું કે… અનીતિભરેલી જાહેરખબરથી વર્તમાનપત્રો ચલાવવાં એ ખોટું છે. હું એમ પણ માનું છું કે જાહેરખબર લેવી જ હોય તો તેની ઉપર વર્તમાનપત્રોના માલિકો અને અધિપતિઓએ નીમેલી કડક ચોકીદારી હોવી જોઈએ, અને માત્ર સ્વચ્છ જાહેરખબરો જ લેવાવી જોઈએ. આજે અતિશય પ્રતિષ્ઠિત કહેવાતાં વર્તમાનપત્રો અને માસિકોને આ દુષિત જાહેરખબરોનું અનિષ્ટ વળગવા લાગ્યું છે. એ અનિષ્ટ તો વર્તમાનપત્રોના માલિકોની વિવેકબુદ્ધિ શુદ્ધ કરીને જ ટાળી શકાય. આ શુદ્ધિ મારા જેવા શિખાઉ વર્તમાનપત્રકારના પ્રભાવથી ન આવી શકે, પણ તે તો જ્યારે તેમની વિવેકબુદ્ધિ આ વધતા જતા અનિષ્ટને વિષે પોતાની મેળે જાગ્રત થાય, અથવા તો પ્રજાના શુદ્ધ પ્રતિનિધિત્વવાળું અને પ્રજાની નીતિ વિષે ખબરદારી રાખનારું રાજ્યતંત્ર તે વિવેકબુદ્ધિ જાગ્રત કરે તો થઈ શકે.

 

ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે.

ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી.

હિંદુસ્તાન પૃથ્વીના એવા થોડાક દેશ માંહેનો એક છે જેમણે વહેમ અને ભ્રમથી મલિન થઈ ગયેલી પણ પોતાની કેટલીક પ્રાચીન સંસ્થાઓ સાચવી રાખી છે, પણ આજ સુધી વહેમ અને ભમ્ર દૂર કરવાની સહજ શક્તિ હંદુસ્તાને બતાવી છે. હિંદુસ્તાન તેની કોટિ કોટિ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા, કદાપિ નહોતી એટલી આજ ઉજ્જવળ છે.

મને લાગે છે કે હિંદનું મિશન બીજા દેશો કરતાં જુદું  છે. હિંદુ ધર્મની બાબતમાં જગતમાં સર્વોત્તમ થવા લાયક છે. આ દેશ સ્વેચ્છાએ શુદ્ધીકરણની જે પ્રક્રિયાઓમાંથી પસાર થયો છે તેનો જોટો જગતમાં જડતો નથી. હિંદને પોલાદનાં શસ્ત્રોની ઓછી જરૂર છે; તે દૈવી શસ્ત્રોથી લડતું આવ્યું છે અને હજી લડી શકે છે. બીજાં રાષ્ટ્રો પશુબળનાં પૂજારી છે. યુરોપમાં ચાલી રહેલું ભયંકર યુદ્ધ આ સત્યનું ઉદાહરણ પૂરું પાડે છે. હિંદ આત્મબળથી સૌને જીતી શકે છે. આત્મબળ આગળ પશુબળ કશી વિસાતમાં નથી એવું પુરવાર કરતા અનેક દાખલા ઇતિહાસમાં મળી આવે છે. કવિઓએ તેને વિષે કવિતાઓ ગાઈ છે અને સંતોએ પોતાના અનુભવો વર્ણવ્યા છે.

હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારે તો તે કદાચ ક્ષણિક વિજય મેળવે, પણ ત્યારે તેનું મારા હૃદયમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે નહીં રહે. હું હિંદુસ્તાનનો ભક્ત છું કારણ કે મારું જે કંઈ છે તે તેને આભારી છે. હું ચોક્કસ માનું છું કે હિંદ પાસે દુનિયાને આપવા માટે એક મિશન છે–સંદેશો છે. તેણે યુરોપની આંધળી નકલ કરવાની ન હોય. હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારશે તે વેળા મારી કસોટીની હશે. મને આશા છે કે હું એ કસોટીમાં ઓછો નહીં ઊતરું. મારા ધર્મને ભૌગોલિક મર્યાદા નથી. મારી મારા ધર્મમાં જીવંત શ્રદ્ધા હશે તો તે ખુદ હિંદુસ્તાન માટેના મારા પ્રેમને વટાવી જશે. મારું જીવન અહિંસા મારફત હિંદુસ્તાનની સેવા માટે અર્પણ થયેલું છે. ૫

જો ભારત હિંસાને પોતાનો ધર્મ બનાવી દે, અને હું જીવતો હોઉં તો હું ભારતમાં રહેવાની પરવા ન કરું. પછી તે મારામાં કોઈ પણ જાતની અભિમાનની ભાવના પ્રગટાવી નહીં શકે. મારું સ્વદેશાભિમાન મારા ધર્મને આધીન છે. જેમ બાળક માતાની છાતીએ વળગે તેમ હું ભારતને વળગી રહ્યો છું કારણ કે મને લાગે છે કે મારે જોઈતું આધ્યાત્મિક પોષણ ભારત મને આપે છે. તેનું વાતાવરણ મારી ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને અનુકૂળ છે. એ શ્રદ્ધા જશે ત્યારે મારી દશા, જેણે પોતાનો વાલી મેળવવાની આશા સદાને માટે ગુમાવી દીધી છે એવા અનાથ બાળક જેવી થશે.

હું હિંદુસ્તાનને સ્વતંત્ર અને સુદૃઢ જોવા ઇચ્છું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. હિંદુસ્તાનની સ્વતંત્રતાને પરિણામે આખી દુનિયાની સુલેહ અને લડાઈને લગતું દૃષ્ટિબિંદુ પલટાઈ જવાનું જ. અત્યારની તેની પામરતા આખી માનવજાતિને નડી રહેલ છે. ૭

પશ્ચિમમાં એવું ઘણું છે જે લેવાથી આપણને લાભ થાય, એટલું કબૂલ કરવા જેટલી નમ્રતા મારામાં છે. બુદ્ધિમત્તા એ કોઈ ખંડનો કે પ્રજાનો ઇજારો નથી. પશ્ચિમની સંસ્કૃતિ સામેનો મારો વિરોધ ખરેખર તો તેના આંધળા અનુકરણ સામે છે; જે અનુકરણ એશિયાના લોકો પશ્ચિમમાંથી આવતી દરેક વસ્તુની માત્ર નકલ કરવા જેટલી લાયકાત ધરાવે છે એવી માન્યતાને આધારે કરવામાં આવે છે. હું ચોક્કસ માનું છું કે હિંદુસ્તાન પાસે કષ્ટસહનની અગ્નિપરીક્ષામાંથી પસાર થવા જેટલી અને પોતાની સંસ્કૃતિ જે બેશક અપૂર્ણ છે, છતાં આજ સુધી થતા આવેલા કાળના હુમલા સામે ટકી રહી છે તેના પર થતા હુમલા સામે થવા જેટલી ધીરજ હોય તો તે જગતને શાંતિ મેળવવામાં ને સંગીત પ્રગતિ કરવામાં કાયમી ફાળો આપી શકે. ૮

હિંદુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી–પશ્ચિમ જ એથી કંટાળ્યું છે — પણ સાદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તહિત પંથે છે. હિંદુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઈને એ જીવી ન શકે. એટલે ‘પશ્ચિમના હુમલાની સામે અમારાથી ન ટકી શકાય’ એમ પ્રમાદથી અને લાચારીથી કહેવાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કરમ કસવી જોઈએ. ૯

યુરોપનો સુધારો યુરોપિયનનો માટે જરૂર અનુકૂળ છે, પણ જો આપણે એની નકલ કરવા જઈશું તો તેમાં હિંદુસ્તાનની પાયમાલી થશે. આમ કહેવાનો અર્થ એ નથી કે આપણે એમાં જે સારું અને ગ્રાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ નથી કે એમાં જે ખરાબ વસ્તુ ઘૂસી ગઈ હશે તે યુરોપિયનોને પણ નહીં છોડવી પડે. શારીરિક ભોગોની અનિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે; અને હું હિંમતભેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદૃષ્ટિને નવું રૂપ આપવું પડશે. મારો અભિપ્રાય ખોટો હોય એમ બને, પણ એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોત વહોરવા બરોબર છે. ‘સાદી રહેણી અને ઊંચા વિચાર’ એ એક પશ્ચિમના ફિલસૂફનું સૂત્ર આપણે આણા હૃદય પર કોતરી રાખીએ. આજે એટલું તો ચોક્સ છે કે કરોડોને ઊંચી રહેણી મળવી અસંભવિત છે, અને આપણે મૂઠીભર માણસો-જેઓ આમવર્ગને માટે વિચાર કરવાનો દાવો કરીએ છીએ તેઓ– ઊંચી રહેણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઈ બેસવાનું જોખમ ખેડી રહ્યા છીએ.

હું જે બંધારણને માટે પ્રયત્ન કરીશ તે હિંદુસ્તાનને ગુલામી અને આશ્રિત દશામાત્રમાં છોડવાનારું, અને તેને જરૂર પડ્યે પાપ કરવાનો હક આપનારું હશે. મારો પ્રયત્ન એવા ભારતવર્ષને માટે હશે જે ભારતવર્ષમાં પ્રજાના વર્ગોમાં ઊંચાનીચાનો ભેદ નહીં હોય; જે ભારવર્ષમાં તમામ કોમો પૂરેપૂરી હળીમળીને રહેતી હશે. એવા ભારતવર્ષમાં અસ્પૃશ્યતાના પાપને અથવા કેંફી પીણાં અને પદાર્થોને સ્થાન હોઈ જ નહીં શકે. સ્ત્રીઓ પુરુષોના જેટલા જ હક ભોગવશે. આપણે બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહેતા હઈશું અને કોઈને લૂંટતા કે કોઈથી લૂંટાતા નહીં હોઈએ એટલે આપણે નાનામાં નાનું લશ્કર રાખવું પડશે. મૂગાં કરોડોના હિતના વિરોધી નહીં હોય એવા તમામ દેશી અને વિદેશી વચ્ચેનો ભેદ અકારો છે. આ મારા સ્વપ્નનું ભારતવર્ષ છે… હું આથી જરાયે ઓછાથી સંતોષ નહીં પામું.

વિચારસરણી


એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક-એક સફરજન લઈને ઊભું હતું……
તેના પિતાએ તેને હસતા-હસતા કહ્યું:-
“બેટા, એક સફરજન મને આપ તો…!”
બસ … સાંભળતા જ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું….!!!!!!
થોડુંક મમળાવ્યું…!!!
તેના પિતા કંઇ બોલી શકે તે પહેલા જ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું…!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય… ચહેરા પરનું સ્મિત જાણે અદૃશ્ય જ થઈ ગયું હતું.

બસ ત્યારે……..

તેના આ નાનકડા બાળકે

ગણતરીની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા

પિતાને કહ્યું…

“આ લો બાપુ… આવડું આ વધારે મીઠું છે…!”

કદાચ આપણે ક્યારેક-ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ…
..
કોઈએ કેટલું સરસ કહ્યું છે.
“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં…!!!!”
ફર્ક માત્ર વિચારસરણીનો હોય

છે.

ઝબકજ્યોતના સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણી


અમેરિકાની રંગભેદવિરોધી ચળવળને ગાંધી-સત્યાગ્રહનો પાકો પરિચય કરાવનાર ગુજરાતી સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતી કવિ- નાટ્યકાર-વાર્તાકાર, અંગ્રેજી લેખક- પત્રકાર, નમક સત્યાગ્રહના સૈનિક, દક્ષિણામૂર્તિ-વિદ્યાપીઠ-શાંતિનિકેતનના વિદ્યાર્થી, કોલંબિયા યુનિવર્સિટીના પીએચ.ડી…કૃષ્ણલાલ શ્રીધરાણી(૧૯૧૧-૧૯૬૦)નું જન્મશતાબ્દિએ સ્મરણ

Krishnlal Shridharani
૪૯ વર્ષના આયુષ્યમાં કેટલી જિંદગી જીવાય?
આવો મોં-માથા વગરનો લાગતો સવાલ કૃષ્ણલાલ શ્રીધરાણીની કામગીરી-કારકિર્દી વિશે જાણ્યા પછી અર્થસભર લાગી શકે છે.
શ્રીધરાણીનું નામ ગુજરાતી ભણેલા વિદ્યાર્થીઓએ એકાદ વાર (કે એકમાત્ર વાર) ક્યાંક સાંભળેલું લાગવાની શક્યતા ખરી. યાદશક્તિ પર થોડું જોર કરતાં દાંડીકૂચ વિશેની તેમની કવિતા અને ગાંધીજી માટે તેમણે કરેલો શબ્દપ્રયોગ ‘જુવાન ડોસલો’ યાદ આવી શકે. બહુ જોર કરીએ તો કદાચ સાવ બાળપણમાં આવતી કવિતા ‘પીલુડી’ સાંભરી આવેઃ ભાઇ! પેલી પીલુડી/ ઘેરી ઘેરી લીલુડી/ આભલડામાં ચાંદરડાં/પીલુડીમાં પીલુડાં…
પણ શ્રીધરાણીને ફક્ત ગુજરાતી કવિ-નાટ્યકાર તરીકે ખપાવી દેવાનું કેટલું અઘૂરું-અન્યાયી છે, તેનો ખ્યાલ મેળવવા એમના બહુઆયામી જીવનની ઉપરછલ્લી વિગતો પણ પૂરતી થઇ પડે. જેમ કે, મોસાળ ઉમરાળા (ભાવનગર સ્ટેટ)માં સપ્ટેમ્બર ૧૬, ૧૯૧૧ના રોજ જન્મેલા કૃષ્ણલાલની પહેલી કવિતા પ્રતિષ્ઠિત માસિક ‘કુમાર’ના જૂન, ૧૯૨૭ના અંકમાં – અલબત્ત, બાળવિભાગમાં અને નામ વગર- છપાઇ હતી. ‘દક્ષિણામૂર્તિ’માં અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૨૯માં તે ‘ગુજરાત વિદ્યાપીઠ’માં જોડાયા. કાકા કાલેલકરના કૃપાપાત્ર શિષ્ય બન્યા. ત્યાં સુધીમાં પોતાની ઉંમર કરતાં ઘણી વધારે પાકટ સમજણ-અભિવ્યક્તિ માટે શ્રીધરાણી અને તેમની કવિતા વખણાવા લાગ્યાં હતાં. દાંડીકૂચની સફળતા પછી મધરાતે ગાંધીજીની ધરપકડ થઇ, એ પ્રસંગના શ્રીધરાણી સાક્ષી હતા. તેમણે કરેલું ગાંધીજીની ધરપકડનું આલેખન આગળ જતાં ‘દાંડીકૂચ’ વિશેના પુસ્તકમાં લેવાયું. શ્રીધરાણીએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પોતાની પીએચ.ડી.ની થીસીસમાં પણ તેનો થોડો અંશ ઉપયોગમાં લીધો.
મીઠાના સત્યાગ્રહમાં ગાંધીજીની મુખ્ય ટુકડી પછીની બીજી ટુકડીના સત્યાગ્રહી તરીકે શ્રીધરાણીની ધરપકડ થઇ. જલાલપુરના મેજિસ્ટ્રેટ સમક્ષ તેમને હાજર કરાયા, ત્યારે મીઠાનો કાયદો તોડવાનો ‘ગુનો’ કબૂલ કરીને મહત્તમ સજાની વિનંતી સાથે શ્રીધરાણીએ કહ્યું હતું, ‘તમે સજા નહીં કરો તો અમે ફરી આ જ ગુનો કરીને પકડાઇને પાછા આવીશું.’ પરિણામ? ત્રણ માસની જેલની સજા. પહેલાં અમદાવાદની સાબરમતી જેલમાં અને પછી નાશિકની જેલમાં. ત્યાં સર્જક સળવળી ઉઠ્યો. જેલજીવનની અનુભૂતિ અને બીજા કેદીઓની જાણવા મળી એટલી કથાઓનો આધાર લઇને તેમણે એક નાટક ‘વડલો’ અને એક લાંબી વાર્તા ‘ઇન્સાન મીટા દૂંગા’ લખ્યાં. ‘ઇન્સાન મીટા દૂંગા’ના પ્રવેશકમાં દક્ષિણામૂર્તિના નિયામક નાનાભાઇ (નૃસિંહપ્રસાદ) ભટ્ટે લખ્યું હતું,‘(આ કથા) આપણા સમાજતંત્રના હાડમાં પેસી ગયેલાં ડર અને સજાની સામે મૂંગી પણ સજ્જડ જેહાદ છે.’
સ્વદેશપ્રેમ અને સ્વાધીનતાની ઝંખનાનો રંગ શ્રીધરાણીની કૃતિઓમાં નવો ન હતો. અમેરિકા જઇને લખેલા પુસ્તક ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧)માં તેમણે નોંઘ્યું છે કે ‘કુમાર’ના ૧૦૦મા અંક માટે મેં ‘ઝબકજ્યોત’ નામનું એકાંકી નાટક મોકલ્યું હતું. એ નિતાંત સાહિત્યિક કૃતિ હતી, પણ સરકારે મારા નાટકને કારણે આખા અંત પર પ્રતિબંધ મૂકી દીધો, તેની તમામ નકલો જપ્ત કરી લીધી અને પ્રકાશકો પાસેથી ભવિષ્યમાં આવું રાજકીય લખાણ નહીં છપાય એવી બાહેંધરી સાથે જામીનગીરી પેટે રૂ.બે હજારની રકમ લીધી.’
હમણાં જ જેનો એક હજારમો અંક પ્રકાશિત થયો એ ‘કુમાર’ના તત્કાલીન તંત્રી રવિશંકર રાવળે શું કર્યું? લેખકને ઠપકો આપ્યો? તેમની કૃતિઓ છાપવાનું બંધ કર્યું? શ્રીધરાણીએ લખ્યું છે, ‘એમણે મને જાણ સુદ્ધાં ન કરી અને મારી કવિતાઓ રાબેતા મુજબ ‘કુમાર’માં પ્રકાશિત થતી રહી. મને તો બહુ પાછળથી આ વાતની ખબર પડી.’
વિદ્યાપીઠ પછી રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવીને શ્રીધરાણીએ જાણે રાષ્ટ્રિય શાળાઓનું આખું વર્તુળ પૂરું કર્યું : વકીલ પિતાના પુત્ર તરીકે કૃષ્ણલાલને ‘બેરિસ્ટર’ બનાવવાનો અને એ માટે બ્રિટિશ કેળવણીની સ્કૂલમાં મૂકવાનો નિર્ણય સ્વાભાવિક હોત. પણ રાષ્ટ્રિય ભાવનાથી પ્રેરાયેલાં કૃષ્ણલાલનાં માતાએ તેમને દક્ષિણામૂર્તિ મોકલ્યા હતા. સાવ નાની વયે જૂનાગઢ મામાને ત્યાં રહેતા કૃષ્ણલાલ પ્રાકૃતિક વાતાવરણનો બાળસહજ આનંદ માણવામાં એવા મસ્ત રહેતા કે નિશાળમાં ચિત્ત ચોંટતું ન હતું. પરીક્ષા વખતે ગણિતનું પેપર તેમણે સાવ કોરું મૂકી દીઘું હતું- સ્વચ્છતાના ૧૦ માર્ક આપવાની વિનંતી સાથે! કંઇક આ જ પ્રકારની હળવાશથી તેમણે ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ પુસ્તકમાં અંગ્રેજી કેળવણી અંગે ભારતીયોના મોહ વિશે લખ્યું હતું. લંડન ગયા પછી આઇ.સી.એસ.માં નાપાસ થતા ભારતીયો મજબૂરીથી બેરિસ્ટર બને છે એમ જણાવીને તેમણે ટીપ્પણી કરી હતીઃ ‘ભારતમાં એમ્બ્યુલન્સ કરતાં બેરિસ્ટરોની સંખ્યા વધારે છે.’
શાંતિનિકેતનમાં દેશવિદેશના વિદ્વાનો અને ખાસ કરીને બે અમેરિકન અઘ્યાપકોના સંપર્કથી તેમના મનમાં અમેરિકા ભણવા જવાનો વિચાર દૃઢ થયો. અંગ્રેજોના દેશમાં ભણવા ન જવાય એવો ખ્યાલ અને અંગ્રેજી શિક્ષણપદ્ધતિની મર્યાદા પણ આ નિર્ણય માટે જવાબદાર હતાં. રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં ડિસ્ટિંક્ડિશન સાથે પાસ થયેલા આ વિદ્યાર્થીને ફક્ત પ્રોત્સાહન જ નહીં, ભલામણ ચિઠ્ઠી પણ આપી, જે તેમણે ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી પર લખી હતી.

Krishnlal Shridharani (right) with Tagore (courtesy: Shraddha Shridharani)
પોતાની આવડત અને ટાગોર જેવાની ભલામણને લીધે ભાવનગર રાજ્ય તરફથી તેમને સ્કોરલશિપ મળતાં ૧૯૩૪માં તે અમેરિકા ઉપડ્યા. ગુજરાતમાં તેમને કવિ તરીકે વ્યાપક પ્રતિષ્ઠા અપાવનાર સંગ્રહ ‘કોડિયાં’ તેમના જતાં પહેલાં પ્રકાશિત થઇ ચૂક્યો હતો. પરંતુ અમેરિકામાં સાવ જુદી જ દુનિયા શ્રીધરાણી રાહ જોતી હતી. હા, રાહ જોતી હતી. કારણ કે એ વખતે અમેરિકામાં માંડ ત્રીસેક ભારતીય વિદ્યાર્થીઓ જુદી જુદી યુનિવર્સિટીમાં ભણતા હતા. તેમાં શ્રીધરાણી જેવી સાહિત્યિક સંવેદનશીલતા અને અભિવ્યક્તિ, બન્ને સંસ્કૃતિઓનાં સારાં પાસાં જોઇ શકવાની ખુલ્લાશ તથા ભારત વિશે અંગ્રેજોએ ફેલાવેલી ગેરમાન્યતાઓ દૂર કરી શકવા જેટલી બૌદ્ધિક સજ્જતા શ્રીધરાણી જેવા કોઇકમાં જ હોય.
અમેરિકામાં શ્રીધરાણી ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના મુખ્ય વિષય સાથે એમ.એ. અને કોલંિબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી એમ.એસ. થયા. ત્યાર પછી કોલંબિયા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગમાં પીએચ.ડી.ની શરૂઆત કરી. અમેરિકામાં ત્યારે રંગભેદવિરોધી ચળવળનો બાંધો ઘડાઇ રહ્યો હતો. એક તરફ પેસિફિસ્ટ તરીકે ઓળખાતા શાંતિપ્રેમીઓ અને બીજી તરફ ડબલ્યુ.ઇ.બી.દુબોઇસ જેવા વિદ્વાનો પોતપોતાની રીતે ગાંધીજીની અહંિસક ચળવળને સમજવાનો અને રંગભેદવિરોધી લડત માટે અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શાંતિને જ સાઘ્ય ગણતા પેસિફિસ્ટ વિચારધારાના લોકોને ગાંધીજીમાં આઘ્યાત્મિક રીતે અને દુબોઇસ જેવાને સત્યાગ્રહની રાજકીય વ્યૂહરચનામાં રસ પડતો હતો. એ સમયગાળામાં કૃષ્ણલાલ શ્રીધરાણીનું પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯) ખરા અર્થમાં પ્રકાશિત થયું.
અસલમાં શ્રીધરાણીએ પીએચ.ડી.ના મહાનિબંધના એક હિસ્સા તરીકે એ લખાણ તૈયાર કર્યું હતું. પણ અમેેરિકા અને બ્રિટન એમ બે દેશોના વ્યાવસાયિક પ્રકાશકોએ તેને ઉલટભેર પ્રકાશિત કર્યું. તેમાં ગાંધીજીના સત્યાગ્રહનાં અનેક પાસાંની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં તેમ જ રાજકીય શસ્ત્ર તરીકે છણાવટ કરવામાં આવી હતી. સત્યાગ્રહ માટે શ્રીધરાણીએ વાપરેલો અંગ્રેજી શબ્દ હતોઃ નોન-વાયોલન્ટ ડાયરેક્ટ એક્શન. તેમાં આવતો ‘ડાયરેક્ટ એક્શન’નો ભાવ શાંતિને સર્વસ્વ માનતા શાંતિવાદીઓને સંઘર્ષનો અહિંસક ગાંધીમાર્ગ ચીંધતો હતો, જે રંગભેદવિરોધી લડતમાં પણ ઉપયોગી બને તેમ હતો. પરિણામે, શ્રીધરાણીનું આ પુસ્તક, એક અભ્યાસીના નોંઘ્યા પ્રમાણે, રંગભેદ સામે ચળવળ ચલાવતી અને ટૂંકમાં ‘કોર’ તરીકે ઓળખાતી સંસ્થા ‘કોંગ્રેસ ફોર રેશિઅલ ઇક્વાલિટી’નું ‘સેમીઓફિશ્યલ બાઇબલ’/ બિનસત્તાવાર ધર્મપુસ્તક બની ગયું.
‘વોર વિધાઉટ વાયોલન્સ’નો સંદેશ પ્રસરે તે પહેલાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં, એ પુસ્તક ભૂલાવા લાગ્યું. બાર વર્ષ પછી ભારત પાછા આવેલા શ્રીધરાણીએ મૃત્યુ પહેલાં ‘વોર વિધાઉટ વાયોલન્સ’ની મૂળ આવૃત્તિમાં વઘુ સામગ્રી ઉમેરીને, તેની નવી આવૃત્તિ તૈયાર કરી. પરંતુ ડો.રાધાકૃષ્ણન્‌ના આવકાર સાથે તે ભારતીય વિદ્યાભવન દ્વારા ફરી (૧૯૬૨)માં પ્રકાશિત થાય, તે પહેલાં હૃદયરોગના હુમલાથી ૨૩ જુલાઇ, ૧૯૬૦ના રોજ દિલ્હીમાં ૪૯ વર્ષની વયે કૃષ્ણલાલ શ્રીધરાણીનું અવસાન થયું.

“ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી” ચરોતરના ધો.9માં અભ્યાસ કરતાંપ્રેમે કેન્યા અને ઓસ્ટ્રેલીયાની સવારી સંવારી


“ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી” ચરોતરના ધો.9માં અભ્યાસ કરતાંપ્રેમે કેન્યા અને ઓસ્ટ્રેલીયાની સવારી સંવારી

“ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી”
ચરોતરના ધો.9માં અભ્યાસ કરતાંપ્રેમે કેન્યા અને ઓસ્ટ્રેલીયાની સવારી સંવારી

શૈલેષ રાઠોડ/મિશન જ્યોત
ચરોતરના માત્ર 14 વર્ષીય બાળકે માતાપિતાના પરિશ્રમમાંથી બોધ લઇ ઓસ્ટ્રેલિયા અને કેન્યામાં લોકોને રોજીરોજી મળે તેવી ગુગલ એપ બનાવી છે.પ્રથમ તબક્કામાં જ પ્રચલિત બનેલ સર્ફર એપ ઓસ્ટ્રેલિયા અને કેન્યાવાસીઓ માટે આવકનું માધ્ય્મ બનશે તેવો આશાવાદ સ્થાનિકો અને પરિવારજનો સેવી રહ્યા છે.

મૂળ પણસોરાના અને હાલ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે બિઝનેશ માટે ગયેલા ગુજરાતી ચરોતર પરિવારની ખુશીઓનો પાર નથી.ભરત પટેલ કે જેઓએ જીવનના મહત્તમ  વર્ષો કેન્યામાં ખર્ચ્યા અને પુત્ર પ્રેમને વધુ અભ્યાસ મળે તે માટે ઓસ્ટ્રેલિયામાં બિઝનેશ વિઝા મેળવ્યા।બાળપણથી જ ભણવામાં હોશિયાર એવા પ્રેમે ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં સ્થાનિક યુનિવર્સીટીના અધ્યાપકોનો પ્રેમ સંપાદિત કરી દીધો।ભણવામાં અવ્વ્લ અને સંશોધનમાં પણ અવ્વ્લ પ્રેમે ઓસ્ટ્રેલિયનો અને કેન્યાવાસીઓ માટે નવી જ રોજગારીની તકો ઉભી કરતી  ગુગલ એપ બનાવી છે.

પ્રેમના પિતા ભરતભાઈ પટેલ જણાવે છે કે,પ્રેમ બાળપણથી જ ટેલેન્ટેડ છે.કોમ્પ્યુટર તેનો રસનો અને સંશોધનનો વિષય છે.હાલમાં ઓસ્ટ્રેલિયામાં પર્થ  ખાતે તે ભણે છે.માતાને રેસ્ટોરન્ટમાં કાર્યરત જોઈ તે દુઃખી હોઈ તેને ધો.9 માં જ તનતોડ મહેનત કરતા કેમેસ્ટ્રી,મેથ્સ અને બાયોલોજીમાં 100/99 પર્સન્ટેજ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે.કોમ્પ્યુટરમાં આઈસી ટી માં પણ 100/99 માર્ક મેળવેલ છે.તેને રાતદિવસ એક કરી સર્ફેર  ગોગલ એપ બનાવી છે.આ એપનું સૂત્ર છે”ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી”.

સલામતી અને સમય બચત

આજના સંઘર્ષના યુગમાં સલામત રીતે અને ઝડપથી વિશ્વાસુ ડ્રાયવર દ્વારા વાહનવ્યવહાર થઇ શકે તે માટે સર્ફેર એપ બનાવી છે.આ એપના માધ્યમથી હું કેન્યા અને ઓસ્રેલિયાના અને વહનચાલકોનો રોજગારી આપવા માંગુ છું.આ એપનો ફેલાવો કરી વાહનવ્યવહાર સરળ,સલામત બનાવવા મંગુ છું.
-પ્રેમ પટેલ,ગુગલ એપ બનાવનાર ભારતીય બાળક

https://play.google.com/store/apps/details?id=com.app.driversurferm

શૈલેષ રાઠોડ
મો-9825442991

સાતત્યપૂર્ણ વિકાસ માટે પાણી


large_lNIkewqtHktTgCGhCDqo1Jp3rzWu2rGc4iH93BMWxjU

 

 

કહેવાય છે-“ધ વર્ડ ઓફ ટુડે ઈઝ ધ પ્રોડક્ટ ઓફ સાયન્સ’

સાચી વાત છે અને…આ વિકાસનું એન્જિન એટ્લે પાણી.

 

પાણી એ તમામ પ્રકારના જીવન અને સાતત્યપૂર્ણ વિકાસ માટે માટે ખૂબ જ અનિવાર્ય અને મૂલ્યવાન કુદરતી સ્ત્રોત છે.જળ સ્ત્રોતો મર્યાદિત છે. દેશ દુનિયાની સંગીન આર્થિક  સ્થિતિ માટે પાણીનું મહત્વ નિર્વિવાદ છે. પર્યાવરણમાં થઈ રહેલા પ્રતિકૂળ ફેરફારો, અપૂરતો અને અનિયમિત વરસાદ, વધતું જતું ઔદ્યોગીકરણ, વસતિ વધારો, ભૂગભજળનો ઉપયોગ, ઘરવપરાશ માટે વધતી જતી પાણીની માંગ, વગેરેને કારણે જળ સ્ત્રોતો દિવસે દિવસે ઘટી રહ્યાં છે.

સાતત્યપૂર્ણ વિકાસમાં પાણીનું મહત્વ સમજવું ત્યારે ગુજરાતની સ્થિતિ જણાવું.

ગુજરાતમાં કુલ ઉપલબ્ધ જળ સ્ત્રોતોમાં (સપાટી ઉપરનાં અને ભૂગર્ભજળ) લગભગ 55,600 મીલીયન ઘનમીટર (38,100 મીલીયન ઘનમીટર સપાટી ઉપરનાં જળ અને 17,500 મીલીયન ઘનમીટર ભૂગર્ભજળ) પાણી હોવાનો અંદાજ છે. લગભગ 88% પાણી સિંચાઇ માટે, 10% પાણી ઘરવપરાશ અથવા ઘરેલુ ઉપયોગ માટે અને 2% પાણી ઉદ્યોગો માટે પૂરું પાડવામાં આવે છે.

વાસ્તવિકતા જોઈએ તો, ઉત્પન્ન થયેલ સિંચાઈ શક્તિ તેમજ વપરાયેલ સિંચાઈ શક્તિ વચ્ચે વિશાળ તફાવત છે. ઉદ્યોગોના ગંદા પાણીને કારણે જળસ્ત્રોત્રોના પ્રદૂષણમાં વધારો થાય છે જે પર્યાવરણીય અને તંદુરસ્તીમાં જોખમરૂપ થાય છે તેમજ શુધ્ધ પાણીની ઉપલબ્ધિને અસર કરે છે . રાજ્યમાં નદીઓના ઘણા ચોક્કસ ભાગોમાં ભારે માત્રામાં પ્રદૂષણ છે તેમજ જળસૃષ્ટિ ,સાંસ્કૃતિક જરૂરિયાત અને પર્યાવરણીય સુંદરતા માટે જરૂરી પ્રવાહથી વંચિત છે.

વાસ્તવિકતા જણાવું તો, ઉત્પન્ન થયેલ સિંચાઈ શક્તિ તેમજ વપરાયેલ સિંચાઈ શક્તિ વચ્ચે વિશાળ તફાવત છે. ઉદ્યોગોના ગંદા પાણીને કારણે જળસ્ત્રોત્રોના પ્રદૂષણમાં વધારો થાય છે જે પર્યાવરણીય અને તંદુરસ્તીમાં જોખમરૂપ થાય છે તેમજ શુધ્ધ પાણીની ઉપલબ્ધિને અસર કરે છે . રાજ્યમાં નદીઓના ઘણા ચોક્કસ ભાગોમાં ભારે માત્રામાં પ્રદૂષણ છે તેમજ જળસૃષ્ટિ ,સાંસ્કૃતિક જરૂરિયાત અને પર્યાવરણીય સુંદરતા માટે જરૂરી પ્રવાહથી વંચિત છે.પાણીનો સાતત્યપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આવનાર દિવસોમાં સંકટના વાદળો છવાઈ જશે.

આપણે ગુજરાતની વાત કરીએ તો, રાજયના મોટા ભાગના ભૂગર્ભજળસોતો રાજ્યના 1/3 વિસ્તાર સુધી મર્યાદિત છે (સેન્ડસ્ટોન અને કાંપવાળા વિસ્તાર) જેવા કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર જિલ્લો અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગો. રાજ્યમાં ઓછા અને અનિયમિત વરસાદના કારણે વારંવાર દુષ્કાળની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. ગઈ સદીમાં રાજ્ય દર ત્રીજા વર્ષે દુષ્કાળથી પીડાતું હતું. પરિણામે, ભૂગર્ભજળનો કૃષિ, ઉદ્યોગો અને સ્થાનિક હેતુઓ માટે મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેથી, આ પ્રદેશોમાં ભૂગર્ભજળના ઉપયોગના કારણે પ્રતિવર્ષ 3 મીટર થી 5 મીટર ના દરે ભૂગર્ભજળસપાટી પુન:પ્રભરણ કરતાં વધુ ઊડી ઊતરી રહી છે. પરિણામે, ભૂગર્ભજળસ્ત્રોતોનો જથ્થો ઘટતો જાય છે અને પાણીની ગુણવત્તા કેટલાક વિસ્તારો તેમજ દરિયાઇ વિસ્તારોમાં કથળતી જાય છે.

પ્રજા પાણીનો સાતત્યપૂર્ણ રીતે પરજ ઉપયોગ નથી કરતી તેનું દુખ છે. ભૂગર્ભજળ તે જળચક્ર અને સમુદાય માટેનો સ્ત્રોત્રનો એક ભાગ હોવા છતાં તેને વ્યક્તિગત મિલકત ગણી તેના મર્યાદિત જથ્થાને ધ્યાનમાં લીધા વગર અસમાન ધોરણે (યંત્રો દ્વારા) ખેચવામાં આવે છે જે અમુક ચોક્કસ વિસ્તારોમાં ભૂગર્ભજળના શોષણમાં પરીણમે છે. કુદરતી જળાશયો તેમજ પાણીના નિકાલની નહેરો પર અતિક્રમણ થાય છે અથવા તેને અન્ય ઉપયોગા માટે બદલવામાં આવે છે. ભૂગર્ભજળ પ્રભરણ વિસ્તારો ઘણી વખત અવરોધાય છે. સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પાણીની ઉપલબ્ધિ એ ઘણી મોટી સમસ્યા છે. અપૂરતી સ્વચ્છતા અને ગંદા પાણીની પ્રક્રિયાના અભાવના કારણે જળસ્ત્રોતો પ્રદૂષિત થાય છે.

ભારતની જળ કટોકટી જેમ-જેમ આપણે ૨૧મી સદીમાં આગળ વધતા જઇએ છીએ તેમ-તેમ ભારતને પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડે છે. આ કટોકટીને કારણે આપણા નાગરિકોનો પીવાના પાણીનો મૂળભૂત અધિકાર પણ ભયમાં મૂકાયો છે. ઝડપથી થઇ રહેલ અર્થતંત્રના ઔદ્યોગિકરણની માંગ અને સમાજનું થઇ રહેલ શહેરીકરણ એવા સમયે આવ્યું કે જ્યારે વધારાના પુરવઠાની શક્યતાઓ મર્યાદિત છે. પાણીની પ્રાપ્તિ ઘટતી જાય છે અને પાણીની ગુણવત્તાનો મુદ્દો વધુને વધુ મહત્વનો બનતો જાય છે. વિશાળ બંધોની મર્યાદાઓ હાલની જાણકારી મુજબ પાણીના વધારાના સંગ્રહ માટે આર્થિક રીતે સંભવ હોય તેવા નવા વિશાળ બંધોના પ્રોજેક્ટની ચોક્કસ મર્યાદાઓ પણ છે. નદીઓને એકબીજા સાથે જોડી દેવાની આશાસ્પદ યોજનાને કારણે પણ ઘણી સમસ્યાઓ સામે આવી. પાણીના આંતર-તટપ્રદેશ સ્થાનાંતરણ માટે દ્વીપકલ્પની નદીઓના હિમાલયની હારમાળાઓ સાથેના જોડાણની વ્યાપક દરખાસ્તો હતી, જેનો અંદાજીત ખર્ચ ૨૦૦૧માં લગભગ રુ.પાંચ લાખ સાઇઠ હજાર કરોડ જેટલો થતો હતો.

ભારતની ભૌગોલીક રચના મુજબ અને જોડાણને જે રીતે ધ્યાનમાં લીધેલ છે, તે મધ્ય અને પશ્ચિમ ભારતમાં મુખ્ય સૂકા વિસ્તારોને પૂરેપૂરા બાયપાસ કરી દેશે. આ વિસ્તારો સમુદ્ર સપાટીથી ૩૦૦ મી ટરથી પણ વધુ ઊંચાઇ એ આવેલા છે. એવો પણ ભય છે કે નદીઓના જોડાણથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરને નાથીને આવતા પોષક તત્વોના કુદરતી પુરવઠાને પણ વિપરીત અસર પડશે. ભારતના પૂર્વી કિનારાને અડીને બધી જ મુખ્ય દ્વીપકલ્પીય નદીઓ પાસે વિશાળ મુખત્રિકોણ પ્રદેશ છે. જોડાણ માટે નદીઓ પર બંધ બાંધવાથી કાંપનો પુરવઠો ઘટી જશે અને તેથી કિનારાઓ અને મુખત્રિકોણ પ્રદેશનું ધોવ ણ થશે જે કિનારા પર રહેલી જીવસૃષ્ટિને ખતમ કરી નાંખશે. એવું પણ સૂચવવામાં આવેલું હતું કે, આ યોજના ચોમાસાંની સિઝનને પણ અસર કરી શકે છે. બંગાળની ખાડીમાં ઓછા ક્ષાર અને ઓછી ઘનતાવાળા પાણીનાં સ્તરને કારણે સમદ્રુ-સપાટી પર ઊંચુ તાપમાન રહે છે.(૨૮ ડિગ્રી સેલ્સીયસ), જે ઓછા દબાણવાળો વિસ્તાર રચે છે અને ચોમાસાંની ગતિવિધિને તેજ કરે છે. ઉપખંડમાં પડતા મોટાભાગના વરસાદનું નિયત્ર્ંણ આ ઓછા ક્ષારવાળા સ્તરથી થાય છે. આ સ્તરમા ભંગાણ થાય તો ઉપખડંમાં આબોહવા અને વરસાદ પડવાની પ્રક્રિયામાં લાંબે ગાળે ગંભીર પરિણામો આવવાની શક્યતા છે અને તે વિશાળ જનસમુદાયનું જીવન જાખેમમા મૂકી શકે છે.

પાણીના સાતત્યપૂર્ણ વિકાસ માટે

  • પાણીનો ઉપયોગ અને વહેંચણી સમાનતા અને સમાજીક ન્યાયના સિધ્ધાંતોના આધારે થવી જોઈએ.
  • ગુણવત્તાસભર અમલીકરણ માટે સમાનતા, સમાજીક ન્યાયના સિધ્ધાંતો અને સ્થિરતા જેવા હેતુઓ ધ્યાને લઈ પારદર્શક જાણકારી સાથેની નિર્ણયક્ષમતા અતિ મહત્વની છે. અર્થસભર સહભાગિતા, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ દ્વારા નિર્ણય લઇને જળ સ્ત્રોતોનું નિયમન થવું જરૂરી છે.
  • સમાન અને સ્થિર વિકાસ હાંસલ કરવા માટે તેમજ અન્ન સુરક્ષા, આજીવિકાના આધાર માટે પાણીનું વ્યવસ્થાપન એ જનસમુદાયની સામાન્ય મિલકત તરીકે રાજ્ય દ્વારા જાહેર ટ્રસ્ટના સિધ્ધાંતોને અનુસરીને થવું જોઈએ.
  • પર્યાવરણ ટકાવવા માટે પાણી મહત્વનું છે જેથી પર્યાવરણની લઘુતમ જરૂરિયાતોને પૂરતું મહત્વ અપાવું જોઈએ.
  • સ્વચ્છ પાણી એ પીવા અને સ્વચ્છતા માટેની પૂર્વ જરૂરિયાત છે, ત્યારબાદ અન્ય ઘરવપરાશની જરૂરિયાત (પશુઓની જરૂરિયાત સહિત), અન્ન સુરક્ષા હાંસલ કરવા માટે, સ્થિર કૃષિ જરૂરિયાત અને પર્યાવરણની લઘુતમ જરૂરિયાત માટે અગ્રતાના ધોરણે પાણીની વહેંચણી થવી જોઈએ. ઉપલબ્ધ પાણીમાંથી ઉપરોક્ત જરૂરિયાતો સંતોષ્ટયા બાદ બાકી રહેતી જળરાશિની વહેંચણી તેના સંચય અને કાર્યક્ષમ ઉપયોગના આધારે થવી જોઈએ.
  • જળચક્રના તમામ ઘટકો જેવાકે બાષ્પોત્સર્જન, અવક્ષેપસર્જન, વરસાદ, પ્રવાહ, નદી, સરોવર, જમીનનો ભેજ અને ભૂગર્ભજળ, દરિયો વગેરે સ્વતંત્ર છે અને નદી પરિસર પાયાનું જળશાસ્ત્રીય એકમ છે તેમ ગણીને તેનુ આયોજન થવું જોઈએ.
  • આબોહવાના પરિવર્તનને કારણે ઉપલબ્ધ પાણીના જથ્થામા થતા ફેરફાર અને ઉપલબ્ધ ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપલબ્ધ જળસ્ત્રોતોમાં વધારો કરવાની મર્યાદાઓને કારણે ભવિષ્યની જરૂરિયાતોનો ઉપયોગ કાર્યક્ષમતા આધારિત રહેશે તેથી તેને નીચેના મુદ્દાઓ જેવાકે, (અ) એવી કૃષિ પધ્ધતિ કે જેનાથી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થાય અને પાણીનો મહત્તમ લાભ થાય (બ) પાણીનો બગાડ નિવારવો અને મહતમ કાર્યક્ષમતા મેળવવી, અને ધ્યાને રાખી અગ્રતા આપવી જોઈએ.
  • પાણીની ગુણવત્તા અને જથ્થો પરસ્પર સંકળાયેલો છે અને તેનું વ્યવસ્થાપન સંકલિત રીતે, સાતત્યપૂર્ણ બૂહદ પર્યાવરણીય વ્યવસ્થાપન અભિગમ સાથે તેમજ બીજી બાબતોની સાથોસાથ આર્થિક પ્રોત્સાહન અને પાણીનો બગાડ તેમજ પ્રદૂષણ નિવારવા માટે દંડની જોગવાઈ સાથે થવું જોઈએ
  • જળ વ્યવસ્થાપન ને લગતા નિર્ણયો માટે આબોહવામાં ફેરફારોને કારણે જળસ્ત્રોતોની ઉપલબ્ધ જળરાશીમાં થતી અસરોને પરિબળ તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. પાણીના ઉપયોગને લગત કાર્યવાહીઓનું સંચાલન સ્થાનિક જમીનની આબોહવા તથા જળશાસ્ત્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કરવું જોઈએ.

મારૂ સ્પષ્ટ માનવું છે કે,પાણીના સાતત્યપૂર્ણ ઉપયોગ માટે ,રાષ્ટ્રિય માળખાકીય કાયદાની જેમ રાજ્ય માળખાકીય કાયદાની જરૂરિયાત છે કે જે રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કાયદાકીય અને/અથવા પ્રબંધક (અથવા હસ્તાંતરિત) સત્તાઓ આપવાનુ સામાન્ય સિધ્ધાંતો આધારિત છત્ર પુરું પાડે. આ બાબત રાજ્યમાં પાણીના નિયંત્રણ માટે જરૂરી એવા કાયદા તરફ દોરી જવી જોઈએ જેને કારણે સરકારના નીચલા સ્તરે સ્થાનિક પાણીની પરિસ્થિતિને ધ્યાને લઈ કામગીરી થઈ શકે તેવી જરૂરી સત્તાઓનુ હસ્તાંતરણ થઈ શકે. આ પ્રકારનું કાયદાકીય માળખું પાણીને ફક્ત દુર્લભ સ્ત્રોત્ર તરીકે જ માન્ય ના કરે પરંતુ જીવન અને પર્યાવરણ ટકાવનાર સ્ત્રોત્ર તરીકે પણ માન્ય કરે. આથી, પાણી, ખાસ કરીને ભૂગર્ભજળનું સંચાલન જનસમુદાયની સામાન્ય મિલકત તરીકે રાજ્ય દ્વારા જાહેર ટ્રસ્ટના સિધ્ધાંતોને અનુસરીને અન્ન સુરક્ષા હાંસલ કરવા માટે, આજીવિકાના આધાર તરીકે અને બધાના સમાન અને સ્થિર વિકાસ માટે થવું જોઈએ.

 

મારૂ સ્પષ્ટ માનવું છે કે-

  • ઘરવપરાશ, કૃષિ, જળવિધુત, થર્મલ પાવર (તાપ વિદ્યુત), જળ પરિવહન, મનોરંજન વગેરે માટે પાણી જરૂરી છે. આ વિવિધ પ્રકારના ઉપયોગો માટે પાણીનો ઈષ્ટતમ ઉપયોગ અને પાણી એ દુર્લભ સ્ત્રોત્ર છે તેવી જાગૃતિ ફેલાવવા સાથે થવો જોઈએ.
  • રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓએ (આમલકારી સંસ્થાઓ) તેના બધાજ નાગરિકોને સ્વાસ્થય અને આરોગ્યલક્ષી લધુતમ માત્રામાં પીવાનું પાણી રહેઠાણ નજીક સહેલાઈથી મળી રહે તેની ખાત્રી કરવી જોઈએ.
  • નદીની પર્યાવરણીય જરૂરિયાતો વૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા નિયત થવી જોઈએ જેમાં નદીના કુદરતી વહેણની ખાસિયતો અલ્પ અથવા શૂન્ય પ્રવાહ, ઓછી માત્રાનું પૂર, ભારે પૂર વગેરે અને વિકાસની જરૂરિયાતો ધ્યાનમાં લેવાવી જોઈએ.
  • જનસમુદાયને મટે દૂરના અંતરથી પાણી લઇને આપવાને બદલે પ્રથમ સ્થાનિક ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જનસમુદાય આધારિત જળ વ્યવસ્થાપનની સંસ્થાઓ ઊભી કરવી જોઈએ અને તેને મજબૂત બનાવવી જોઈએ.

જળ રાશી વૃધ્ધિ માટે અને સાતત્યપૂર્ણ વિકાસ માટે ઘણું કરી શકાઈ-જેમકે-

  • ઉપલબ્ધ જળ સ્ત્રોતો અને તેનો ઉપયોગ કરતા રાજ્યનાં વિવિધ નદી પરિસરોના વિવિધ ઘટકોનું સમયાંતરે , જેમ કે દર પાંચ વર્ષે, વૈજ્ઞાનિક પધ્ધતિથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે. જળ સ્ત્રોતોના આયોજનમાં આબોહવા પરિવર્તનને કારણે ઉપલબ્ધ પાણીમાં થતા ફેરફારના વલણનું મૂલ્યાંકન અને ગણતરી ધ્યાનમાં લેવાવી જોઈએ.
  • ઉપલબ્ધ પાણીની માત્રા મર્યાદિત છે પરંતુ વધતી જતી વસતી, ઝડપી શહેરીકરણ, ઝડપી ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસના કારણે તેની માંગ ઝડપથી વધી રહી છે. તેથી, વધતી જતી માંગને પહોંચી વળવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપલબ્ધ પાણીમાં વધારો કરવો જોઈએ. વરસાદના પાણીનો સીધો ઉપયોગ , ખારાશ દૂર કરવી, ધ્યાન બહારનું બાષ્પીભવન-બાષ્પોત્સર્જનનું નિવારણ જેવી નવી વધારાની વ્યહરચનાઓથી ઉપયોગમાં લઈ શકાય તેવા જળસ્ત્રોતોના પાણીમાં વધારો થઈ શકે.
  • રાજ્યના ભૂગર્ભજળસ્ત્રોતો (ફરી ભરી શકાય તેમજ ફરી ન ભરી શકાય તેવા) ના પાણીના જથ્થા તેમજ ગુણવત્તા ને જાણવા માટે જળક્ષેત્રોના નકશાઓ તૈયાર કરવા જરૂરી છે. આ પ્રક્રિયામા સ્થાનિક સમુદાયની સંપૂર્ણ ભાગીદારી હોવી જોઈએ. આને સમયાંતરે અદ્યતન કરવું જોઈએ.
  • પાણીના ઉપયોગની સુધારેલ તકનીકી, પાણીના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહિત કરીને, સમુદાય આધારિત જળક્ષેત્રોના વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરીને પાણીના વધુ પડતા ખેંચાણને કારણે નીચી જતી ભૂગર્ભજળ સપાટી અટકાવવી જોઈએ. વધુમાં, જ્યાં જરૂર હોય ત્યાં, કૃત્રિમ પુનઃ પ્રભરણ યોજના હાથ પર લેવી જોઈએ કે જેથી પુનઃ પ્રભરણ કરતાં ખેંચાણ ઓછુ થાય. આ થવાથી ભૂગર્ભસ્તરો દ્વારા ભૂગર્ભજળનો પ્રવાહ સપાટી જળને મળે અને પર્યાવરણ સચવાય.
  • આાંતર નદી પરિસરોમાં પાણીની તબદીલી ફક્ત ઉત્પાદન વધારવા માટે નથી, પરંતુ તે માનવ જીવનની પાયાની જરૂરિયાત માટે અને સમાનતા તેમજ સામાજિક ન્યાય પ્રાપ્ત કરવા માટે પણ છે. આંતર નદી પરિસરોમા પાણીની તબદીલી દરેક કિસ્સાઓમાં પર્યાવરણીય, આર્થિક, અને સામાજિક અસરોનું મૂલ્યાંકન કરીને ગુણવત્તાના આધારે થવી જોઈએ.
  • સંકલિત વોટરશેડના વિકાસની પ્રવૃત્તિઓ ભૂગર્ભજળનાં પરિપ્રેક્ષયો સહિત વ્યાપક પ્રમાણમાં જમીનનો ભેજ વધારવા, ઘસડાવાની માત્રા ઘટાડવા, અને જમીન તેમજ પાણીની સમગ્રતયા ઉત્પાદક્તા વધારવા માટે થવી જોઈએ. શકય હોય ત્યાં સુધી, ખેડુતો દ્વારા ખેત તલાવડી દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ અને અન્ય જમીન અને પાણી સંરક્ષણના ઉપાયો હયાત કાર્યક્રમો જેવાકે મનરેગા મારફતે કરવા જોઈએ.

ઉપરાંત, ભુગર્ભજળનો સંગ્રહ પણએટલો જ જરૂરી છે:આ માટે-

  • પર્યાવરણની સમતુલા જાળવવા માટે પુન: પ્રભરણથી વધારે ભૂગર્ભજળને ખેચવું જોઈએ નહી. પયાર્વરણ વિષયક વિપરીત અસર અટકાવવા માટે ભૂગર્ભજળના ઉપયોગનું નિયમન કરી નિયંત્રિત કરવો.
  • ભૂગર્ભજળનો વધુ વપરાશ કરતા વિસ્તારોમાં સપાટી જળનો વપરાશ વધારવા હયાત તળાવો ઊડાં કરીને અને લોક ભાગીદારીથી ચેકડેમો મારફત ચોમાસાના પાણીનો સંગ્રહ કરીને, નદીપરિસરોમાં અન્ય ક્ષેત્રને મળતાં વધુ સપાટીજળમાંથી પાણીનો ફાજલ જથ્થો ઠાલવીને, ભૂગર્ભજળનો ઉપયોગ કરવાને બદલે સપાટીજળનો ઉપયોગ વધારી શકાય એવા પ્રયત્નો કરવા. આમ, ભૂગર્ભજળનો જથ્થો વધારવા અને તેની ગુણવત્તામાં પણ સુધારો કરવા માટે આયોજન કરવું.
  • ચાલુ સિંચાઇ પરિયોજનાઓમાં સપાટીજળ અને ભૂગર્ભજળનું મિશ્રણ કરીને અને નવી પરિયોજનાઓના અમલ માટે સંકલિત વિકાસ અને સંતુલિત ઉપયોગ માટે આયોજન કરવામાં આવશે. ચેકડેમ, બંધારા અને ભરતી નિયંત્રકો જેવાં બાંધકામ કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અને વધુ ખેંચાતાં ભૂગર્ભજળના પ્રમાણમાં ઘટાડો કરવા માટે આયોજન કરવામાં આવશે.
  • વરસાદી પાણીનો સંગ્રહ કરીને પુન:પ્રભરિત થયેલાં ભૂગર્ભજળના ઉપયોગ માટે કાળજી લેવામાં આવશે. શેરડી અને કેળા જેવા વધારે પાણીની જરૂરિયાતવાળા પાકોને નિયંત્રિત કરવામાં આવશે અને ટપક સિચાઈ અને છંટકાવ સિંચાઈ પદ્ધિતનો ઉપયોગ થતો હોય એવી ખેતીમાં વધારો કરવા માટે કાળજી લેવામાં આવશે. જ્યાં સપાટી જળ ઉપલબ્ધ નથી અને પાઈપલાઈન દ્વારા પણ સપાટી જળ પૂરું પાડવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય એવા વિસ્તારોમાં પીવાના પાણી માટે ભૂગર્ભજળનો અલગ જથ્થો અનામત રાખવો.

 

ભૂગર્ભ જળની કટોકટી પ્રમાણમાં સહેલી અને વિકેન્દ્રિત રીતે મળી શકવાની સગવડને કારણે ભૂગર્ભજળ એ ભારતની કૃષિ અને પીવાના પાણીની સુરક્ષાની કરોડરજ્જુ સમાન છે. ભૂગર્ભજળ એ કોમન-પુલ રિસોર્સ(સી.પી.આર.) છે. જેનો દેશભરના લાખો ખેડૂતો ઉપયોગ કરે છે. છેલ્લાં ચાર દાયકાઓથી ચોખ્ખી (નેટ) સિંચાઇનાં વિસ્તારોના લગભગ ચોર્યાસી ટકા ભૂગર્ભજળમાંથી આવે છે. ભારત એ વિશ્વનો સૌથી વિશાળ અને ઝડપથી વધી રહેલો ભૂગર્ભજળ વપરાશકાર બની ગયો છે. પરંતુ ભૂગર્ભજળ તેનાં સ્થિરતાના સ્તરથી વધુ ખેચવામાં આવી રહ્યું છે અંદાજીત ૩૦ મિલિયન (૩ કરોડ) ભૂગર્ભજળનાં માળખાં હાલમાં કાર્યરત છે. ભારતમાં કદાચ વધુ પડતા ભૂગર્ભ જળ અને ગુણવત્તામાં બગાડને કારણે તેની ગંભીર કટોકટી તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ભારતનાં બધાં જિલ્લાઓમાંથી ૬૦ ટકા જેટલાં જિલ્લાઓમાં ભૂગર્ભજળનાં જથ્થા અથવા ગુણવત્તા અથવા તો બંનેને લગતી સમસ્યાઓ છે. કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડની તાજેતર ૨૦૦૯ની આકારણી અનુસાર સમગ્ર ભારતનું ભૂગર્ભજળ સ્તર હવે ૬૧% છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં આ સ્તર ૧૦૦%ની નજીક છે. તે પછી તામિલનાડુ ૮૦% અને ઉત્તરપ્રદેશ ૭૧% છે.

નમૂનારૂપ પરિવર્તનની જરૂરીયાત દેશનાં વિશાળભાગોમાં પાણીના સંશોધનોમાં વધુ આગળ વિકાસ થતાં અને મર્યાદાઓ સામે આવવાથી ૧૨મી યોજનામાં કેવી રીતે આગળ વધવું તે એક પડકાર હતો. એ સ્પષ્ટ છે કે આ સ્થિતિ જેમ છે તેમ ચાલશે તેવું તો નહીં જ ચાલે. અને સારા વિદ્વાનો અને વ્યવસાયીઓ જેના પર સહમત હોય તેવા નવા વિચારો અપનાવવાની જરૂર હતી. આમ યોજનાનું નવું સ્વરૂપ રચવામાં આવ્યું. જળક્ષેત્રમાં ૧૨મી યોજના માટે વર્કિંગ ગ્રુપ. યોજના પંચનાં ઇતિહાસમાં પ્રથમ જ વખત વર્કિંગ ગ્રુપ્સમાં સરકાર બહારના પ્રખ્યાત નિષ્ણાતોએ અધ્યક્ષતા કરી હતી. ૨૦૦૧- ૧૨ના સમયગાળા દરમ્યાન નવો જ માર્ગ આલેખાયો, જેનાથી ભારતમાં જળસંસાધન વ્યવસ્થાપનમાં દસગણો નમૂનારૂપ ફેરફાર જોવા મળ્યો. આ પેપર આ પરિવર્તનનાં મુખ્ય લક્ષણોની બાહ્ય રૂપરેખા વર્ણવે છે.

નમૂનારૂપ પરિવર્તન માટેના દસ તત્વો

૧. વિશાળપાયે સિંચાઇ સુધારણા મોટી અને મધ્યમ કદનાં સિંચાઇ ક્ષેત્ર (એમ.એમ.આઇ.)માં વધુ વિકાસ કરવા માટે ઉભરતી મર્યાદાઓ ને નજર સમક્ષ રાખીને ૧૨મી યોજનામાં સંકુચિત રીતે એન્જિનિયરિંગ-બાંધકામ કેન્દ્રિત એવા અભિગમમાંથી વધુ શિસ્ત, સહભાગિતા વાળો, સંચાલનને ધ્યાનમાં રાખનાર, સાથોસાથ કમાન્ડ વિસ્તારનાં વિકાસ પર ભાર મુકે અને જળ વપરાશની કાર્યક્ષમતા સુધારવાના સાતત્યપૂર્ણ પ્રયાસ થાય તેવો અભિગમ ધ્યાનમાં રાખવામાં આવ્યો.

આપણા જળ સંસાધનનો ૮૦ ટકા વપરાશ સિંચાઇ માટે થતો હોવાથી, ૧૨મી યોજના દ્વારા સિંચાઇ કાર્યક્રમમાં જળ વપરાશ કાર્યક્ષમતા ૨૦ટકા વધારવાના લક્ષ્યને કારણે ફક્ત ખેતી માટે જ નહિ પરંતુ અર્થતંત્રના બીજાં ક્ષેત્રોમાં પણ એકંદરે ઘણી મોટી અસર પડશે. અત્યાર સુધીની મહત્વની મર્યાદા એ રહી છે કે એમ.એમ.આઇ.નાં રોકાણ સાથે કદમ મિલાવી શકે તેવી ગુણવત્તાસભર સેવાઓ પહોંચાડવામાં ઘણાં રાજ્યોના સિંચાઇ વિભાગ નિષ્ફળ ગયા છે. જે રાજ્યો નવા એમ.એમ.આઇ. પ્રોજેક્ટમાં નાણાંના રોકાણ માટે હરીફાઇ કરે છે, ત્યાં કાર્યક્ષમ વહીવટ માટે ઘણાં ઓછાં પ્રયત્ન થયા છે. એ હકીકત છે કે ઘણાં રાજ્યોમાં સિંચાઇ સેવાની ફી ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવે છે, તે નાબૂદ કરાઇ છે અથવા તો તે બાકી હોય તેનાથી ૨ થી ૮ ટકા જેટલી ઓછી હોય છે. આમ કરવાથી ખેડૂતો અને સિંચાઇ વિભાગ વચ્ચે વિશ્વસનીયતા ખતમ થઇ ગઇ. જ્યારે પણ સિંચાઇ સેવાની ફી નિયમિત ઉઘરાવવામાં આવતી હતી ત્યારે સિંચાઇ કર્મચારીઓ ખેડૂતોને વધુ પ્રતિભાવ આપતા અને જવાબદારીપૂર્વક વર્તતા હતા. તેમના વચ્ચે વધુ સંપર્ક હતો. આથી સારા એવા મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય સિંચાઇ વ્યવસ્થાપન ફંડ (એન.આઇ.એમ.એફ.)ની રચના કરવામાં આવી રહી છે જેથી રાજ્યોને નમૂનારૂપ પરિવર્તન કરવા માટે પ્રોત્સાહન મળે. એન.આઇ.એમ.એફ. એ નોન-લેપ્સેબ્લ (રદ ના થઇ શકે તેવું) ફંડ બનશે, જે રાજ્યના સિંચાઇ વિભાગને તેમણે આઇ.એસ.એફ. તરીકે ખેડૂતો પાસેથી લીધેલી ફી નાં સામે એક સામે એક નાં રેશિયા મુજબ અંશદાન ભરપાઇ કરશે.

 

પાણીના સાતત્યપૂર્ણ વિકાસ માટે ઘણું કરવાની જરૂર છે જેમકે-પાણી પૂરવઠો અને સ્વચ્છતા

  • શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અપાતા પાણીના પૂરવઠામા ઠરાવેલ જથ્થાની વિશાળ અસમાનતા દૂર કરવાની જરૂરીયાત છે. ગ્રામીણ વિસ્તારમાં જ્યાં યોગ્ય ગટર વ્યવસ્થા સાથે યોગ્ય પ્રમાણમાં પાણીનો જથ્થો પૂરો પાડવાના પ્રયત્નો કરવા જોઈએ. ઘરવપરાશ અને ગટર વ્યવસ્થાના ગંદા પાણીની પ્રક્રિયા માટે અલ્પ માત્રામાં પાણી વપરાય તેવી વિકેન્દ્રીત ગંદા પાણી પ્રક્રિયા પ્લાન્ટને પ્રોત્સાહન આપવું જોઇએ.
  • શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પાણીના પૂરવઠો મોટે ભાગે મુખ્ય સપાટીજળ અને ભૂગર્ભજળ અને વરસાદી પાણીનો હોવો જોઇએ. જ્યાં વૈકલ્પિક પૂરવઠો ઉપલબ્ધ હોય ત્યાં વધુ વિશ્વસનીયતા અને ગુણવત્તાવાળો સ્ત્રોત ઘરવપરાશ માટે ઉપયોગમાં લેવો જોઈએ. ઘરવપરાશ માટેના પાણીને પ્રાધાન્ય આપીને અન્ય ઉપયોગો વચ્ચે સ્ત્રોતોની ફેરબદલી શકય બનાવવી જોઈએ. શહેરી વિસ્તારોમાં રસોડા, બાથરૂમના ગંદા પાણીની પ્રાથમિક પ્રક્રિયા કરીને , માનવોના સંપર્કમા ન આવે તે રીતે ફ્લશ શૌચાલયોમાં ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
  • પાણીના લીકેજ અને ચોરી જેવા સમાજના પ્રશ્નો ઘટાડવા માટે શહેરી ઘરવપરાશની પાણી પધ્ધતિના હિસાબો અને ઓડીટ રીપોર્ટ એકત્ર કરી જાહેર કરવા જરૂરી છે.
  • તાંત્રિક – આર્થિક રીતે શકય હોય તેવા શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીના જથ્થામાં વધારો કરવા માટે વરસાદના પાણીના સંગ્રહ અને ક્ષારનિષેધ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ વૈજ્ઞાનિક પરિમાણો જેવાકે જળભૂસ્તરશાસ્ત્ર, ભૂગર્ભજળ પ્રદૂષણ અને ઝરણાના પ્રવાહની દેખરેખ સહિત થવો જોઈએ.
  • શહેરી પાણી પૂરવઠા યોજના અને ગંદા પાણી પ્રક્રિયાની યોજનાઓનું બાંધકામ એકસાથે સંકલિત રીતે થવું જોઈએ. પાણી પૂરવઠાના બીલમાં ગંદા પાણી પ્રક્રિયાના દરનો સમાવેશ હોવો જોઈએ.
  • પાણીની અછતવાળા વિસ્તારોમાં ઉદ્યોગોને ઘટ જેટલુ પાણી લેવાની અથવા નિયત ધોરણો અનુસાર પ્રક્રિયા કરેલ ગંદા પાણીને જળશાસ્ત્રીય રચનામાં જવાબદારીપૂર્વક પાછું છોડવા મંજૂરી આપવી જોઈએ. પ્લાંટમા ગંદા પાણી પર પ્રક્રિયા ન કરવી પડે તે માટે વધુ પાણીનો ઉપયોગ કરવાનો અને ભૂગર્ભજળ પ્રદૂષિત કરવાના અભિગમને અટકાવવાની જરૂરિયાત છે.
  • ઔદ્યોગિક પ્રદૂષણો અને તેની પુનઃ પ્રક્રિયા/પુનઃ ઉપયોગની પુનઃ પ્રાપ્તિ કે જે સઘન મૂડી આધારીત છે તેના માટે સબસીડી અને પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવા જોઈએ.
  • ઉપરાંત-

ઘરવપરાશ ક્ષેત્ર (ઘરેલુ ઉપયોગ માટે):

  • ઘરવપરાશમાં પાણીની બચત માટેની પધ્ધતિઓ સંબંધિત જાણકારી / માહિતીનો પ્રસાર.
  • તમામ વપરાશકર્તા અથવા વપરાશ કરનારાઓ માટે જળમાપન પધ્ધતિની જોગવાઈ.
  • જળ વિતરણમાં સમતુલા જાળવવી.

ઔધોગિક ક્ષેત્ર:

  • પ્રદૂષિત પાણી પર પ્રક્રિયા કરી તેના પુનઃઉપયોગ માટે સુવિધાની જોગવાઈ.

કૃષિ ક્ષેત્ર:

  • ટપક અને છંટકાવ સિંચાઈ પધ્ધતિઓને પ્રોત્સાહન આપવું
  • સિંચાઇ પધ્ધતિની ઊણપો નિવારીને અને પાણીનો બગાડ અને નુકસાન થતું અટકાવીને સુધારા કરવા.
  • આવકના સ્તરના આધારે જાળવણી માટે પૂરતા પાણીના દર નિયત કરવા.
  • શીતાગાર અને બાગાયત વગેરેના ઉપયોગ માટે પ્રક્રિયા કરેલ પાણીનો ઉપયોગ .
  • સહન ક્ષમતા ધરાવતા પાકોની સિંચાઈમાં ક્ષારવાળા પાણીનો ઉપયોગ.
  • તમાકુ જેવા અખાદ્ય પાકો માટે ક્ષારવાળા પાણીનો ઉપયોગ.
  • ખરીફ પાકોને અગ્રતા.
  • જ્યાં વ્યાપારીકરણની દ્રષ્ટિએ શકય હોય ત્યાં, વેટ લેન્ડનું સંરક્ષણ કરી માછલીઓ અને જળચર ઉછેરનો વિકાસ કરવું જોઈએ.
  • આબોહવા પરિવર્તનની અસરો નિવારવા માટે પાકની નવી જાતોની શોધ કરવી અને તેને દાખલ કરવા, પાક પધ્ધતિઓ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તથા વીજળીનો ઓછો ઉપયોગ થાય તેવી ખેતીની પધ્ધતિઓ અપનાવવી જરૂરી છે.

માળખાકીય પગલાં:

  1. ચેકડેમોનુ બાંધકામ, ખેત તળાવો, ઢોળાવવાળા ભાગમાં, ટેરેસ તલાવડી. બોરીબંધો, તળાવો ઉડા કરવા અને પુન:પ્રભરણ કૂવાઓ કરવા.
  2. વાવો (જલ મંદીર) ની જાળવણી
  3. સ્ત્રાવક્ષેત્ર પ્રક્રિયા
  4. યોગ્ય સ્થળોએ વનનિર્માણ
  5. ઇમારતોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવો (harvesting)
  6. જળાશયોમાંથી બાષ્પીભવન ઘટાડવા માટે પ્રયત્નો
  7. નહેરોમાં અસ્તરકામ

 

જળ એ સાતત્યપૂર્ણ જીવન માટે મહત્વપૂર્ણ છે.મર્યાદિત પાણી પુરવઠા અને વધતી જતી માંગને કારણે પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે તફાવત ઝડપથી વધતો જાય છે. જળસંરક્ષણ અને લોકોની ભાગીદારી મારફતે પાણી પુરવઠામાં વધારો કરવા માટે ઘણી નવીન પહેલ શરૂ કરવી જરૂરી છે.

યોગ્ય ટેકનોલોજી, નીતિઓ, સંસ્થાકીય વ્યવસ્થા અને પાણીની ઉત્પાદકતામાં વધારો કરવા માટે ‘લોકભાગીદારી દ્વારા સામહિક જાગૃતિ કાર્યક્રમ આર્થિક વિકાસને વેગ આપશે અને હયાત અને ભવિષ્યમાં સલામત અને સુરક્ષિત પાણીની ખાતરી આપશે.સુક્ષ્મ સ્તરે પાણીનો વિકાસ, જરૂરિયાત આધારિત પ્રાથમિકતાઓ અને આયોજન લાંબાગાળે પાણી પુરવઠો વધારવા એક ટકાઉ માર્ગ બની રહેશે.અને આજ સાતત્યપૂર્ણ વિકાસની ચાવી છે.

 

 

સુખદ અંત


સુખદ અંત 
સુખી જીવનનું સરળ સૂત્ર:”પ્રેમ કરતાં રહો.”
એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરવાની સમજ આપનાર ઇસુ ખ્રિસ્ત હોય કે વૃક્ષોને પ્રેમ કરતાં કૃષ્ણ હોય કે મહમદ પયગંબર,તમામ ધર્મો પ્રેમની મહતતા સમજાવે છે.

હઝરત મોહમ્મદ એમના ઘરેથી જ્યારે નીકળતા તો રોજ એમનો એક પાડોશી એમના ઉપર ઘરના છાપરા પર રાખેલ કચરો ફેંકતો. હકીકતમાં તે કોણ જાણે કેમ એમના ઉપર નફરત કરતો હતો. પણ મોહમ્મદ સાહેબ કશું ન કહેતા. તેઓ એક નજર એના પર નાખતા અને હસીને આગળ ચાલ્યા જતા.

એમની આ રીતથી તે વધુ ચિડાતો. તે પણ એની જીદ પર મક્કમ હતો. જોઈએ છે કે છેવટે આ વૃદ્ધ ક્યાં સુધી સહન કરે છે ? આ પરંપરા લાંબો સમય ચાલતી રહી. ન તો મહમ્મદ સાહેબને કદી ગુસ્સો આવ્યો કે ન પાડોશીની નફરત કંઈ ઓછી થઈ.

પણ એક દિવસે આ ક્રમ તૂટ્યો. જ્યારે મોહમ્મદ સાહેબ એ ગલીમાંથી પસાર થયા અને એમના ઉપર કચરો ન પડ્યો, તો એમણે છાપરા તરફ જોયું. પાડોશી હાજર ન હતો. એટલે એમણે બીજા પાડોશીઓ મારફત એની તપાસ કરાવી. જાણવા મળ્યું કે રાતથી જ એની તબિયત સારી નથી. માંદો પડ્યો છે.

મોહમ્મદ સાહેબ ઉપર ગયા. પાડોશીની ખબર પૂછી અને એની તંદુરસ્તી માટે ત્યાં જ બેસીને અલ્લાહની બંદગી કરવા લાગ્યા. આ બધું જોઈને તો પાડોશી પરેશાન થઈ ગયો. તે મોહમ્મદ સાહેબના પગમાં પડ્યો અને પોતાની ભૂલ માટે માફી માગવા લાગ્યો.

મોહમ્મદ સાહેબ કંઈ પણ બોલ્યા વિના એને ભેટી પડ્યા અને આ રીતે વર્ષોથી ચાલતી પેલી નફરતનો સુખદ અંત આવ્યો. પાડોશી મોહમ્મદ સાહેબનો શિષ્ય બની ગયો હતો. જીવનભર તે એમનાં ગુણગાન ગાતો રહ્યો.

પ્રેમમાં જે તાકાત છે તે બીજા કશામાં નથી. પ્રેમમાં દોષ દેખાય જ નહીં અને એટ્લે કહ્યું છે કે પ્રેમ એટલે કઈ પણ અપેક્ષા વગર નું સમર્પણ.wpid-img-20150720-wa0017

 

social mobility and education


Definition of Social Mobility

The term “social mobility” refers to the movement of individuals from one social class to another. Individuals may move up or down, or remain at the same level but in a different occupation. Sociologists study how various structural and social factors contribute to the social mobility of groups or individuals. They also compare the rate of mobility in the United States with that in other countries.

Definition of Social Mobility

The term “social mobility” refers to the movement of individuals from one social class to another. Individuals may move up or down, or remain at the same level but in a different occupation. Sociologists study how various structural and social factors contribute to the social mobility of groups or individuals. They also compare the rate of mobility in the United States with that in other countries.

No man should bring children into the world who is unwilling to persevere to the end in their nurture and education. If a man neglects education, he walks lame to the end of his life.The direction in which education starts a man will determine his future in life.”  Plato

Education and Social Mobility

            Education and social mobility are closely related. Education is capable to promote the growth and remove the backwardness of a country. The more useful and productive is the education, the more is the social mobility. Education tries to develop ability and capacity in individuals to gain higher status, positions or prestige and promotes effective social mobility. It is a purpose of education to develop within an individual such motivation as will make him to work hard for the improvement of his social position. A strongly motivated individual will be willing to sacrifice his immediate comforts and pleasure for a better future. A poor student may work hard to receive higher education in order to have upward social mobility. Here light is thrown on the mobility of students and teacher:

(A) Social Mobility of Students

Educational helps in gaining higher social status and position in society. So students try their best to receive more and more education to achieve higher and higher social status or social mobility. In the social mobility of student’s elements like amount of education, content of education, research degree and importance of college and university are of much importance:

Amount of education: Education of different levels is imparted by schools, colleges and universities. Person gains social status and prestige in accordance with level of education received by him.

Educational curriculum: Social mobility is significantly influenced by educational curriculum. It should be noted that different subjects have different value. Scientific subjects like engineering, medicine and technology are rated higher in comparison with humanities. It is due to the fact that persons having knowledge of science get higher social status and social prestige. Hence educational curriculum and social mobility are closely related.

Academic achievement: The higher the academic achievement, the greater is the social mobility. Some students achieve higher social status and prestige by research work in specialized areas.

Importance of college and University: Students of colleges and universities having a higher recognition and greater academic rating among institutions of higher education get higher jobs in comparison to those receiving education from lesser recognized college and university.

Research degrees: Some students achieve higher social status by their academic and research work in various field of discipline. As for example person having degree from IIT gets better job in the society as compared to the person having degree in general discipline.

(B) Social Mobility of Teachers

Many teachers make efforts to gain social prestige and status in their professional associations which are composed of teachers, lecturers, readers, principals, chairmen, deans, registrars and vice-chancellors. Social status or prestige is promoted from promotion of one position to a higher one. Promotion from one position to another position of higher social status promotes prestige in the society. As compared to the ancient times the position of the teachers has declined due to various reasons.

 

Thus, we see that education and social mobility are interrelated. Education promotes the growth and removes the backwardness of person and the country. The place where social mobility is less that place hardly develops at speeding pace. Place with higher social mobility develops at faster speed. The more useful and productive is the education in such countries, the more will be the social mobility. The more will be the social mobility the more developed country that will be. In the developed and developing countries only the capable children go up where as the incapable either retard or go down.

Education acts as a mechanism for upward social mobility. In this case, access to education is the key in determining the extent of mobility an individual can aspire in society.

It is through education that in modern India the members of Scheduled Castes and Scheduled Tribes are not only able to change their traditional occupation but have also started occupying jobs of higher prestige.

However, it should be noted that education is a sufficient but not a necessary condition for upward mobility. Besides, education as a facilitator for upward mobility is possible if everyone gets an equal chance for education.

The Importance of Learning Materials in Teaching


“Teaching materials” is a generic term used to describe the resources teachers use to deliver instruction. Teaching materials can support student learning and increase student success. Ideally, the teaching materials will be tailored to the content in which they’re being used, to the students in whose class they are being used, and the teacher. Teaching materials come in many shapes and sizes, but they all have in common the ability to support student learning.

In the field of education, TLM is a commonly used acronym that stands for “teaching/learning materials.” Broadly, the term refers to a spectrum of educational materials that teachers use in the classroom to support specific learning objectives, as set out in lesson plans. These can be games, videos, flashcards, project supplies, and more.

Classroom teaching that uses only a teacher lecturing the class, perhaps writing on the chalkboard or whiteboard, is the classic example of not using any TLM.

Activity-based learning employs a variety of teaching/learning materials and focus on student interaction to learn new concepts. Context-specific learning materials enhance the process.

Examples of Teaching/Learning Materials (TLM)

  • story books
  • manipulatives
  • blocks
  • samples of student writing
  • videos
  • games
  • flashcards
  • model clay
  • overhead projector transparencies
  • computer software
  • visual aids
  • posters
  • Importance of Teaching aids

    Teaching aids play an very important role in Teaching- Learning process. Importance of Teaching aids are as follows :-

    1) Motivation
    Teaching aids motivate the students so that they can learn better.

    2) Clarification
    Through teaching aids , the teacher clarify the subject matter more easily.

    3) Discouragement of Cramming
    Teaching aids can facilitate the proper understanding to the students which discourage the act of cramming.

    4) Increase the Vocabulary
    Teaching aids helps to increase the vocabulary of the students more effectively.

    5) Saves Time and Money

    6) Classroom Live and active
    Teaching aids make the classroom live and active.

    7) Avoids Dullness

    8) Direct Experience
    Teaching aids provide direct experience to the students

    A teacher should know KWL chart before starting any
    topic in which he should know about the previous
    knowledge of the students and the lesson plan is always
    based on previous knowledge where students give the
    answers on the basis of their previous knowledge which
    becomes the primary answers. It decides the material of the topic because if the students are
    acquainted with Noun then only they will try to learn Pronoun and it will show their will to
    learn. So, the teacher should know what they are willing to learn and in the classroom
    assessment a teacher can know what they learnt. For assessing the students in the classroom
    we can use some materials:
    1. Think- Pair-Share: In this process students can think individually, then in pairs, and
    then share with the class. A teacher can involve the students in a better way where
    they can talk and share their experience with more confidence. This material opens up
    the ways of honing speaking skills where the students will be speaking after sharing
    their thoughts which help them to reproduce many thoughts because when we talk
    about second language, students say that they are unable to find out the
    words/thoughts while speaking in English. So, this material can provide the platform
    of ideas/thoughts.
    2. Three minute pause: The three minute pause provides a chance to the students to
    think and interpret the concepts and ideas that have just been introduced to and it
    would be easy for him/her to make connections to their prior knowledge for better
    understanding. Human being is a creature with impetus thoughts and for effective
    communication the synchronization of thoughts is very necessary. The instructed
    three minute break can help out the students to think and comprehend in a better way.
    3. Recapitulation of the topic: The teacher should take care of the topic which he is
    covering in the assigned class. He starts by making a bridge between the previous
    knowledge and the current knowledge (to be taught) and this can be better attained by
    providing recapitulation. This can be achieved by asking questions related to the
    topic. Topic can be recapitulated by organizing quizzes in the class or the students
    can be asked to explain the topic like a teacher to the class and it really catalyses the
    learning environment of the classroom. Just introduced topic should be recapitulated
    by the students which would hone the understanding skill of the students.
    4. Observation: Teacher can divide the classroom into the group and after assigning
    some task; teacher can walk around the classroom and observe students as they work
    to check for learning. The observation plays a vital role to tackle the mixed ability
    classroom. By this method, a teacher can pay attention towards the weak students of
    the class who do not pay attention to the class and hesitate to ask questions in front of
    the entire class.
    5. Face-to-Face conversation: A teacher should try to have a face to face interaction
    with the students which is a key material to know the exact problems of the students.
    The level of understanding of the students can be better understood by F2F.

Extra and Co-curricular activities


CO CURRICULAR ACTIVITIES

The School will aim to provide an environment in the school that encourages the development of “Multiple Intelligences” & inner talents of the children, facilitating them to express through music, creative and performing arts. The schools will also aim to provide wide open spaces and play grounds to encourage and conduct variety of games, sports, gymnastics and calisthenics to inculcate qualities of team spirit, leadership and development of skills in organizing ability, interpersonal relations, planning & problem solving.

Life Educare managed Schools will also lay special emphasis on extra-curricular activities to ensure cultural development of the children and bring about a fine synthesis between modern technology and cultural traditions. Accordingly, as a part of extra-curricular activities, all students from standard I to XII will be taken on organized visits to monuments, museums, sanctuaries, national centers of scientific importance on a regular basis in India and encouraged to participate in adventurous activities organized by the School.

 

 

  1. 1. Co-curricular Activities • Co-Curricular activities are those activities, which are undertaken side by side with the curricular activities. • They supplement curricular activities and prepare the students in the “Art of Living and Working Together.”
  2. 2. • Secondary educational commission (1952 – 1953) comments on the importance of co- curricular activities “co-curricular activities are as integral part of curricular activities of a school and their proper organization needs just as much care and forethought as the organization of curricular activities.”
  3. 3. • According to Mahatma Gandhi “By education, I mean an all-round drawing out of the best in child and man – body, mind and spirit.” • All-roundness is the theme of modern education which recognizes that when the child comes to the school, he comes for mental, physical, social, spiritual and vocational education and as such he must be educated and nourished in all of them. IMPORTANCE OF CO- CURRICULAR ACTIVITIES IN EDUCATION
  4. 4. • According to the modern concept of education, the three traditional Rs should be replaced by seven Rs, i.e., Reading, Writing and Arithmetic ( denoting school subjects in the old concept of education), Rights, Responsibilities, Recreation and Relationships (new four Rs in the context of democratic values). This can be achieved only by providing a well-organized and supervised program of co-curricular activities along with curricular program.
  5. 5. • Co-curricular activities are instrumental for drawing out the best potentialities of the child. • Boosting the place of the co-curriculum in schools will equip young people with the civic spirit, initiative and organizing skills to set up their own clubs, teams and activity groups when they leave education.
  6. 6. • Changes in the philosophical and psychological ideas have now given a new direction to the school curriculum. • Co-curricular activities prepare students practically for future. The normal curriculum can only go so far as to teach and educate students about academic theories.
  7. 7. • It ensures that students are exposed to practical tasks, not just what is taught in the class. • Students have a right to a broad education.
  8. 8. • Successful co-curriculum often depends on building links between the school and the wider community, bringing local enthusiasts in to work with students, and sending students out to work on community projects, help in primary schools, perform for local audiences, etc.
  9. 9. Principles for the organization Of different co-curricular activities • The school should have only those activities for which there are possibilities of making them success. • As far as possible a wide variety of activities may be organized. • Too many activities should not be introduced at a time. • The activity should organize within school time.
  10. 10. • Activity should organize under the supervision of teachers who are experts and are really interested. • As far as possible activities should be of less expensive and feasible. • Every student should be given equal opportunity. • In each activity the role of the teacher should be that of a facilitator. • Each activity should be evaluated and detailed records should be maintained.
  11. 11. TYPES OF CO-CURRICULAR ACTIVITIES 1. Academic development activities 2. Aesthetic development activities 3. Cultural development activities 4. Emotional development activities 5. Leisure utilization activities 6. Literacy development activities 7. Moral development activities 8. Physical development activities 9. Productive activities 10. Social development activities 11. Scientific temperament development activities 12. Spiritual development activities in vocational oriented activities 13. Multipurpose activities and projects
  12. 12. 1. ACADEMIC DEVELOPMENT ACTIVITIES  Preparation of Charts, Models, etc.  School Magazines, Essay writing, Story writing etc.  Subject clubs: E.g.- Social science club, Geographical clubs, etc.  Projects  Symposiums  Surveys  Quiz
  13. 13. 2. AESTHETIC DEVELOPMENT ACTIVITIES  Sculpture  Dramatics  Drawing, Painting, Decoration  Exhibition  Fancy dress  Music
  14. 14. 3. CUTURAL DEVELOPMENT ACTIVITIES Visit to Assembly and Parliament Student’s council Youth Parliament Social service.
  15. 15. 4. EMOTIONAL DEVELOPMENT ACTIVITIES  Camps  Celebration of National and International days  Educational tours  Speeches 5. LEISURE UTILISATION ACTIVITIES  Album making, Coin collecting and Stamp collecting  Photography  Educational Tours.
  16. 16. 6. LITERACY DEVELOPMENT ACTIVITIES Debates Recitation Public speaking Declamation contests Library work 7. MORAL DEVELOPMENT ACTIVITIES Celebration of birthdays of great men Morning Assembly Social service
  17. 17. 8. PHYSICAL DEVELOPMENT ACTIVITIES  Athletics  Cycling  Mass drill  NCC  Swimming  Yogic  Indoor and outdoor games
  18. 18. 9. PRODUCTIVE ACTIVITIES Clay work, Manufacture of teaching aids etc Embroidery and tailoring Craft work, book binding Leather work Kitchen gardening Soap making Toy making Card board work
  19. 19. 10. SOCIAL DEVELOPMENT ACTIVITIES  Scouting  Girl guiding  Community service  Junior Red Cross  National service scheme, NCC etc
  20. 20. 11. SCIENTIFIC TEMPERAMENT DEVELOPMENT ACTIVITIES  Science Fairs  Science clubs Science quiz  Science models  Field trips, etc.
  21. 21. 12. SPIRITUAL DEVELOPMENT ACTIVITIES IN VOCATIONAL ORIENTED ACTIVITIES School choir, Yoga Meditation 13. MULTI PURPOSE ACTIVITIES AND PROJECTS Tree plantation, Adult education, Community service and awareness, Beautification and cleanliness of school campus. Social service, Social survey.
  22. 22. ROLE OF A TEACHER IN CO-CURRICULAR ACTIVITIES Teachers should take an active interest in organizing co curricular activities as an integral part of the school program. • In the teaching of subjects, they get innumerable opportunities to suggest a variety of activities. The scope of activities is very fast. • The language teachers can organize essay competitions, handwriting competitions, debates, spelling competitions, etc.
  23. 23. • Social studies teachers can take up projects on the lives of great historical figures. Several types of maps could be prepared. Excursions to places of historical importance may be organized. Social surveys could be undertaken. • The science teachers can develop scientific creativity among the students by providing appropriate creative thoughts. • As a matter of fact, scope of organizing co- curricular activities is unlimited.
  24. 24. Hary C. Mckown has very aptly observed: “A school with only co-curricular activities would be as absurd as a school without them.” In other words an ideal balance has to be struck between the curricular and co- curricular program.

    Examples and Types of Co-curricular Activities

    • Sports
    • Musical activities
    • Debate
    • Model
    • Art
    • Music
    • Drama
    • Debate and discussion
    • Declamation contest
    • Story writing competition
    • Essay writing competition
    • Art craft
    • Recitation competition
    • Wall magazine decoration
    • Writes ups for school magazine
    • Folk songs
    • Folk dance
    • Flower show
    •  School decoration
    • Sculpture making
    • Fancy dress competition
    • Preparation of chart & models
    • Album making
    • Photography
    • Clay modeling
    • Toy making
    • Soap making
    • Basket making
    • Organization exhibitions.
    • Celebration of festival

    Role of Co-curricular activities in student’s life

    Co-curricular activities  are the true and practical experiences received by students.  To a greater extent, the theoretical knowledge gets strengthened when a relevant co-curricular activity is organized related to the content taught in the classroom. Intellectual aspects of personality are solely accomplished by Classroom, while aesthetic development, character building, spiritual growth, physical growth, moral values, creativity,  etc.  are supported by co-curricular activities. Frankness and clarity in language and personality is supported by these activities. It  helps to develop co-ordination, adjustment, speech fluency, extempore expressions,  etc. among student both at the school as well as college levels.

    Importance and Benefits of Co-curricular Activities

    1. Co-curricular activities stimulate playing, acting, singing, recitation, speaking and  narrating   in students.
    2. Activities like participation in game debates, music, drama, etc., help in achieving overall functioning of education.
    3. It enables the students to express themselves freely through debates.
    4. Games and Sports helps to  be fit and energetic to the child.
    5. Helps to develop the spirit of healthy competition.
    6.  These activities guide students how to organize and present an activity, how to develop skills, how to co-operate and co-ordinate in different situations-all these helps in leadership qualities.
    7. It provides the avenues of socialization, self-identification and self-assessment  when the child come in contact with organizers, fellow participants, teachers, people outside the school   during cultural activity.
    8. Inculcate the values to respects other’s view and feeling.
    9. It makes you perfect in decision making.
    10. It develop a sense of belongingness.
    11. CCA provide motivation  for learning.
    12. CCA develop the values like physical, psychological, Ethical, academic, civic, social, aesthetic, cultural  recreational and disciplinary valuessun3

16 Innovative Ideas to Make Your Teaching Methods More Effective


The biggest challenge any teacher faces is capturing the students’ attention, and putting across ideas in such a way that it stays with them long after they have left the classroom. For this to happen, classroom experience should be redefined and innovative ideas that make teaching methods more effective should be implemented.

So here are some innovative ideas that will help teachers reinvent their teaching methods and make their classes interesting.

1. Creative Teaching

innovative ideas - Creative Teaching

Take the help of creative tools to stimulate creativity. Include playful games or forms of visual exercises that will excite the young minds and capture their interest. This is a time tested method to identify young student’s creative abilities and encourage creative contributions.  Bring aspects of creativity into all your subjects, be it mathematics, science, or history. Think of ways to develop their creative ideas. Encourage different ideas, give them freedom to explore

2. Audio & Video Tools

innovative ideas - Audio & Video Tools

Incorporate audio-visual materials in your sessions. Supplement textbooks with models, filmstrips, movies and pictorial material. Use info graphics or other mind mapping and brain mapping tools that will help their imagination thrive and grow. These methods will not only develop their ability to listen, but will also help them understand the concepts better. For example, you can get some oral history materials, conduct live online discussions or playback recordings of public lectures. There are a lot of smart apps for preschoolers that you can utilize to create awesome slideshows or presentations

3. “Real-World” Learning

innovative ideas “Real-World” Learning

Link your lessons to real world learning. Infusing real world experiences into your instructions will make teaching moments fresh and enrich classroom learning. Relating and demonstrating through real life situations, will make the material easy to understand and easy to learn. It will spark their interest and get the children excited and involved. You can make use of smart apps for preschoolers to make these sessions all the more interesting

4. Brainstorm

Brainstorm

Make time for brainstorming sessions into your classrooms. These sessions are a great way to get the creative juices flowing. When you have multiple brains focusing on one single idea, you are sure to get numerous ideas and will also involve everyone into the discussion. These sessions will be a great platform for students to voice their thoughts without having to worry about right or wrong. Set some ground rules before you start. You can go for simple brainstorming or group brainstorming or paired brainstorming

5. Classes Outside the Classroom

Classes Outside the Classroom

Some lessons are best learnt, when they are taught outside of the classroom. Organize field trips that are relevant to the lessons or just simply take students for a walk outside of the classroom. The children will find this fresh and exciting and will learn and remember the things taught faster.  Role playing is most effective for students of almost any age group. You just need to customize depending on the age group. You can even use this method for teaching preschoolers; just make sure you keep it simple enough to capture their limited attention span

6. Role Play

Role Play

Teaching through role play is a great way to make children step out of their comfort zone and develop their interpersonal skills.  This method comes in handy, especially when you are teaching literature, history or current events. The role playing approach will help the student understand how the academic material will be relevant to his everyday tasks

7. Storyboard Teaching

Storyboard Teaching

Rudyard Kipling rightly said “If history were taught in the form of stories, it would never be forgotten.” Storyboarding is a great way to teach any subject which requires  step-by-step memorization or visualization highly-conceptual ideas. History teachers can use a storyboard to recreate a famous event. Such visually stimulating activity will ensure that even complex ideas are easily put across to students. You can also encourage the use of storyboards as a form of communication and let the students tell a story in pictures using their imagination

8. Stimulating Classroom Environment

innovative ideas Stimulating Classroom Environment

A classroom environment that is well-decorated, fun, and engaging will help stimulate a student’s mind and will help think and learn better.  Children, especially young ones cannot be expected to sit all day and learn. Such creative and stimulating environment will help them explore and will encourage them to learn about the subject. An environment that positively impacts the children is beneficial for the teacher as well. Schools associated with Early Years Foundation Stage(EYFS) will vouch for the fact that the learning environment has a prime role in learning and development

9. Welcome New Ideas

Welcome New Ideas - innovative ideas - innovative ideas

An open- minded attitude can help you innovating new teaching methods. Though open- minded, sometimes most of us show reluctance to new ideas. If you’re a teacher never do this, always try to accept new ideas even if it looks like strange at the beginning.

10. Think About A New Hobby

Think About A New Hobby - innovative ideas

Sometimes, hectic workload may affect your engagement in teaching .If it happens to you, it’s natural. You can take a break for couple of hours and engage in some other activity that you’re interested in. This will rejuvenate you and you can return to your work with more passion and interest.

11. Work Together As a Team

Work Together As a Team - innovative ideas

As everyone knows, the end result of collaborative efforts is always immense. Think about spending some quality time with your colleagues. Ask them to share their views on improving teaching methods, you can see many of them come up with interesting strategies. So, collaborate and introduce innovative teaching methods.

12. Puzzles and Games

Puzzles and Games - innovative ideas

Learning is fun where puzzles and games are part of education. Children may not feel they’re learning when their lessons are introduced through games. Puzzles and games help children to think creatively and face challenges.

13. Start School Clubs or Groups

Start School Clubs or Groups - innovative ideas

What about starting an after school club or group? Being a teacher you may not get enough time to work on interesting topics that you are passionate about. You can share your views and learn more from others when you have school clubs or groups.

14. Refer Books On Creativity

Refer Books On Creativity - innovative ideas

To be a creative teacher, you need to do some research on creative ideas and techniques. There are a lot of books on creativity. Choose some of the best works and start learning, it will be helpful for your professional development as well.

15. Love What You Do

Love What You Do - innovative ideas

You can give your best only if you truly love what you do. You will be more creative and inspired when you are not stressed. Loving your work keep you relaxed and give you room to experiment new ideas.

16. Introduce Lessons Like a Story

Introduce Lessons Like a Story - innovative ideas

Just think, why do you watch movies with much interest? You like to watch movies because there is always an interesting story to keep you engaged. Like that, learning sessions become more interesting when you introduce it like a story. If you are creative even math lessons can be related to interesting stories.

With even the Knowledge and Human Development Authority (KHDA ) emphasizing on schools to take measures for improving the quality of teaching and learning, these innovative ideas are sure to make teaching methods more effective.

5 tips to improve student learning outcome


5 tips to improve student learning outcome

How do you improve student learning in a world where every teen holds a smartphone? Evaluating students has become extremely challenging. Some don’t pay attention in class, whereas others don’t even attend classes. The system is on the verge of a meltdown, with professors completely unable to grab attention.

The good news is there are methods and tools we can use to improve a student’s learning outcome. Here are 5 of the best.

1. Restructuring teaching methods

Both teaching and learning methods must be restructured for students to want to improve their grades, and have a bright academic future. Undergraduates are no longer engaged in class because their attention is repurposed online. They don’t pay attention because teachers often focus too much on the theoretical part of a class. Sometimes they just completely overlook that practice is what matters the most.

A brand-new approach to teaching classes might grab more attention. Consider rewarding your best students, organize weekly brainstorming classes, and set up fun projects that awakes an interest. A revamped teaching model improves outcomes because it might grab attention. When the whole process of learning something new is fun, it automatically instills drive.

Take a look at these trending learning methods:

How to Improve students learning

2. Assess students’ learning

Not many teachers assess their students’ learning potential. Most of them enter a class, deliver a speech, and leave. Then they come in the next day and give a test. However, grades may often interfere with a student’s real learning abilities. Evaluation must be done right. You can’t really know a student’s genuine abilities with a test (let’s not forget that cheating is a very popular sport in school).

As an alternative, you might want to consider interacting more with your students. Set up open talks and invite them to participate. Spot their core strengths and weaknesses; this way you’ll be able to determine what a student needs to fix. It could be language deficiency, lack of confidence, fear, anxiety, and more. Take a look at this post about how to give meaningful feedback.

3. The reversed learning model

The reversed learning model is a new approach that might help improve student learning outcome. It works by switching roles. The student becomes the teacher and vice-versa. Also, it might be a good idea to give up the “evil teacher position”. Punishing your students every day with a test doesn’t make them respect you, and they won’t study harder either. Even if they do, they’ll learn the information mechanically, which in the long-term has dreadful side-effects.

Mix things up in class, and befriend your students. The more comfortable they feel in your presence, the more chances you have to keep them engaged and learning with enthusiasm.

4. Say “yes” to technology

Rather than ban smartphones and tablets in class, why not welcome their use? There are lots of apps and platforms you can use to improve learning. Udemy, for example, is an online platform with courses on a wealth of subjects and domains.

The things you can do with in a one iPad classroom are endless. Take a look at this post to find some good apps. And of course you have to be able to share your iPad screen too. A lot of teachers struggle with projectors and other technology.

Recommend a course as homework, and invite your students to talk about what they’ve learned the next day. Tutorials are also highly recommended. Videos can help explain processes a lot easier, meaning that you can spend more time teaching students how to put a process into practice afterwards.

5. Teaching outside the classroom

Unconventional teaching is one of the most efficient ways to improve student learning. Rather than force students to be in class 5-8 hours a day, why not take them to the park? If the weather allows, go someplace where you can speak freely. Studies have shown that when students don’t feel constrained, they have better chances to open up and speak their minds. Open spaces like parks instill a sense of freedom. It’s an approach that might change completely how students perceive learning.

how to improve students' learning

There are different approaches to compelling students to study harder. The key is to allow them the freedom of speech. Don’t put pressure on them, and use techniques that convey comfort and ease. Put yourself in their shoes, and find a way to make them perceive you as their friend, not their superior. You’ll see that in time many things will change: their attitude might change entirely, and they might get the courage to say things in class you never anticipated.

બાળગીત :દીકરી


દીકરી મારી હસતી કુદતી,

આવી છે એને પાંખ.

ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ.

શાળાએ સહુને વ્હાલી,

કરે સઘળાં કામ.

ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ,

ભૂખ્યાને ભોજન અર્પે,

હૈયે પ્રેમ અપાર.

ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ.

ચપ ચપ બોલતી જાયે,

મનમાં ન કોઈ પાપ.

ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ.

દીપ બની પ્રગટી છે,

અંધારું ન જડે ક્યાય.

ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ

-શૈલેષ રાઠોડ”અભિધેય”IMG_5331

 

 

 

 

 

 

In-service Teacher Training Education in India


517

“A teacher can never truly teach unless he is still learning himself. A lamp can never light another lamp unless it continues to bum its own flame.”-R.N. Tagore.

It is the education a teacher receives after he has entered the teaching profession and after he had his education in a Teacher’s college. It includes all the programmes-educational social or others, in which the teacher takes vital part. It also includes all the extra education which the teacher received at different institutions by way of refresher courses and all the travels and visits which he undertakes.

Need and Importance:
It may be noted that the predictive value of the Teacher Education Course is no longer a matter of concern today. On the other hand, it is being recognized as a continuous process, coextensive with teaching. That is why the Adiseshiah Committee put emphasis on the organisation of in service training courses for existing teachers in schools on a mass scale in addition to pre-service education. But, yet it can be treated as a corrective and pace-setting programme for the stage of general education for which it is designed.

Following are the needs and importance of In-Service Teacher Training programme:

1. Every Teacher a student:
ADVERTISEMENTS:

Education is a life-long process. The teacher should continue to learn throughout his life. According to R.N. Tagore, “A teacher can never truly teach unless he is still learning himself. A lamp can never light another lamp unless it continues to bum its own flame.” Hence, no man or woman should decide to teach unless he or she is determined to learn, because a true teacher is a student all through his life.

2. Life-Long Education:
The International Commission on Education has further strengthened the need of in-service training by giving a new concept of life-long education. This report states, “Every individual must be in a position to keep learning throughout his life. The idea of life-long education is the key-stone of the learning society.”

3. For Professional Growth:
In-service training is most essential for the professional growth of the teacher. He needs to renovate his experience, refresh his knowledge, develop a wider outlook, benefit by the experiences of others, acquire new information and hence reoriented himself

4. Education is dynamic:
Education is dynamic which is always changing. Educational theories which were considered true twenty years back, no longer hold good today, Therefore, a teacher who received his training twenty years back, must receive new training today. He must remain in touch with latest trends in education. He must have the up-to-date knowledge of new problems, new methods, new techniques in education.

5. Training in Democratic living:
When the teachers meet in seminars or workshops, they develop a sense of security; a like- mindedness, a team spirit and a feeling of belongingness. So, in toto, the teachers get a training in democratic way of living.

To sum up all the above needs and importance of in-service teacher training, let us repeat what was stated by the Ministry of Education in England which holds good even today in our country. “The hall mark of a good teacher is that he is himself always learning and always developing his knowledge and understanding of children and young people. In short, a teacher-should he a person who, because of his attitude to knowledge, to ideas, to his fellows and to life generally is better educated today than he was yesterday and will; tomorrow better educated than he is t

Ten fields recognised as high priority topics in primary level basic teacher training


Ten fields recognised as high priority topics in primary level basic teacher training

 

The following ten competencIMG_9590.JPGies are not meant to encompass the whole subject of teachers’ work. They rather strive to lay a particular emphasis on the role of trainers and teachers within the renovation of primary schooling curricula, esp. as regards the initial training of future teachers. From each of the following fields a number of possible courses or seminars are proposed that expand both on specific contents and trans-disciplinary work.
General format of the following document:
Number Reference knowledge
– additional competencies to be worked on during professional development efforts

1 To organise/animate learning environments

to know, in a given field, what contents are to be transmitted and how they should be communicated as learning objectives;
to work by taking pupils’ representation into account;
to teach by taking errors and hindrances to learning into account;
to build and plan didactic sequences and settings;
to involve pupils in research and knowledge acquisition projects.
2 Managing the process of learning

to conceive and manage task-oriented activities that are adapted to pupils’ level and possibilities;
to acquire a longitudinal vision of the objectives of primary level education;
to establish the necessary links between learning activities and their underlying theoretical background;
to observe and evaluate pupils in their learning process by using a constructionist approach (evaluation formative);
to write regular reports on learners’ progress and to take appropriate steps for their ensuing work.
3 Setting up and managing differentiated environments

to integrate heterogeneity in the classroom;
to de-compartmentalise the classroom and open it towards the exterior world;
to practice selective support and work with specifically hindered pupils;
to develop co-operative learning as well as peer-learning.
4 To implicate pupils with their work and learning

to sustain the desire to learn, to show the relation between school work and knowledge clear and to develop pupils’ self-assessment efforts;
to establish and manage a pupils’ council (classroom- or school-based) and to negotiate with the pupils various regulations and contracts;
to encourage the definition of a learner-centred project.
5 Group work

to establish team projects based on common representations;
to manage a task-oriented team, to pilot meetings;
to create and restore a pedagogical team;
to tackle and analyse complex settings such as those found in practice in professional situations within the social environment of the classroom;
to be able to manage conflictual situations or crises between persons.
6 Participating in the management of the school

to design and implement a school project (projet d’établissenment);
to manage school’s resources;
to lead and co-ordinate school’s efforts with its partners in society (the district, outside resources, parents’ associations, language teachers and outside cultural actors);
to organise and encourage pupils’ participation to the life of the school.
7 To inform and implicate parents

to lead information meetings and debates;
to manage private meetings;
to involve parents in the support and appraisement of pupils’ knowledge building.
8 Using new technologies

to use word processors;
to take advantage of the didactic potential of software within a learning process and a pedagogical project;
to use telematics for distance communication efforts;
to use multimedia application in teaching.
9 Tackling the constraints and ethical issues of teaching

to prevent violent behaviour inside and outside of school;
to fight and prevent all discrimination whether sexual, ethical, religious or racial;
to take part in the establishment of rules for the social workings of the school (discipline, penalties, assessing behaviour);
to be able to analyse the pedagogic relationship, authority and communication in the classroom;
to develop a sense of responsibility, solidarity and justice.
10 Taking upon oneself one’s professional development

to have clear and explicit rules of conduct in one’s professional practice and learning needs;
to assess oneself and one’s competencies and to build a program to one’s needs in continuing education;
to negotiate common training activities with colleagues in the school, in a network or in a specific field;
to be engaged on profession-related tasks within the school level community or in the whole educational sector;
to house or participate in the training efforts of fellow teachers.

9 Ways to Decrease Your Dropout Rate Today


9 Ways to Decrease Your Dropout Rate Today

The challenges that contribute to dropping out are often systemic and will take a coalition of teachers, school leaders, political leaders, community members, parents, and more to tackle. But that doesn’t mean there aren’t small steps you can take today.

Here are nine ways to create an immediate impact on the dropout rate at your school.

1. Tell kids the real story
Present students with data on how dropping out can impact aspects of their well-being, such as income and life expectancy.

High school graduates earn an average of $9,245 more per year than high school dropouts.
The U.S. death rate for those with less than 12 years of education is 2.5 times higher than those with 13 or more years of education.
Illustrate those statistics by inviting guest speakers, such as former students, to share their experiences so that students see the real-life stories behind the numbers.

2. Reach out to your community
Community members who don’t have school-aged children may feel like the dropout rate doesn’t affect them. But it does. Everyone wins when students stay in school. Graduation rates increase when students have community support and communities benefit with more graduates in their workforce economy.

“Dropout rates impact entire communities with decreased buying power, lower-rated schools, and decreased property values. There is a trickle effect here,” said Dr. Pamela Bruening, president of the National Alternative Education Association and consultant for the National Dropout Prevention Center at Clemson University.

3. Give students a positive place to be
When students enjoy their school’s environment, they’ll want to participate and stay in school. “A positive school culture, meaningful relationships with adults, and engaging instruction are all ways to motivate students to want to be in school,” Dr. Bruening said.

See if members of your community would like to contribute to your school culture by participating in events, donating supplies, or opening up their businesses for field trips or internships. Talk to community centers about how you can partner together to ensure at-risk students have a place to be during the entire day and into the summer.

4. Provide career and technical education
Career and technical education classes make school more interesting and meaningful for students. “Personalized learning is another way of making learning more engaging and relevant for students,” Dr. Bruening said.

She notes that the most successful career technical education programs reflect the needs of the community where they’re implemented. For example, “In more rural areas, agriculture may be more popular,” she said. “This also provides opportunities for students to prepare for ways they can contribute and help support their own communities.”

5. Hold stakeholders accountable for the graduation rate
“When everyone owns it—even the kindergarten teacher or the businessman—changes can happen systemically,” Dr. Bruening said.

Initiatives are most successful when everyone is invested and involved in seeing students graduate. “The greatest success has been experienced by school teams that train and plan together, such as the Diploma Planning Institute trainings provided by the NDPC,” Dr. Bruening said.

6. Provide multiple pathways for graduation
Not every student learns the same, and some students may have personal commitments (children, jobs, etc) outside of school that make traditional high school a challenge. You can impact the dropout rate by providing alternatives—dual enrollment, academic learning experiences, night school, and career academy schools—students can take to graduate.

Online education courses are also a popular alternative. “Online education has increased educational options for students both in credit recovery and for students who wish to graduate early,” Dr. Bruening said.

7. Use technology to engage students
Instead of competing with students’ smartphones, educators can use technology as a tool to bolster learning and keep their attention. “Student-centered learning allows teachers to take a more facilitative role in the learning process,” Dr. Bruening said. “Technology allows teachers to invite students to personalized learning like never before, but there is a paradigm shift for most teachers in thinking about instruction differently.”

Think about ways you can incorporate both the technology students already use and the technology that could get them excited about future careers into your curriculum. You could start a robotics program, for example, or try one of these innovative ideas to use social media or video in your final exams.

8. Keep schools open to serve as community hubs in the summer
When schools stay open, students are encouraged to keep their minds sharp, which can prevent them from falling behind later. “Summer offerings for students provide additional options for them to recover credits, get ahead or increase their specific skills,” Dr. Bruening said. “Summer camps that incorporate learning as well as fun can also enhance students’ skills, keeping them fresh for the start of another school year.”

Traditionally, summer school has been about cramming curriculum into the brains of students who’d rather be just about anywhere else. The best summer programs make learning engaging by providing more student choice, project-based curriculum, and individualized goals.

9. Start a mentoring program
Ongoing support through mentoring and tutoring services help keep students on track to graduate. “Mentoring programs can take many forms. Some schools assign adult mentors within the schools, some use community volunteers, some utilize older students or college students,” Dr. Bruening said. “The primary objective should be that mentors are dependable, consistent, and form strong bonds with the students receiving the mentoring.12687804_507798846067606_5386258783653691483_n

Effective Strategies for Dropout Prevention


P1050194

Students report a variety of reasons for dropping out of school; therefore the solutions are multidimensional. The National Dropout Prevention Center has identified 15 Effective Strategies that have the most positive impact on the high school graduation rate. Since 1986, the National Dropout Prevention Center based at Clemson University has conducted and analyzed research, sponsored extensive workshops, and collaborated with a variety of practitioners to further the mission of reducing America’s dropout rate by meeting the needs of youth in at-risk situations.

These strategies, although appearing to be independent, frequently overlap and are synergistic. They can be implemented as stand-alone programs (i.e. mentoring or family involvement projects.) When school districts develop an improvement plan that encompasses most or all of these strategies, positive outcomes result. These strategies have been successful in all school levels from K-12 and in rural, suburban, or urban centers.

The Basic Core Strategies

Mentoring/Tutoring
Service Learning
Alternative Schooling
After School Opportunities
Early Interventions

Early Childhood Education
Family Engagement
Early Literacy Development
Making the Most of Instruction

Professional Development
Active Learning
Educational Technology
Individualized Instruction
Making the Most of the Wider Community

Systemic Renewal
School-Community Collaboration
Career and Technical Education
Safe Schools
The 15 Effective Strategies Explained
The Basic Core Strategies

Mentoring/Tutoring
Mentoring is a one-to-one caring, supportive relationship between a mentor and a mentee that is based on trust. Tutoring, also a one-to-one activity, focuses on academics and is an effective way to address specific needs such as reading, writing, or math competencies.

Service Learning
Service learning connects meaningful community service experiences with academic learning. This teaching/learning method promotes personal and social growth, career development, and civic responsibility and can be a powerful vehicle for effective school reform at all grade levels.

Alternative Schooling
Alternative schooling provides potential dropouts a variety of options that can lead to graduation, with programs paying special attention to the students’ individual social needs and the academic requirements for a high school diploma.

After School Opportunities
Many schools provide after-school and summer enhancement programs that eliminate information loss and inspire interest in a variety of areas. Such experiences are especially important for students at risk of school failure.

Early Interventions

Early Childhood Education
Birth-to-three interventions demonstrate that providing a child educational enrichment can modify IQ.  The most effective way to reduce the number of children who will ultimately drop out is to provide the best possible classroom instruction from the beginning of their school experience.

Family Engagement
Research consistently finds that family involvement has a direct, positive effect on children'[s achievement and is the most accurate predictor of a student’s success in school.

Early Literacy Development
Early interventions to help low-achieving students recognize that focusing on reading and writing skills is the foundation for effective learning in all subjects.

Making the Most of Instruction

No sustained and comprehensive effort to keep students in school can afford to ignore what happens in the classroom. Strategies that produce better teachers, expand teaching methods to accommodate a range of learning styles, take advantage of today’s cornucopia of technological resources, and meet the individual needs of each student can yield substantial benefits.

Professional Development
Teachers who work with youth at high risk of academic failure need to feel supported and need to have an avenue by which they continue to develop skills, techniques, and learn about innovative strategies.

Active Learning
When educators show students that there are different ways to learn, students find new and creative ways to solve problems, achieve success, and become lifelong learners.

Educational Technology
Technology offers some of the best opportunities for delivering instruction that engages students in authentic learning, addresses multiple intelligences, and adapts to student’s learning styles.

Individualized Instruction
A customized individual learning program for each student allows teachers flexibility with the instructional program and extracurricular activities.

Making the Most of the Wider Community

Students who come to school bring traces of a wider community; when students leave school, either before or after graduation, they return to that community. It’s impossible to isolate “school” within the walls of the school building. Effective efforts to keep students in school take advantage of these links with the wider community.

Systemic Renewal
Systemic renewal calls for a continuing process of evaluating goals and objectives related to school policies, practices, and organizational structures as they impact a diverse group of learners.

School-Community Collaboration
When all groups in a community provide collective support to the school, a strong infrastructure sustains a caring environment where youth can thrive and achieve.

Career and Technical Education
A quality guidance program is essential for all students. School-to-work programs recognize that youth need specific skills to prepare them for the larger demands of today’s workplace.

Safe Schools
A comprehensive violence prevention plan, including conflict resolution, must deal with potential violence as well as crisis management. Violence prevention means providing daily experiences at all grade levels that enhance positive social attitudes and effective interpersonal skills in all students.

The strategies were developed by Dr. Jay Smink, Executive Director of the National Dropout Prevention Center at Clemson University, the associates of the Center and Mr. Franklin Schargel. They have been recognized by the U.S, Department of Education and the National Education Goals Panel as “the most effective strategies to help prevent school dropouts.”

 

———————————————————————————————————

Educational Programmes and National Integration


DSCF2491

This article throws light upon the top seven educational programmes to gear education for national integration. The educational programmes are: 1. Restating the Aims of Education 2. National System of Education 3. Redesigning the Curriculum 4. Organizing co-curricular Activities 5. Organizing National Integration Camps 6. Other Activities 7. Role of Teacher.

Programme  1. Restating the Aims of Education:
Nobody can deny the fact that the primary aim of education is to produce patriotic citizen who would spearhead national progress.

Education also aims at securing co-operation and co-ordination in contrast to conflict and contradiction by creating a new social order based on the pillar of cohesion and solidarity.

Over and above, another chief aim of education should be the cultivation of homogeneous thinking based on the spirit of rationality for attacking and arresting various ever-growing problems of the nation.

Programme  2. National System of Education:
National system of education is an essential pre-requisite for cultivation of national consciousness and a feeling of oneness among the people.

It embraces the following:

(a) Evolving and implementing a common and unified pattern of education throughout the country i.e. 10 + 2 + 3 pattern of education.

(b) Acceptance of aims and objectives of education by all states and union territories.

(c) Assuming a great responsibility by the centre to implement the structure of education.

(d) Need for a uniform syllabus for schools all over the nation.

(e) Providing similar opportunities for education with similar standards all over the country.

Programme 3. Redesigning the Curriculum:
In order to foster national feeling the curriculum needs to be revised and redesigned. Every subject in the curriculum must be taught from the stand points of national needs and national achievements. Through different subjects of curriculum, a feeling of unity and oneness; a feeling of our rich cultural heritage, hoary tradition, lofty values, mutual interdependence of people etc. can be promoted among the budding citizens of India.

The design of curriculum for national integration is as follows:

i. National History and Geography:

It is said that history and geography are the warp and woof of all national feelings and patriotic sentiments. The students should be impressed by the lofty values and rich cultural heritage of the nation. Indian history must be taught embracing national ideas, unity in diversity, glorious freedom struggle, the steps taken by different emperors for uniting the nation and above all biographies of national heroes.

A study of geography among other things should include human geography, inter-dependence of different regions, map reading and an account of scientific and industrial development. These aspects may help in understanding the essential unity of the nation.

ii. Civics:

Students should be encouraged to value the ideals of citizenship and the importance of national integration through civics teaching. It should be taught with a national bias.

iii. Social Studies:

It should be taught to create a desirable and pleasant attitude for emotional unity and essential integrity among the people of the nation. It should include the lives and works of the great men of India and the world and also stories from the scriptures.

iv. Teaching of Languages:

Language is the vehicle of communication and acts as the vibrant cementing force in the unity of the country. Study of a common national language should be made compulsory for the sake of permanent integration of different communities in different regions or provinces.

Besides, study of regional languages and knowledge of at least one or more Indian language should be made compulsory along with English. For this, three language formulas has been devised and incorporated in our language policy. It is, therefore, suggested that people of South should learn Hindi of the Hindi belt states and the people of the Northern states should read and learn a language of south belt states.

v. Study of Art, Music and Literature:

Art is the reflection of culture which appeals one’s emotion and paves the golden way for national unity. Music, like art, satisfies the emotion which is an instrument for bringing national consciousness and cohesiveness.

Pt. Jawaharlal Nehru elegantly remarked, “Art galleries and museums in a great city are like windows which look out on the broader, richer and deeper things of life”. Literature glorifies the nation and sings the deeds of great men for the unity and integrity of the nation. Therefore, it serves the purpose of infusing the spirit of the nationalism in the minds of pupils.

vi. Moral, Religious and Humanistic Education:

With a view to achieving national integration, moral, religious, and humanistic education should form an integral part of our educational system. The budding citizens should be trained in the fundamental dictum of all religions i.e. “fatherhood of God and brotherhood of man” in order to promote national feeling. Religious tolerance and respect to all religions other than the one’s own are essential ingredients to weld the nation into one.

Better understanding of the commonalities of all religions will go a long way in fostering national unity and integration. Values like co-operation, mutual trust, sharing of joys with one another love, fellow-felineness, honesty, sincerity, punctuality, courage etc. need to be injected into the tender minds by means of curriculum.

vii. Redesigning the Textbooks:

There is an imperative need for recasting and revising books on Indian history, geography, civics, literature and languages etc. for enabling students to appreciate social, cultural, linguistic and religious solidarities of the people of India.

At the time of preparation of text books, special care needs to be taken to see that facts are not misrepresented and misinterpreted or exaggerated to create prejudice and undermine development of positive attitude.

The get-up as well as the content of text books necessitate a thorough examination and change. Both publishers and authors should be very cautious as to the selection of topic, presentation of items, facts etc. Standards and objectivities should be maintained at any cost.

Programme # 4. Organizing Co-Curricular Activities:
It is admitted on all hands that organisation of different co- curricular activities in an educational institution helps in promotion of national and emotional integration.

The following are some of the co-curricular activities for bringing out national integration:

(i) Celebration of national festivals like Independence Day, Republic Day, Children’s Day, Teacher’s Day, Martyr’s Day in the campus instills national temper and consciousness in the minds of budding citizens of the nation.

(ii) Celebration of birth anniversaries of national leaders and great men need to be organised in schools.

(iii) Celebration of festivals of other communities should be organised.

(iv) Students should be made familiar with the meanings of the verses of the National Anthem and should be taught to recite it in unison and behaved in disciplined way when it is sung.

(v) Respect of national flag, national symbols and national institutions should be taught to the children.

(vi) Special talks on unity and oneness of the country can be arranged. Eminent persons should be invited to deliver speech on national integration and nationalism.

(vii) Open-air dramas should be staged at least thrice a year in the school in which students should be encouraged to participate. Glorious events in our Indian history and the life of great national heroes should be staged with active participation of students.

(viii) Taking pledge by every student twice a year for the service of their country and their countrymen. Repetition of pledge like this “India is my country, all Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. To my country and my people. I pledge my devotion. In their well being and prosperity alone lies my happiness”.

(ix) Seminar, dramas and exhibition on the theme of communal harmony and national unity should be organised.

(x) Display of educational films and radio and T.V. talks and mass media should be used for inculcation of national outlook and national feeling.

(xi) Organisation of educational tours and trips helps the students to have first-hand knowledge about their country and face-to-face contacts by these trips and tours help in breaking the barriers and prejudices and broaden their outlook and vision.

(xii) Cultural exchanges programmes are very useful in promotion of national harmony and national consciousness. Exchange of teachers and students from one state to another will acquaint them with different parts of the country which, in turn, will enable them appreciate the ways of life of different areas in one hand and to develop ties of friendship and mutual respect with people of other states on the other-hand.

Besides, exchange of dress, imitation of manners, customs and traditions of other people need to be encouraged among the students.

(xiii) Projects for improving knowledge about other states should be undertaken. The committee on Emotional Integration (1963) suggested that schools may conduct several projects which improve their student’s general knowledge of country. For example, a ‘Know Your Country’ project can be undertaken during which children may share in the collection of information about a state in the Indian Union other than their own.

Programme # 5. Organizing National Integration Camps:
Organisation of National Integration Camps by department of school education. Ministry of H.R.D. is a right step in right direction for inculcating feelings of oneness among the students and teachers. The main objective of such camps is to enable school students understand and appreciate the social and cultural life of people in different states of India.

At the state level, state department of school and mass education and SCERT should organize these camps on a wider scale to promote a feeling of unity among the students.

Programme # 6. Other Activities:
(i) A uniform pattern of school dress for teachers and students all over the nation is a right step in the direction of creating a national feeling in their minds.

(ii) Development of community life in every educational institution is a step in right direction.

(iii) Organisation of social and national service programmes concurrently with academic studies like NCC, ACC, Scouts, NSS Camps, Red-cross, Girls Guides Camp etc. are other activities which serve the purpose of fostering of national temper in the tender minds.

(iv) Participation of students in programmes of community development and national reconstruction should be encouraged.

(v) Organisation of different games and sports, exercises etc. should be encouraged.

(vi) Development of national discipline scheme is to be implanted in the school campus for promotion of feeling of oneness.

(vii) Students, the future citizens of the country should be trained in democratic values and ideals for the full-flowering of national integration. Further, it is note-worthy to add that in order to maintain communal and religious harmony, pupils should be nurtured in secularism and values of toleration, harmony, brotherhood and fellow-feeling by suitable programmes.

Programme # 7. Role of Teacher:
It is the teacher who kindles the lamp of national integration. No programme of national integration can succeed in educational institutions unless the teachers themselves are immune from the scars of casteism, communalism, parochialism and all forms of prejudices. He is the epitome of all values and a living symbol of national integration.

Only the national-minded teachers can inculcate national values and create Indian ethos in their students and enable them to eschew the narrow loyalties of his region, religion and language. He should set himself as a model before the students who has to emulate the former in thought and deed. So, example is better than the precepts. Thus, his/her own behaviour affects national integration.

Conclusion:

To conclude, national integration is essential for all-round development of our nation. In-spite of large scale diversities, there is an underlying unity which binds all segments of people representing diverse parts of our nation.

A sense of toleration, love, sympathy patience, fellow-feeling can be generated by education by bringing a desirable change in the mind sets so that children and citizens will be able to feel, think and act in common for the goodness of the nation.

———————————————————————————————————————————————–

The Importance of Technology in the Classroom


Technology in the classroom used to involve playing Oregon Trail on one of the four available PC’s in the “computer lab.” The 21st Century has made great strides since then, and children today have unprecedented technology tools at their disposal.

Despite the positive trends towards adopting technology in the classroom, the full menu of technology is still not universally available to all students. Many schools struggle with nearly-crippling budget cuts and teacher shortages, and some have had to make difficult choices.

Using technology at school has become an important talking point across all campuses from K-12, an on through higher education. This article will explore the importance of technology in the classroom.

10 Benefits of Technology in the Classroom

1. Instructors Can Personalize the Education Experience

A PBS teacher survey found that teachers like and support technology in the classroom. Tools like websites, apps, learning games, e-books, and virtual tutoring help the student learn at their own pace. Digital materials can support classroom learning topics, and introduce different teaching methods for each student’s unique learning needs.

2. Instant Access to Knowledge

The Internet gives students instant access to answers beyond what’s in their textbooks. In fact, today’s kids are already familiar with “Googling-it” to find answers to questions. The gift of the internet to the classroom gives teachers the chance to give their students a holistic view of any given subject while still giving students the guidance to find the right sources. In-classroom internet research gives teachers the opportunity to teach their students how to assess the quality of the information they find online while removing the one-sided restrictions of a textbook.

3. Student Preference

A study by Educause found that K-12 and college students prefer to have technology integrated into their curriculum. Computers, tablets, smartphones, and the internet are the same tools that they use at home. Students are already comfortable using these tools to connect with other students, their instructors, and their institution. In fact, the Educause survey found that 54% of students would typically use at least two devices simultaneously for school work.

4. Student Workplace Readiness

One of the greatest benefits for technology in the classroom is student workplace readiness. Mobility is currently the next great movement in the workplace, and students who use technology in the classroom today will be more adapted to using it in the future. The importance of technology in the classroom goes even beyond simple digital literacy: it promotes workplace soft skills like critical thinking, independent research, and cross-technology proficiency.

5. Trend toward Blended Learning Environment

The Educause survey found that 75% of students currently have experience with blended online/on premise learning. This offers several benefits, including a cost reduction for some schools. Blended learning programs often use e-textbooks to allow their students to have unlimited access to their learning material. Blended environments also support online submission of electronic documents, cutting school costs on paper and other materials. Cost-benefits aside, students say that they enjoy the benefits of blending both online and in-class learning styles.

6. Teacher Support

A 2013 PBS LearningMedia study found that 74% of teachers agree that technology enables them to reinforce their lessons. Curriculums, learning trends, and student engagement can rise or fall on the basis of teacher support. Technology in the classroom would never flourish without the support of instructors, and an overwhelming percentage of teachers are eager to use even more technology in the classrooms. Huffington Post found that, “78 percent of Kindergarten through Middle School teachers agree that technology has had a positive impact on their classroom — and that’s just the start.”

7. Proven Student Engagement

An article by the National Math and Science Initiative shows that blended learning styles keep students focused longer and makes them more excited to learn more, especially for STEM (Science, Technology, Engineering, and Math) subjects.

8. Tools are improving at an Alarming Rate

Technology toys, like interactive whiteboards, tablets, learning apps and websites, are always improving. Even the ways students access and interact with information is always improving. Developers are conscious of the benefits of technology in the classroom, and a lot of money is being spent on developing mobile apps and e-Learning courses with proven results. Also, social tools in Web 2.0 provide a learning opportunity for students to learn about internet safety while staying engaged with their educators.

9. Website Creation and Access are Cost-Effective

According to a PBS survey, websites are the most commonly used tech resources in the classroom with 56% of educators citing the use of a website. Some teachers even say that they create websites of their own to bolster their in-classroom lesson plans. The cost to develop and maintain a website are significantly less the investment in additional textbooks and workbooks. (Web sites are also easier to update than a printed textbook).

10. The Teaching Industry is Ready for Emerging Technology

Teachers the foot soldiers of education, and they’re ready to implement technology in the classroom through was many ways as possible. Unlike in previous decades, modern teachers recognize the critical importance technology plays in teaching tomorrow’s leaders. If a school district decides to implement or encourage technology, they probably won’t experience much (if any) backlash from educators.

The Importance of Technology in Education

If students, parents, and even teachers are convinced of the importance of technology in the classroom, what obstacles are standing in the way of implementing them?

The National PBS Survey found that 63% of educators say that the cost of technology is too high to successfully implement technology in the classroom. However, there are still cost-effective solutions that can help educators get the technology they need and deserve in their classroom.

Partner with an IT solutions company that already works with school districts throughout Texas and Louisiana to learn about your options for mobility, VDI, 1:1 deployment, and more. Contact Centre Technologies for more information about our education technology solutions today.

Additional Resources

Benefits of ICT in learning and education


Benefits of ICT in learning and education

-shailesh rathod

Advancement in technology today has changed the way people correspond in so many ways. 

All the aspects of our life have been impacted, including education. In an age determined to generate new paths to quality education, ICT brings forward countless of benefits, enabling children with the right skill and outlook to stay ahead in the increasingly aggressive rat race.

ICT, or information and communication technology, makes many ordinary tasks uncomplicated and facilitates communications from virtually any part of the globe.

Today, the emergence of such modern education technologies has altered how students approach learning and education. The failing conventional methods prompted the birth of new-age education models that provide and support innovative pedagogy.

Information and Communications Technology (ICT) in education has been linked with the upward shift in the quality of people’s lives by improving teaching and learning. This is why a number of schools are increasingly integrating ICT in their primary school education system. Through this unique teaching method, student gain an genuine learning experience, collaboratively constructing their own knowledge and applying their learning’s in a real-world context.

The use of ICT techniques in learning/teaching has a very positive influence on a student’s learning capabilities as well. It is established that students reflect in a very positive manner towards work and education when they are using computers to complete tasks given to them, encouraging and motivating them to soak in the knowledge. Students who used technology to learn in school have an increased self-esteem and self-confidence.

Here are ways how children/students can benefit from this methodology in the times to come:

• The barrier this technology breaks are both linguistic and geographic as the information can be shared quickly and efficiently over the cloud thus, providing them access to quality education anytime and anywhere.

• The ICT methods are very effective in clearing the core concepts of the subject matter; this has been proven in enhancing the students level of understanding and retaining the knowledge.

• This method makes content more enjoyable thorough engaging narratives and high quality animation, making the whole session more interactive. This improves the retention capacity of the students, brings in more focus and makes the whole process enjoyable.

• The content can be tweaked to add value to the learning curve of the student depending on the shortcoming of a student.

• Active and independent learning are forte of this method which inculcates self-responsibility and maturity for learning

• The spatial reasoning capacity of a student gets sharpened over a period of time and the ability to solve complex geometric questions without relying on formulas get a formidable boost.

• The childs progress can be mapped in the form of a electronic journal which will help teachers and students to identify the strong and weak points.

ICT based learning not just assumes an imperative part in a student’s scholastic development yet perceives the youngster’s subjective, social and enthusiastic advancement essentially. Through refined and present day systems, such as, video conferencing, virtual reality and 3D animation, it empowers students and teachers to work together in ways that mirror a comprehensively constructive way to deal with training. Also, it augments the student’s quick learning environment, offering extraordinary chances to push learning past the bounds of the classroom.

આત્મવિશ્વાસ


self confidence 
પોતાની જાત ઉપર વિશ્વાસ ધરાવતાં લોકો ઝડપથી સફળતા મેળવીને પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે. પોતાની જાત ઉપર વિશ્વાસ ધરાવતાં લોકો ઝડપથી સફળતા મેળવીને પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે.
અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! આ એક એવો ગુણ છે જે તમારુ જીવન બદલી શકે છે.આત્મવિશ્વાસ મનુષ્યની શક્તિને સંગઠિત કરીને તેને એક દિશામાં કામે લગાડે છે.

“ઘણી વાર આખા ગામને આપણી પર વિશ્વાસ હોય, પણ આપણે પોતાને પોતાની ઉપર વિશ્વાસ હોતો નથી.!”
એક દ્રષ્ટાંત કથા જોઈએ-
અમેરિકામાં એક વ્યક્તિ 10 કરોડનું દેવુ કરીને, રેલ્વેનાં પાટા નીચે સૂઇ જઇને આપઘાત કરવા જઇ રહ્યો હતો.
એટલામાંજ એક સફેદ સૂટ-બૂટ ધારિત જેન્ટલમેન ત્યાં આવ્યા અને મરતા માણસને પૂછ્યું કે ભાઇ આ શું કરો છો તમે? અને કેમ?
મોતની પથારી પર સૂતેલાએ ડરપોક જીવે પોતાના અશ્રુઅવાજે જણાવ્યું કે મારે માથે 10 કરોડનું દેવું થઇ ગયું છે, અને એટલે જ માટે હું મરવા જઇ રહ્યો છું.
સફેદ સૂટ-બૂટ ધારિત કરોડપતિ જેન્ટલમેને આ વાત સાભળતાની સાથેજ પોતાના ખિસ્સામાંથી 5-5 કરોડનાં બે ચેકો કાઢીને મરતાં માણસને આપ્યા અને કહ્યું કે જિંદગી કિમતી છે, આ લે ચેકો અને જા તારું દેવુ ઊતાર.
મરતાં માણસની આંખમાં અશ્રુધારા વહેવા માંડી. એનાં હજારો સવાલો હતાં.
વાંચનાર સર્વેને મારો એકજ પ્રશ્ન: આપણે આ મરતાં માણસની જ્ગ્યાએ હોઇએ તો પહેલાં બેન્કમાં જઇએ ચેકો વટાવવા. પણ આ મરતાં માણસે શું કર્યું, એ જોઇએ.
ત્યાથી જઇને એ માણસે પોતાના ભગવાન સામે જઇને હાથ જોડ્યાં અને મસ્તક નમાવીને જીવન બક્ષવા માટે આભાર માન્યો અને એ 5-5 કરોડનાં ચેકો ભગવાન સમીક્ષ મૂકી દીધા. અને સંકલ્પ કર્યો કે આ ચેકો હું ત્યારે જ વટાવીશ જો મારી બીજો કોઇ રસ્તો નહિ હોય.
એ માણસ ત્યાંથી જીવનદાન લઇને નિકળ્યો અને એક મહિનો વિતી ગયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અને આખરે છઠ્ઠા મહિને પોતાનું દેવુ લગભગ પૂરું કરી દીધું અને સફળતાના સ્વમાન સાથે ભગવાન પાસે આવ્યો અને પેલા 5-5 કરોડનાં ચેકો લઇને રેલ્વે ટ્રેક પાસે પેલા સફેદ સૂટ-બૂટ ધારિત જેન્ટલમેનને શોધવાં ગયો. એ સ્વમાનીને એ ધોળો જેન્ટલમેન દૂરથી આવતાં દેખાયો. સ્વામાની પુરૂષે લાંબો હાથ કરીને બૂમ પાડી, કે “હેય જેન્ટલમેન!”
એટલી વારમાં તો પાછળથી 4 પોલિસવાળા એક પાંજરુ લઇને આવ્યા અને પેલા જેન્ટલમેનને પકડીને પિંજરામાં નાખી દીધો. પેલો સ્વમાની તો જોઇને છ્ક જ થઇ ગયો. એણે પોલિસોને પૂછ્યું કે તમે આ જેન્ટલમેનને પકડીને ક્યાં લઇ જાવો છો? પોલિસોએ કીધું કે ભાઇ, આ એક ગાંડો માણસ છે. જે મળે એને ચેકો લખીને આપી દે છે!
બોલો સ્તબ્ધ થઇ ગયા ને? સાહેબ જિંદગી આવી જ છે, પોતાનામાં વિશ્વાસ કેળવો.
-શૈલેષ રાઠોડ

મિશન જ્યોત પરિવાર નડિયાદ દ્વારા શિક્ષક સ્નેહ મિલન સમારંભ


મિશન જ્યોત પરિવાર નડિયાદ દ્વારા શિક્ષક સ્નેહ મિલન સમારંભ

મિશન રોડ સ્થિત મિશન જ્યોત પરિવાર નડિયાદ દ્વારા શિક્ષક સ્નેહ મિલન સમારંભનું તારીખ 10/06/18 ના રોજ સાંજે4.00 કલાકે ક્રાઈષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે યોજાશે. સમાજ માટે સતત પ્રવૃતિશીલ મિશન જ્યોત પરિવાર સાથે શિક્ષકો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો જોડાયેલા છે. જેઓ પોતાની શક્તિઓના ઉપયોગ દ્વારા યુવા વિકાસ, ઘડતર અને સામાજિક ઉત્થાન ની પ્રવૃતિઓ કરી રહ્યા છે.
નવાસત્રથી વધુ વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજન અને નવા વિચારોના આદાનપ્રદાન માટે આ સમારંભ યોજાશે. દરેક મિશન રોડ વિસ્તારના શિક્ષકોને હાર્દિક આમંત્રણ